Home Blog Page 5043

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’નું ફર્સ્ટ લૂક રિલીઝ; આલિયાનો માફિયા ક્વીન પોઝ

મુંબઈ – આલિયા ભટ્ટ અભિનીત અને સંજય લીલા ભણસાલી નિર્મિત ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આલિયા આ ફિલ્મમાં વેશ્યાલયની માલિકણ અને માફિયા ક્વીનનો, શિર્ષક રોલ કરી રહી છે.

આ ફિલ્મના બે પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યા છે. આલિયાએ એમાં એક સાથે અનેક પ્રકારનાં હાવભાવ પ્રદર્શિત કર્યા છે.

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ બનાવવાની ભણસાલીએ જ્યારથી ઘોષણા કરી છે ત્યારથી આ ફિલ્મ વિશે લોકોમાં ઉત્કંઠા વધી ગઈ છે. હવે જ્યારે ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ થઈ ગયું છે ત્યારે ઈન્ટરનેટ પર પ્રશંસકોએ એને ખૂબ વખાણ્યું છે.

ફિલ્મની નિર્માતા કંપની ભણસાલી પ્રોડક્શન્સે પોસ્ટરને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. સાથેની કેપ્શનમાં લખ્યું છે: ‘શક્તિ. તાકાત. ભય. એક લૂક, હજાર હાવભાવ. પ્રસ્તુત છે #ગંગૂબાઈકાઠિયાવાડીનો ફર્સ્ટ લૂક. થિયેટરમાં રજૂ થશે 11 સપ્ટેંબર, 2020.’

આ પોસ્ટરમાં આલિયાને માફિયા ક્વીન તરીકે ઉલ્લેખવામાં આવી છે. એની આંખો જ બધું કહી જાય એવી છે. નાકમાં ચૂંક ધ્યાન ખેંચનારી છે તો કપાળ પર મોટો લાલ રંગનો ચાંદલો કર્યો છે.

બીજી તસવીરમાં આલિયા સાવ અલગ બ્લાઉઝમાં છે, એણે હાથમાં બંગડીઓ પહેરી છે, માથામાં બે ચોટલા વાળ્યા છે અને કપાળ પર લાલ રંગનો ચાંદલો કર્યો છે.

સાચે જ, આલિયાનો આ લૂક એકદમ હટકે છે. પોસ્ટરમાં આલિયાને એક ટેબલની બાજુમાં બેઠેલી બતાવવામાં આવી છે. ટેબલ પર રિવોલ્વર પડેલી જોઈ શકાય છે.

આલિયાએ પોતે જ સોશિયલ મિડિયા પર પોતાનું આ પોસ્ટર રિલીઝ કર્યું છે અને એની કેપ્શનમાં લખ્યું છેઃ ‘આવી ગઈ છે, ગંગૂબાઈ કાઠિયાવાડી.’

બોલીવૂડ હસ્તીઓથી લઈને સામાન્ય ઈન્ટરનેટ યૂઝર્સ તરફથી આલિયા પર અભિનંદનનો વરસાદ વરસાવવામાં આવ્યો છે.

આ ફિલ્મમાં અજય દેવગન પણ દિલચસ્પ ભૂમિકામાં જોવા મળશે.

‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ ફિલ્મ હુસૈન ઝૈદીના પુસ્તક ‘ક્વીન્સ ઓફ બોમ્બે’નું ફિલ્મી રૂપાંતર છે.

ગંગૂબાઈ કાઠિયાવાડી એવા વેશ્યાગૃહના માલિકણ હતા જેમણે મુંબઈના કમાઠીપુરા મોહલ્લાનો ચહેરો બદલી નાખ્યો હતો.

આલિયા ભટ્ટ આ પહેલી જ વાર સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં કામ કરી રહી છે. આ ફિલ્મમાં શિર્ષક ભૂમિકા માટે પહેલાં પ્રિયંકા ચોપરાને પસંદ કરવામાં આવી હતી.

આલિયાએ ગયા ડિસેંબરમાં જ આ ફિલ્મમાં પોતે ટાઈટલ ભૂમિકા કરી રહી હોવાની જાહેરાત કરી હતી. એણે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરતી વખતે લખ્યું હતું કે, ‘જુઓ તો જરા, સાન્તાએ મને આ વર્ષે ગિફ્ટમાં શું આપ્યું છે.’

ફિલ્મ આ વર્ષની 11 સપ્ટેંબરે રિલીઝ કરવાનું નિર્ધારિત કરાયું છે.

આલિયા જુદા જુદા પાત્રો ભજવીને બહુ ઓછા સમયમાં બોલીવૂડમાં પોતાની છાપ ઊભી કરવામાં સફળ થઈ છે.

ટીકટોક વાપરતા હો તો સંભાળજોઃ સરકારની છે નજર

મેરિકાની કંપનીઓને પેટમાં ચૂંક આવે તેવી રીતે ચીનની કંપનીઓ ઓનલાઇન લોકપ્રિય બની રહી છે. તેમાં એક છે ટીકટોક. દુનિયામાં યૂટ્યુબ જોનારા સૌથી વધુ ભારતીયો છે, તે રીતે ટીકટોક પણ સૌથી વધુ ભારતમાં જોવાય છે. આ કંઈ ખુશ થવા જેવી વાત નથી. આપણા દેશની કરુણાજનક સ્થિતિની વાત છે. અંગ્રેજોએ ભારતમાં અફિણ બનાવવાનો ઉદ્યોગ માટે ખોલ્યો હતો અને તેની પેટીઓની પેટી ભરીને ચીન લઈ જવાતી હતી. ચીનના લોકોને અફિણના રવાડે ચડાવીને તેને ખોખલું કરી નખાયું હતું.

