સુરત: સુરતના ઓલપાડમાં આજે મોટી દુર્ઘટના ઘટી હતી. વહેલી સવારે રાંધણ ગેસના સિલિન્ડરો ભરેલી બસ અને શાળાની બસ વચ્ચે ટક્કર થઈ હતી અને ત્યારબાદ ભીષણ ધડાકા સાથે આગ લાગી હતી. ટ્રકમાંના સિલિન્ડરો હવામાં ઉછળ્યા હતા અને ધડાકાભેર ફાટ્યા હતાં. અવાજ એટલો મોટો હતો કે આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં. આગની જાણ થતા જ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગને કાબુમાં લીધી હતી. આગ લાગતા ટ્રકમાં રહેલા સિલિન્ડરો એક પછી એક ફાસ્ટ હતાં. રાહતની વાત એ છે કે આ બસના 20થી વધુ બાળકોને બચાવી લેવાયા છે.સુરતના ઓલપાડના માસમા ગામે મોટી દુર્ઘટના થઈ હતી. આજે વહેલી સવારે રાંધણ ગેસના સિલિન્ડરો ભરીને જઈ રહેલી ટ્રક સાથે સામાન્ય બસ ટકરાતા ગાડી પલટી મારી ગઈ હતી. ઘટના આજે સવારે આશરે સાડા છ વાગ્યે ઓલપાડ રોડ પર બની હતી. ઓલપાડના માસમા ગામે ગેસના બાટલાઓ લઈને જતી ઈન્ડિયન ઓઈલ કંપનીની ટ્રક સાથે અન્ય ટ્રકની ટક્કર થતા ગાડી પલટી ખાઈ ગઈ હતી.
પ્રત્યક્ષદર્શીના જણાવ્યાં મુજબ બસ સાથે સિલિન્ડરો ભરેલી ટ્રક અથડાયા બાદ તેના એન્જિનમાં આગ લાગી હતી. આગની લપેટોમાં સિલિન્ડરો આવતા વિસ્ફોટ થવાના શરૂ થઈ ગયાં હતા. જોતજોતામાં તો આખી ટ્રક આગની જ્વાળાઓમાં હોમાઈ ગઈ હતી. તે જ સમયે ત્યાંથી રેડિયન્ટ સ્કૂલની બસ પસાર થઈ રહી હતી જે આગની લપેટમાં આવી ગઈ હતી. બસ ભડભડ સળગી ઉઠી હતી. જો કે રાહતની વાત એ રહી કે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બસના તમામ બાળકોને રેસ્ક્યુ કરી લેવાયા હતા.અકસ્માતના પગલે થોડા સમય માટે રોડ પર વાહનવ્યવહાર ખોરવાયો હતો. આગ પર કાબુ મેળવી લેવાયા બાદ જો કે રોડ ખુલ્લો કરાયો હતો. આગની જાણ થતા ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.
શ્રીનગર – લેટિન અમેરિકા, આફ્રિકા અને મધ્યપૂર્વ વિસ્તારોના અમુક દેશોનાં 16 રાજદૂતો કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરની મુલાકાત માટે આજે અહીં આવી પહોંચ્યાં છે. તેઓ અહીં બે દિવસ રહેશે અને પ્રદેશમાંની સુરક્ષા પરિસ્થિતિની જાણકારી મેળવશે.
આ રાજદૂતો નાગરિક સમાજનાં આગેવાનોને પણ મળવાના છે.
આજના પ્રતિનિધિમંડળમાં બ્રાઝિલ, ઉઝબેકિસ્તાન, નાઈઝર, નાઈજિરીયા, મોરોક્કો, ગયાના, આર્જેન્ટિના, ફિલિપીન્સ, નોર્વે, માલદીવ, ફિજી, ટોન્ગો, પેરુ તેમજ બાંગ્લાદેશના રાજદૂતોનો પણ સમાવેશ થાય છે.
