નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશને એક આદેશ આપ્યો છે. રાજ્યની એડેડ(સરકારી સહાયપ્રાપ્ત) સ્કૂલોમાં આર્થિક રીતે પછાત વર્ગના બાળકોને આપવામાં આવતા અરક્ષણ બાબતે ગેરરીતિના આક્ષેપ થયા છે એ તપાસવા માટે સર્વોચ્ચ કોર્ટે પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં એક સમિતિ ગઠિત કરવા કહ્યું છે. હજારથી વધારે શાળાઓ પહેલા ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યાનો આંકડો છુપાવી બેઠા છે.
બેંચે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, સુપ્રીમ કોર્ટના કોઈ પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરવા પર વિચાર કરી શકે છે જેમાં બે અથવા ચાર અન્ય સદસ્યો હોય કે જેમાં સરકારી સેવક અને શિક્ષણના ક્ષેત્રમાં અનુભવ રાખનારા કોઈ વ્યક્તિનો સમાવેશ કરી શકાય છે. પીઠે કહ્યું કે, સમિતિને આરોપોની તપાસ કરવાની રહેશે. સમિતિ પહેલી બેઠકથી ત્રણ મહિનાની અંદર કોર્ટમાં રિપોર્ટ જમા કરશે.
શાળાઓમાં EWS કોટાનો મામલોઃ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને કમિટી બનાવવા કહ્યું
CAA પર હાલ સ્ટે ઓર્ડર આપવાની સુપ્રીમ કોર્ટે ના પાડી
નવી દિલ્હી – નાગરિકતા સુધારિત કાયદા (CAA) મામલે કેન્દ્ર સરકારને આજે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. CAA તથા નેશનલ પોપ્યૂલેશન રજિસ્ટર (NPR)ના અમલ સામે સ્ટે ઓર્ડર આપવાનો કોર્ટે આજે ઈનકાર કરી દીધો હતો અને એવો સંકેત આપ્યો હતો કે આ કેસમાં સુનાવણીઓ કરવા માટે એક બંધારણીય બેન્ચની રચના કરવામાં આવશે.
આજે દેશના ચીફ જસ્ટિસ શરદ બોબડે તથા ન્યાયમૂર્તિઓ અબ્દુલ નઝીર અને સંજીવ ખન્નાની 3-સભ્યોની બેન્ચે એમ કહ્યું હતું કે વચગાળાના આદેશના પાંચ અઠવાડિયા બાદ આ કેસને સુપ્રીમ કોર્ટમાં લિસ્ટ કરાશે. કોર્ટે આજે એમ પણ કહ્યું કે આ સંદર્ભમાં વચગાળાનો આદેશ આપવો કે નહીં એ નિર્ણય કોઈ બંધારણીય બેન્ચ જ લઈ શકશે.
CAAને લગતી તમામ બાબતોમાં સોગંદનામા નોંધાવવાનો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે અને એ માટે તેને ચાર-સપ્તાહનો સમય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આસામ અને ત્રિપુરાને લગતા કેસો પર અલગ રીતે સુનાવણી કરવામાં આવશે. કોર્ટે આ બાબતોમાં સહાયતા કરવા માટે સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલને જણાવ્યું છે.
એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ શંકાસ્પદ નાગરિક (ડાઉટફુલ સિટીઝન)નો મુદ્દો ઉઠાવ્યો હતો અને કોર્ટને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં અનેક પરિવારોની નોંધણી ‘ડાઉટફુલ સ્ટેટસ’માં કરવામાં આવી છે.
કપિલ સિબ્બલે ભારપૂર્વક કહ્યું કે આ પરિવારોનાં સભ્યો મતદાનનો અધિકાર ગુમાવી દે એવી સંભાવના છે.
કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે દલીલ કરી હતી કે સરકારને 143 અરજદારોમાંથી માત્ર 60 જણની જ કોપીઓ આપવામાં આવી હતી તેથી કેન્દ્ર સરકારને આ બાબતમાં જવાબ આપવા માટે વધારે સમયની જરૂર છે.
સીએએ મામલે આજની સુનાવણી પૂરી કરતા પહેલાં સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટ્સને આદેશ આપ્યો હતો કે તેમણે આ નવા કાયદા અંગે કોઈ પણ ઓર્ડર આપવો નહીં.
