સંભલઃ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ બુલડોઝર એક્શન અસમોલી થાણા વિસ્તારમાં આવેલા રાયા બુઝુર્ગ ગામે થયું છે. પોલીસ, વહીવટી તંત્રનો દાવો છે કે આ કાર્યવાહી તળાવ પર થયેલા ગેરકાયદે બાંધકામ (મસ્જિદ) વિરુદ્ધ કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં ભારે પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું છે.
સંભલના SP કે.કે. બિશ્નોઇએ જણાવ્યું હતું કે અહીં તેમને 30 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. 30 દિવસ બાદ પણ જ્યારે તેમના દ્વારા એને તોડવામાં આવ્યું નહીં તો વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેને કોર્પોરેશન દ્વારા તોડવામાં આવશે. આ ગેરકાયદે બાંધકામ હતું. તેમને પૂરતો સમય આપવામાં આવ્યો હતો. અહીં પોલીસની સંપૂર્ણ વ્યવસ્થા છે. અહીં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. આ ઘણું મોટું ક્ષેત્ર છે. આ જગ્યા પરનું બાંધકામ અનેક વીઘા જમીન પર કરવામાં આવ્યું હતું.
ગુરુવારે તળાવની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરીને બનાવવામાં આવેલી મસ્જિદ અને એક મેરેજ હોમને ધરાશાયી કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. વહીવટી તંત્ર અનુસાર આ બાંધકામ સરકારી તળાવની જમીન પર ગેરકાયદે રીતે કરવામાં આવ્યું હતું. કાયદો-વ્યવસ્થા જાળવવા વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક છે. આ કાર્યવાહી દરમિયાન પેરામિલિટરી ફોર્સ અને પોલીસની અનેક કંપનીઓ સ્થળ પર હાજર રાખવામાં આવી છે.
પોરબંદરઃ CM ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે પોરબંદર કીર્તિમંદિરમાં બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રાર્થનાસભામાં સહભાગી થયા હતા. તેમણે શ્રદ્ધાસુમન અર્પણ કરતાં કહ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ સૂતરના તાંતણે ખાદી અને સ્વદેશીથી આઝાદ ભારત માટેની પીઠિકા ઘડીને આઝાદી અપાવી છે. વડા પ્રધાન મોદીએ સ્વદેશીથી આત્મનિર્ભરતા અને સમૃદ્ધિનો મંત્ર ‘વોકલ ફોર લોકલ’થી આત્મસાત્ કરીને વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણ પ્રેરણા આપી છે.
વિજ્યાદશમીની શુભકામનાઓ પાઠવતાં અને મહાત્મા ગાંધીજીને યાદ કરતાં જ આપણી નજર સમક્ષ એક સેવાભાવી સંત, અહિંસાના ઉપાસક અને વિશ્વમાનવનું ચિત્ર ઊપસી આવે છે. પોરબંદરની આ માટીમાંથી જન્મેલા મોહનદાસ ગાંધીજી આજે સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી તરીકે વિશ્વમાં પૂજાય છે.
બાપુએ આપેલા સ્વચ્છતાના વિચારને સાર્થક કરવા વડા પ્રધાને જાતે જ હાથમાં ઝાડુ લઈને સફાઈને જનઆંદોલન બનાવ્યું છે અને દેશ અને દુનિયામાં એક દાખલો બેસાડ્યો છે. વડા પ્રધાને વોકલ ફોર લોકલનો સંકલ્પ કર્યો છે અને સ્વદેશી ચળવળ થકી ખાદીના ઉત્પાદન અને વેચાણ થકી ચારથી પાંચ ગણો વધારો થયો છે મોટા પાયે રોજગારીનું પણ નિર્માણ થયું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
CMએ બાપુના જન્મસ્થળની માહિતી આવરી લેતા QR કોડના માધ્યમથી પ્રવાસીઓને સરળતાથી સ્થાપત્ય અને બાપુના જીવનકવન વિશે આંગળીઓના ટેરવે માહિતી મળશે એ સુવિધાની વાત રજૂ કરી હતી.
જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે પોરબંદરની ભૂમિ પ્રખ્યાત છે – એક ચક્રધારી મોહન એટલે ભગવાન શ્રીકૃષ્ણના સખા સુદામાથી અને અને બીજા મોહન એટલે ચરખાધારી રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુની ભૂમિથી.
પ્રાર્થનાસભાના સમાપન બાદ CMએ પરિસરના ‘સંગ્રહસ્થાન’ ખાદી ગ્રામોદ્યોગમાંથી ખાદીની ખરીદી કરી હતી અને કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા તૈયાર કરાયેલા ‘પરિવારના મોભીનો વૈભવી ઈતિહાસ’ QR કોડનું અનાવરણ કર્યું હતું. આ QR કોડની મદદથી કીર્તિ મંદિરની મુલાકાતે આવતા પ્રવાસીઓને ગાંધીજીના જન્મસ્થળ તથા સ્મારકના અગત્યના ભાગોની ખાસિયતો વિશે હિંદી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ઓડિયો તેમ જ લખાણના સ્વરૂપે માહિતી ઉપલબ્ધ થશે.
મૌલિકભાઈ અને ગાયન વૃંદ દ્વારા ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ….’ સહિતના ભક્તિ ભજનની સરવાણીના માધ્યમથી બાપુને સ્મરણાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન નીરવ જોશી એ કર્યું હતું. સર્વધર્મ પ્રાર્થનાસભામાં ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિત અધિકારીઓ-પદાધિકારીઓ અને નગરજનોએ ઉપસ્થિત રહી ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
નાગપુરઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આજે પોતાનો સ્થાપના દિવસ ઊજવી રહ્યો છે. વિજયાદશમીના દિવસે 1925માં સંઘની સ્થાપના થઈ હતી અને ત્યારથી સંઘ વિજયાદશમી ઉત્સવ ઊજવતો આવ્યો છે. આ વર્ષ સંઘનું શતાબ્દી વર્ષ છે અને 2025 વિજયાદશમીથી 2026 વિજયાદશમી સુધી સંઘ શતાબ્દી વર્ષ ઊજવશે. નાગપુરના રેશમબાગના મેદાનમાં 21,000 સ્વયંસેવકોની હાજરીમાં મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો.
RSSપ્રમુખ મોહન ભાગવતે નાગપુરમાં વિજયાદશમી ઉત્સવ પ્રસંગે વિચારો રજૂ કર્યા હતા. તેમણે પાડોશી દેશોમાં તાજેતરમાં થયેલા હિંસક પ્રદર્શનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે હિંસાથી પરિસ્થિતિ બદલાતી નથી, માત્ર થોડા સમય માટે ઊથલપાથલ થાય છે. બદલાવ તો લોકશાહી માર્ગોથી જ આવે છે. રાષ્ટ્રપિતાને યાદ કરતાં સંઘપ્રમુખે કહ્યું કે તેમણે સંપ્રદાયવાદ સામે સમાજની રક્ષા કરી. સ્વતંત્રતાની લડતમાં મહાત્મા ગાંધીજીનું યોગદાન અવિસ્મરણીય છે.તેમણે કહ્યું હતું કે શ્રીલંકા, બાંગ્લાદેશ અને પછી નેપાળમાં ઊથલપાથલ જોવા મળી રહી છે. ક્યારેક પ્રશાસન જનતાપ્રતિ સંવેદનશીલ નથી હોતું અને જનતાની માગણીઓનો વિચાર કર્યા વગર કાર્ય કરે છે. અસંતોષ રહે છે, પરંતુ આ રીતે અસંતોષ વ્યક્ત થવો કોઈના લાભનો નથી. હિંસા અને વિનાશને ડૉ. આંબેડકરે અરાજકતા કહી છે.