2019ના ઓક્ટોબરમાં કેન્દ્ર સરકારે યુરોપીયન સંસદના 23 સભ્યોને કશ્મીરની મુલાકાત લેવાની પરવાનગી આપી હતી. એ નેતાઓ સ્થાનિક લોકોને મળ્યા હતા અને પ્રદેશમાં સુરક્ષા પરિસ્થિતિની જાણકારી મેળવી હતી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રની ભાજપ-એનડીએ સરકારે જમ્મુ અને કશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની વિવાદાસ્પદ કલમ 370ને 2019ની પાંચમી ઓગસ્ટે રદ કરી હતી. અને સાથોસાથ, જમ્મુ-કશ્મીરનો રાજ્યનો દરજ્જો રદ કરી એને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધો હતો. 370મી કલમ રદ થવાથી ભારતના સામાન્ય કાયદાઓ આ નવા રચાયેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં લાગુ થયા છે. જમ્મુ અને કશ્મીર રાજ્યનો દરજ્જો રદ કરીને કેન્દ્ર સરકારે એનું બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજન કરી દીધું છે. એક છે જમ્મુ અને કશ્મીર અને બીજો છે લડાખ.
યુરોપીયન યુનિયનના દેશોના રાજદૂતો આજની મુલાકાતમાં જોડાયા નથી. એમણે કહ્યું છે કે તેઓ કોઈ અન્ય તારીખે જમ્મુ-કશ્મીર જશે. એ લોકો જમ્મુ-કશ્મીરના 3 ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો – ફારુક અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મેહબૂબા મુફ્તીને મળવા માગે છે, જેમને સરકારે નજરકેદમાં રાખ્યા છે.
16 વિદેશી રાજદૂતો આજે જમ્મુ-કશ્મીરના લેફ્ટેનન્ટ ગવર્નર જી.સી. મૂર્મૂ તથા અન્ય અધિકારીઓને પણ મળશે અને આવતીકાલે દિલ્હી જવા રવાના થશે.
બંધારણની 370મી કલમને રદ કરાયા બાદ કશ્મીર ખીણપ્રદેશમાં પ્રવર્તતી પરિસ્થિતિની જાતતપાસ કરવા માટે ત્યાં જવા દેવા માટે અનેક દેશોનાં રાજદૂતોએ કેન્દ્ર સરકારને વિનંતી કરી છે.
હૈદરાબાદ: શારીરિક મર્યાદા છતાં ઘણા લોકો પોતાની કાબેલિયત સિદ્ધ કરી બતાવે છે. હૈદરાબાદની જ્યોત્સના ફનિજા દિવ્યાંગ છે. દ્રષ્ટિહીન છે, પણ માત્ર 25 વર્ષની ઉંમરમાં એણે પીએચડી પૂરી કરી લીધી છે. આ એક વિક્રમ છે. જ્યોત્સના ભારતીય વિશ્વવિદ્યાલયમાં અંગ્રેજી સાહિત્યમાં સૌથી નાની ઉંમરમાં પીએચડી પૂરી કરનાર વિદ્યાર્થી બની છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે જ્યોત્સના જન્મજાત અંધ છે. ઈગ્લિશ એન્ડ ફોરેન લેન્ગ્વેજ યુનિવર્સિટીમાંથી એણે આ ઉપલબ્ધિ મેળવી છે. દસમા ધોરણ સુધી એણે બ્લાઈન્ડ સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું હતું, જ્યાત્સનાને જ્યારે એક કોલેજના પ્રિન્સિપાલે એડમિશન આપવાની મનાઈ કરી હતી એને એણે પચકાર તરીકે લીધું હતું.
એના પીએચડીનો વિષય પોસ્ટ કોલોનિયલ વુમન રાઈટર્સ હતો. એણે 10 લેખો ને 6 સંશોધનપત્રો લખેલો છે. 2011માં એ નેટ પાસ થઈ ગઈ હતી. એને શૈક્ષણિક લાયકાતને આધારે હવે દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી મળી ગઈ છે.
નવી દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે 150 પેસેન્જર ટ્રેનોને પ્રાઈવેટ પ્લેયરોના હાથમાં સોંપવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયની સાર્વજનિક ખાનગી ભાગીદારી મૂલ્યાંકન સમિતિએ આ પ્રોજેક્ટના સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ પ્લાન હેઠળ 150 ટ્રેનોને 100 જેટલા રૂટ પર ચલાવવામાં આવશે. રેલ મંત્રાલય આ પ્લાનને કાર્યાન્વિત કરવા માટે કામ કરી રહી છે. પ્રોજેક્ટને આગળ ધપાવવા માટે હરાજી પ્રક્રિયા કરવામાં આવશે. મહત્વનું છે કે, ભારતની સૌથી પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ છે જેને હાલમાં જ લીલી ઝંડી આપવામાં આવી. ખાનગી કંપની દ્વારા સંચાલિત કરવામાં આવી રહેલી તેજસ એક્સપ્રેસ પ્રથમ ટ્રેન છે.