CAAને પડકારતી 140 જેટલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરી હતી. કોંગ્રેસી નેતા જયરામ રમેશ, AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસી તથા અનેક મુસ્લિમ સંગઠનોએ કરેલી અરજીઓનો પણ આમાં સમાવેશ થાય છે.
અમુક પીટિશન CAA કાયદાની તરફેણમાં પણ નોંધાવવામાં આવી છે.
મોટા ભાગની પીટિશનોમાં માગણી કરવામાં આવી છે કે CAA કાયદાને પાછો ખેંચી લેવામાં આવે.
પીટિશનોમાં એવી દલીલ કરવામાં આવી છે કે નવો કાયદો, જે સંસદે પાસ કરી દીધો છે, રાષ્ટ્રપતિએ મંજૂરીની મ્હોર મારી દીધી છે અને 10 જાન્યુઆરીથી અમલમાં આવી ગયો છે, તે ગેરકાયદેસર છે અને દેશના બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધમાં છે.
પીટિશનોમાં વધુમાં એવી દલીલ પણ કરવામાં આવી છે કે આ કાયદો સમાનતાના અધિકારની વિરુદ્ધનો છે, કારણ કે એમાં ધર્મના આધારે નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.
અનેક રાજકીય પક્ષોએ CAA વિરુદ્ધ અરજી કરી છે. આમાં કોંગ્રેસ, ડીએમકે, સીપીઆઈ, સીપીએમ, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, ઓલ ઈન્ડિયા મસજલીસ-એ-ઈત્તેહાદુલ મુસ્લીમીન અને કમલ હાસનની પાર્ટી મક્કલ નીધિ મૈયમનો સમાવેશ થાય છે.
CAA કાયદો બંધારણીય છે એવો ચુકાદો આપવાની માગણી કરતી એક અરજી પર ગઈ 9 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે એમ કહીને ઈનકાર કર્યો હતો કે દેશમાં અત્યારે અશાંતિનું વાતાવરણ ફેલાયું છે અને શાંતિ સ્થપાય એના પ્રયાસો થવા જોઈએ. કોર્ટનું કામ કાયદાની કાયદેસરતા નક્કી કરવાનું છે, એને બંધારણીય તરીકે જાહેર કરવાનું નહીં, એમ બેન્ચે જણાવ્યું હતું જેમાં ન્યાયમૂર્તિઓ બી.આર. ગવઈ અને સૂર્યકાંતનો સમાવેશ થતો હતો.
દરમિયાન, વિદ્યાર્થી સંગઠનોએ CAA કાયદાને પડકારતી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીનો દિવસ હોઈ આજે સમગ્ર ઈશાન ભારતમાં શાળા-કોલેજો બંધ રાખવાનું એલાન કર્યું છે.
ઈમરાન-ટ્રમ્પ વચ્ચે મુલાકાતઃ કાશ્મીર પર શું થઇ વાત?
નવી દિલ્હીઃ સ્વીટ્ઝર્લેન્ડના દાવોસમાં ચાલી રહેલા વર્લ્ડ ઈકોનોમિક ફોરમથી અલગ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરીથી પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે મદદની રજૂઆત કરી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ કાશ્મીરની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. 
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમરાન ખાન સાથે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, અમે કાશ્મીર પર પણ વાત કરી રહ્યા છીએ કે ત્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે શું થઈ રહ્યું છે. જો અમે આના પર કોઈ મદદ કરી શકીશું તો તે મદદ જરુર કરીશું. અમે આના પર નજીકથી નજર રાખી રહ્યા છીએ.
ગત વર્ષે ઓગસ્ટમાં જમ્મૂ-કાશ્મીરને મળેલા વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ થવા અને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચ્યા બાદ ટ્રમ્પે ચોથી વાર કાશ્મીર પર મદદનો પ્રસ્તાવ આપ્યો છે. જો કે ભારત સ્પષ્ટ કરી ચૂક્યું છે કે કાશ્મીર ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય મુદ્દો છે અને આમાં કોઈ ત્રીજા દેશની મધ્યસ્થતા સ્વીકાર્ય નથી.
