મુંબઈ – લાર્સન એન્ડ ટુબ્રો, મન્નાપુરમ ફાઈનાન્સ, ઈસીએલ ફાઈનાન્સ, સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ, રેડિંગટન (ઈન્ડિયા), કોટક મહિન્દ્ર પ્રાઈમ, મુથુટ હોમફિન (ઈન્ડિયા), રેમકો સિમેન્ટ્સ અને આઈઆઈએફએલ વેલ્થ ફાઈનાન્સએ તેમનાં કમર્શિયલ પેપરના અનુક્રમે રૂ.2,995 કરોડ, રૂ.775 કરોડ, રૂ.500 કરોડ, રૂ.500 કરોડ, રૂ.450 કરોડ, રૂ.175 કરોડ, રૂ.140 કરોડ, રૂ.100 કરોડ, રૂ.75 કરોડ અને રૂ.35 કરોડના ઈશ્યુને લિસ્ટ કરવા માટેની અરજી કરી છે. બીએસઈમાં આ ઈશ્યુઓનાં કમર્શિયલ પેપર્સ 13 જાન્યુઆરી, 2020થી લિસ્ટ થશે.
અત્યાર સુધીમાં 77 ઈશ્યુઅરોના રૂ.1,72,984 કરોડના કમર્શિયલ પેપર્સના 582 ઈશ્યુઓ લિસ્ટ કરવામાં આવ્યા છે. આ ઈશ્યુઝની સરેરાશ 149 દિવસની મુદત પરનું વેઈટેડ એવરેજ યીલ્ડ 6.13 ટકા રહ્યું છે.
બીએસઈ દેશની કંપનીઓને મૂડી એકત્ર કરવામાં સહાય કરી રહ્યું છે. બીએસઈ બોન્ડ પ્લેટફોર્મ જુલાઈ 2016માં લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધી (10 જાન્યુઆરી, 2020)માં ભારતીય કંપનીઓના રૂ.5,12,045 કરોડ (71.83 અબજ યુએસ ડોલર)ના ડેટનું લિસ્ટિંગ કરવામાં આવ્યું છે. આમાંથી બીએસઈએ સફળતાપૂર્વક રૂ.2,35,237 કરોડનું ભંડોળ (33.19 અબજ ડોલર) એકત્ર કરી આશરે 60 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કર્યો છે. છે. નાણાકીય વર્ષ 2019-20માં (10 જાન્યુઆરી, 2020) સુધીમાં બીએસઈએ સફળતાપૂર્વક રૂ.9,41,719 કરોડ (132.88 અબજ ડોલર) એકત્ર કર્યા છે.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમા પરિચિતકે જુનાસંપર્કમા કામકાજ કરવામા આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે,
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા સમયનો દુર્વ્યય વધુ થાય.
આજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમા સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વાક્નુ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે,
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીમા પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમા કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ,
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવોતો કંઇક સારુ શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમા આયોજનબદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમા અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે,
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા કોલકાતા પોર્ટ ટ્રસ્ટના 150મા સ્થાપનાદિન નિમિત્તે 12 જાન્યુઆરી, રવિવારે કોલકાતાના નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત સમારોહમાં હાજરી આપી હતી અને કોલકાતા પોર્ટ ટ્રસ્ટનું નામકરણ કર્યું હતું. આ પોર્ટ હવેથી શ્યામાપ્રસાદ મુખરજી પોર્ટ તરીકે ઓળખાશે, જેઓ ભારતીય જનસંઘના સ્થાપક હતા.
શ્યામાપ્રસાદ મુખરજી નેતા, બેરિસ્ટર અને ગણિતજ્ઞ હતા. તેઓ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુની સરકારમાં ઉદ્યોગ અને પુરવઠા પ્રધાન હતા.
