Home Blog Page 605

દહેરાદૂનમાં વાદળ ફાટ્યું: હિમાચલ પ્રદેશમાં બારે મેઘ ખાંગા

દહેરાદૂનઃ દહેરાદૂનના સહસ્ત્રધારામાં વાદળ ફાટતાં ભારે વિનાશ વેરાયો છે. અત્યાર સુધી બે લોકો લાપતા થયા છે અને અનેક ઘરો તથા હોટેલોને નુકસાન થયું છે. હવામાનના મારથી ઉત્તરાખંડમાં લોકોનું જીવન ઘણું મુશ્કેલ બની ગયું છે, આવનારા દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર દહેરાદૂનના એક મુખ્ય બજારમાં વાદળ ફાટ્યા પછી ઘણો કચરો નીચે વહી ગયો, એક માર્કેટમાં તો સાતથી આઠ દુકાનો સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. આ વાદળ ફાટવાને કારણે આશરે 100 જેટલા લોકો ફસાઈ ગયા હતા જેમને ઘણી મહેનત બાદ સ્થાનિક લોકોએ સુરક્ષિત બહાર કાઢ્યા હતાહવામાન વિભાગનો અંદાજ છે કે મંગળવારે ઉત્તરાખંડથી લઈને હિમાચલ પ્રદેશ સુધી ભારે વરસાદ પડશે, અનેક જિલ્લાઓ માટે તો રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશના મંડીમાં જળ પ્રલય

ધર્મપુર: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ગઈ સાંજથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. તેની અસરથી એક તરફ કુલુથી આવી રહેલી વ્યાસ નદી ખતરાના નિશાન પર હતી તો બીજી તરફ વરસાદને કારણે સ્થાનિક નદીઓ અને નાળાઓમાં છલકાયા હતા. ધર્મપુર બસ સ્ટેન્ડ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયું હતું. એ દરમિયાન ઘણી બસો પણ ડૂબી ગઈ. પાણીના તેજ પ્રવાહમાં અનેક વાહનો પણ વહી ગયાં છે અને ડઝનો દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

ધર્મપુરમાં ચારેય તરફ પાણી જ પાણી જોવા મળે છે. જ્યા જુઓ ત્યાં વિનાશનાં દ્રશ્યો સ્પષ્ટ નજરે પડે છે. દુકાનો, બસો ડૂબેલી દેખાઈ રહી છે. પાણી ઘટ્યા પછી બસો કચરામાં ફેરવાઈ ગયેલી દેખાઈ છએ, જ્યારે દુકાનોની હાલત પણ ખરાબ દેખાઈ રહી છે। લોકો આ વિનાશના વિડિયો સોશિયલ મિડિયામાં પણ શેર કરી રહ્યા છે અને ઈશ્વર પાસે જલદી બધું સારું થઈ જાય એવી પ્રાર્થના કરી રહ્યા છે.

Who called Gujarati film star Hiten Kumar a ‘duffer’? Hiten Kumar gets candid…

‘મકબૂલ’ માં કેકે મેનનને બદલે ઈરફાન ખાન આવ્યા! 

શબાના આઝમી જેવા જાણીતા કલાકાર હોવા છતાં બાળ ફિલ્મ ‘મકડી’ (2002) ને વેચવા માટે નિર્દેશક વિશાલ ભારદ્વાજને કેટલીય જગ્યાએ ચક્કર કાપવા પડ્યા હતા. નિર્દેશક અભિષેક ચૌબેએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘મકબૂલ’ (2004) બનાવવાનું સરળ ન હતું. કેમકે ‘મકડી’ બની ગઈ હતી પણ વેચાઈ રહી ન હતી. વિશાલ અને અભિષેક કારની ડિકીમાં ‘મકડી’ ની ફિલ્મ રીલ્સ મૂકીને હાથમાં ‘મકબૂલ’ ની સ્ક્રિપ્ટ લઈને એકથી બીજા પ્રોડકશન હાઉસની ઓફિસમાં ફરતા હતા. તેઓ વિનંતી કરતાં હતા કે ‘મકડી’ ખરીદી લો અથવા એમ ના કરવું હોય તો ‘મકબૂલ’ બનાવો.

