Home Blog Page 549

કબીરવાણી: મણિરૂપ ભક્તિ અને મનની મુક્તિ

 

મિલના જગમાં કઠિન હૈ, મિલિ બિછરો જનિ કોય,

બિછુરા સાજન તિહિ મિલે, જિહિ માથે મણિ હોય.

 

લોકવાયકાનો ઉપયોગ કરી દર્શનશાસ્ત્રનો મત શીઘ્ર સમજમાં આવે તે દ્રષ્ટિએ કબીરજીનો ઉપદેશ આગવું મહત્ત્વ ધરાવે છે. માન્યતા છે કે, નાગના માથે મણિ હોય છે જે અતિ મૂલ્યવાન – પારસ સમાન હોય છે. આ રૂપકમાં મણિ મૂલ્યનું પ્રતીક છે તો નાગ ડરનું ચિહ્ન છે. આવા નાગનાં દર્શન અતિ દુર્લભ છે. સદ્ગુરુ કે સંતજનનું મિલન થવું કઠિન છે. આ માટે મનમાં તાલાવેલી હોવી જોઈએ.

નરસિંહ મહેતા કહે છે તેમ – “રામનામ શું તાલી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે.” આવા ગુરુ મળે તો પણ તેનો સતત સહવાસ – સત્સંગ રહેતો નથી. એક રીતે આ મુદો મનની સારી વૃત્તિ અસ્થાયી છે તે દર્શાવે છે. આવી સ્થિતિમાં ભક્તને સદ્ગુરુ, મનની સ્થિરતા અને વૈરાગ્યના રૂપમાં રહેલા ‘સાજન’ પ્રભુ ત્યારે જ મળે જયારે વ્યક્તિ ચિંતા, ભય, મોહના નાગપાશમાંથી મુકત થઈ મણિરૂપ ભક્તિમાં ઓતપ્રોત થઈ જાય.

આ સાખીમાં કબીરજી ભક્તિમાર્ગ અને સૂફીવાદની ધારણાઓનું અદ્ભુત સંયોજન કરી આપે છે. ગમે ત્યાં ભટકીએ પણ મન બેબસ હોય, ઈચ્છાના ઘોડાપૂર ઘૂઘવતા હોય તો પ્રભુદર્શન અશક્ય છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

કાનપુરમાં જોરદાર ધમાકો, બે સ્કૂટરમાં વિસ્ફોટ, અનેક ઘાયલ

ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ પછી, કાનપુરમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો. મસ્જિદ પાસે પાર્ક કરેલા બે સ્કૂટરમાં વિસ્ફોટ થયો, જેમાં ઘણા લોકોના મોત થયા. એક મહિલા સહિત આઠ લોકો ઘાયલ થયા. ચારની હાલત ગંભીર છે અને તેમને લખનૌ રિફર કરવામાં આવ્યા છે. ફોરેન્સિક, બોમ્બ અને ATS ટીમો પહોંચી ગઈ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને સ્કૂટરમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા. આ ઘટના મેસ્ટન રોડ પર મૂળગંજના બિસતખાનામાં બની હતી. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો. નજીકની મસ્જિદની દિવાલોને પણ નુકસાન થયું હતું. નજીકની ઘણી દુકાનોની ખોટી છત પણ તૂટી પડી હતી. પોલીસ સ્કૂટર માલિકોને શોધવાનો પ્રયાસ કરી રહી છે. વિસ્ફોટ થતાં જ સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો.