ભારતનું યુવાધન અને પ્રૌઢો બધા જ કામધંધા પડતા મૂકીને વાહિયાત પ્રકારના વીડિયો મોબાઇલમાં જોતા થાય તેનાથી અમેરિકા અને ચીનની કંપનીઓને ધીકતી કમાણી છે, પણ દેશ કંગાળ થઈ જશે. ટીકટોક જોનારાને મંદબુદ્ધિના કહેવા પડે તેવી વાહિયાત પ્રકારની કન્ટેન્ટ તેમાં હોય છે. ને છતાંય લોકો તેને જોઈને ખીખીયાટા કર્યા કરે છે. એક જણ આપીને બીજાને લપાટ મારે અને છુપાઈ જાય. પાછો આવીને લપાટ મારે અને છુપાઈ જાય. ને ત્રીજી વાર પેલો માણસ પાછળ ફરીને લપાટ મારનારને લાત મારે અને ખેલ ખતમ. આવા વાનરવેડાં વારંવાર જોઈને ખીખીયાટા કરનારી પ્રજાના ધોરણ વિશે વિચારવું પડે.

પણ હવે ટીકટોક જોતા હો કે તેમાં ગંદી માનસિકતા અને હલકી હાસ્યવૃત્તિ ધરાવતા વીડિયો મૂકી રહ્યા હો તો સાવધાન થઈ જશો. સરકાર તેના પર નજર રાખી રહી છે અને ટીકટોક ચલાવતી કંપનીને કોણ આ વીડિયો બનાવીને મૂકી રહી છે તેની માહિતી માગીને એકાઉન્ટ બંધ પણ કરાવી રહી છે. હાલમાં થોડાં આંકડાં જાહેર થયા છે, તેમાં ખ્યાલ આવ્યો છે કે ટીકટોક કંપની પાસે એકાઉન્ટની વિગતો માગતી અને ગટર કક્ષાના વીડિયો દૂર કરાવવા માટે સૌથી વધુ માગણી ભારત સરકાર તરફથી થઈ છે.

ગયા વર્ષના આંકડાં છે અને પ્રથમ છ મહિનાના છે. આ વર્ષે આંકડાં વધી પણ શકે છે, કેમ કે સ્માર્ટ ફોનની સંખ્યા 50 કરોડને વટાવી ગઈ છે અને થોડા વર્ષોમાં 85 કરોડે પહોંચવાની છે. સ્માર્ટફોનમાં જ આ દૂષણ વધ્યું છે. ડેટા સસ્તો થયો તેના કારણે આપણે રાજી થઈએ છીએ, પણ મોટા ભાગનો ડેટા મનનું રંજન કરનારા નહિ, પણ મનને દૂષિત કરનારા મનોરંજન જોવામાં વેડફાઇ રહ્યો છે. થોડો મોંઘો કરવાની વાત કર્યા પછી હજીય ડેટા ખાસ મોંઘો થયો નથી, તેથી 2020માં સરકાર આદિયો કાચ લઈને બેસશે અને કંપનીઓ પાસે માહિતી માગશે એમ કહી શકાય.
જાન્યુઆરીથી જૂન 2019 સુધીમાં 28 જેટલા દેશોએ ચીનની કંપની પાસે ટિકટોક યુઝર્સ અને તેના એકાઉન્ટ્સની માહિતી માગી હતી. તેમાં સૌથી વધુ માહિતી ભારતે માગી હતી. ભારત સરકારે કાનૂની પ્રક્રિયા દ્વારા અને કેટલાક સંજોગોમાં ઇમરજન્સી કેટલાક એકાઉન્ટ્સ વિગતો માગી હતી. ભારતે 107 અરજી મોકલીને 143 એકાઉન્ટ્સની વિગતો માગી હતી. આ આંકડો નાનો લાગતો હશે, પણ ટકાવારીમાં સૌથી મોટો છે. દુનિયાભરમાંથી આવેલી અરજીમાંથી ભારતની અરજીની સંખ્યા ત્રીજા ભાગ કરતાં વધારે હતી.

ભારત પછી બીજા નંબરે અમેરિકા સરકારે 79 માગણીઓ મૂકી હતી અને 255 એકાઉન્ટ્સની વિગતો માગી હતી. તે પછી જાપાન 35 અને જર્મની 12ની સંખ્યા સાથે હતા. તે પછીના દેશો તરફથી પાંચથી ઓછી માગણીઓ હતી, પણ ત્યાં ટિકટોક એટલું લોકપ્રિય નથી. ભારતે સૌથી વધુ માગણીઓ મૂકી હતી, પણ અમેરિકા આ બાબતમાં વધારે સજાગ અને ચોકસાઇ સાથે કામ કરે છે. ભારતે 107 માગણીમાં 143 એકાઉન્ટ્સની વિગતો માગી હતી, પણ અમેરિકાએ 79 અરજીમાં 255 એકાઉન્ટ્સની વિગતો માગી લીધી હતી.

અમેરિકાએ પાકું કામ કરીને મોકલ્યું હતું એટલે તેની માગણી પ્રમાણે 80 ટકા કિસ્સામાં પૂરતી માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી. ભારતના કિસ્સામાં તે ટકાવારી 47 ટકા હતી. ભારતનું સરકારી તંત્ર કાચું કામ કરતી હોય છે તે આપણે જાણીએ છીએ. જોકે એકાઉન્ટ બંધ કરાવવાની બાબતમાં ભારતને વધારે સફળતા મળી છે, કેમ કે ભારતમાંથી મૂકાતા વીડિયો વાંધાજનક વધારે છે. ભારતે 9 એકાઉન્ટ્સ બંધ કરી દેવા માટે કંપનીને જણાવ્યું હતું. તેમાંથી 8 કંપનીએ બંધ કરી દીધા હતા અને બીજા એકાઉન્ટ્સમાં રહેલા વાંધાનજક 4 સામગ્રી દૂર કરવામાં આવી હતી. અમેરિકાએ 7 એકાઉન્ટ્સ બંધ કરવા કહ્યું હતું અને સાતેસાત કંપનીએ બંધ કરી દીધા હતા. જાપાને પાંચ એકાઉન્ટ્સ બંધ કરવા કહ્યું, તેમાંથી 4 કંપનીએ બંધ કર્યા હતા.