છ મહિનાની દોડધામ પછી એક સમય એવો આવ્યો કે નિર્માતા બોબી બેદીને ‘મકબૂલ’ ની સ્ક્રિપ્ટ પસંદ આવી ગઈ અને એને બનાવવા માટે મંજૂરી આપી દીધી. એ સાથે ‘મકડી’ ના ખરીદનાર પણ મળી ગયા. ‘મકબૂલ’ ની સ્ક્રિપ્ટ વિલિયમ શેક્સપિયરની રચના ‘મકબેથ’ પરથી તૈયાર કરવામાં આવી હતી. વિશાલ ભારદ્વાજે અબ્બાસ ટાયરવાલા સાથે મળીને ‘મકબૂલ’ ની અડધી સ્ક્રિપ્ટ તૈયાર કરી રાખી હતી. અભિષેકે એ રચના અગાઉ વાંચી હોવાથી એને ગમી હતી. ફિલ્મમાં જહાંગીર ખાન ‘અબ્બાજી’ ની ભૂમિકા માટે પહેલાં નસીરુદ્દીન શાહને પસંદ કરવામાં આવ્યા હતા. જે પછી પંકજ કપૂરે ભજવી હતી.

ફિલ્મના કલાકારોની પસંદગીની પ્રક્રિયા વખતે નસીરે વિશાલ સાથે બેસીને ઘણો સહયોગ આપ્યો હતો. પહેલાં વિશાલ અને અભિષેકનું એવું આયોજન હતું કે ઈરફાન ખાન અને વિનીત સિંહ ‘પંડિત’ અને ‘પુરોહિત’ ની ભૂમિકા કરશે. પણ નસીરે સૂચન કર્યું કે તે ‘પુરોહિત’ તરીકે અને ઓમ પુરી ‘પંડિત’ની ભૂમિકામાં યોગ્ય રહેશે. નસીરનું કહેવું હતું કે ‘અબ્બાજી’ જેવી ગેંગસ્ટરની ભૂમિકા ઘણી વખત કરી છે. હવે એમાં રસ નથી. અને ઓમ આવી જાય તો હું ઈન્સ્પેકટર પુરોહિત અને ઓમ ઈન્સ્પેકટર પંડિતની ભૂમિકામાં આવીશું તો કંઈક નવું લાગશે. કેમકે એમને અભિનેતા તરીકે બહુ ગંભીરતાથી લેવામાં આવે છે. જો આ બદમાશ પ્રકારની ભૂમિકા ભજવીશું તો મજા આવશે.

નસીરે ‘અબ્બાજી’ ની ભૂમિકા છોડી એટલે એ માટે શશી કપૂરનું નામ વિચારવામાં આવ્યું હતું. કેમકે એમણે અગાઉ ‘મુહાફિઝ’ કરી હતી. પરંતુ છેલ્લે પંકજ પર પસંદગી ઉતરી હતી. ટાઇટલ ભૂમિકા ‘મિયાં મકબૂલ’ માટે કેકે મેનન પસંદ થઈ ચૂક્યા હતા. એ જોડાયા પછી ફિલ્મનું નિર્માણ શરૂ કરવામાં થોડું મોડું થયું. તારીખો આગળ વધતી ગઈ. મેનનની પાસે બીજી ફિલ્મો હતી અને ‘મકબૂલ’ ની તારીખો નક્કી થઈ ત્યારે એ એમને ફાવે એમ ન હતી.

આ બધું ચાલતું હતું ત્યારે તિગ્માંશુ ધુલિયાની ઈરફાન ખાન સાથેની ફિલ્મ ‘હાસિલ’ (2003) નો પ્રિમિયર યોજાયો. એ ફિલ્મ જોયા પછી ઘરે પહોંચતા પહેલાં જ વિશાલ અને અભિષેકે નક્કી કરી લીધું કે ઈરફાન જ ‘મકબૂલ’ તરીકે યોગ્ય રહેશે. ઇરફાનને બોલાવવામાં આવ્યા અને એમણે વિશાલને હા પાડી દીધી. તબ્બુ પહેલાંથી જ ‘નિમ્મી’ તરીકે નક્કી હતી અને એમાં કોઈ ફેરફારની જરૂર ન હતી. ‘મકબૂલ’ બહુ ઓછા બજેટની ફિલ્મ હતી છતાં વિશાલને જાણીતા કલાકારો મળી ગયા અને કેટલીક સમસ્યાઓ આવી પરંતુ રજૂ થયા પછી બોલિવૂડની એક યાદગાર કલ્ટ ફિલ્મ બની ગઈ હતી.

