વોશિંગ્ટનઃ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ક્યારે કયો નિર્ણય લઈ લે તે કહેવું મુશ્કેલ છે. હવે તેમણે પહેલી ઓક્ટોબરથી ફાર્મા ક્ષેત્ર પર 100 ટકા ટેરિફ લગાવવાનું એલાન કર્યું છે. ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી બ્રાન્ડેડ અને પેટન્ટ મેડિસિન પ્રોડક્ટ્સ પર 100 ટકા ભારે ટેરિફ લગાવવાનો જાહેર કર્યો છે. ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર લખ્યું છે કે પહેલી ઓક્ટોબર, 2025થી અમે કોઈ પણ બ્રાન્ડેડ અથવા પેટન્ટ દવા પર 100 ટકા ટેરિફ લગાવીશું. આ ભારે ટેરિફથી છૂટ મેળવવા માટે કંપનીઓએ અમેરિકા અંદર જ ઉત્પાદન શરૂ કરવું પડશે. નિષ્ણાતો કહે છે કે ટ્રમ્પના આ નિર્ણયની પ્રતિકૂળ અસર ભારતીય કંપનીઓ પર પણ થશે, કારણ કે અમેરિકા માટે દવાઓના સૌથી મોટા સપ્લાયર્સમાં ભારતીય કંપનીઓનો સમાવેશ થાય છે.
હાલ ભારતીય દવા પર કેટલો ટેક્સ?
હાલ અમેરિકાથી ભારત આવતી દવાઓ પર 10.91 ટકા ટેક્સ લાગે છે. જ્યારે અમેરિકા ભારતીય દવાઓ પર કોઈ ટેક્સ લગાવતું નથી. જોકે બીજી એપ્રિલ, 2025ના ટેરિફ જાહેરાત વખતે ટ્રમ્પે ફાર્મા સેક્ટરને બહાર રાખ્યું હતું, પરંતુ હવે 100 ટકા ટેરિફ જાહેર કરવામાં આવ્યો છે.
મેડ ઇન અમેરિકા પર ઝીરો ટેરિફ
ટ્રમ્પે લખ્યું છે કે જો કંપનીઓ અમેરિકામાં દવાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપી ન રહી હોય. તેમણે છૂટની કડક શરતો પણ સ્પષ્ટ કરી હતી “કન્સ્ટ્રક્શન અન્ડર પ્રોસેસ” એટલે કે નિર્માણ કાર્ય શરૂ થવું અથવા ચાલુ હોવું એટલે કે જો પ્લાન્ટનું નિર્માણ શરૂ થઈ ગયું છે તો આ દવાઓ પર કોઈ ટેરિફ લાગશે નહીં.
Starting October 1st, 2025, we will be imposing a 100% Tariff on any branded or patented Pharmaceutical Product, unless a Company IS BUILDING their Pharmaceutical Manufacturing Plant in America. “IS BUILDING” will be defined as, “breaking ground” and/or “under construction.”…
— Trump Truth Social Posts On X (@TrumpTruthOnX) September 25, 2025
આ ઉત્પાદનો પર પણ ટેરિફ લાગશે
એ સિવાય રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલી ઓક્ટોબરથી કિચન કેબિનેટ અને બાથરૂમ વેનિટી પર 50 ટકા, ફર્નિચર પર 30 ટકા અને ભારે ટ્રકો પર 25 ટકા શુલ્ક વસૂલવાની જાહેરાત કરી છે. આ નિર્ણયની પણ મોટો અસર પડશે.
અમેરિકન જનતા પર વધશે ખર્ચનો બોજ
વર્ષ 2024માં અમેરિકાએ લગભગ 233 અબજ ડોલરની દવાઓ અને ઔષધીય ઉત્પાદનોની આયાત કરી હતી. દવાઓ પર ભારે ટેરિફથી અમેરિકામાં દવાઓના ભાવમાં મોટો વધારો થશે, જેનો બોજ સીધો જનતાને સહન કરવો પડશે. ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકન જનતા પર બુમરેંગ સાબિત થશે.





વર્ષ ૨૦૨૪ માટે કુલ ત્રણ વિભાગમાં આ પારિતોષિક જાહેર કરવામાં આવે છે. સાહિત્ય વિભાગમાં રાજકોટસ્થિત કવિ લલિત ત્રિવેદી, રાજકોટથી પ્રગટ થતાં વર્તમાનપત્ર ‘ફૂલછાબ’ના તંત્રી જ્વલંત છાયા અને કલા વિભાગમાં મુંબઈસ્થિત નાટ્યકલાકાર મીનળ પટેલની પસંદગી કરવામાં આવી છે. જવલંત છાયાએ આ પહેલાં ‘ચિત્રલેખા’ના રાજકોટ ખાતેના પત્રકાર તરીકે ફરજ બજાવી છે.
આ ત્રણેય પારિતોષિક કથાકાર મોરારિબાપુના હસ્તે એનાયત કરવામાં આવશે. પારિતોષિકમાં સન્માનપત્ર અને રૂપિયા ૫૧,૦૦૦ (એકાવન હજાર)ના ચેકનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ ૨૮ સપ્ટેમ્બરે, સાંજે ૬.૦૦ વાગ્યે હિંદુસ્તાની પ્રચાર સભા હૉલ, મહાત્મા ગાંધી મહાત્મા મેમોરિયલ બિલ્ડિંગ, ચર્ની રોડ, મુંબઈ ખાતે યોજાશે.
હરીન્દ્ર દવે મેમોરિયલ ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે નવીનભાઈ દવે, ટ્રસ્ટી તરીકે રોહિત પટેલ, કુન્દન વ્યાસ, રમેશ પુરોહિત તથા કાર્યવાહક સમિતિના સભ્ય તરીકે ગોપાલ દવે, હિતેન આનંદપરા, સ્નેહલ મુઝુમદાર અને મુકેશ જોષી કાર્યરત છે.



અમેરિકાનો આ નિર્ણય સ્થાનિક ધોરણે પ્રવર્તતી બેરોજગારીની સમસ્યાને કારણે હોઇ શકે એ સમજી શકાય એવું છે. અમેરિકાનાં નિયમાનુસાર કંપનીઓને એમની જરૂરિયાત અનુસાર સ્થાનિક સ્તરે વ્યક્તિ ન મળતી હોય તો જ એ કંપનીઓ અન્ય દેશના લોકો માટે H1B વિઝાની અરજી કરી શકે છે.
ટૂંકમાં, આગામી વર્ષોમાં અમેરિકા ઉપરનું અવલંબન ઓછું કરવામાં જ શાણપણ છે. કેમ કે બંને દેશો વચ્ચેના સંબંધોમાં પણ હવે બદલાવ આવી રહ્યા છે. જો H1B વિઝા ફી મંજૂર થઈ જાય તો નોકરિયાતોએ એમના નોકરીદાતાઓ સાથે ફ્લેક્સિબલ રહેવું પડશે. આ સાથે યોગ્ય ગાઈડ-કન્સલટન્ટ પાસેથી માર્ગદર્શન મેળવવું હિતાવહ રહેશે. મહત્વનું એ છે કે ભારત તેમજ અમેરિકાની જીવનશૈલીની સરખામણી કરવાનું છોડી દેવું અને જો તમારે ભારત પાછું ફરવું પણ પડે તો નિરાશ ન થવું કેમ કે ભારત સરકાર વધુ નોકરીઓનું સર્જન કરવા અને સ્ટાર્ટ-અપ શરૂ કરવા માટે કટિબધ્ધ છે.