Nagpur, Maharashtra: RSS Chief Mohan Bhagwat said, “…Last year, the Pahalgam attack happened, where terrorists from across the border attacked and killed 26 Indian nationals after questioning their religion. This triggered waves of grief and anger across the country. The… pic.twitter.com/fvMdhKb1jm
તેમણે કહ્યું હતું કે વ્યક્તિ અને વ્યક્તિત્વ નિર્માણથી સમાજમાં સુધારો થશે અને સમાજથી રાષ્ટ્ર તથા વિશ્વ નિર્માણ આગળ વધશે. દુનિયામાં પરિવાર અને સમાજની વ્યવસ્થા ખલેલમાં પડી ગઈ છે. માત્ર ભારતમાં એ હજી બચેલી છે, એને જાળવી રાખવી પડશે.તેમણે કહ્યું હતું કે પહેલગામમાં સરહદ પારથી આવેલા આતંકીઓએ હુમલો કર્યો. 26 ભારતીયોની તેમની ધાર્મિક ઓળખ પૂછીને હત્યા કરવામાં આવી. જેને કારણે દેશમાં દુખની લહેર ફેલાઈ. પરંતુ સેના અને સરકારે જોરદાર જવાબ આપ્યો. સેનાનું શૌર્ય અને સમાજની એકતાનું ઉદાહરણ સ્થાપિત થયું.
હિંદુ સમાજે એકજૂટ રહેવું પડશે
હિંદુ સમાજને એકજૂટ રહેવું પડશે. હિંદુ સમાજને જવાબદાર અને જવાબદેહી બનવું પડશે. આપણને હિંદુ રાષ્ટ્ર બનાવવું પડશે. હિંદુ સમાજે દુનિયાને ઘણું આપ્યું છે. ભારત પ્રાચીન હિંદુ રાષ્ટ્ર છે. મજબૂત હિંદુ સમાજ સુરક્ષાની ખાતરી છે. જે બીજાં ધર્મોએ નથી આપ્યું, એ હિંદુએ આપ્યું છે.
સુહાગ રાત જેવો માહોલ રચી આપતી કબીરજીની સાખી તેમની કાવ્યશક્તિના શિખર સમાન છે. પ્રતીકો અને ઉપમાઓ દ્વારા તત્ત્વજ્ઞાનના ગૂઢ અર્થોને પ્રકાશમાં લાવવાનું કાર્ય કબીરજી અદ્ભુત રીતે કરે છે. આ પ્રકારની સાખીના શબ્દાર્થ સાથે તેનો તાર તો અગમ-નિગમના ભેદ સાથે છે.
પ્રિયતમરૂપી પ્રભુને પામવા માટે, પ્રસન્ન કરવા માટે નયનોની ઓરડી કરી છે. આ આંખો સમગ્ર બ્રહ્માંડમાં એક તત્ત્વનો અનુભવ કરે છે.
આ સાથે નયનોમાં રહેલી કીકી પલંગ બિછાવે છે. મનની સ્થિતિ આરામદાયક, શાંત અને સ્થિર બને છે. નેણોને નીચા કરીને અર્થાત્ બાહ્યા પદાર્થથી ઓજલ થઈને જ્યારે મન અદ્વૈતમાં સ્થિર થાય છે તે પ્રભુદર્શન છે. આ સાખી સાથે શ્રી લાભશંકર રાવલ ‘શાયર’ની આ લીટીઓનું સ્મરણ થાય છે.
“આજ આટલું તું હવે પાકું કર સતજ્ઞાન,
નથી કોઈને ભીખમાં ક્યાંય મળ્યો ભગવાન.”
સાધુ-બાવાનાં વચનોથી જ પ્રભુપ્રાપ્તિ થતી હોત કે મોક્ષ મળતો હોત તો ? મોક્ષનો ટૂંકો રસ્તો શોધવાની લાલચ માર્ગ ભૂલવાડી દે છે.
(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)
અમદાવાદ: IIMA દ્વારા ૧૬ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન હિન્દી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી. સંસ્થાએ હિન્દી કવિતા પઠન, હિન્દી ઓનલાઇન સામાન્ય જ્ઞાન, હિન્દી શબ્દભંડોળ સ્પર્ધા, હિન્દી નિબંધ લેખન અને હિન્દી સુલેખન જેવી સ્પર્ધાઓનું આયોજન કર્યું હતું. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય હિન્દીને સત્તાવાર ભાષા તરીકે પ્રોત્સાહન આપવાનો અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો હતો.આ ઉજવણીની શરૂઆત સ્વ-રચિત કવિતાઓના વાંચનથી થઈ હતી, જેમાં IIMA સમુદાયના સભ્યોએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. ઉજવણીના ભાગ રૂપે, ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સંસ્થાના વિક્રમ સારાભાઈ પુસ્તકાલયમાં હિન્દી પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય હિન્દી સાહિત્યમાં વાચકોનો રસ વધારવાનો હતો.
ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર, વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને કર્નલ (ડૉ.) જગદીશ સી. જોશી (નિવૃત્ત), CAO, IIMA દ્વારા રોકડ પુરસ્કારો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
દીપિકા પાદુકોણ 8 કલાકની શિફ્ટની માંગણીને કારણે સમાચારમાં છે. હવે, રાની મુખર્જીએ પણ આ મુદ્દા પર ભાર મૂક્યો છે અને ખુલાસો કર્યો છે કે તે પણ એક સમયે 6-7 કલાકની શિફ્ટમાં કામ કરતી હતી.
દીપિકા પાદુકોણની 8 કલાકની શિફ્ટની માંગણીની વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ કારણે અભિનેત્રી પહેલાથી જ બે મોટી ફિલ્મો ગુમાવી ચૂકી છે. તાજેતરમાં, ઘણા સ્ટાર્સ દીપિકાની માંગ પર પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા છે. અહેવાલો અનુસાર માતા બન્યા પછી, દીપિકા પાદુકોણે તેના કામ અને અંગત જીવનને સંતુલિત કરવા માટે 8 કલાકની શિફ્ટ નક્કી કરી છે. આનો અર્થ એ થયો કે તે હવે ફક્ત 8 કલાક માટે જ શૂટિંગ કરશે અને આ મુદ્દા પર અનેક લોકોએ પ્રતિક્રિયા આપી રહ્યા છે. રાની મુખર્જીએ પણ દીપિકાની માંગ પર પ્રતિક્રિયા આપી છે અને અભિનેત્રીને ખુલ્લેઆમ ટેકો આપ્યો છે.
દીપિકાની 8 કલાકની શિફ્ટ પર રાની મુખર્જીની પ્રતિક્રિયા
દીપિકાની આઠ કલાકની શિફ્ટની માંગ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે રાની મુખર્જીએ કામ અને માતૃત્વને સંતુલિત કરવાની તેમની સફર વિશે ચર્ચા કરી છે. ગુલામ, મર્દાની અને નો વન કિલ્ડ જેસિકા જેવી ફિલ્મોમાં તેમના શક્તિશાળી અભિનય માટે જાણીતી, રાની મુખર્જીએ “હિચકી” ના શૂટિંગના દિવસોને યાદ કર્યા જ્યારે તેમની પુત્રી આદિરા માત્ર 14 મહિનાની હતી. ANI સાથે વાત કરતા, રાનીએ કહ્યું, “જ્યારે મેં હિચકી કરી હતી, ત્યારે આદિરા 14 મહિનાની હતી અને હું હજુ પણ તેને સ્તનપાન કરાવતી હતી. તેથી, મારે સવારે મિલ્ક પંપ કરીને શૂટિંગ પર જવું પડતું હતું. હું શહેરની એક કોલેજમાં શૂટિંગ કરી રહી હતી.”
મેં 6-7 કલાકની શિફ્ટમાં પણ કામ કર્યું છે – રાની મુખર્જી
રાની મુખર્જીએ વધુમાં કહ્યું કે તેણીએ તેની પુત્રીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તેના શેડ્યૂલનું આયોજન કેવી રીતે કર્યું. તેણીએ કહ્યું, “જુહુ સ્થિત મારા ઘરેથી શૂટિંગ સ્થળ સુધી પહોંચવામાં મને 2 કલાક લાગ્યા. ટ્રાફિક પણ ભારે હોય છે, તેથી સવારે મિલ્ક પંપ કર્યા બાદ, હું 6:30 વાગ્યે નીકળી જતી અને શૂટિંગ શરૂ કરતી. મારો પહેલો શોટ 8:00 વાગ્યે આવતો, અને હું 12:30 થી 1:00 વાગ્યાની વચ્ચે બધું પૂરું કરતી. મારા દિગ્દર્શક અને ટીમે એટલી સારી રીતે આયોજન કર્યું હતું કે હું તે 6-7 કલાકમાં શૂટિંગ પૂર્ણ કરી લેતી અને શહેરનો ટ્રાફિક વધે તે પહેલાં 3:00 વાગ્યે ઘરે પહોંચી જતી. આ રીતે મેં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું.