તેજસ પછી હવે રેલવે મંત્રાલય 150 ટ્રેન અને 50 સ્ટેશનોનું ખાનગીકરણ કરવાની તૈયારીમાં છે. રેલવે મંત્રી અને નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત વચ્ચે વાતચીત પછી રેલવે મંત્રાલયે આ નિર્ણય લીધો છે. રેલવે મંત્રી સાથેની બેઠક પછી નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવને પત્ર લખ્યો હતો, જેના અનુસાર એ નક્કી થયું કે, પ્રથમ તબક્કામાં 150 ટ્રેનોના પરિચાલનનું કામ ખાનગી ઓપરેટરોને આપવામાં આવશે. રેલવેના 100 રૂટ ઉપર ખાનગી ટ્રેન દોડાવવા સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય કંપની પણ રસ દાખવી શકશે જે કંપનીને ટુરીસ્ટ અને રેલવે સેકટરનો અનુભવ હશે તેને પ્રાધાન્ય આપવામાં આવશે.
પત્રમાં આગળ લખ્યું છે કે, પંસદગી કરેલા 400 રેલવે સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ બનાવવાના હતા પણ અનેક વર્ષોના પ્રયાસો છતા પણ એ થઈ શક્યું નહીં, માત્ર અમુક મામલાઓને છોડીને જ્યાં ઈપીસી મોડ મારફતે કામ થયું હતું.
ઉલ્લેખનીય છે કે, દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ નિર્ધારિત સમય પર ન પહોંચી તો તેમાં પ્રવાસ કરનાર મુસાફરોને વળતર ચૂકવવામાં આવશે. જેમાં નિયમ અનુસાર જો ટ્રેન એક કલાકથી વધુ મોડી પડશે તો મુસાફરને 100 રૂપિયા અને બે કલાકથી વધુ મોડી પડશે તો 250 રૂપિયાનું વળતર ચૂકવવામાં આવશે. એટલું જ નહીં આ ટ્રેનમાં યાત્રા કરનાર મુસાફરોને 25 લાખ રૂપિયાનું વિમા કવચ પણ આપવામાં આવશે. આ ઉપરાંત જો યાત્રા દરમ્યાન લૂંટફાટ કે સામાન ચોરીની ઘટના પર એક લાખ રૂપિયા સુધીનું વળતર ચૂકવવામાં આવશે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક, સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનુ આયોજન પણ થઇ શકે છે, વેપારમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય,
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમા વડીલકે ઓફીસમા ઉપલીઅધિકારી સાથે ગેરવર્તન ના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમા ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનુ આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમા જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમા નાનુકામ કરવુજ યોગ્ય છે, કામકાજમા વ્યસ્તતા પણ જોવા મળે.
આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટીવ્યક્તિથી દુર રહેવુ, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ.
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમા ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમા પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામકાજ કરવુ યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમા સહકાર થોડો ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમા લાભ થઈ શકે છે.
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવુ, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગ ના થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમા કોઈની સાથે મનદુઃખ થયુ હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીયકામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળે, વેપારના કામકાજમા લાભ થઈ શકે.
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમા બિનજરૂરી જોખમથી દુર રહેવુ, વાતવાતમા ઉશ્કેરાટ ના આવે તેનુ ધ્યાન રાખવુ સારુ, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમા તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમા લાભ કે નવીનતક દેખાઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમા નાનુ અને આયોજન પૂર્વકનુ કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમા દલીલબાજી ના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમા ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.
મુંબઈ – શહેરમાં પ્રભાદેવી વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ તરફથી જમ્મુ-કશ્મીરના પુલવામા વિસ્તારમાં ત્રાસવાદી હુમલામાં શહીદ થયેલા દેશના જવાનોનાં કુટુંબીજનોની મદદ અર્થે રૂ. 51 લાખની રકમનું દાન મહારાષ્ટ્ર સરકારને આપવામાં આવ્યું છે.