આ હજી શરૂઆત છે અને કંપનીએ પહેલીવાર ટ્રાન્સપરન્સી માટે આંકડાં જાહેર કર્યા છે, પણ આગામી સમયમાં તેની સંખ્યા વધી શકે છે. બીજા છ મહિનામાં કેટલા એકાઉન્ટ્સની ફરિયાદ થઈ અને કેટલા બંધ થયા તેની માહિતી હવે પછી આવશે. ત્યારે ખ્યાલ આવશે કે સરકાર કેટલીક ગંભીરતાથી નજર રાખી રહી છે અને કંપની કેટલી હદ સરકારનું માનવા તૈયાર છે. કંપનીને મળેલી કુલ ફરિયાદમાં ભારતની ફરિયાદ 36 ટકા હતી, તેનું એક કારણ એ પણ છે કે તેના કુલ યુઝર્સમાંથી 40 ટકા ભારતમાં છે. અમેરિકી કંપનીની જેમ ચીનની કંપનીઓ પણ ચાલાક થઈ ગઈ છે. અમેરિકી પદ્ધતિએ તેનું માર્કેટિંગ થાય છે. ઇરાદાપૂર્વક વિવાદો ઊભા કરીને લોકોને વીડિયો જોવા લલચાવામાં આવે છે. વધારે ગંદાં, વાહિયાત, વેવલા વીડિયો બનાવવા માટે મૂરખ લોકોને પૈસા આપીને તૈયાર કરવામાં આવે છે. સરકાર તેની સામે ફરિયાદ કરે અને આઇટી એક્ટ હેઠળ થોડા મહિના જેલમાં જવા પણ આવા લોકો તૈયાર હોય છે. મજૂરી કરનારાને બેપાંચ લાખ રૂપિયા મળતા હોય તો મજૂરી કરવાના બદલે છ મહિના જેલમાં રહી આવે, શું ફરક પડે છે? તે વીડિયોનો વિવાદ મીડિયામાં વધારે ચગે ત્યારે બીજા પાંચ લાખ યુઝર્સ વધી જાય છે.
આ વિષચક્ર એવું છે, જે ખાનગી કંપનીઓ વધારી રહી છે. સરકાર કાયદા કરે ત્યાં સુધીમાં તેની નાગચૂડ ફેલાઈ ચૂકી હોય છે. ડેટા પ્રોડેક્શન માટે અને ઓનલાઇન કન્ટેન્ટ માટે સરકારે ખરડો તૈયાર કર્યો છે. (જુઓ ચિત્રલેખાનો અગાઉનો અહેવાલ પર્સનલ ડેટા પ્રોટેક્શનઃ નામ સુરક્ષાનું, કામ માહિતી પચાવી પાડવાનું? https://bit.ly/36ZHvTG) તે શિયાળુ સત્રમાં સંસદમાં આવશે. અત્યારે સૌને મોકળું મેદાન છે. પોતાને ફાવે તેવા વીડિયો બનાવીને લોકો ઓનલાઇન મૂકે છે. આ અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય નથી, પણ અંધાધૂંધી છે. એક જૂથ બીજા જૂથને ગાળો દે છે અને બીજું જૂથ ત્રીજાને ઉઘાડું કરે છે.

તમે જાણીને ચોંકી જશો કે સ્ટ્રિમિંગ સર્વિસ તરીકે ઓળખાતી ઓનલાઇન મનોરંજનની દુનિયા બહુ મોટા પાયે નુકસાન કરવા તૈયાર થઈ ગઈ છે. આવી એક અમેરિકન કંપનીએ ભારતમાં કન્ટેન્ટ તૈયાર કરવા માટે 3000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. તમે આંકડો બરાબર જોયો – 3000 કરોડ રૂપિયામાં એવી સિરિઝો બનાવાશે જે પોર્ન કરતાંય બિભત્સ અને અશ્લિલ હશે. ફિલ્મ પર સેન્સર લાગુ પડે છે. આ ઓનલાઇન અનિયંત્રિત છે અને તેમાં નકરી ગંદકી પીરસવામાં આવે છે. કલાના નામે તેમાં હલકી કક્ષાની અશ્લિલ સામગ્રી પીરસવામાં આવે છે. શૃંગાર રસ સાથે તેને નાહવા-નીચોવાનો સંબંધ નથી. લોકોની વૃત્તિઓને ઉશ્કેરીને કંપનીઓ કમાણી કરી રહી છે. કમાણી સામેય વાંધો નથી, પણ પૈસા ગુમાવવા સાથે પ્રજા તરીકે આપણે બીજું શું શું ગુમાવીએ છીએ તે પણ વિચારવું પડે.


ટિકટોકનું વાહિયાત, ગંદું અને વિકૃત્ત મનોરંજન વાપરતા પહેલાં વિચારજો કે તમારો ટેસ્ટ કેવી રીતે બગડી રહ્યો છે. મનોરંજન માટે આપણા ડાયરાના કલાકારો ક્યાં ખોટા છે? તમને ખડખડાટ હસાવવા સાથે જ્ઞાનની બે વાત પણ કહેશે અને શીખ પણ આપશે. ટિકટોકનો વીડિયો તમને વિકૃત્તિની જ શીખ આપે છે એટલે સરકાર કાનૂની રાહે તેની સામે પગલાં લે કે ના લે, તમે તેને જોવાનું બંધ કરો. બંધ નહિ કરો તો સરકારે નજર રાખવાનું શરૂ કરી દીધું જ છે. કાયદો પસાર થશે તે પછી વધારે સત્તાવાર રીતે અને અધિકાર સાથે સરકાર કંપનીઓ પાસેથી તમારી માહિતી જાણી શકશે. કોઈને બ્લેકમેઇલ કરવા ઓનલાઇન કશુંક મૂકશો તો સરકાર તરત તમને પકડી શકશે. સરકારની નીતિની મુદ્દાસર ટીકા કરો, તેમાં તમને સહયોગ મળશે, પણ મનોરંજનના નામે વિકૃતિ મૂકશો અને સરકાર પકડી જશે ત્યારે તમને કોઈ ટેકો નહિ આપે. માટે સાવધાન…

નિર્ભયાનાં હત્યારાઓને 22 જાન્યુઆરીએ ફાંસી આપી નહીં શકાય

નવી દિલ્હી – 2012ની 16મી ડિસેંબરે દિલ્હીમાં મેડિકલ વિદ્યાર્થિની (જેને મિડિયા દ્વારા નિર્ભયા નામ આપવામાં આવ્યું છે) પર ગેંગરેપ કરી એની હત્યા કરવાના ગુનામાં અપરાધી જાહેર કરાયેલા ચાર જણને 22 જાન્યુઆરીએ ફાંસીએ લટકાવી દેવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપી દીધો છે અને એ માટેનું ડેથ વોરંટ પણ ઈસ્યૂ કરી દીધું છે, તે છતાં અપરાધીઓને 22મીએ ફાંસી આપવાનું કદાચ શક્ય નહીં બને, કારણ કે અપરાધીઓએ રાષ્ટ્રપતિને કરેલી દયાની અરજી પર નિર્ણય આવવાનો હજી બાકી છે.