વડા પ્રધાન મોદીએ કોલકાતા પોર્ટ ટ્રસ્ટની સ્થાપનાનાં 150 વર્ષ નિમિત્તે એક વિશેષ ટપાલટિકિટનું અનાવરણ પણ કર્યું હતું. એ પ્રસંગે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનકાર અને કેન્દ્રીય શિપિંગ પ્રધાન મનસુખ માંડવીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુંબઈ – અભિનેતા રણવીર સિંહે આગામી હિન્દી ફિલ્મ 83નું એક નવું કેરેક્ટર પોસ્ટર આજે રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં અભિનેતા જીવાને ભૂતપૂર્વ બેટ્સમેન કે. શ્રીકાંતના રૂપમાં બતાવવામાં આવ્યો છે.
રણવીરે એ પહેલાં એક અન્ય કેરેક્ટર પોસ્ટર પણ રિલીઝ કર્યું હતું જેમાં અભિનેતા તાહિર રાજ ભાસીનને સુનીલ ગાવસકર તરીકે બતાવવામાં આવ્યો છે.
કપિલ દેવ તરીકેની ભૂમિકામાં રણવીર સિંહનો ફર્સ્ટ લૂક કપિલના પ્રસિદ્ધ નટરાજ પોઝમાં રિલીઝ કરવામાં આવ્યો હતો, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો છે.
આ ફિલ્મમાં મોહિન્દર અમરનાથ તરીકે સાકિબ સલીમ, સંદીપ પાટીલ તરીકે ચિરાગ પાટીલ, બલવિન્દર સિંહ સંધુ તરીકે એમી વિર્ક, સૈયદ કિરમાણી તરીકે સાહિલ ખટ્ટર, મદનલાલ તરીકે હાર્ડી સંધુ, ફરોખ એન્જિનીયર તરીકે બમન ઈરાની, 1983ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમના મેનેજર પી.આર. માનસિંહ તરીકે પંકજ ત્રિપાઠીએ ભૂમિકા અદા કરી છે.
રણવીર કપિલ દેવ બન્યો છે તો કપિલના પત્ની રોમી દેવનો રોલ કર્યો છે રણવીરની રિયલ લાઈફ પત્ની દીપિકા પદુકોણે.
ભારતના ઐતિહાસિક 1983 ક્રિકેટ વર્લ્ડ કપ વિજય પર આધારિત આ ફિલ્મ આ વર્ષની 10 એપ્રિલે રિલીઝ થવાની છે.
ફિલ્મનું નિર્માણ મધુ મન્ટેના, સાજિદ નડિયાદવાલા અને રિલાયન્સ એન્ટરટેનમેન્ટે કર્યું છે.
કોચી – કેરળના કોચી જિલ્લાના મરાડુ નગરમાં ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા H20 હોલી ફેઈધ કોમ્પલેક્સના ચારેય બહુમાળી રહેણાંક મકાનોને વિસ્ફોટકોનો નિયંત્રિત રીતે ઉપયોગ કરીને મકાનોની અંદરના ભાગમાં ધડાકો કરીને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. દેશમાં આ રીતે કરાયેલું આ સૌથી મોટું ડિમોલિશન બન્યું છે. બે બહુમાળી મકાનોને આજે જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. અન્ય બે મકાનોને ગઈ કાલે તોડી પાડવામાં આવ્યા હતા. આમ, સમગ્ર ઓપરેશન સફળ રહ્યું છે.
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે કોચી વહીવટીતંત્રએ આ મકાનોને તોડી પાડ્યા છે.
ચાર મકાનોમાં આ સૌથી મોટું હતું, જે 17-માળવાળું જૈન કોરલ કોવ બિલ્ડિંગ હતું. એમાં 128 ફ્લેટ હતા. આ મકાનને આજે સવારે 11.03 વાગ્યે તોડી પાડવામાં આવ્યુું હતું. લોકોને આ મકાનથી 200 મીટરના ક્ષેત્રફળથી દૂર રાખવામાં આવ્યા હતા. તેમજ વાહનવ્યવહાર પણ બંધ રાખવામાં આવ્યો હતો.
આ મકાનને તેની અંદર 372 કિલોગ્રામ વિસ્ફોટક સામગ્રી ભરીને સાઈરન વગાડવામાં આવ્યા બાદ ઈલેક્ટ્રિક વાયરોની મદદથી વિસ્ફોટ કરીને તોડી પાડવામાં આવ્યું હતું.