 

૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫

દેડકાંની પાંચશેરી

 

દેડકાંની પાંચશેરી

 

 

દેડકું સતત કૂદાકૂદ કરતો જીવ છે. આવા દેડકાંને ભેગા કરી ત્રાજવાના પાલ્લામાં મૂકવા હોય તો એકને મૂકો ત્યાં બીજું કૂદીને નીકળી જાય.

આ કારણથી ક્યારેય પાંચ શેર વજન થાય એટલી સંખ્યામાં દેડકાં ભેગા થાય નહીં. અને એ કામ ક્યારેય પૂરું થાય નહીં.

આમ એક ઉધમાતિયું ટોળું અથવા શિસ્ત વગરના સમૂહને એક કરવો અશક્ય છે. ગમે તેમ ગોઠવતાં પણ વ્યવસ્થિત ગોઠવાય નહિ એવી સ્થિતિ. દેડકાંથી પાંચશેરી બંધાય નહિ, તે ઉપરથી જે કામ સમૂહથી કરવાનું હોય તે થાય નહિ ત્યારે આ પ્રયોગ વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

પંચાંગ 16/09/2025

નવરાત્રિ પહેલાં રાસ-ગરબાની ‘પ્રેક્ટિસ’નો વધતો ટ્રેન્ડ

અમદાવાદ: આસો સુદ એકમથી શક્તિની આરાધના અનુષ્ઠાનના દિવસો નવરાત્રિની શરૂઆત થઈ જશે. હિંદુ ધર્મમાં નવરાત્રિને વિવિધ પ્રાંતો જુદી-જુદી રીતે ઉજવે છે. આ ધાર્મિક ઉત્સવને વિશ્વભરમાં રહેતા ગુજરાતીઓ કંઈક અનોખા આયોજન કરી ઉત્સાહથી ઉજવે છે. નવરાત્રિના મહોત્સવની ઉજવણી માટે વિશ્વ આખાયમાં આયોજકોની સાથે ખેલૈયા પણ તૈયારીઓ પૂરજોશમાં કરી રહ્યા છે.ગામડાંની શેરીઓ, ચોરા, શહેરની સોસાયટીઓ કે ક્લબો પાર્ટી-પ્લોટ જ્યાં ગરબા યોજાવાના હોય ત્યાં આ વર્ષે મંડપ ડેકોરેશન સજાવટની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે પણ તમામ તહેવારો, ઉત્સવોની ઉજવણીમાં લોકો ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે. ગણેશોત્સવ હોય કે નવરાત્રિ બમણાં ઉત્સાહથી લોકો બહાર આવી આસ્થા સાથે આનંદ મેળવી રહ્યા છે. શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, ક્લબો, પાર્ટી-પ્લોટ અને રિસોર્ટમાં રાસ-ગરબાની ઉજવણી ઇવેન્ટના હોર્ડિંગ્સ ઠેર-ઠેર લાગી ગયા છે.દર વર્ષની જેમ આ વર્ષે પણ રાસ-ગરબાની તાલીમ આપતા ટ્રેઇનિંગ સેન્ટરોમાં મોટી સંખ્યામાં લોકો તાલીમ લઇ રહ્યા છે. જેમાં દરેક વયજૂથના લોકો રાસ ગરબાની તાલીમ લઈ રાસ-ગરબાના અવનવા સ્ટેપ્સ શીખી રહ્યા છે. ગરબાની મોજ લેતાં ગ્રુપ આ વર્ષે રાસ-ગરબાના નવા સ્ટેપ, સ્ટાઇલને શીખી સોશિયલ મીડિયા પર મૂકી વાયરલ કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં સોમવારની વહેલી સવારે પચ્ચીસ વર્ષથી પણ જૂના પનઘટ પરફોર્મિંગ આર્ટ’ ગરબાના ગ્રુપ  સાથે જોડાયેલા લોકો દ્વારા સંપૂર્ણ ટ્રેડિશનલ ડ્રેસ સાથે રાસ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દેવામાં આવી હતી.દેશ-વિદેશમાં વિશાળ સ્ટેજ પર તેમજ અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પરંપરાગત પહેરવેશ સાથે પનઘટ દ્વારા ઘણાં વર્ષોથી હજારો કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા છે. પરંપરાગત રાસ ગરબા સાથે સતત પચીસેક વર્ષથી કાર્યરત પ્રચલિત પનઘટ પરફોર્મિંગ આર્ટના ચેતન દવે ચિત્રલેખા. કોમને કહે છે, “અમારું ‘ગરબા ગ્રુપ’  ગુજરાતના જુદા-જુદા શહેર, રાજ્યોની સાથે વિદેશમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરે છે. પરદેશમાં અવાર-નવાર ‘ટ્રેડિશનલ ફોક ફેસ્ટિવલ’માં અમારું ગૃપ ભાગ લઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે.” વાયબ્રન્ટ ગુજરાત જેવાં કાર્યક્રમમાં વિદેશી મહેમાનો આપણી સંસ્કૃતિની ભવ્યતાથી ખૂબ જ પ્રભાવિત થાય છે. છેલ્લા ઘણાં વર્ષોથી ગરબા વિશે વિશ્વ જાણતું થયું હોવાથી દેશ-વિદેશમાં રાસ-ગરબાને જબરદસ્ત પ્રતિસાદ પણ મળે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)