DGP રાજીવ કૃષ્ણને કાનપુર પોલીસ કમિશનર રઘુબીર લાલ અને અન્ય અધિકારીઓ પાસેથી ઘટના અંગે સંપૂર્ણ બ્રીફિંગ મળી. તેમણે અનેક સૂચનાઓ પણ જારી કરી. ડીજીપીએ ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળેથી મળેલા નમૂનાઓનો રિપોર્ટ શક્ય તેટલી વહેલી તકે સુપરત કરવાનો નિર્દેશ આપ્યો. લખનૌથી બે એટીએસ ટીમો કાનપુર પહોંચી. આ ટીમોએ સ્થાનિક પોલીસની મદદથી પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું. એડીજી, કાયદો અને વ્યવસ્થાએ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) ને પણ ચેતવણી આપી છે. ઘટનાસ્થળેથી મળેલા વિસ્ફોટક સામગ્રી અંગેના તપાસ અહેવાલની રાહ જોવાઈ રહી છે. એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે શું આ કોઈ મોટા ષડયંત્રનો ભાગ હતો કે પછી વિસ્ફોટકોને દિવાળીના ફટાકડા બનાવવા માટે સ્કૂટર પર લઈ જવામાં આવી રહ્યા હતા.

કાનપુરના સીએમઓએ જણાવ્યું હતું કે આઠ લોકોને ઉર્સુલા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમાંથી ચારની હાલત ગંભીર હતી અને તેમને લખનૌ રિફર કરવામાં આવ્યા છે. ચારેયને 108 એમ્બ્યુલન્સ દ્વારા લઈ જવામાં આવ્યા હતા. બે હાલમાં ઉર્સુલા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે બે અન્ય સારવાર બાદ ઘરે પરત ફર્યા છે.

પંચાંગ 09/10/2025

ગુજરાત સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કર્મચારીઓ માટે વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સરકારી અધિકારીઓ / કર્મચારીઓ પોતાના વતનમાં પરિવાર સાથે તહેવારની ઉજવણી કરી શકે તે હેતુસર એક અઠવાડિયાનું મીની વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

એટલે કે, તા.20ના રોજ દિવાળી, તા.22ના રોજ નૂતન વર્ષ, 23ના રોજ ભાઈબીજ, 25ના રોજ ચોથો શનિવાર તથા 26ના રોજ રવિવારની જાહેર રજા હોય પરંતુ તા.21ને મંગળવાર તથા 24ને શુક્રવારે તમામ કચેરીઓ ચાલુ હોય જેથી કર્મચારીઓ અને અધિકારીઓ માટે આ બંને દિવસોએ પણ તમામ કચેરીઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તેના બદલામાં તા.8/11ના રોજ બીજો શનિવાર અને તા.13/12ના બીજા શનિવારના રોજ તમામ કચેરીઓ ચાલુ રહેશે.

ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ

ગુજરાત ઉપરનું લોપ્રેશર દરિયામાં જઈને પ્રચંડ વાવાઝોડામાં ફેરવાયું હતુ પરંતુ, તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દૂર જતું રહ્યું છે. આજે પણ તે વાવાઝોડા (સાયક્લોકિ સ્ટોર્મ) તરીકે સક્રિય હતું અને તે ડીપ્રેસનમાં ફેરવાઈને ક્રમશઃ દરિયામાં જ નબળુ પડશે. ગુજરાત પરનો ખતરો ટળ્યો ત્યાં દેશની ઉત્તરે શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે જેની અસર રૂપે ગુજરાત સિવાય દેશના લગભગ તમામ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. આ સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદ વરસવા સાથે કમોસમી વાદળો છવાયા હતા.

રાજ્યોમાં તીવ્ર પવન અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જાહેર કરાઈ

દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતીઓ જ્યાં ફરવા જતા હોય છે તે જમ્મુ કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા વગેરે રાજ્યોમાં તીવ્ર પવન અને ગાજવીજ સાથે વરસાદની ચેતવણી જાહેર કરાઈ છે.

અરબી સમુદ્રમાં દૂર ઓમાન તરફ દરિયો નહીં ખેડવા સલાહ અપાઈ

‘શક્તિ’વાવાઝોડુ આજે થોડું નજીક આવીને સૌરાષ્ટ્રના દ્વારકાથી 940 કિ.મી.ના અંતરે અને ઓમાનથી 210 થી 310 કિ.મી.ના અંતરે મધદરિયે હતું જે હવે દક્ષિણ-પૂર્વ, પૂર્વ દિશા તરફ આગળ વધશે અને આવતીકાલે સવાર સુધીમાં ડીપ્રેસનમાં ફેરવાશે અને બાદમાં લો પ્રેશરમાં ફેરવાશે. જેના પગલે ગુજરાતના બંદરો ઉપર એકાદ સપ્તાહથી એલ.સી. (લોકલ કોશનરી) સિગ્નલ-3 લગાવાયા હતા પરંતુ, અરબી સમુદ્રમાં દૂર ઓમાન તરફ દરિયો નહીં ખેડવા સલાહ અપાઈ છે.