આજે મુંબઈમાં ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૨૦’નો ઈનામ વિતરણ સમારોહ
મુંબઈ – ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત, ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી (બીસીસીએ) આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૨૦’નો ઈનામ વિતરણ સમારંભ આજે અંધેરી (વેસ્ટ) સ્થિત ભવન્સ કૅમ્પસના સરદાર પટેલ સભાગૃહમાં સાંજે યોજવામાં આવશે. આ કાર્યક્રમ સાંજે ૬:૩૦ વાગ્યાથી યોજાશે, જે એક મનોરંજક કાર્યક્રમ ‘જશન ને જલસો’ હશે. ગુજરાતી રંગભૂમિનાં ગીત-નૃત્ય, સંગીત-એકોક્તિ તથા દુહા-છંદની રસલહાણી વચ્ચે વિજેતાઓને પારિતોષિકોથી પોંખવામાં આવશે.
૧૪મા વર્ષમાં પ્રવેશેલી આ સ્પર્ધાનો ફાઈનલ રાઉન્ડ ૩-૧૩ જાન્યુઆરી, ૨૦૨૦ વચ્ચે તળ મુંબઈના ભવન-ચોપાટી ખાતે કદરદાન પ્રેક્ષકોની ટોળાબંધ હાજરી વચ્ચે પાર પડ્યો હતો.
સ્પર્ધામાં ૨૦ નાટક ભાવનગર-સુરત ખાતે પ્રથમ રાઉન્ડમાં ભજવાયાં હતાં. એમાં ખરાં ઊતરેલાં ૧૦ નાટકના કલાકારકસબીઓને મુંબઈની ફાઈનલમાં કળા દર્શાવવાની તક મળી હતી.
બુધવાર ૨૨ જાન્યુઆરીએ સાંજે ભવન્સ કેમ્પસના સરદાર પટેલ સભાગૃહમાં યોજાનારા ભવ્ય પારિતોષિક વિતરણ સમારંભમાં શ્રેષ્ઠ નાટક, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ કલાકાર-કસબી જેવી વિવિધ કેટેગરીઓમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે.
નિર્ણાયકોએ અંતિમ સ્પર્ધાના આખરી નાટકના મંચન પછી એવૉર્ડ્સ માટે નીચે મુજબ નામાંકનો જાહેર કર્યા હતા.

શ્રેષ્ઠ નાટકની શ્રેણીમાં નામાંકન પામેલા નાટકો અને એમની સંસ્થાનાં નામ આ મુજબ છેઃ
(1) શુભ મંગલ સાવધાન – ઍક્યૂરેટ પ્રોડક્શન (વડોદરા)
(2) મીંડી કોટ – જયઘોષ થિયેટર (નવસારી)
(3) તું અને હું – અલ્ટીમા ઈવેન્ટ્સ (મુંબઈ)
(4) અંત વગરની વાત – માનસી શાહ (અમદાવાદ)
(5) નિમિત્ત કમ બેક સુન – થિયેટર ઓફ જનરેશન નેક્સ્ટ (સુરત)
(6) કુમારની અગાશી – સિલ્યૂટ થિયેટર (સુરત)
(7) અહમનું એન્કાઉન્ટર – ઉદય આર્ટ (નવસારી)
શ્રેષ્ઠ દિગ્દર્શકની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ
(1) કિરણ પાટીલ (શુભ મંગલ સાવધાન)
(2) રિષીત ઝવેરી (નિમિત્ત કમ બૅક સૂન)
(3) કર્તવ્ય શાહ (અંત વગરની વાત)
(4) દેવાંગ જાગીરદાર (કુમારની અગાશી)
(5) રૂમી બારિયા (અહમનું એન્કાઉન્ટર)
શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ
(1) કુરુષ જાગીરદાર (રાહુલ-સચીન, મીંડી કોટ)
(2) રાજુલ દીવાન (શિશિર, તું અને હું)
(3) હિમાંશુ વૈદ્ય (ગિરજાશંકર દવે, અહમનું એન્કાઉન્ટર)
(4) વિશાલ ચૌહાણ (સંવાદ-શ્યામ, અંત વગરની વાત)
(5) પલાશ આઠવલે (કુમાર, કુમારની અગાશી)