આમ, નિર્ભયાનાં હત્યારાઓને ફાંસી આપવાનું લંબાઈ જવાની સંભાવના છે.

દિલ્હી સરકારે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું છે કે નિર્ભયાનાં અપરાધીઓને 22મી જાન્યુઆરીએ ફાંસી આપવાનું શક્ય નથી, કારણ કે દયાની અરજી પર રાષ્ટ્રપતિએ હજી નિર્ણય લીધો નથી.

દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ મનમોહન અને સંગીતા ઢીંગરા-સેહગલને કહ્યું કે ચારમાંના એક અપરાધી મુકેશે તેના ડેથ વોરંટને પડકારતી અરજી કરી છે.

તિહાર જેલના સત્તાવાળાઓના વકીલ તરીકે કોર્ટમાં ઉપસ્થિત થયેલા એડવોકેટ રાહુલ મેહરાએ કહ્યું કે 2012ના નિર્ભયા કેસના અપરાધીઓને 22 જાન્યુઆરીએ ફાંસી આપી શકાય એમ નથી.

મેહરાએ વધુમાં કહ્યું કે અપરાધીની દયાની અરજી રાષ્ટ્રપતિ નકારી કાઢે એ પછી જ ફાંસીની સજા પામેલા અપરાધીને લટકાવી દેવાનું નક્કી થઈ શકે.

મેહરાએ વધુમાં કહ્યું કે દયાની અરજી નકારી કાઢવામાં આવે તેના 14 દિવસ પછી જ અપરાધીઓને ફાંસી આપી શકાશે, કારણ કે અમારે નિયમનું અનુસરજ કરવું જ પડે. નિયમ કહે છે કે, દયાની અરજી નકારી કાઢવામાં આવે એ પછી અપરાધીઓને 14 દિવસની નોટિસ આપવી.

 

દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા કાયદા મુદ્દે નાગરિકો હઠે ચડયા

નવી દિલ્હી: નાગરિકતા કાયદા વિરુદ્ધ દિલ્હીના શાહીન બાગમાં છેલ્લા એક મહિનાથી પ્રદર્શન કરી રહેલા લોકોએ તેમની માંગણીઓ જ્યાં સુધી પૂર ન થાય ત્યાં સુધી અહીંથી હટવાની મનાઈ કરી દીધી છે. આ વચ્ચે પોલીસે આ લોકોને પ્રદર્શન બંધ કરવાની અપીલ કરી અને સાથે આ વિસ્તારના કેટલીક જાણીતી વ્યક્તિઓ સાથે મળીને મામલાને ઉકેલવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આ બધા વચ્ચે દિલ્હી પોલીસે શાહીન બાગમા પ્રદર્શનકારીઓને અહીંથી ખસેડવા માટે એક બેઠક પણ બોલાવી હતી. આ અગાઉ શાહીન બાગ-કાલિંદી કુંજમાં રસ્તા પર ચક્કાજામ મામલે મંગળવારે સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે દિલ્હી પોલીસ અને કેન્દ્રની તરફેણ કરી છે. હાઈકોર્ટે આ મામલે પોલીસને કાયદા હેઠળ કામ કરવા કહ્યું છે.

મહત્વનું છે કે, શાહીનબાગને પગલે અન્ય બીજા ક્ષેત્રોમાં પણ આ પ્રકારના પ્રદર્શન શરું થઈ ગયા છે. હવે આ પ્રદર્શનમાં બહારથી પણ લોકો જોડાઈ રહ્યા છે. પંજાબથી ભારતીય કિસાન યુનિયનના અનેક પ્રદર્શનકારીઓ બુધવારે અહી પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આ ઉપરાંત આજે પણ જામિયા અને જેએનયુમાં દિલ્હી પોલીસના એક્શન વિરુદ્ધ વિદ્યાર્થીઓએ પ્રદર્શન ચાલુ રાખ્યું છે.

કોંગ્રેસ નેતા મણિશંકર અય્યર મંગળવારે દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં CAA અને NRC અંગે પ્રદર્શનમાં સામેલ થયા હતા. અય્યરે કહ્યું કે, હું વ્યક્તિગત રીતે બધુ કરવા માટે તૈયાર છું. જે પણ બલિદાન આપવાનું હોય, તેના માટે પણ તૈયાર છું. હવે જોઈએ કોણા હાથ મજબૂત છે, આપણા કે એ ખૂનીના? અય્યરે વધુમાં કહ્યું કે,‘ચૂંટણીમાં ભાજપને બહુમતી મળી, તેમણે કહ્યું હતું કે, અમે સૌનો સાથ, સૌનો વિકાસ કરીશું, પણ શું એ લોકો આવું કર્યું. તેમણે સૌનો સાથ, સૌનો વિનાશ કર્યો. તમે જ એમને વડાપ્રધાન બન્યા, તમે જ તેમને સિંહાસન પરથી ઉતારી શકશો.’

વાનખેડે ODIમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10-વિકેટથી હરાવ્યું…

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 14 જાન્યુઆરી, મંગળવારે રમાઈ ગયેલી સિરીઝની પહેલી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10-વિકેટથી કચડી નાખ્યું હતું અને 3-મેચોની સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્ચે ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ કરવા કહ્યું હતું. ભારતનો દાવ 49.1 ઓવરમાં 255 રનમાં પૂરો થયો હતો. એના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ એકેય વિકેટ ગુમાવ્યા વગર 37.4 ઓવરમાં 258 રન કરીને મેચ જીતી લીધી હતી. ડેવિડ વોર્નર 128 રન અને ફિન્ચ 110 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ભારતના દાવમાં શિખર ધવન 74 રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો.




