ન્યુ યોર્કઃ ભારતે મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં પાકિસ્તાનને તેની હદ બતાવી દીધી. UNમાં ભારતે પાકિસ્તાનની આકરી ટીકા કરતાં આરોપ મૂક્યો હતો કે ઈસ્લામાબાદ પોતાના જ લોકો પર બોમ્બમારી કરી રહ્યું છે અને નવી દિલ્હીને નિરાધાર આરોપોથી ઘેરવા માટે આ મંચનો દુરુપયોગ કરી રહ્યું છે.
ભારતની પ્રતિક્રિયા
ભારતની આ પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાની વાયુસેનાએ ખૈબર પખ્તુનખ્વાના તિરાહ ખીણમાં હવાઈ હુમલા કર્યા હતા, જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 24 લોકોનાં મોત થયાં હતાં. સોશિયલ મિડિયા પર આ વિસ્તારના વિડિયો સામે આવ્યા છે, જેમાં રસ્તાઓ પર કાટમાળ પડેલો દેખાય છે, વાહનો સળગેલાં છે અને ધરાશાયી ઇમારતોમાંથી મૃતદેહો મળી રહ્યા છે.
UNમાં ભારતે પાકિસ્તાનને આડે હાથ લીધું
UN માનવાધિકાર પરિષદના સત્ર દરમિયાન બોલતાં 2012 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી અને રાજદૂત ક્ષિતિજ ત્યાગીએ કહ્યું હતું કે પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ આ મંચનો દુરુપયોગ ભારત સામે નિરાધાર અને ઉશ્કેરણીજનક નિવેદનો માટે કરતું રહે છે.
#NewsPunch | At the 60th UNHRC, India’s Kshitij Tyagi slammed Pakistan’s false Kashmir claims, citing human rights abuses, internal crises, and illegal occupation, urging it to stop exporting terrorism.
Watch full program: https://t.co/3QEBexdisL#UNHRC #Pakistan #Kashmir… pic.twitter.com/MkMo3GRePb
— DD News (@DDNewslive) September 24, 2025
તેમણે કહ્યું હતું કે અમારા પ્રદેશ પર લોભ રાખવાને બદલે, તેમને પોતાના ગેરકાયદે કબજાવાળા ભારતીય પ્રદેશને ખાલી કરવો જોઈએ અને જીવલેણ સહાય પર આધારિત અર્થતંત્ર, સૈન્યના પ્રભુત્વથી દબાયેલા રાજકારણ અને દમનથી દાગદાર માનવાધિકાર રેકોર્ડને બચાવવા પર ધ્યાન આપવું જોઈએ. એ કદાચ પછી, જ્યારે તેઓ આતંકવાદની નિકાસ કરવાથી, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓને આશ્રય આપવાથી અને પોતાના જ લોકો પર બોમ્બમારી કરવાથી ફુરસદ મેળવે.
ખૈબર પખ્તૂનખ્વામાં શું થયું?
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની તિરાહ ખીણમાં થયેલા વિસ્ફોટમાં લગભગ 24 લોકોનાં મોત થયાં, જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા. અહેવાલ અનુસાર પાકિસ્તાની વાયુસેનાના (PAF) વિમાનો દ્વારા કરાયેલા હવાઈ હુમલાઓમાં આ મોત થયાં હતાં.










નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત, આ પુસ્તક ભારતની વિકસતી ઓળખને તેના ઇતિહાસ, સંસ્કૃતિ, સુધારાઓ અને નવીનતાઓને એકસાથે ગૂંથીને 21મી સદીમાં બ્રાન્ડ ઇન્ડિયાની વાત રજૂ કરે છે. પુસ્તકમાં સિંધુ ખીણથી લઈને આજની ડિજિટલ ક્રાંતિ સુધીની ભારતની સફરને દર્શાવે છે. જેમાં આધ્યાત્મિકતા અને વિજ્ઞાન, પરંપરા અને નવીનતા, સ્થિતિસ્થાપકતા અને સુધારાને એકસાથે વણવામાં આવ્યા છે.
