આજથી બે દિવસ બેન્ક હડતાળ છે; ATM સેવાને પણ અસર થઈ શકે છે
મુંબઈ – જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓના સંગઠનો આજથી બે દિવસ માટે રાષ્ટ્રવ્યાપી હડતાળ પર છે. એને કારણે બેન્કિંગ સેવાઓને માઠી અસર પડી શકે છે.
કર્મચારીઓના પગાર વધારાના મુદ્દે બેન્કોના વહીવટીતંત્ર સાથે થયેલી વાટાઘાટ નિષ્ફળ ગયા બાદ કર્મચારીઓના સંગઠનોએ હડતાળ પર જવાનું નક્કી કર્યું છે. બેન્ક કર્મચારીઓના સંગઠનો કર્મચારીઓના પગારમાં 20 ટકા વધારાની માગણી કરી રહ્યા છે. ભૂતકાળમાં કરાયેલી પગાર સમજૂતી અનુસાર એમને કર્મચારીઓને 15 ટકા પગાર વધારો મંજૂર કરાયો હતો.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ એક નોટિફિકેશન દ્વારા જણાવ્યું છે કે બેન્કકર્મીઓની હડતાળને કારણે એસબીઆઈની કામગીરીઓ ખોરવાઈ જવાનો સંભવ છે.
હડતાળને કારણે રોકડ જમા કરાવવા, ઉપાડવા, ચેક ક્લીયરન્સ, ઈન્સ્ટ્રૂમેન્ટ (ચેકબુક સહિત) ઈસ્યૂ કરવા, લોન છૂટી કરવા જેવી કામગીરીઓને અસર પડી શકે છે.
ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA)ના એક ટોચના સભ્યના જણાવ્યા મુજબ હડતાળમાં સરકારી તેમજ ખાનગી ક્ષેત્રની કેટલીક બેન્કોના 10 લાખ જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાશે. દેશભરમાં બે દિવસ સુધી 80 હજાર બેન્ક શાખાઓ બંધ રહેશે.
જોકે ખાનગી ક્ષેત્રની ICICI Bank અને એચડીએફસી બેન્ક ખુલ્લી રહેશે.
આજથી બે દિવસ હડતાળને કારણે સતત 3 દિવસ સુધી બેન્કો બંધ રહેશે. શુક્રવાર-શનિવાર હડતાળ અને રવિવારે અઠવાડિક રજાને કારણે. બેન્કો હવે સોમવારે 3 ફેબ્રુઆરીએ ખૂલશે.
3 દિવસ બેન્કિંગ કામગીરીઓ બંધ રહેશે એટલે એટીએમ મશીનોમાં પણ ચલણી નોટો ખલાસ થઈ જવાનો સંભવ રહેશે.
દેશભરમાં કુલ 9 બેન્ક કર્મચારી સંગઠનો હડતાળમાં જોડાયા છે. આ તમામ સંગઠનો યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સના નેજા હેઠળ એકત્ર થયા છે.
આવતીકાલે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ થવાનું છે ત્યારે દેશભરમાં બેન્કકર્મચારીઓ હડતાળ પર હશે.
Chitralekha Marathi – February 10, 2020
Chitralekha Gujarati – February 10, 2020
આજે સંસદમાં રજૂ થશે એ આર્થિક સર્વે છે શું?
નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ રજૂ કરાયાના એક દિવસ પહેલા એટલે કે આજે નાણાકીય વર્ષ 2019-20ની આર્થિક સમીક્ષા એટલે કે, ઈકોનોમિક સર્વે સંસદમાં રજૂ કરવામાં આવશે. આર્થિક સર્વેથી દેશની અર્થવ્યવસ્થાની સંપૂર્ણ જાણકારી મળે છે. આર્થિક સર્વે ભારતીય ઈકોનોમીની સ્થિતિ અને ભવિષ્યમાં જરૂરી એક્શનનું વિવરણ હોય છે. આજે આપણે જાણીએ આર્થિક સર્વે શું હોય છે અને તેને કોણ તૈયાર કરે છે?

આર્થિક સમીક્ષા ભારતીય અર્થવ્યવસ્થાની દ્રષ્ટીએ ખૂબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ હોય છે. સમાન્ય રીતે સરકારના મુખ્ય આર્થિક સલાહકારની આગેવાની વાળી સમિતિ આર્થિક સમીક્ષા તૈયાર કરે છે. આ દસ્તાવેજમાં દેશની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ હોય છે. આ દસ્તાવેજ ત્રણ ખંડમાં હોય છે. જેમાં વોલ્યૂમ 1, વોલ્યૂમ 2 અને સ્ટેટિસ્ટિકલ અપેન્ડિક્સ હોય છે.