(6) સ્વપ્નીલ પાઠક (નિમિત્ત, નિમિત્ત કમ બૅક સૂન)
શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ
(1) રૂબી ઠક્કર (શુભા, શુભ મંગલ સાવધાન)
(2) જૈની શાહ (પ્રેરણા-કનક, અંત વગરની વાત)
(3) મેઘા સિયારામ (નીશા, કુમારની અગાશી)
(4) શિલ્પી લુહાર (રૂકસાના-આરતી, અહમનું એન્કાઉન્ટર)
(5) ડૉ. મેઘા પંડ્યા – (તૃષા-જિયા, વિસ્ફોટ ૨.૦)
શ્રેષ્ઠ સહ-અભિનેતાની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ
(1) રવિ બારોટ (રોમી, શુભ મંગલ સાવધાન)
(2) પાર્થ રાવલ (વિરેન-મોહરૂ, વિસ્ફોટ ૨.૦)
(3) હનીફ મીર (માલવનું મન, પ્રેમની તા… તા… થૈયા)
(4) નીરજ ચિનાઈ (શાસ્ત્રી-બોસ, નિમિત્ત કમ બૅક સૂન)
(5) નીરવ પરમાર (વૈભવ, અંત વગરની વાત)
શ્રેષ્ઠ સહ-અભિનેત્રીની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ
(1) પૂર્વી ભટ્ટ (સેમી, શુભ મંગલ સાવધાન)
(2) શિવાની ચાહવાલા (મીરાં, મીંડી કોટ)
(3) માધવી શાનભાગ, (યુવાન શૈલજા, તું અને હું)
(4) સુહાની જાગીરદાર (અભિલાષા, કુમારની અગાશી)
(5) પૂનમ મેવાડા (નીશાનું મન, પ્રેમની તા… તા… થૈયા).
શ્રેષ્ઠ વેશભૂષાની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ
(1) શિવાંગ ઠક્કર (નિમિત્ત કમ બૅક સૂન)
(2) માનસી શાહ (અંત વગરની વાત)
(3) દેવાંગ જાગીરદાર (કુમારની અગાશી)
શ્રેષ્ઠ યુવા કલાકાર શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ
(1) સૌમ્ય પંડ્યા (સૂત્રધાર-નાનો તિમિર, વિસ્ફોટ ૨.૦)
(2) અમિતા ગોહિલ (સ્પેશિયલ જ્યુરી પ્રાઈઝ, વિસ્ફોટ ૨.૦)
(3) જીત સોલંકી (મેડી પટેલ, શુભ મંગલ સાવધાન)
શ્રેષ્ઠ મૌલિક નાટક શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ
(1) ભાર્ગવ ત્રિવેદી (અંત વગરની વાત)
(2) રિષીત ઝવેરી (નિમિત્ત કમ બૅક સૂન)
શ્રેષ્ઠ કળાનિર્દેશન શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ
(1) શિવાંગ ઠક્કર (નિમિત્ત કમ બૅક સૂન)
(2) કર્તવ્ય શાહ (અંત વગરની વાત)
(3) ચેતન કણિયા (કુમારની અગાશી)
શ્રેષ્ઠ પ્રકાશ રચના શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ
(1) મિતુલ લુહાર (નિમિત્ત કમ બૅક સૂન)
(2) કર્તવ્ય શાહ (અંત વગરની વાત)
(3) ખેગન નાયક/સંતોષ જતકર (અહમનું એન્કાઉન્ટર)
(4) મિતુલ લુહાર-દેવાંગ જાગીરદાર (કુમારની અગાશી)
શ્રેષ્ઠ સંગીત શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ
(1) રૂમી બારિયા (અહમનું એન્કાઉન્ટર)
(2) સિદ્ધરાજ પરમાર (શુભ મંગલ સાવધાન)
(3) જિમી દેસાઈ (નિમિત્ત કમ બેક સૂન)



(તસવીરોઃ જિજ્ઞેશ મકવાણા અને દીપક ધુરી)
સપનાંઓ પૂરા થાય જ છે, જરૂર છે ધીરજની….