બીજી વન-ડે મેચ 17 જાન્યુઆરીએ રાજકોટમાં અને ત્રીજી તથા છેલ્લી મેચ 19મીએ બેંગલુરુમાં રમાશે.














































ઉત્તરાખંડ સરકાર ચાર ધામ સહિત 50 મંદિરોના વહીવટનો કબજો લેશે

દેહરાદૂન – ઉત્તરાખંડ રાજ્યના ગવર્નર બેબી રાની મૌર્યએ ‘ચાર ધામ દેવસ્થાનમ મેનેજમેન્ટ બિલ-2019’ને તેમની મંજૂરી આપી દીધી છે. આ સાથે ઉત્તરાખંડમાં ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, બદ્રીનાથ – એમ ચાર ધામ સહિત 50 તીર્થસ્થાનો પોતાને હસ્તક લેવાનો રાજ્ય સરકાર માટે માર્ગ મોકળો થઈ ગયો છે.

ઉક્ત ખરડો ઉત્તરાખંડ સરકારના કાયદા વિભાગે પાસ કરી દીધો છે અને હવે એને અમલમાં મૂકતા પહેલાં નોટિફિકેશનની તારીખ અંગે ચર્ચા કરવામાં આવશે.

આ માટે જે બોર્ડ રચવામાં આવશે એમાં આઈએએસ કક્ષાના કોઈ અધિકારી સીઈઓ તરીકે નિયુક્ત કરવામાં આવશે જ્યારે રાજ્યના મુખ્ય પ્રધાન બોર્ડના પ્રમુખપદે રહેશે. બોર્ડના સભ્યો તરીકે વિધાનસભ્યો, સંસદસભ્યો તથા ટેહડી શાહી પરિવારના એક સભ્યનો પણ સમાવેશ કરવામાં આવશે.

બોર્ડનું મુખ્યાલય દેહરાદૂન શહેરમાં રખાશે.

આ બોર્ડ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી સહિત ઉત્તરાખંડ રાજ્યના બીજા 51 મંદિરોને રાજ્ય સરકારના અંકુશ હેઠળ લાવશે.

એ સાથે જ હાલના જે મંદિર સંચાલન ટ્રસ્ટ, સમિતિ કે બોર્ડ છે એ રદ કરવામાં આવશે. આમાં બદ્રી-કેદાર ટેમ્પલ કમિટીનો પણ સમાવેશ થાય છે.

વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ અને તિરુપતિ બાલાજી શ્રાઈન બોર્ડની જેમ ઉત્તરાખંડનું મંદિર બોર્ડ બનશે.

સ્થાનિક પૂજારીઓ, સાધુ-સંતો નારાજ, આંદોલન કરશે

દરમિયાન, ઉત્તરાખંડ સરકારના આ નિર્ણયથી રાજ્યના ઘણા પૂજારીઓ, સાધુ-સંતો નારાજ થયા છે.

કેદારનાથ વિસ્તારના કોંગ્રેસના વિધાનસભ્ય મનોજ રાવતે આ ખરડાની વિરુદ્ધમાં આંદોલન શરૂ કરવાની ધમકી આપી છે. એમણે કહ્યું છે કે આ ખરડો પૂજારીઓ, સાધુ-સંતોના સમાજના હિતની વિરુદ્ધમાં છે.

રાવતે કહ્યું કે રાજ્ય સરકાર ચાર ધામ માટે આદી શંકરાચાર્એ રચેલી સદી જૂની હિન્દુ પ્રણાલિકાને બગાડી રહી છે. જે કામ બ્રિટિશરો કરી શક્યા નહોતા એ કામ આ સરકાર કરી રહી છે. ચાર ધામમાં પૂજારીઓની નિમણૂક તથા એમની મુદત સહિત બધું કામકાજ વ્યવસ્થિત ચાલી રહ્યું છે. તો રાજ્ય સરકાર આ પદ્ધતિને રદ કરી શું મેળવવા માગે છે?

બદ્રીનાથ મંદિરના પૂજારી આશુતોષ સેમવાલે કહ્યું કે અમારો સમાજ નવા બોર્ડનો વિરોધ કરે છે, કારણ કે એ હાલની પદ્ધતિને રદ કરશે. અમે તમામ પૂજારીઓ, સાધુ-સંતો મળવાના છીએ અને આગળના પગલાં લેવાનો નિર્ણય લઈશું.

જોકે રાજ્ય સરકારના પ્રવક્તા અને હરિદ્વારના વિધાનસભ્ય મદન કૌશિકનું કહેવું છે કે આદી શંકરાચાર્યએ સ્થાપેલી વડા પૂજારીઓ માટેની પ્રથા અત્યારે છે એ જ પ્રમાણે ચાલુ રહેશે. નવું બોર્ડ મંદિરોની દૈનિક કામગીરીઓમાં દખલ નહીં કરે. એ માત્ર દાનની રકમ તથા મંદિરોનાં વિકાસ માટે વપરાતા નાણાંનો વહીવટ સંભાળશે.

રાશિ ભવિષ્ય 15/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનુ આયોજન થઈ શકે છે તેમા ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમા નાનુ અને અનુભવમુજબનુ કામ કરવુ યોગ્ય છે,


આજનો દિવસે સાવચેતી રાખવી તેમા પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, વણમાગી સલાહકે સુચન આજના દિવસે ના આપવી ઈછાનીય છે. વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, યુવાવર્ગે કોઈનીસાથે અર્થહીન વાર્તાલાપ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમા સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા ઓળખાણમા કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું છે,


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનારવર્ગથી દુર રહેવુ જરૂરી છે, ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવુ, ઉશ્કેરાટથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમ ન કરવુ, ઉતાવળિયા નિર્ણયથી બચવુ.


આજનો દિવસ સામાન્ય છે, મનમા થોડી માનસિકઅશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમા સમયનો દુરવ્યય થાય, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ કરવુ યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણ ના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજી ના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવુ, નોકરી-ધંધામા પણ  વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે, કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે, યુવાવર્ગને ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવુ, વેપારમા કોઈ મોટાજોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે,


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમા કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવુ બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમા કોઈ લાભની તક દેખાઈ શકે છે,


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામા થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બને તેમજ જો નસીબ સાથ આપેતો ઘણુ બધુ કાર્ય થઇ શકશે, મુસાફરીના યોગ છે, વેપારમા લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમા મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમા ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવુ બની શકે છે, વેપારમા નાનુ કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમા કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતીકે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.