દર વર્ષે રજૂ કરવામાં આવતા આર્થિક સર્વેને દેશના મુખ્ય આર્થિક સલાહકારની આગેવાનીવાળી એક ટીમ તૈયાર કરે છે. આર્થિક સમીક્ષા દેશના મુખ્ય આર્થિક સલાહકારની દ્રષ્ટિ અને ભવિષ્યમાં અર્થતંત્ર અંગે સરકારના વલણને દર્શાવે છે. જૂન 2018 માં અરવિંદ સુબ્રમણ્યમે મુખ્ય આર્થિક સલાહકાર પદેથી રાજીનામું આપ્યા બાદ આ પદ લગભગ છ મહિના સુધી ખાલી હતું. એ પછી, નરેન્દ્ર મોદી સરકારે હૈદરાબાદની ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમની નિમણૂક કરી હતી. આ બીજી વાર છે જ્યારે તેમના નેતૃત્વ હેઠળ આર્થિક સર્વે તૈયાર કરવામાં આવ્યો.

કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમની લિંક્ડિન પ્રોફાઇલ મુજબ, તેણે આઈઆઈટી કાનપુરથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેક કર્યું, ત્યારબાદ તેણે કોલકાતાના આઈઆઈએમમાંથી પીજીડીએમ કર્યું હતું. તેમણે શિકાગો યુનિવર્સિટીમાંથી પણ અભ્યાસ કર્યો છે.
રાશિ ભવિષ્ય 31/01/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે
આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું,
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.
આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું
આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે,
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.
આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે
મુંબઈમાં મધ્ય રેલવેની પહેલી AC લોકલ દોડતી થઈ
મુંબઈ – પશ્ચિમ રેલવે બાદ મુંબઈમાં મધ્ય રેલવેએ પણ તેની એરકન્ડિશન્ડ લોકલ ટ્રેન શરૂ કરી છે. આજે એની પહેલી એસી લોકલ પનવેલ સ્ટેશનેથી થાણે સુધી દોડાવવામાં આવી હતી.
રેલવેના રાજ્યકક્ષાના પ્રધાન સુરેશ અંગડીએ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશનના કન્ટ્રોલ રૂમમાંથી વિડિયો લિન્ક મારફત આ ટ્રેનની સફરનો શુભારંભ કરાવ્યો હતો.
આ ઉદઘાટક ટ્રેનને બંને મહિલાએ ચલાવી હતી. મોટરમેન હતાં મનીષા મ્હસ્કે અને ગાર્ડ હતાં શ્વેતા ઘોને.
પનવેલ સ્ટેશનેથી બપોરે અઢી વાગ્યાના સુમારે આ એસી લોકલ ટ્રેનને થાણે રવાના કરવામાં આવી હતી. થાણેથી તે નેરુલ સ્ટેશન સુધી ગઈ હતી અને ત્યાંથી એને કારશેડમાં મોકલી દેવામાં આવી હતી.
શુક્રવારથી આ ટ્રેન રોજ 16 ફેરી કરશે.
મધ્ય રેલવેના ટ્રાન્સ-હાર્બર વિભાગ પર થાણે-નેરુલ, થાણે-પનવેલ અને થાણે-વાશી સ્ટેશનો વચ્ચે આ ટ્રેનને દરરોજ દોડાવવામાં આવશે.
આ ટ્રેનમાં પ્રવાસીઓ માટે ઈન્ટરકોમ સુવિધા સહિત જીપીએસ-આધારિત ઈન્ફોર્મેશન સિસ્ટમ બેસાડવામાં આવી છે. તે ઉપરાંત દરેક ડબ્બામાં બે-સાઈડવાળા ડિસ્પ્લે અને બે ડબલ-સાઈડવાળા ડિસ્પ્લે મૂકવામાં આવ્યા છે.
ટ્રેનમાં પ્રવાસીઓ માટેની સીટ સ્ટેનલેસ સ્ટીલની બનાવવામાં આવી છે. બારીઓ ઘણી પહોળી અને મોટી ડબલ-ગ્લાસવાળી સીલ્ડ વિન્ડો છે જેમાંથી બહારનું વિશાળ દ્રશ્ય જોઈ શકાય છે.