ત્યારબાદ બપોરે બે વાગ્યે 40 ફ્લેટ ધરાવતું બીજું એક ગેરકાયદેસર મકાન ‘ગોલ્ડન કાયાલોરમ’ પણ તોડી પાડવામાં આવ્યું હતું. આ મકાનની પાછળ ખાડી આવેલી છે તથા બાજુમાં એક બીજું કાયદેસર રહેણાંક કોમ્પલેક્સ આવેલું છે.
17-માળનું મકાન વિસ્ફોટ કરાયો એની 9 સેકંડમાં જ જમીનદોસ્ત થયું હતું. વિસ્ફોટને પગલે સમગ્ર કોમ્પલેક્સમાં ધૂળ અને ધૂમાડો છવાઈ ગયા હતા.
મકાનોને તોડી પાડવાની પ્રક્રિયા વખતે બહુ જૂજ લોકો હાજર રહે એ માટે સત્તાવાળાઓએ એ સંકુલની આસપાસ ક્રિમીનલ પ્રોસીજર કોડ (આઈપીસી)ની કલમ 144 લાગુ કરી હતી.
વિસ્ફોટ કરાયો એના અડધા કલાક પહેલાં એક મિનિટ સુધી સાઈરન વગાડીને લોકોને ચેતવી દેવામાં આવ્યા હતા કે તેઓ ડિમોલિશન ઝોનથી દૂર ચાલ્યા જાય.
8 લા સ્ક્વેર ફીટમાં પ્રસરેલા મકાનોને તોડી પાડવા માટે દક્ષિણ આફ્રિકાની જેટ ડીમોલિશન્સ કંપની અને એડીફીસ એન્જિનિયરિંગ કંપનીઓની મદદ લેવામાં આવી હતી.
મકાનો તોડી પાડવામાં આવ્યા એ પહેલાં આસપાસના રહેવાસીઓને અમુક દિવસો દૂર ચાલ્યા જવાનું કહી દેવામાં આવ્યું હતું. કાટમાળ ખસેડી દેવામાં આવશે ત્યારપછી જ રહેવાસીઓને ફરી એમના મકાનો-ઘરમાં પાછા આવવા દેવામાં આવશે.
અગ્નિશામક વિભાગના જવાનો વોટર જેટ્સ સાથે ત્યાં હાજર હતા અને એમણે કાટમાળને નિયંત્રિત કર્યો હતો.
મકાન જમીનદોસ્ત થયા બાદ એનો કાટમાળ ચાર માળ જેટલો ઊંચો હતો. 70 હજાર ટનના કાટમાળને એક મહિનામાં દૂર કરવાનું સત્તાવાળાઓએ વચન આપ્યું છે.
કોસ્ટલ ઝોન રેગ્યૂલેશન નિયમોનો ભંગ કરીને આ કોમ્પલેક્સ બાંધવામાં આવ્યું હતું. એના ચારેય મકાન તોડી પાડવાનો સુપ્રીમ કોર્ટે ગયા મે મહિનામાં આદેશ આપ્યો હતો. અને સપ્ટેંબરમાં કેરળ સરકારને અલ્ટીમેટમ આપ્યું હતું.
હવે કેરળ સરકાર આ મકાનોને ધ્વસ્ત કરી દેવાયા છે એની જાણ સોમવારે સુપ્રીમ કોર્ટને કરશે.
આ મકાનોમાં ફ્લેટ ખરીદનાર પ્રત્યેક માલિકને વચગાળાનું વળતર ચૂકવવાનો પણ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.
#WATCH Maradu flats demolition: Jain Coral Cove complex demolished through a controlled implosion.2 out of the 4 illegal apartment towers were demolished yesterday, today is the final round of the operation. #Kochi#Keralapic.twitter.com/mebmdIm1Oa
મુંબઈ – નજીકના પાલઘર જીલ્લાના કોલવડે ગામ નજીક મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ એસ્ટેટ (MIDC)માં શનિવારે એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટને કારણે મકાનનો નાશ થયો હતો અને દુર્ઘટનામાં 8 જણનાં મરણ નિપજ્યા છે. મૃતકોમાં ફેક્ટરીના માલિક, નટુભાઈ પટેલનો પણ સમાવેશ થાય છે.