સીઆરપીએફના અધિકારી સંજય લાટકરને ચેક સુપરત
મંદિર ટ્રસ્ટે આ ઉપરાંત મુંબઈમાં પોલીસ હોસ્પિટલમાં અત્યાધુનિક સાધનસામગ્રીઓની ખરીદી કરવા માટે દોઢ કરોડ રૂપિયાનું બીજું દાન પણ આપવામાં આવ્યું છે.
આ બંને દાનની રકમના ચેક મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને સુપરત કરવામાં આવ્યા હતા જે બાદમાં સંબંધિત વિભાગને સુપરત કરી દેવામાં આવ્યા હતા.
ગયા વર્ષે પુલવામા હુમલામાં શહીદ થયેલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના જવાનો માટે રૂ. 51 લાખની સહાયતાના દાનનો ચેક ઠાકરેને સુપરત કરવામાં આવ્યો એ વખતે સીઆરપીએફ માટેના પોલીસ અધિકારી સંજય લાટકર પણ ઉપસ્થિત હતા. ઠાકરેએ એ ચેક લાટકરને સુપરત કર્યો હતો.
એ પ્રસંગે મંદિર ટ્રસ્ટના પ્રમુખ આદેશ બાંદેકર તથા અન્ય સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વેને ચેક સુપરત
મુંબઈમાં પોલીસ હોસ્પિટલમાં અત્યાધુનિક ઉપકરણોની ખરીદી કરવા માટે દોઢ કરોડ રૂપિયાની રકમનો ચેક ઉદ્ધવ ઠાકરેના હસ્તે મુંબઈના પોલીસ કમિશનર સંજય બર્વેને સુપરત કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હી – કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન વર્ષ 2020-21 માટેનું કેન્દ્રીય અંદાજપત્ર આવતી 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. 2019માં સત્તા પર ફરી આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ (એનડીએ) ગ્રુપનું આ પહેલું પૂરા-વર્ષનું બજેટ હશે.
1 ફેબ્રુઆરીના શનિવારે મુંબઈ શેરબજાર (બીએસઈ) ખુલ્લું રાખવામાં આવશે. શનિવાર સામાન્ય રીતે બીએસઈમાં રજાનો દિવસ હોય છે તે છતાં આ વખતે બજેટનો દિવસ હોઈ શેરબજાર ચાલુ રાખવામાં આવશે, એમ બીએસઈના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ આશિષ ચૌહામે આજે એક બિઝનેસ ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું.
કેન્દ્રીય બજેટ દર વર્ષે ફેબ્રુઆરીના આખરી કામકાજના દિવસે સંસદમાં રજૂ કરવાની બ્રિટિશ હકૂમતના વખતની પ્રથા દાયકાઓ સુધી ચાલુ રખાઈ હતી, પરંતુ નરેન્દ્ર મોદીની સરકારે એ પ્રથાનો 2017માં અંત લાવી દીધો હતો અને જાહેરાત કરી હતી કે બજેટ હવેથી વહેલું, 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે.
આ નિર્ણય લેવા પાછળ સરકારનો આઈડિયા એવો છે કે બજેટને લગતી તમામ પ્રક્રિયા 31 માર્ચ સુધીમાં પૂરી થઈ જાય તેથી યોજનાઓના અમલ માટે ખર્ચ કરવાનું 12-મહિનાનું કામકાજ 1 એપ્રિલથી શરૂ થઈ શકે.
નાણાં મંત્રાલયના સૂત્રોએ અગાઉ એવો નિર્દેશ કર્યો હતો કે આર્થિક સર્વેક્ષણ 31 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવે એવી ધારણા છે અને કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી છે કે દેશનું અર્થતંત્ર વિકાસ પામી શકે એ માટે બજેટ અંગે તેમને જે કોઈ સૂચન, ઈચ્છા, માગણી કે અપેક્ષા હોય તો તેઓ સરકારને જણાવી શકે છે.
અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યમાં ફરીથી એકવાર અનામતની માંગ મજબૂત રીતે ઉઠી છે. રાજકોટ ખાતે લોકરક્ષક દળની ભરતીમાં અન્યાય થયો હોવાના આરોપો સાથે રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકો હજારોની સંખ્યામાં લોકો રાજકોટ ખાતે એકઠા થયા હતા. આ ત્રણેય સમાજના આગેવાનો દ્વારા અનામતની માંગને લઈને જાહેરસભા કરવામાં આવી હતી. તમામ દ્વારા અનુસુચિત જાતિમાં સમાવવા માગ કરી હતી.