નવી દિલ્હીઃ દુબઈમાં એક ભારતીય દુકાનદારે એક લોટરીની ટિકીટમાં બે લાખ દિરહમ (54,452 ડોલર) જીતી લીધા છે. આ વ્યક્તિ છેલ્લા 10 વર્ષથી રેફલ લોટરી ટિકીટ ખરીદી રહ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, શ્રીજિતે દુબઈ શોપિંગ ફેસ્ટિવલના 25 મી એડિશન તરીકે ઈનફિનિટી મેગા રેફલમાં ઈનફિનિટી ક્યૂએક્સ 50 કારની સાથે-સાથે બે લાખ દિરહામનું રોકડ ઈનામ જીત્યું છે.
આ જીત બાદ શ્રીજિતે કહ્યું કે, હું લોટરી જીતી ગયો છું તે વાત સાંભળી ત્યારે પહેલા તો મને વિશ્વાસ જ ન આવ્યો. એક દિવસ હું જીતીશ જ, તેવી અપેક્ષા સાથે હું છેલ્લા 10 વર્ષથી દર વર્ષે રેફલ ટિકીટ ખરીદતો રહ્યો છું. મારા માટે આ જીત ખૂબ મહત્વપૂર્ણ છે અને હવે મને વિશ્વાસ થઈ ગયો છે કે સપનાઓ પૂરા થાય છે.
તેમણે કહ્યું કે, મારા બે દિકરા છે અને મારી પત્ની ગર્ભવતી છે અને આ પૈસાથી મારા બાળકોને સારુ ભવિષ્ય આપી શકીશ. ઈનફિનીટી મેગા રેફલ દર વર્ષે ઉત્સવના દિવસે ડીએસએફના વિઝિટરોને એક ઈનફિનીટી ક્યૂએક્સ 50 કાર અને બે લાખ દિરહમનું ઈનામ આપે છે.
રાશિ ભવિષ્ય 22/01/2020
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
આજના દિવસ સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, કામકાજ અર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું જ કામ કરવુ યોગ્ય છે, ભક્તિ અને દાનકર્મ કરવું સારું કહી શકાય.
આજનો દિવસ સરસ અને મસ્તીમજાક વાળો છે, તમને તમારા કામમાં અન્યનો સાથ સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , પ્રિયજન સાથેના કોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.
આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, તમે કોઈના સહયોગી બનવાની સારી ભૂમિકા ભજવી શકો છો , વેપારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને તમે કોઈને યથાશક્તિ કંઇક દાન કરવાની વૃત્તિ જાગે તેવું પણ બની શકે છે.
આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનું કામ કરવું યોગ્ય છે, શાંતિ અને પ્રભુભકિતમાં દિવસ પસાર કરવો ઇચ્છનીય છે.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ ખટપટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામમાં જોખમથી દુર રહેવું, ધાર્મિકસ્થળે દર્શન કરવા જવાના અને ક્યાંક દાનકે ભેટ આપવાના યોગ પણ બની શકે છે.
આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય, મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય તેવું બની શકે છે.
આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈલાભની વાત આપ લે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ પણ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળી શકે છે, ધાર્મિકભાવના સારી જોવા મળે અને સદ્કાર્ય કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.
આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, કોઈ ધાર્મિકસ્થળની મુલાકાતથી તમારું મન ખુશી અનુભવે અને મનમાં કોઈ કામની સદભાવના જાગી શકે છે.
આજનો દિવસ સાવચેતી રાખવી, કોઈવાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ દિવસભર રહ્યા કરે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવાથી એકાગ્રતા અને મનની સ્થિરતા સારી રહે.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે અને તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં નાનું અને આયોજન પૂર્વકનું કામ કરવું સારું કહી શકાય, કોઈના કાર્યમાં મદદ કરવાથી મનને સારી ખુશી મળે.
આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરી થઈ શકે છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો, કોઈમાટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં આજે તમને અણધાર્યો સારો પ્રતિસાદ મળી શકે છે.
મોઢેરા સૂર્યમંદિરમાં દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો આરંભ…

























દીપિકા દાવોસ સંમેલનમાં એવોર્ડથી સમ્માનિત…
![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() ![]() |

