બ્રિટિશ PM કીર સ્ટાર્મરે યશ રાજ સ્ટુડિયો પહોંચ્યા, બૉલિવૂડ ફિલ્મ્સને લઈ કરી મોટી જાહેરાત

યુકેના વડા પ્રધાન કીર સ્ટારમર હાલમાં ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે એક મોટી જાહેરાત કરી છે. આવતા વર્ષથી યુકેમાં ત્રણ બ્લોકબસ્ટર બોલિવૂડ ફિલ્મોનું નિર્માણ થશે.

યુનાઈટેડ કિંગડમના વડા પ્રધાન કીર સ્ટારમર હાલમાં ભારતમાં છે. તેઓ આજે મુંબઈમાં છે, અને સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા સામે આવ્યા છે. તેમની મુલાકાત દરમિયાન, યુકેના વડા પ્રધાન કીરે જાહેરાત કરી હતી કે આવતા વર્ષે બ્રિટનમાં ત્રણ નવી બોલિવૂડ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવશે. આ બોલિવૂડ ફિલ્મોની લોકપ્રિયતા દર્શાવે છે.

યુકેના વડા પ્રધાન કીર સ્ટારમરે બુધવારે મુંબઈમાં યશ રાજ સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં પીએમ સાથે યશ રાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધિણી અને અભિનેત્રી રાની મુખર્જી સહિત અનેક સેલિબ્રિટીઓ પણ જોડાયા હતા.

યુકે ફિલ્મ ઉદ્યોગ અર્થતંત્રમાં વાર્ષિક £12 બિલિયનનું યોગદાન આપે છે અને દેશભરમાં 90,000 લોકોને રોજગારી આપે છે. ભારત વિશ્વનો સૌથી મોટો ફિલ્મ નિર્માતા દેશ છે. આઠ વર્ષ પછી યશ રાજ ફિલ્મ્સનું યુકેમાં સ્થળાંતર એ સંકેત છે કે ભારત-યુકે વેપાર કરારની અસર અનુભવાવા લાગી છે.

પીએમ કીર સ્ટાર્મરે શું કહ્યું

વડાપ્રધાન કીર સ્ટાર્મરે આ પ્રસંગે કહ્યું, “બોલિવૂડ યુકેમાં પાછું ફરી રહ્યું છે. આનાથી નોકરીઓ, રોકાણ અને નવી તકો વધારવામાં મદદ મળશે. આ ભાગીદારી ભારત-યુકે વેપાર કરારના સાચા હેતુને સાકાર કરે છે: વિકાસને પ્રોત્સાહન આપવું, સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવા અને બંને દેશોના લોકો માટે લાભો સુનિશ્ચિત કરવા.”

યશ રાજ ફિલ્મ્સે શું કહ્યું

યશ રાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધિણીએ કહ્યું,“યુકે હંમેશા અમારા માટે ખૂબ જ ખાસ રહ્યું છે. અમારી કેટલીક સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મો, જેમ કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (DDLJ), ત્યાં ફિલ્માવવામાં આવી હતી. અમને સન્માન છે કે વડા પ્રધાન કીર સ્ટાર્મરે અમારા સ્ટુડિયોની મુલાકાત લીધી અને આ ભાગીદારી પર હસ્તાક્ષર કર્યા. અમે આ તકનો ઉપયોગ ભારત અને યુકે વચ્ચે સામગ્રી નિર્માણમાં વૈશ્વિક સ્તરે સહયોગ કરવાની રીતો પર ચર્ચા કરવા માટે કર્યો.”