MICA ખાતે માર્કેટિંગ, કોમ્યુનિકેશન્સ અને પબ્લિક અફેર્સનાં એસોસિયેટ ડીન પ્રો. રુચિ તિવારીએ જણાવ્યું હતું કે, “MICA ખાતે સંશોધનને ખૂબ જ મોટો ટેકો મળે છે અને તે MICAns સંશોધન પરિણામોની ઉજવણી કરવા માટે કેવી રીતે ભેગા થાય છે તે પરથી શ્રેષ્ઠ રીતે દેખાય છે. PGP સ્નાતકો, FPM વિદ્વાનો, પોસ્ટ-ડોક્સ અને સાથીદારોની ટીમ પ્રો. જૈનને પ્રોત્સાહન આપવા માટે તેમની સાથે જ હતી.”
દેશના યુવા ઉદ્યમીઓને સ્ટાર્ટઅપ ક્ષેત્રે થયેલી ક્રાંતિનો યશ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪ પહેલા દેશમાં માત્ર ૫૦૦ જેટલા સ્ટાર્ટઅપ્સ અને ચાર જ યુનિકોર્ન હતા. આજે દેશમાં ૧.૯૨ લાખથી પણ વધુ સ્ટાર્ટઅપ્સ અને ૧૨૦થી વધુ યુનિકોર્ન કાર્યરત છે, જેની કુલ વેલ્યુ ૩૫૦ બિલિયન ડોલરથી પણ વધુ થાય છે. પરિણામે આજે ભારતનો યુવાન જોબ સીકર મટી, જોબ ગીવર બની રહ્યો છે. તેમણે યુવાનોમાં રહેલી આ ક્ષમતાનો લાભ લેવા ઉદ્યોગકારો અને રોકાણકારોને પણ અપીલ કરી હતી.
વર્ષ ૨૦૧૪ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ભારત ૯૧મા ક્રમે હતું, જે તાજેતરમાં જ રીલીઝ થયેલા વર્ષ ૨૦૨૫ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ભારત સીધું જ ૩૮મા ક્રમે પહોંચ્યું છે, જે દેશના યુવાનોમાં રહેલી ક્ષમતા બતાવે છે. યુવાનોની આ જ ક્ષમતાને પ્રોત્સાહન આપીને આગામી ત્રણ વર્ષમાં ભારતને ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષમાં ટોચના ૧૦ દેશોમાં સ્થાન અપાવવામાં પણ આ કોન્કલેવ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગૌરવ સાથે કહ્યું હતું કે, દેશના કુલ સ્ટાર્ટઅપ્સ પૈકી ૪૮ ટકા સ્ટાર્ટઅપ્સ બહેનોએ તૈયાર કર્યા છે. માતૃ શક્તિ-મહિલા ઉદ્યમીઓ પાસે હંમેશા લક્ષ્મીજીનો વાસ હોય છે. ઉત્તર-પૂર્વમાં અંદાજે ૯૦૦ મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ છે, જે આત્મનિર્ભર ભારત માટે કાર્યરત છે. સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમના માધ્યમથી અત્યાર સુધીમાં ગૌરવ સમાન અંદાજે ૧૭.૯૦ લાખને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટુ ટાયર અને થ્રી ટાયર સિટીમાં પ્રતિ વર્ષ અંદાજે ૯,૦૦૦ જેટલા સ્ટાર્ટઅપ શરૂ થાય છે, જે દેશનો વિકાસ દર્શાવે છે.
સ્ટાર્ટઅપને નાણાકીય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નીતિગત અને બેન્કિંગ સહયોગ ઉપલબ્ધ થઈ રહ્યો છે. આ માટે રૂ ૧૦ હજાર કરોડના ફંડ ઓફ ફંડની રચના કરવામાં આવી છે. સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવા માટે મહત્તમ લોન મર્યાદા રૂ. ૧૦ કરોડથી વધારીને રૂ. ૨૦ કરોડ કરવા ઉપરાંત વિવિધ ટેક્સમાં પણ છૂટછાટ આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સરકાર પણ સ્ટાર્ટઅપને અનેક પ્રકારે સહાય કરી રહી છે.જેના પરિણામે દરેક સર્જક પોતાનું અલગ સ્ટાર્ટઅપ બનાવી રહ્યો છે. મેઇક ઈન ઇન્ડિયા અને ૧૪ મુખ્ય ક્ષેત્રમાં PLI લાવીને વિવિધ પ્રકલ્પોને પ્રોત્સાહન આપવા કરોડો રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે. રોકાણકારોની સરળતા માટે દેશમાં ૩૪૦૦થી વધુ કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