એ ફેક્ટરીનું નામ હતું ‘તારા નાઈટ્રેટ’. એ પ્લાન્ટ બાંધકામ હેઠળ હતો. શનિવારે સાંજે એમાં કેટલાક રસાયણોનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ભયાનક વિસ્ફોટ થયો હતો અને આગ ફાટી નીકળી હતી.
સાંજે 6.55 વાગ્યાના સુમારે થયેલી દુર્ઘટનામાં અન્ય સાત જણ જખ્મી થયા છે. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
વિસ્ફોટની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે 10થી 15 કિ.મી. સુધીના વિસ્તારમાં એનો અવાજ સંભળાયો હતો.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પ્રત્યેક મૃતકના પરિવારને સરકાર તરફથી રૂપિયા પાંચ લાખની મદદની જાહેરાત કરી છે. ઈજા પામેલી દરેક વ્યક્તિને રૂ. 50 હજાર આપવામાં આવશે. ઈજાગ્રસ્તોની સારવારનો ખર્ચ સરકાર ઉપાડશે.
તારાપૂર ઔદ્યોગિક વસાહતમાં પ્લોટ એમ-2માં આવેલી કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ એટલો બધો પ્રચંડ હતો કે ફેક્ટરીના મકાનની બાજુમાં આવેલું બાંધકામ હેઠળનું એક મકાન પણ જમીનદોસ્ત થઈ ગયું હતું.
ફેક્ટરીમાં એમોનિયમ નાઈટ્રેટ નામનું સ્ફોટક રસાયણ બનાવવામાં આવતું હતું. ધડાકો થયા બાદ સાવચેતીના પગલા તરીકે એમઆઈડીસી તરફ જતા તમામ માર્ગો પર ટ્રાફિક કામચલાઉ બંધ કરી દેવામાં આવ્યો હતો.
અમદાવાદ – ભારતમાં સ્ટ્રેટેજિક માર્કેટિંગ અને કમ્યુનિકેશન માટેની અગ્રગણ્ય મેનેજમેન્ટ સ્કૂલ ગણાતી MICA સંસ્થાએ તાજેતરમાં અહીં તેની છઠ્ઠી આંતરરાષ્ટ્રીય કમ્યુનિકેશન મેનેજમેન્ટ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. એ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ પેશકશ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં 72 વર્ષીય સમકાલીન નૃત્યકાર અસ્તાદ દેબૂએ અદ્દભુત સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યો હતો. એમનો ડાન્સ જોઈને શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.
અસ્તાદ દેબૂએ 3 પરફોર્મન્સ રજૂ કર્યા હતા. પહેલા એમણે એક નાટ્યકૃતિ રજૂ કરી હતી ‘આહવાન’. એમાં તેમણે દ્રુપદ ગાયન શાળામાં તાલીમ લેનાર ઈટાલીયન ગાયિકા અમેલિયા કુની દ્વારા રેલાવેલા હૃદયસ્પર્શી સંગીતની ધૂનો પર પરફોર્મ કર્યું હતું.
એમનો બીજો પરફોર્મન્સ હતો, ‘સ્ટેપિંગ આઉટ’ શીર્ષક સાથેની ક્રીએટિવ કોરિયોગ્રાફી. જેમાં રોશની, પડછાયા તથા મુદ્રણના સમન્વય સાથે દેબૂએ એમની નૃત્ય કળા પ્રસ્તુત કરી હતી. બર્લિનથી આવેલા જાણીતા સેક્ઝાફોનિસ્ટ ગર્ટ એન્કરે સેક્ઝાફોન વાદ્ય પડે સંગીત પિરસ્યું હતું.
આખરી પરફોર્મન્સ હતો ‘એવરી ફ્રેગમેન્ટ ઓફ ડસ્ટ ઈઝ અવેકન્ડ.’ જે રવિન્દ્રનાથ ટાગોરની રચનાઓ પ્રેરિત હતો. અસ્તાદ દેબૂએ એમાં પણ તેમની કળા દ્વારા શ્રોતાઓને પ્રભાવિત અને આનંદિત કર્યા હતા. જાપાનીઝ સંગીતના સૂરોએ શ્રોતાઓનાં મન ડોલાવી દીધા હતા.