DDLJ ના 30 વર્ષ

તેમણે વધુમાં કહ્યું કે, “DDLJ ની 30મી વર્ષગાંઠ ઉજવવા માટે અમે યુકે પાછા ફરી રહ્યા છીએ તે ખૂબ જ ખાસ છે. અમે હાલમાં યુકેમાં અંગ્રેજી સ્ટેજ મ્યુઝિકલ, કમ ફોલ ઇન લવ (CFIL) નું નિર્માણ કરી રહ્યા છીએ. યુકેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને પ્રતિભા અજોડ છે, અને અમે આ સર્જનાત્મક સંબંધને વધુ મજબૂત બનાવવા માટે ઉત્સાહિત છીએ.”

શું ફાયદા થશે?

આજની જાહેરાત ભારત-યુકે સાંસ્કૃતિક સંબંધોમાં એક નવા યુગની શરૂઆત દર્શાવે છે. તે બંને દેશોમાં રોજગાર અને રોકાણની નવી તકો જ નહીં, પરંતુ નવા સર્જનાત્મક આદાનપ્રદાનને પણ વેગ આપશે.

ભારત-યુકે સહયોગ ફિલ્મો

એ નોંધનીય છે કે ભૂતકાળના ભારત-યુકે સહયોગમાં સ્લમડોગ મિલિયોનેર જેવી વૈશ્વિક સફળતાઓનો સમાવેશ થાય છે, જેણે માત્ર £12 મિલિયનના બજેટમાં £300 મિલિયનની કમાણી કરી હતી. સાબિત કરે છે કે જ્યારે બ્રિટિશ ટેકનોલોજી અને ભારતીય વાર્તા કહેવા એક સાથે આવે છે, ત્યારે પરિણામ વૈશ્વિક સ્તરે અસાધારણ હોય છે.

શિક્ષણ વિભાગ દ્વારા દિવાળીના વેકેશનની જાહેરાત

દિવાળીના તહેવારને લઈને રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મોટા સમાચાર આવ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

જો કે, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે વેકેશનની તારીખોમાં થોડો તફાવત રાખવામાં આવ્યો છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વેકેશનની શરુઆત 16 ઑક્ટોબરથી થશે અને તે 5 નવેમ્બર સુધી ચાલશે. જ્યારે પ્રાથમિક વિભાગમાં વેકેશન 17 ઑક્ટોબરથી શરુ થશે અને 6 નવેમ્બર સુધી રહેશે.

સુનિલ ગાંધીનું “બ્રેકીંગ ફ્રી” સક્સેશન પ્લાનિંગની દિશામાં માર્ગદર્શક!