રબારી, ભરવાડ અને ચારણ સમાજ દ્વારા કરવામાં આવેલી આ રેલીમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉમટી પડ્યા હતા. ત્રણેય સમાજના આગેવાનો દ્વારા જાહેર સભાને સંબોધવામાં આવી રહી છે. અને સંબોધન બાદ હજારોની સંખ્યામાં તે રેલીનું સ્વરૂપ લેશે. જો કે, હજુ સુધી પોલીસે આ રેલીને મંજૂરી આપવામાં આવી નથી.
પણ ત્રણેય સમાજ ભેગા મળી અનુસુચિત જાતિમાં સમાવવા અંગે કલેક્ટરને આવેદન આપવા માટે જશે. લોકરક્ષક દળની ભરતીમાં માલધારી સમાજ છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યો છે. અને ભરતીમાં માલધારી સમાજને સતત અન્યાય થયો હોવાનો તેઓ જણાવી રહ્યા છે.
મોરબી રોડથી કલેક્ટર કચેરી સુધી ત્રણેય સમાજના લોકો આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ રેલી કાઢશે. સૌરાષ્ટ્રભરમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી ત્રણેય સમાજના મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે. જો કે, LRD ભરતી પહેલાં પણ માલધારી સમાજ દ્વારા અનુસુચિત જાતિમાં સમાવવા માટે પ્રદર્શન થતું આવ્યું છે.
અમદાવાદ: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ અમદાવાદમાં ABVP અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા હિંસક અથડામણ મુદ્દે બુધવારે આરોપ લગાવ્યો કે, ભાજપ સરકાર ગુંડાઓને સંરક્ષણ આપી રહી છે. પ્રિયંકાએ ઘટના સાથે સંકળાયેલો એક વીડિયો ટ્વીટ કરતા જણાવ્યું કે, ભાજપ સરકાર ગુંડાઓને ખુલ્લો ટેકો આપી રહી છે. પહેલા તેમના મંત્રી ગુંડાઓને જેલમાંથી છૂટ્યા બાદ ફૂલોની માળા પહેરાવતા હતા અને હવે તો રોડ પર જ ખુલ્લેઆમ કાયદો હાથમાં લઈ રહ્યાં છે. પ્રિયંકાએ વીડિયોનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો કે, સ્પષ્ટ જોઈ શકાય છે કે ABVPના ગુંડા તત્વો શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારા NSUIના કાર્યકર્તાઓને ફટકારી રહ્યાં છે અને પોલીસ ચૂપચાપ ઉભી છે.
દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)ની હિંસાના પડઘા અમદાવાદમાં પડ્યા હતા. અહીં પાલડી ખાતે ABVP અને NSUI વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના બની હતી. ભાજપની વિદ્યાર્થીપાંખ ABVP અને કોંગ્રેસની વિદ્યાર્થીપાંખ NSUIના સભ્યો વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો અને લાકડીઓ સાથે પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ મામલામાં હાલમાં ABVP કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી.
આ ઘટનાની વિગતો જોઈએ તો મંગળવારે ABVPનાં કાર્યકર્તાઓ CAAના સમર્થન માટે અને NSUIનાં કાર્યકર્તાઓ વિરુદ્ધમાં પ્રદર્શન કરવા માટે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ABVP કાર્યાલય ખાતે પહોંચ્યાં હતાં. અહીં બંન્ને વિદ્યાર્થી જૂથ વચ્ચે ઘર્ષણ અને મારામારી થઇ હતી અને હળવો પથ્થરમારો પણ થયો હતો. ABVPનાં કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે એનએસયુઆઈનાં કાર્યકર્તાઓ લાકડી, ચપ્પા અને અન્ય હથિયારો લઇને પ્રદર્શનમાં આવ્યાં હતાં અને પછી હુમલો કર્યો હતો. આ ઘર્ષણ દરમિયાન NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને પાઈપ અને ધોકા વડે મારી લોહીલુહાણ કરવામાં આવ્યો છે. જેને પગલે નિખિલ સવાણી આક્ષેપ કરતા કહ્યું કે, ABVPના કાર્યકરોએ દાદાગીરી કરી છે.