અસ્તાદ દેબૂની નૃત્ય રચના ભારતના એ સમયની છે જ્યારે ભારતીય નૃત્યમાં નવીનતા આવકાર્ય નહોતી.
નૃત્ય પરફોર્મન્સ બાદ દેબૂનું એક શાલ અને મહાત્મા ગાંધીજીનાં હસ્તાક્ષર દર્શાવતી એક ભરતકામ ગૂંથેલી ગિફ્ટ આપવામાં આવી હતી.
અસ્તાદ દેબૂને ભારત સરકારે બે પ્રતિષ્ઠિત એવોર્ડથી નવાજેશ કર્યા છે. 1995માં એમને સંગીત નાટક એકેડેમી સંસ્થા તરફથી ક્રીએટિવ ડાન્સ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને 2007માં એમને ભારતીય નૃત્યના ક્ષેત્રમાં પાયાનું પ્રદાન કરવા બદલ ‘પદ્મશ્રી’ ખિતાબથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
કોલકાતા – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા નાગરિકતા સુધારિત કાયદા (CAA)નો આજે જોરદાર રીતે બચાવ કર્યો હતો અને કહ્યું કે આ મુદ્દે થયેલા વિવાદથી દુનિયાને ખબર પડી છે કે પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓનાં લોકો પર કેવું દમન આચરવામાં આવે છે.
CAA કાયદા મામલે ગેરસમજ ફેલાવવા બદલ વડા પ્રધાને અમુક યુવા વ્યક્તિઓને વખોડી કાઢી હતી. એમણે કહ્યું કે આ કાયદો કોઈનું નાગરિકત્વ લેવા માટેનો નથી, પરંતુ દેવા માટેનો છે.
વડા પ્રધાન મોદીએ અહીં રામકૃષ્ણ મિશનના મુખ્યાલય – બેલૂર મઠ ખાતે આયોજિત સમારંભમાં આમ જણાવ્યું હતું.
મોદીએ એમ પણ કહ્યું હતું કે આજે રાષ્ટ્રીય યુવા દિવસે હું દેશના, પશ્ચિમ બંગાળના અને ઈશાન ભારતનાં યુવાઓને એટલું કહેવા માગું છું કે નાગરિકત્વ આપવા માટેનો આ કાયદો કંઈ એક જ રાતમાં ઘડવામાં આવ્યો નથી. આપણે એ તો સમજવું જ જોઈએ કે ભારતને અને ભારતના બંધારણમાં વિશ્વાસ રાખનાર દુનિયાના કોઈ પણ દેશમાં કોઈ પણ ધર્મના લોકો યોગ્ય પ્રક્રિયા મારફત ભારતીય નાગરિકત્વ માટે અરજી કરી શકે છે. એમાં કોઈ સમસ્યા જ નથી.
મોદી બેલૂર મઠ ખાતેથી રવાના થઈ ગયા બાદ રામકૃષ્ણ મિશન સંસ્થાએ કહ્યું કે પોતે એક બિનરાજકીય સંસ્થા છે જ્યાં તમામ ધર્મોનાં લોકો એક જ માતાપિતાનાં બંધુઓની જેમ રહી શકે છે. વડા પ્રધાનના સંબોધન વિશે રામકૃષ્ણ મિશન કોઈ ટીકાટિપ્પણ નહીં કરે.
એમ રામકૃષ્ણ મિશન સંસ્થાના મહામંત્રી સ્વામી સુવિરાનંદે પત્રકારોને જણાવ્યું હતું કે અમે રાજકારણથી પર છીએ. અમારે મન નરેન્દ્ર મોદી ભારતના નેતા છે અને મમતા બેનરજી પશ્ચિમ બંગાળનાં નેતા છે. અમારી સંસ્થામાં હિન્દુ, ઈસ્લામ, ખ્રિસ્તી ધર્મોનાં સાધુઓ છે. અમે એક જ માતાપિતાનાં બંધુઓની જેમ રહીએ છીએ.