સમયની સુગમતા વિશે વાત કરતાં રાનીએ કહ્યું, “આજકાલ આ બાબતોની ચર્ચા થઈ રહી છે કારણ કે તેની ચર્ચા બહાર પણ થઈ શકે છે, પરંતુ આ બધા વ્યવસાયોમાં સામાન્ય છે. મેં કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે જેમાં મેં ચોક્કસ સમય માટે કામ કર્યું છે. જો નિર્માતાને તેમાં કોઈ સમસ્યા ન હોય, તો તમે ફિલ્મ પર કામ કરવાનું ચાલુ રાખી શકો છો, અને જો નિર્માતાને કોઈ સમસ્યા હોય, તો તમે ફિલ્મ છોડી શકો છો. તેથી, તે એક પસંદગી છે. કોઈ પણ કોઈના પર કંઈપણ દબાણ કરી શકે નહીં.”
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વિશે એવો દાવો કર્યો હતો કે તેના નેતાઓ આઝાદીની લડત દરમિયાન જેલમાં ગયા હતા, ત્યારે કોંગ્રેસે તેને ખોટો દાવો ઠેરવ્યો હતો. કોંગ્રેસે કહ્યું છે કે ભારત છોડો આંદોલન દરમિયાન RSSના નેતાઓએ અંગ્રેજોને મદદ કરી હતી.
કોંગ્રેસે બુધવારે સત્તવાર X હેન્ડલ પર કહ્યું હતું કે 1942માં અંગ્રેજો સામે શરૂ થયેલા ‘ભારત છોડો આંદોલન’માં જ્યારે આખો દેશ જેલ જઈ રહ્યો હતો, ત્યારે RSS આ આંદોલનને દબાવવા અંગ્રેજોને મદદ કરી રહ્યો હતો.
કોંગ્રેસનું કહેવું છે કે RSS માટે તે સમયનો એક નારો ખૂબ પ્રચલિત હતો—જે દેશભક્ત હતા તેઓ જંગમાં ગયા, જે ગદ્દાર હતા તેઓ સંઘમાં ગયા. કોંગ્રેસે એ પણ કહ્યું છે કે RSS એવું સંગઠન છે જેના એક પણ નેતા આઝાદીની લડત દરમિયાન જેલમાં ગયા ન હતા અને આ સંગઠન મહાત્મા ગાંધી, ભગત સિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા દેશભક્તો અને ક્રાંતિકારીઓને અરાજક કહીને બ્રિટિશ શાસનના પક્ષમાં કામ કરતું હતું.
RSS देश को बांटने वाला संगठन: आजादी के वक्त जिसके नेता न जेल गए, न अंग्रेजों ने लगाया कभी प्रतिबंध
1942 में अंग्रेजों के खिलाफ शुरू हुए ‘भारत छोड़ो आंदोलन’ में जब पूरा देश जेल जा रहा था, तब RSS इस आंदोलन को दबाने में अंग्रेजों की मदद कर रहा था।
કોંગ્રેસના જણાવ્યા મુજબ RSSએ 100 વર્ષમાં એક પણ એવું કામ નથી કર્યું, જેનાથી દેશને કોઈ રીતે ફાયદો થયો હોય. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઘણી વખત RSS પર હુમલો કરી ચૂક્યા છે.
આ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આરએસએસની 100 વર્ષની ગૌરવશાળી યાત્રા ત્યાગ, નિસ્વાર્થી સેવા, રાષ્ટ્ર નિર્માણ અને અનુશાસનનું એક અદભૂત ઉદાહરણ છે. તેમણે કહ્યું કે અમારા સ્વયંસેવકો એ સદ્દભાગ્યે એ પેઢીના છે જેમને આરએસએસના શતાબ્દી વર્ષની સાક્ષી બનવાની તક મળી છે.