રાશિ ભવિષ્ય 13/01/20 થી 19/1/20

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહત્વના નિર્ણય લેવામા કાળજી રાખવી જરૂરી છે, વિદ્યાર્થીવર્ગને ધારી સફળતા માટે વધુ મહેનત કરવી પડે, યાત્રાકે જાત્રા થઈ શકે છે અને તેમા ધાર્યા કરતા વધુ ખર્ચા થાય, તમારા મગજમા વધુ વિચારો માનસિકથાક આપે તેવું બની શકે છે, નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયા નિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે, ક્યાંક લોન લેવામાંકે ચૂકવામા દ્વિધા રહી શકે છે, કોઈને વણમાંગી સલાહ સુચન ના આપવી ઇચ્છનીય છે.


માનસિક ચિંતા હળવી કરવા તમે મનોરંજન અને ઈતરપ્રવૃત્તિમાં મન વધુ લગાવો તેવુ બની શકે છે,વળી ક્યાંક અંગત સંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીમા તેમના વર્તનથી કંટાળો અનુભવો, જૂનીયાદથી ઘણા લાગણીશીલ બનો, સામાજિક, ધાર્મિક પ્રસંગમાં જવામા કંટાળો અને આળસ થતી જોવા મળે. વેપારના કામકાજમા ઉત્સાહ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે. જુના મતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવી નોકરી કે ફેરબદલી કરવામાટે ધીરજ રાખવી, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ વસ્તુ શીખવી હોય તો આ સમયમા પ્રયત્ન કરવો સારો છે. કાયદાકીય બાબતના પ્રશ્નોમા સલાહસુચન બાદ આગળ વધવું.


નોકરી કે વેપારમા ફેરબદલીના સારા સમાચાર મળે, ઘરમાં કે કુટુંબમાં સુખદ માહોલ જોવા મળે, ઉતાવળીયે કામકાજમાં ગેરસમજ થઈ શકે છે. કોઈ જગ્યાએ આકસ્મિક ખર્ચ થાય તેવુ પણ બની શકે છે. પ્રેમસંબંધમાં થોડાક ઉતર –ચઢાવ થઈ શકે છે માટે ધ્યાન રાખવુ જરૂરી કહી શકાય, લગ્ન બાબતની વાતચીત ચાલતી હોય તેમા પણ તમારી વાત આગળ ચાલવાની બાબત બની શકે છે, ધાર્મિક ભાવના સારી જાગે અને ક્યાક ધાર્મિક સ્થળની મુલાકાત પણ થાય તેવું બની શકે છે, ગેસ,અપચાની તકલીફથી તકેદારી રાખવી ઇચ્છનીય કહી શકાય, પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક પણ મળી શકે છે.


સકારાત્મક સમય જોવા મળે, કાર્યક્ષેત્રમાં બદલાવ આવે તેવુ બની શકે છે, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબમા કે આસપાસના કોઈ જાહેર કાર્યક્રમમાં જવાના યોગ છે તેમા તમે થાકની લાગણી વધુ અનુભવો, વેપારના કામકાજમા તમને ઉત્સાહ ઓછો અને કાર્યમા આળસ કરવાની વૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાંથી સારી જાણકારી કે વાત સાંભળવા મળે પરંતુ તેમા તેમનો સહયોગ ઓછો પ્રાપ્ત થઇ શકે છે, નજીકના સગાસ્નેહીના સ્વસ્થ્યની ચિંતા થાય તેવા યોગ પણ ઉભા થઇ શકે છે પરંતુ તેમાં મોટી કોઈ બાબત ના થવાથી થોડી રાહત અનુભવી શકો છો.


ક્યાંકથી માનસન્માન મળી શકે છે. વેપારના કામકાજમાં ઉત્શાહ અને ઉમંગ વર્તાય અને તેની અસર પણ કામકાજમા સારી દેખાઈ આવે, આરોગ્ય બાબતની કોઈ તકલીફ હોયતો તેમાં પણ રાહત જોવા મળી શકે છે, ભાગીદારીમાં કે દામ્પત્યજીવનમાં તમારી લાગણી અને ભાવનાની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન અને મન વધુ રહે, ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળતાવાળું બની રહેશે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે તેમા માનસિક થાકની લાગણી પણ જોવા મળે, લગ્નબાબતની વાર્તાલાપકે મિલન-મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે તેવું પણ બની શકે છે.


વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને સારો ઉત્સાહ જોવા મળે, સામાજિક કે ધાર્મિકકાર્યમાં કઈ પ્રવૃત્તિ કરવાનું મન થાય, વેપારના કામકાજમાં કોઈ સમાચાર તમારા વિચાર અને ઉમંગમાં વધારો કરી શકે છે, નોકરિયાતવર્ગને પોતાના ઉપરી સાથે માનસિક તણાવથી બચવુ, ઘણી જૂની ઓળખાણ તાજી થાય અને તેમાં તમારુ મન ખુશીથી લાગણીશીલ બની જાય. વિદ્યાર્થી વર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમાં નવીનતા ઇચ્છતું હોય તેમના માટે કોઈ સારી તક દેખાય પરંતુ તેમાં હાલ કોઈ ઉતાવળ ના કરવી અને યોગ્ય વ્યક્તિની સલાહ લેવી, ઘરની જવાબદારીમાં ધ્યાન વધુ આપવું પડે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આર્થિક બાબતની ચિંતા અને નવા આયોજન બાબતમાં અન્યનો સાથ સહકાર મળી શકે છે તેમજ મિલકત અંગેના કોઈ પ્રશ્નમાં કોઈ રુકાવટ હોયતો તે દુર થઈ શકે છે, યુવાવર્ગ માટે પણ આસપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થવાના યોગ છે, જૂનીવાતકે કામના ઉકેલમાં અન્યનો સહયોગ ઓછો જોવા મળે શકે છે. વેપારના કામકાજમાં ગણતરી અને આયોજન પૂર્વકના કામકાજ કરવા યોગ્ય છે. મુસાફરી કે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે ઓછો ઉત્સાહ અનુભવી શકો છે, માર્કેટિંગ ક્ષેત્રમાં તમારે ધીરજ વધુ રાખવી પડે અને ક્યાંક સમયનો વધુ દુરવ્યય થયાની વ્યથા પણ જોવા મળી શકે છે.


