બીડ: મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં ‘આઈ લવ મોહમ્મદ’ કાર્યક્રમમાં એક મૌલાનાએ CM યોગી વિરુદ્ધ ભડકાઉ ભાષણ કર્યું હતું. મૌલાનાએ મંચ પરથી CM યોગીને ખુલ્લેઆમ દફનાવી દેવાની ધમકી આપી હતી. મૌલાનાએ ભીડ વચ્ચે CM યોગી વિરુદ્ધ અનેક અપશબ્દો પણ કહ્યા. CM યોગીને ધમકી આપનારાએ તેમને માજલગાંવની મુસ્તફા મસ્જિદમાં આવવાની ચેલેન્જ પણ ફેંકી હતી. તેણે કહ્યું હતું કે જો યોગી અહીં આવશે તો તેમને અહીં જ દફનાવી દેવામાં આવશે.
ધમકીનો વિડિયો આવ્યો સામે
હકીકતમાં, બીડના માજલગાંવમાં ખુલ્લા મંચ પરથી ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથને દફનાવી દેવાની ધમકી આપવામાં આવી છે. અહીં ‘આઈ લવ મોહમ્મદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એ દરમ્યાન એક મૌલવીએ મંચ પરથી CM યોગીને દફનાવી દેવાની ધમકી આપી.
इस मौलवी का हिम्मत देखिए 😡
योगी जी को मारने की धमकी दे रहा हैसून उत्तर प्रदेश का टकले, तुझे दफना दूंगा
अल्लाह हूं अकबर
अल्लाह हूं अकबरक्या इन आतंकवादियों पर कारवाई होगा? pic.twitter.com/Cj1Bx6W8oa
— Chandan Sharma (@ChandanSharmaG) September 26, 2025
મૌલવીની ઓળખ અશફાક નિસાર શેખ તરીકે થઈ છે. હાલ આ મામલે માજલગાંવ પોલીસ સ્ટેશનમાં કોઈ FIR દાખલ કરવામાં આવી નથી. આ ઉપરાંત CM યોગીને ધમકી આપતો મૌલવીનો વિવાદિત વિડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
શું છે ‘આઈ લવ મોહમ્મદ કેમ્પેઇન?
દેશભરમાં ‘આઈ લવ મુહંમદ’ને લઈને મુસ્લિમ સંગઠનો દ્વારા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જુમ્માની નમાજ પછી આજે મસ્જિદોની બહાર અનેક જગ્યાએ પ્રદર્શન કરવામાં આવ્યાં છે. એ જ ક્રમમાં બીડમાં પણ મસ્જિદની બહાર પ્રદર્શન થયું. મુસ્લિમ સંગઠનોનું કહેવું છે કે કાનપુરમાં ‘આઈ લવ મોહમ્મદ’ના પોસ્ટર લગાવનારાઓ વિરુદ્ધ પોલીસે જે કાર્યવાહી કરી તે ખોટી છે. તેમનો આરોપ છે કે આ પગલાંથી સામ્પ્રદાયિક સૌહાર્દ બગડ્યું છે અને નિર્દોષ નાગરિકોના મૂળભૂત હકોનું હનન થયું છે. હાલ CM યોગીને ધમકી આપવામાં આવેલા મામલે પોલીસ શું એક્શન લે છે તે જોવાનું રહેશે.







સિડનીમાં ‘શોલે’ નવી અથવા મૂળ ક્લાઈમેક્સ સાથે રિલીઝ થશે. આપણે જે ‘શોલે’ જોઈ છે તેની પરાકાષ્ઠામાં ખાખી વર્દીવાળા પુલીસ અફ્સરો (બધું પતી ગયા બાદ) પહાડોની વચ્ચે આવેલા ગબ્બરસિંહના અડ્ડા પર પહોંચીને એને અરેસ્ટ કરે છે. સર્વવીદિત છે કે દિગ્દર્શક રમેશ સિપ્પીએ શૂટ કરેલી મૂળ પરાકાષ્ઠામાં ઠાકૂર બલદેવસિંહ પોતાની ધારદાર ખીલીવાળી મોજડીથી ગબ્બરને લોહીલુહાણ કરીને મારી નાખે છે, પણ સેન્સરમાં વાંધા પડતા ગબ્બરની ધરપકડ બતાવવી પડી.

ચુપકે’-‘ઝમીર’)માં અમિતાભ બચ્ચન હતા. 1975થી જ બચ્ચન નંબર વન હીરો તરીકે ઊભરી આવ્યા, અને આગામી બે દાયકા સુધી એન્ગ્રી યંગ મેન અથવા હીરો તરીકે એકચક્રી શાસન કર્યું. આજે પણ એમના સુપર સ્ટારડમ અને ફેનબેઝ જળવાયેલાં છે. ફરારની વાત નીકળતાં આ વાત યાદ આવી ગઈ. ૧૯૭૫માં જ રિલીઝ થયેલી બાસુ ચેટર્જીની ‘છોટી સી બાત’માં અમિતાભ બચ્ચન ‘ફરાર’ના શૂટિંગમાંથી સમય કાઢીને અશોકકુમારને મળવા આવે છે. એવું દશ્ય છે. એક ખૂણામાં ઊભેલા અમોલ પાલેકર બન્નેને ખાનગી વાત કરતા અહોભાવથી જોતા રહે છે.
કામ કરવાનું સ્વીકાર્યું. એટલું જ નહીં, તેમણે પૈસા પણ લીધેલા નહીં. ભઈ, આ પૈસા ન લીધાની વાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્રોત પાસેથી સાંભળેલી છે. સાચું-ખોટું તો દ્વારિકાધીશ જાણે.
જેવા વિષયને પણ લોકો વ્યસનની પ્રક્રિયા સાથે જોડી રહ્યા હોય ત્યારે પરમ આનંદ સમજાવવાનું લગભગ અશક્ય છે. માણસ એટલે સહનશક્તિનું પ્રતિક એ વિષય ખબર નહિ ક્યાંથી આવ્યો છે. જો દુખ સહન કરીને જ જીવવાનું હોય તો પછી અન્ય જીવ અને માણસ વચ્ચે ફર્ક શું હોઈ શકે? જે જીવ નિર્ણય લઇ શકે છે. જે પોતાના વિકાસ માટે કાર્ય કરી શકે છે તે માત્ર સહન કર્યા કરે એ વાત મૂળભૂત રીતે જ ખોટી લાગે છે. આંનંદ એ આંતરિક ભાવના છે. જયારે એની સમજણ મળે ત્યારે વ્યક્તિ સુખી થઇ શકે છે.


વાયકાઓ, લોકલાગણીઓ સાથે છે. સમયે સમયે યુગ પરિવર્તન થતાં લોકબોલી, અને એના ભાવો સાથે ગરબીના તાલ અને બોલ પણ બદલાયા છે.’પાવલી લઈને હું તો પાવાગઢ ગઇતી ‘ થી ‘ચાર ચાર બંગડી વાળી ગાડી ‘ સુધી, લોકોના મનનાં ઉભાર ગરબામાં પીરસાતા ગયાં.