મુંબઈ: બાપ-દાદાની ગાદી પર બેસી વેપાર-ધંધો આગળ વધારવાનો સમય બદલાઈ ગયો છે. પારિવારિક બિઝનેસનો યુગ અંત તરફ આગળ વધી રહયો છે. હવેની પેઢી પરિવારના વેપાર-ધંધાને ચાલુ રાખવા કરતા પોતાનો નવો પથ કંડારવામાં માને છે અને પોતે હાંસલ કરેલા ઉચ્ચ અભ્યાસને આધારે પોતાને યોગ્ય જણાય તે બિઝનેસ કરવામાં માને છે અથવા મોટી કોર્પોરેટ મલ્ટિનેશનલ કંપનીઓમાં ઊંચા પગારે નોકરી લઈ અલગ જીવન જીવવાનું પસંદ કરે છે. ઘણાં તો વિદેશ અભ્યાસ માટે જઈ ત્યાં જ નોકરી લઈ સેટલ થઈ જાય છે. આમ હવેની પેઢી (અમુક અપવાદો સિવાય) પોતાના પારિવારિક બિઝનેસમાં પ્રવેશવા માગતી નથી. આવા સંજોગોમાં ફેમિલિ બિઝનેસ સામે ચોકકસ પડકારો પણ ઊભા થયા છે અને કેટલાંક વિવાદોના કિસ્સા પણ બન્યા છે.મુંબઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ફાઇનાન્સિયલ કન્સલટન્ટ સુનિલ ગાંધીએ આ વિષયમાં લખેલું પુસ્તક “બ્રેકીંગ ફ્રી” – ફેમિલી બિઝનેસ ગાઈડ ટુ સક્સેશન પ્લાંનિંગ, એક્ઝિટ, ઈન્હેરિટન્સ અને લાઈફ બિયોન્ડ બિઝનેસ.ફેમિલિ બિઝનેસઃ મોડું થઈ જાય તે પહેલાં… હાલ આ વિષયમાં માર્ગદર્શક બને એવું છે. આજે જ્યારે મોટાભાગના મોટા ફેમિલી બિઝનેસ ધરાવતા પરિવારો સક્સેસન પ્લાંનિંગ સંબંધી કોર્ટમાં કેસો લડી રહ્યા છે ત્યારે સુનિલ ગાંધી નું નવું પુસ્તક “બ્રેકીંગ ફ્રી” – ફેમિલી બિઝનેસ ગાઈડ ટુ સક્સેશન પ્લાંનિંગ, એક્ઝિટ, ઈન્હેરિટન્સ અને લાઈફ બિયોન્ડ બિઝનેસ. મધ્યમ કક્ષાના ફેમિલી બિઝનેસ માટે ઉપયોગી બને એમ છે. મૂળ અંગ્રેજીમાં લખાયેલા આ પુસ્તકમાં બિઝનેસ સક્સેશન, એક્ઝિટ (વેચાણ), ત્યાર બાદ વ્યક્તિગત ફાઇનાન્સિયલ પ્લાંનિંગ, સંપત્તિનું વારસાગત આયોજન અને બિઝનેસ પછીનું જીવન આ દરેક મુદ્દાઓને વિસ્તારથી આવરી લેવામાં આવ્યા છે. લેખક કહે છે કે સામાન્ય રીતે રોજબરોજના બિઝનેસની દોડમાં મધ્યમ અને નાના કદના બિઝનેસના માલિકો આ વિષયના આયોજન પર ધ્યાન આપતા કે આપી શકતા નથી, જેને કારણે તેમના દ્રારા કાં તો સમયસર કોઈ પગલાં જ લેવામાં નથી આવતા અથવા ઘણું જ મોડું થાય પછી આ વિષય વિષે વિચારવામાં આવે છે. આ બંને પરિસ્થિતિમાં બિઝનેસ અને ફેમિલી બંનેને નુકશાન થાય છે. રોજબરોજના બિઝનેસની જેમ જ સક્સેશન પ્લાંનિંગ પણ બિઝનેસનું મહત્વનું અંગ ગણાય. પોતાની સ્વનિર્ભરતા માટે શરુ કરવામાં આવેલો બિઝનેસ સમય જતા કયારેક સોનાની સાંકળ બની જાય છે. એ સાંકળને તોડવાની અને પરિવારમાં આ સબંધી વિવાદો ન થાય એ વિષે સરળતાથી વિવિધ પાસાંઓની સમજને આ પુસ્તકમાં સમાવવામાં આવી છે.સુનિલ ગાંધી વિશે

સુનીલ ગાંધી એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, લેખક અને બિઝનેસ કન્સલ્ટન્ટ છે. તેઓ ફેમિલી બિઝનેસ અને સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકોને સક્સેશન પ્લાનિંગ, એક્ઝિટ સ્ટ્રેટેજી, અને ફંડ રેઇઝિંગ જેવા મહત્વના ક્ષેત્રોમાં માર્ગદર્શન આપે છે. ૩૭ વર્ષોનો કન્સલ્ટિંગ અનુભવ ધરાવતા સુનીલ ગાંધી ૧૨ પુસ્તકોના લેખક છે, જેમાં નાણાકીય સાક્ષરતા અને ઉદ્યોગ પર આધારિત Indian Startups, SMEs & Financial Literacy તેમજ મહિલાઓ માટે નાણાકીય સ્વસ્થતા વિષયક Indian Women & Financial Fitness જેવા પુસ્તકોનો સમાવેશ થાય છે. તેમણે લખેલી અમિતાભ બચ્ચન, અનુપમ ખેર વગેરે અભિનિત ફિલ્મ “ઊંચાઈ” ને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

CM ભૂપેન્દ્ર પટેલે ‘ઓપરેશન સિંદૂર’માં વાયુસેનાના સાહસને બિરદાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાના ૯૩મી વર્ષગાંઠની ગરિમામય ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ કમાન્ડના વાયુ સૌનિકો સહિત એરફોર્સ પરિવારને ૯૩મી વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવતા કહ્યુ કે, ભારતીય વાયુ સેનાએ હંમેશા દેશનું ગૌરવ વધાર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય વાયુ સેનાનો પાછલો એક દાયકો સ્વર્ણિમ દાયકો બન્યો છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.