પ્રવાસીઓની સલામતી માટે ટ્રેનમાં ઓટોમેટિક દરવાજાવાળી સિસ્ટમ છે. તે ઉપરાંત તાકીદની સ્થિતિ માટે એલાર્મ સિસ્ટમ છે. પ્રવાસીઓ અને ટ્રેનચાલકો વચ્ચે સંદેશવ્યવહાર કરવા માટે ટોક-બેક સુવિધા પણ છે.
પશ્ચિમ રેલવે બે વર્ષથી ચર્ચગેટ અને વિરાર વચ્ચે એરકન્ડિશન્ડ લોકલ ટ્રેન દોડાવે છે.
ગાંધીજી પર શોર્ટ ફિલ્મઃ કોણ જીત્યું આ સ્પર્ધામાં?
ગાંધીનગર: રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ગાંધીજી વિષયક શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ ચાર કેટેગરીમાં યોજાયેલ શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં ૨૦૩ જેટલા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પૂ. ગાંધીજીના નિર્વાણદિને શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.

સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટેની કેટેગરીમાં ૫૩ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કેટેગરીમાં પ્રથમ ક્રમે તેજસ એન. ભાંભરે(એમ.આઇ.ટી.-એ.ડી.ટી.યુનિવર્સિટી, પૂણે) દ્વિતિય ક્રમે ભાર્ગવ આર.પરમાર (ડિપાર્ટમેન્ટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ) અને તૃતીય ક્રમે ચિંતન એન.પંડ્યા- એચ.કે.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદ) વિજેતા થયા છે. આ કેટેગરીમાં સ્મિત એમ.વ્યાસ (એમ.એ.પરીખ ફાઇન આર્ટસ એન્ડ આર્ટ કોલેજ, પાલનપુર) અને અભિષેક એન.પરમાર (એલ.ઇ. કોલેજ ઓફ એન્જિનીયરીંગ, મોરબી)ને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે.
મેચ્યોર ફિલ્મ મેકર્સની કેટેગરીની સ્પર્ધામાં ૧૨૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કેટેગરીમાં પ્રથમ સ્થાને કુમાર ભોઇ (આણંદ), દ્વિતિય ક્રમે ડૉ.જીગર સુથાર (અમદાવાદ) અને તૃતીય ક્રમે ડૉ.પ્રસન્નકુમાર ગાંધી (અમદાવાદ) વિજેતા થયા છે. આ કેટેગરીમાં મિતુલ પી. ગુપ્તે (વડોદરા)ને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે.
પ્રોફેશનલ ફિલ્મ મેકર્સની કેટેગરીમાં તૃતીય સ્થાને વિજયસિંહ એમ.ઝાલા(અમદાવાદ) વિજેતા થયા છે. આ કેટેગરીમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે કોઇ કૃતિ પસંદગી પામી નથી. આ કેટેગરીમાં ૧૬ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
જ્યારે માહિતી ખાતાની ફિલ્મ મેકર્સની પેનલના નિર્માતાઓ માટેની કેટેગરીમાં પ્રથમ ક્રમે સંદિપ રાજપુત, અમદાવાદ અને દ્વિતિય ક્રમે નિમેષ શાહ, અમદાવાદ વિજેતા થયા છે.
ગાંધીજી-શોર્ટ ફિલ્મ સ્પર્ધાના પ્રથમ ક્રમાંકના વિજેતાઓને રૂા.બે લાખ, દ્વિતિય ક્રમના વિજેતાઓને રૂા.એક લાખ અને તૃતીય ક્રમાંકના વિજેતાઓને રૂા.પચાસ હજારનું ઇનામ આપવામાં આવશે.
BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નવસારીમાં નૂતન શિખરબદ્ધ મંદિરમાં ઊજવાયો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ
દક્ષિણ ગુજરાતના નવસારી શહેરની પાવન ભૂમિ ઉપર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે 2012માં સંગેમરમરના ભવ્ય શિખરબદ્ધ મંદિરના નિર્માણનો શુભારંભ કર્યો હતો. એમની પાવન પ્રેરણા અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે બીએપીએસ નૂતન મંદિરનો પ્રાણ-પ્રતિષ્ઠા વિધિ મહોત્સવ આજે (30-01-2020), વસંત પંચમીના દિવસે ઊજવાયો. 10 એકરના પરિસરમાં આ મંદિરની લંબાઈ 205 ફૂટ, 188 ફૂટ પહોળાઈ તથા ઊંચાઈ 82 ફૂટ છે, જેમાં બારીક કોતરણીવાળા કલામંડિત 222 સ્તંભો, 150 તોરણો, 900 ફૂટ લાંબી બેનમૂન ગજેન્દ્ર-પીઠ અને અવતારો, દેવી-દેવતા અને મહાન ભક્ત-પરમહંસોની સુંદર રુપપ્રતિમાઓ, ભગવાન સ્વામિનારાયણની લીલાના 44થી વઘુ પથ્થરમાં કંડારાયેલી શિલ્પકૃતિઓ અને કલાત્મક 5 શિખર, 2 ઘુમ્મટ તથા 17 ઘુમ્મટીઓ અને તેના ઉપર 19 સુવર્ણરહિત કળશો છે.
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રીહરિકૃષ્ણ મહારાજ તથા રાધાકૃષ્ણ દેવ, અભિષેક મંડપમાં શ્રી નીલકંઠવર્ણી મહારાજ, શ્રી સીતા-રામ-હનુમાનજી તથા શ્રી શિવ-પાર્વતી-ગણેશજી અને ગુરુપરંપરાની મૂર્તીઓની પ્રતિષ્ઠા વૈદિક વિધિથી શાસ્ત્રોક રીતે સંપન્ન થઈ. સમગ્ર ભારતભરમાંથી 51 પવિત્ર નદીઓના જળ અને ઔષધી કળશમાં ભેગા કરવામાં આવ્યાં હતાં અને કળશનું શાસ્ત્રોક વિધિથી પૂજન થયું અને ત્યાર બાદ આ પવિત્ર જળથી મૂર્તિઓનો અભિષેકવિધિ કરવામાં આવ્યો હતો. સંસ્થાના વિદ્વાન સંતો અને બ્રાહણો દ્વારા સમગ્ર વિધિ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવ્યો હતો. જેમાં ઉડ્ડપી, દક્ષિણ ભારતમાંથી 9 બ્રાહ્મણોએ વાદ્યનું વાદન કર્યું હતું. મહાપૂજામાં પ. પૂ. મહંતસ્વામી મહારાજ, સદગુરુ સંતો, દેશ-વિદેશના હજારો હરિભક્તો જોડાયા હતા. પ. પૂ. મહંતસ્વામી મહારાજે મંદિર પરિસરના મુખ્ય દરવાજાનું વૈદોક્ત વિધિથી અનાવરણ કરી નૂતન શિખરબદ્ધ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.
આ અવસરે પ. પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, ‘’નવસારી ખાતે અક્ષરપુરુષોત્તમ મહારાજ અને સનાતન દેવોની અહીં વૈદોક્ત વિધીથી પ્રતિષ્ઠા કરવામાં આવી છે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, તમામ ભક્તો અને નવસારી શહેરની પ્રજાજનો સુખી થાય તથા આખા વિશ્વમાં સંપ, શાંતિ, શ્રદ્ધા અને એકતા જળવાઈ રહે અને તમામ ભક્તજનોના દેશકાળ સારા થાય.’’
પ.પૂ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા દેશ-વિદેશમાં 1100 કરતાં વધુ મંદિરોનાં નિર્માણ થયાં છે જે, ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યો અને સમાજસેવાનાં ધબકતાં ઊર્જાકેન્દ્ર બની રહ્યાં છે.જેમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, નવસારીનાં નેજા હેઠળ 162 પ્રકારની પ્રવૃત્તિઓનું સફળતા પૂર્વક સંચાલન પ. પૂ. મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી થઈ રહ્યું છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આદિવાસી ઉત્કર્ષ માટે અનેક કાર્યો ચાલી રહ્યાં છે. રંભાસ ખાતે ચાલતી આદિવાસી છાત્રાલય અને સ્કૂલ દ્વારા 200થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સંસ્કારયુક્ત શિક્ષણ આપવામાં આવે છે.
નૂતન મંદિર મૂર્તિ-પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 3800 કરતા વધારે યજમાનોએ વિશ્વશાંતિ મહાયજ્ઞમાં આહુતી અર્પણ કરી હતી.





