NDA , ઇન્ડિયા બ્લોકમાં સીટ વહેંચણીમાં ક્યાં ફસાયો છે પેચ?

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં  હવે બહુ સમય નથી. પરંતુ ચૂંટણી મેદાનમાં ઊતરવા માટે તૈયાર થયેલા બંને મોટાં ગઠબંધનોમાં બેઠક વહેચણીને લઈને હજુ સુધી તસવીર સ્પષ્ટ થઈ નથી. વાત NDAની હોય કે પછી મહાગઠબંધનની, બંને બાજુમાં હાલ એકસરખું જ દ્રશ્ય દેખાઈ રહ્યું છે. NDAમાં બેઠક વહેંચણી પહેલાં એક તરફ નાના ઘટક દળોમાં ખેંચતાણ છે, તો બીજી તરફ મહાગઠબંધનમાં મતદાર અધિકાર યાત્રા પછી RJD અને કોંગ્રેસ પોતાના-પોતાના પ્લાન સાથે આગળ વધી રહ્યા છે.

જોકે NDAમાં બેઠક વહેચણીને લઈને હજુ સુધી બેઠકોનો દોર પણ શરૂ થયો નથી, જ્યારે મહાગઠબંધનના ઘટક દળોમાં બેઠકો તો થઈ રહી છે, પરંતુ કોઈ ફોર્મ્યુલા સામે નથી આવી. NDAમાં ક્યાં પડી છે ગાંઠ?

NDA તરફથી નીતીશકુમાર જ CMનો ચહેરો રહેશે, એ બાબતે તસવીર સ્પષ્ટ છે. ચૂંટણી તૈયારીને લઈને NDAનો વિધાનસભા સ્તરે કાર્યકર સંમેલનોનો દોર પણ ચાલુ છે. NDA માટે સૌથી સારી વાત એ છે કે ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ કાર્યક્રમોથી BJP અને તેના સાથી દળોના કાર્યકરોમાં ઉત્સાહ ભરી રહ્યા છે. પરંતુ બેઠક વહેચણીની વાત કરીએ તો NDAમાં ઘટક દળોમાં હજુ સુધી કોઈ બેઠક શરૂ થઈ નથી.

મહાગઠબંધન કેટલું એકજુટ?

મહાગઠબંધનની અંદર બેઠક વહેંચણીને લઈને કહાની પણ ઓછી જટિલ નથી. બિહારમાં ચૂંટણી પંચ દ્વારા કરાયેલા SIRને મુદ્દો બનાવીને રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવે અન્ય સાથી દળોના નેતાઓ સાથે મળીને ભલે મતદાર અધિકાર યાત્રા કરી હોય, પરંતુ બેઠક વહેંચણી પર મહાગઠબંધનની ગાડી આગળ વધી રહી નથી. બિહારના વિપક્ષના નેતા તેજસ્વી યાદવને કોર્ડિનેશન કમિટીના પ્રમુખ બનાવાયા, પરંતુ કોંગ્રેસે તેજસ્વીનો CM ઉમેદવાર તરીકે હજી સુધી સ્વીકાર નથી આપ્યો.