કામકાજમાં અચાનક સારા સમાચાર સાંભળવા મળી જાય અને તમે થોડા અચરજ પામો, તમારાથી કોઈની લાગણી ના દુભાયકે કોઈની ઉશ્કેરાટના ભોગ ના બનાય તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમાં કે નજીકના સગા-સ્નેહીમાં કોઈ અણબનાવ કે મનદુઃખ થયું હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે. વેપારના કામકાજમાં તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે. તમારો મોભો-પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમાં સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામાં તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી શકે છે, વ્યવસાયિક કામકાજ માટેની યાત્રા લાભદાયી શકે છે.


પરિવારમાં કોઈની ચિંતાના કારણે થોડી બેચેની અનુભવાય, મહત્વના કામ કરવા માટેના પ્રયત્નમા સફળતા મળે, રાજકીય કે સરકારી કામકાજમાં ધાર્યું થવાથી ઉત્સાહમાં વધારો થાય, મન થોડું મોજશોખ પાછળ દોરવાય અને ક્યાંક તેની પાછળ ખર્ચા પણ થાય, પ્રિયજન તમારી ભાવના સારી રીતે સમજી શકે જેના કારણે તમારી ખુશી બેવડાય, કોઈકાર્યમાં ધીરજ અને અનુભવ તમને સૌથી વધુ મદદગર બની શકે છે, નવીઓળખાણ લાભદાયી બની શકે છે, કોઇપણ પ્રકારની મુસાફરી થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમય અનુકુળ છે, માર્કેટિંગ ક્ષેત્રમાં આયોજન કરી કામકાજ કરતા સારા પરિણામ મેળવી શકાય.


સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે, આર્થિક બાબત પર ધ્યાન વધુ આપવુ ઇચ્છનીય છે ક્યાંક નાણાકીય આયોજન અંગે અવઢવ થઈ શકે છે વેપારના કામકાજમાં લાભની કોઈવાત થઈ શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામાં વધુ મહેનત કરવાથી સારાફળની પ્રાપ્તિ થઇ શકે છે, કોઈ અગત્યની વાતચીત કે મિલનમુલાકાતમાં કોઈનો સહયોગ લેવો વધુ ફાયદાકારક બની શકે છે. વિદેશ જવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમ્યાન કોઈપણ પ્રકારની કાર્યવાહી કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળી શકે, ધીરજથી કામકરવામાં સફળતા મેળવવી સરળ બનશે, યાત્રાકે જાત્રા માટેનું આયોજન થઈ શકે છે.


કામકાજમાં ચતુરાઈનો ઉપયોગ કરવો પડે, કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે પણ ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમાં રચ્યાપચ્યા રહેવું વધુ યોગ્ય છે જે તમને સારીસફળતા અપાવી શકે છે, ઘરમાં વડીલવર્ગ કે ઓફીસમાં ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમ્યાન વિચાર મતભેદ થાય પણ તેમાં પણ પરિસ્થિતિ સુધરી જાય, આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડે અને તેમાં સફળતા પણ મળી શકે છે, મનપસંદ વ્યક્તિ તરફથી સારું વલણ જોવા મળે અને તેમા તમને સારી લાગણીનો અનુભવ થાય, પ્રભુભક્તિ તરફ મન વધુ પરોવાઈ શકે છે. પ્રિયજન સાથે સુમેળભર્યો સમય પસાર થાય તેવા યોગ છે.


સપ્તાહ દરમ્યાન. મિત્રો, સગા સ્નેહી સાથે મિલન-મુલાકાતમાં તમને સારી વાત રજુ કરવાની તક મળે શકે છે, વેપારના કામકાજમાં પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે. વાર્તાલાપ દરમ્યાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ટાળી શકાય, મુસાફરી કે પ્રવાસનું આયોજન થઈ શકે છે. પેટ,અપચાની તકલીફથી સાચવવુ, વડીલવર્ગને જુનાસંભારણાં વધુ તાજા થાય, કામકાજમાં મહેનત વધુ થયા પછી સફળતા મળે તેવુ બની શકે છે, કામનો ભાર રહે પરંતુ તેમાં અન્યનો સહયોગ પણ જોવા મળે, કામકાજ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બને અને નવીનકામકાજમાં રૂચી થોડી ઓછી જોવા મળી શકે છે.

પંચાંગ તા. 15/01/2020

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા – ૨૦૨૦’: અંતિમ સ્પર્ધાનું સમાપનઃ આ છે, નામાંકનોની યાદી

મુંબઈ – ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ  પ્રાયોજિત, ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી (બીસીસીએ) આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૨૦’નો ફાઈનલ રાઉન્ડ ૩-૧૩ જાન્યુઆરી, ૨૦૨૦ વચ્ચે તળ મુંબઈના ભવન-ચોપાટી  ખાતે કદરદાન પ્રેક્ષકોની ટોળાબંધ હાજરી વચ્ચે પાર પડ્યો.

૧૪મા વર્ષમાં પ્રવેશેલી આ સ્પર્ધામાં ૨૦ નાટક ભાવનગર-સુરત ખાતે પ્રથમ રાઉન્ડમાં ભજવાયાં. એમાં ખરાં ઊતરેલાં ૧૦ નાટકના કલાકારકસબીઓને મુંબઈની ફાઈનલમાં કળા દર્શાવવાની તક મળી.

૧૩ જાન્યુઆરીના મંગળવારે ફાઈનલના છેલ્લા નાટકની સમાપ્તિ પછી નિર્ણાયકો રોબિન ભટ્ટ, લતેશ શાહ અને પ્રવીણ સોલંકીએ બંધબારણે મનોમંથન કરીને વિવિધ કૅટેગરીમાં નામાંકન જાહેર કર્યાં, જે આ પ્રમાણે છે.