તેમણે તાજેતરના ભૂતકાળમાં ઓપરેશન સિંદૂરથી વડાપ્રધાનના માર્ગદર્શનમાં ભારતીય વાયુ સેનાએ પોતાની કાર્યકુશળતા અને દક્ષતાથી જે અપ્રતિમ સાહસ તથા પરાક્રમનો પરિચય વિશ્વને આપ્યો છે તેનું પ્રત્યેક ભારતીય ગૌરવ લઈ શકે તેમ છે તેમ તેમણે જણાવ્યું હતુ. મુખ્યમંત્રીએ કહ્યુ કે, ઈન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ સફળતાપૂર્વક અંતરિક્ષ મિશન પૂર્ણ કરીને જે મોટો કિર્તિમાન સ્થાપ્યો છે તે વાયુ સેનાની આ ૯૩મી વર્ષગાંઠને વિશેષ ગૌરવ અપાવનારી ઘટના છે.

સીટ વહેંચણીને મુદ્દે RJD, કોંગ્રેસ વચ્ચે કશ્મકશ

પટનાઃ બિહારમાં બેઠક વિતરણને લઈને NDAની જેમ જ મહાગઠબંધનમાં પણ મોટી રાજકીય ખેંચતાણ ચાલી રહી છે. ખાસ કરીને કોંગ્રેસને લઈને સૌથી વધુ મતભેદો દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ જેટલી બેઠકો માગે છે, તેટલી બેઠકો આપવા RJD તૈયાર નથી. તેનું એક મુખ્ય કારણ એ છે કે ગઈ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું હતું.

2020ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 70 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી તેને ફક્ત 19 બેઠકો પર જ જીત મળી હતી. RJDએ કોંગ્રેસને 54 બેઠકોની ઓફર આપી છે, જ્યારે બિહાર પ્રદેશ કોંગ્રેસ તરફથી RJDને 75 બેઠકોની યાદી મોકલવામાં આવી છે, એમ અહેવાલ કહે છે.

આ બે પક્ષોને પણ બેઠકો આપવી પડશે

મહાગઠબંધનનું નેતૃત્વ કરતી RJD સામે આ વખતે વધુ એક મુશ્કેલી છે, કારણ કે આ વખતે મહાગઠબંધનમાં બે નવા રાજકીય પક્ષો જોડાયા છે: ઝારખંડ મુક્તિ મોર્ચા (JMM) અને રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (RLJP) શશના મુખ્ય હેમંત સોરેન છે અને RLJPના પ્રમુખ પૂર્વ કેન્દ્રીય પ્રધાન પશુપતિ પારસ છે.

બિહારના મહાગઠબંધનમાં હાલ છ મુખ્ય પક્ષો છે — RJD, કોંગ્રેસ, CPI, CPM, CPI(ML) લિબરેશન અને VIP. હવે JMM અને RLJPના જોડાવાથી બેઠક વિતરણની પ્રક્રિયા વધુ જટિલ બની ગઈ છે. થોડા દિવસો પહેલાં જ્યારે રાહુલ ગાંધી પટણા આવ્યા હતા, ત્યારે તેમણે પાર્ટી નેતાઓને કહ્યું હતું કે ટિકિટ વિતરણમાં કાર્યકરોનો પૂરો વિચાર રાખવામાં આવશે. તેથી કોંગ્રેસ એ વાતે અડગ છે કે તેને ઓછામાં ઓછું 70 બેઠકો પર લડવાની તક મળવી જોઈએ.