શ્રેષ્ઠ નાટકની શ્રેણીમાં નામાંકન પામેલા નાટકો અને એમની સંસ્થાનાં નામ આ મુજબ છેઃ

(1) શુભ મંગલ સાવધાન – ઍક્યૂરેટ પ્રોડક્શન (વડોદરા)

(2) મીંડી કોટ – જયઘોષ થિયેટર (નવસારી)

(3) તું અને હું – અલ્ટીમા ઈવેન્ટ્સ (મુંબઈ)

(4) અંત વગરની વાત – માનસી શાહ (અમદાવાદ)

(5) નિમિત્ત કમ બેક સુન – થિયેટર ઓફ જનરેશન નેક્સ્ટ (સુરત)

(6) કુમારની અગાશી – સિલ્યૂટ થિયેટર (સુરત)

(7) અહમનું એન્કાઉન્ટર – ઉદય આર્ટ (નવસારી)

શ્રેષ્ઠ દિગ્દર્શકની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) કિરણ પાટીલ (શુભ મંગલ સાવધાન)

(2) રિષીત ઝવેરી (નિમિત્ત કમ બૅક સૂન)

(3) કર્તવ્ય શાહ (અંત વગરની વાત)

(4) દેવાંગ જાગીરદાર (કુમારની અગાશી)

(5) રૂમી બારિયા (અહમનું એન્કાઉન્ટર)

શ્રેષ્ઠ અભિનેતાની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) કુરુષ જાગીરદાર (રાહુલ-સચીન, મીંડી કોટ)

(2) રાજુલ દીવાન (શિશિર, તું અને હું)

(3) હિમાંશુ વૈદ્ય (ગિરજાશંકર દવે, અહમનું એન્કાઉન્ટર)

(4) વિશાલ ચૌહાણ (સંવાદ-શ્યામ, અંત વગરની વાત)

(5) પલાશ આઠવલે (કુમાર, કુમારની અગાશી)

(6) સ્વપ્નીલ પાઠક (નિમિત્ત, નિમિત્ત કમ બૅક સૂન)

શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) રૂબી ઠક્કર (શુભા, શુભ મંગલ સાવધાન)

(2) જૈની શાહ (પ્રેરણા-કનક, અંત વગરની વાત)

(3) મેઘા સિયારામ (નીશા, કુમારની અગાશી)

(4) શિલ્પી લુહાર (રૂકસાના-આરતી, અહમનું એન્કાઉન્ટર)

(5) ડૉ. મેઘા પંડ્યા – (તૃષા-જિયા, વિસ્ફોટ ૨.૦)

શ્રેષ્ઠ સહ-અભિનેતાની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) રવિ બારોટ (રોમી, શુભ મંગલ સાવધાન)

(2) પાર્થ રાવલ (વિરેન-મોહરૂ, વિસ્ફોટ ૨.૦)

(3) હનીફ મીર (માલવનું મન, પ્રેમની તા… તા… થૈયા)

(4) નીરજ ચિનાઈ (શાસ્ત્રી-બોસ, નિમિત્ત કમ બૅક સૂન)

(5) નીરવ પરમાર (વૈભવ, અંત વગરની વાત)

શ્રેષ્ઠ સહ-અભિનેત્રીની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) પૂર્વી ભટ્ટ (સેમી, શુભ મંગલ સાવધાન)

(2) શિવાની ચાહવાલા (મીરાં, મીંડી કોટ)

(3) માધવી શાનભાગ, (યુવાન શૈલજા, તું અને હું)

(4) સુહાની જાગીરદાર (અભિલાષા, કુમારની અગાશી)

(5) પૂનમ મેવાડા (નીશાનું મન, પ્રેમની તા… તા… થૈયા).

શ્રેષ્ઠ વેશભૂષાની શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) શિવાંગ ઠક્કર (નિમિત્ત કમ બૅક સૂન)

(2) માનસી શાહ (અંત વગરની વાત)

(3) દેવાંગ જાગીરદાર (કુમારની અગાશી)

શ્રેષ્ઠ યુવા કલાકાર શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) સૌમ્ય પંડ્યા (સૂત્રધાર-નાનો તિમિર, વિસ્ફોટ ૨.૦)

(2) અમિતા ગોહિલ (સ્પેશિયલ જ્યુરી પ્રાઈઝ, વિસ્ફોટ ૨.૦)

(3) જીત સોલંકી (મેડી પટેલ, શુભ મંગલ સાવધાન)

શ્રેષ્ઠ મૌલિક નાટક શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) ભાર્ગવ ત્રિવેદી (અંત વગરની વાત)

(2) રિષીત ઝવેરી (નિમિત્ત કમ બૅક સૂન)

શ્રેષ્ઠ કળાનિર્દેશન શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) શિવાંગ ઠક્કર (નિમિત્ત કમ બૅક સૂન)

(2) કર્તવ્ય શાહ (અંત વગરની વાત)

(3) ચેતન કણિયા (કુમારની અગાશી)

શ્રેષ્ઠ પ્રકાશ રચના શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) મિતુલ લુહાર (નિમિત્ત કમ બૅક સૂન)

(2) કર્તવ્ય શાહ (અંત વગરની વાત)

(3) ખેગન નાયક/સંતોષ જતકર (અહમનું એન્કાઉન્ટર)

(4) મિતુલ લુહાર-દેવાંગ જાગીરદાર (કુમારની અગાશી)

શ્રેષ્ઠ સંગીત શ્રેણીમાં નામાંકન પામેલાનાં નામ આ મુજબ છેઃ

(1) રૂમી બારિયા (અહમનું એન્કાઉન્ટર)

(2) સિદ્ધરાજ પરમાર (શુભ મંગલ સાવધાન)

(3) જિમી દેસાઈ (નિમિત્ત કમ બેક સૂન)

હવે બુધવાર, ૨૨ જાન્યુઆરીએ ભવન્સ કૅમ્પસના સરદાર પટેલ સભાગૃહમાં સાંજે ૬:૩૦થી યોજાશે એક મનોરંજક કાર્યક્રમ જશન ને જલસો,  જેમાં ગુજરાતી રંગભૂમિનાં ગીત-નૃત્ય, સંગીત-એકોક્તિ તથા દુહા-છંદની રસલહાણી વચ્ચે વિજેતાને પારિતોષિકોથી પોંખવામાં આવશે.

– તો ઓવર ટુ – ૨૨ જાન્યુઆરી, બુધવાર

(અહેવાલઃ સમીર પાલેજા)