કોંગ્રેસના નેતાઓ સતત કહે છે કે CM ઉમેદવાર કોણ હશે તે જનતા નક્કી કરશે, અમારું પૂરું ધ્યાન ચૂંટણી જીતવા પર છે. સ્પષ્ટ છે કે બેઠક વહેંચણીનો અંતિમ નિર્ણય થયા વગર કોંગ્રેસ તેજસ્વીના નામની જાહેરાત થવા દેવા ઈચ્છતી નથી.

કોણ છે ઓવેન કૂપર? જેણે 15 વર્ષની ઉંમરે જીત્યો એમી એવોર્ડ

લોસ એન્જલસના પીકોક થિયેટરમાં 77મો એમી એવોર્ડ્સ યોજાયો હતો. આ સમારોહમાં 15 વર્ષીય ઓવેન કૂપરે (Owen Cooper) લિમિટેડ સિરીઝ અથવા ફિલ્મ કેટેગરીમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીત્યો છે. ઓવેને સૌથી નાની ઉંમરે આ ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો.

15 વર્ષીય બ્રિટિશ અભિનેતા ઓવેન કપૂરે ટીવી સીરિઝ એડોલસન્સ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એમી એવોર્ડ જીત્યો છે. આ સાથે જ તે એમી એવોર્ડ જીતનાર સૌથી નાની ઉંમરનો અભિનેતા બની ગયો છે. આ માટે તેને ઘણા સેલેબ્સ અભિનંદન પાઠવી રહ્યા છે. બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કરીને તેને અભિનંદન આપ્યા છે. નેટફ્લિક્સની ટીવી સીરિઝ ‘એડોલેસન્સ’ માં જેમી મિલરની ભૂમિકા માટે તેમને લિમિટેડ અથવા એન્થોલોજી કેટેગરી અથવા ટીવી મૂવીમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે નોમિનેટ થયો હતો.

કોણ છે ઓવેન કૂપર?

5 ડિસેમ્બર, 2009 ના રોજ ઇંગ્લેન્ડના ચેશાયરના વોરિંગ્ટનમાં ઓવેનનો જન્મ થયો છે. તેણે અભિનય ક્ષેત્રમાં આવવાનું ક્યારેય વિચાર્યુ નહોતું. ઓવેનને પહેલેથી ફૂટબોલમાં રસ હતો અને તે એમાં જ પોતાનું કરિયર બનાવાનું વિચારતો હતો. તેનું સપનુ ફુટબોલ ખેલાડી બનવાનું હતું. થોડા વર્ષો પહેલા જ તેને અભિનયમાં રસ પડ્યો. તે ટોમ હોલેન્ડને ધ ઇમ્પોસિબલ (2012) માં જોઈને પ્રેરિત થયો. અભિનય પ્રત્યેના તેના જુસ્સા ઉપરાંત ઓવેનને ફૂટબોલ ખૂબ ગમે છે. તેની પ્રિય ફૂટબોલ ટીમ લિવરપૂલ છે (લિવરપૂલ ઇકો દ્વારા).

ઓવેન આકસ્મિક રીતે અભિનય તરફ વળ્યો. ઓવેને કોરોનેશન સ્ટ્રીટ અભિનેત્રી ટીના ઓ’બ્રાયન અને એસ્થર મોર્ગન દ્વારા સહ-સ્થાપિત માન્ચેસ્ટર સ્થિત ડ્રામા સ્કૂલ, ધ ડ્રામા મોબમાં નાટકના સેશન લીધા છે. જ્યાંથી તેની પ્રારંભિક અભિનય કુશળતા વિકસી. ઓવેનના પહેલા પ્રોજેક્ટની વાત કરીએ તો તે નેટફ્લિક્સની ટીવી સીરિઝ ‘એડોલેસન્સ’ છે. 14 વર્ષનો ઉંમરે તેણે આ સીરિઝ કરી હતી. જેમાં તેના અભિનયની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી.

ઓવેન આગામી બીબીસી થ્રી શ્રેણી ફિલ્મ ક્લબ માટે તૈયાર છે. તેમજ તે એમેરાલ્ડ ફેનેલની વુધરિંગ હાઇટ્સનામાં યુવાન હીથક્લિફ તરીકે જોવા મળશે. જે વર્ષ 2026માં રિલીઝ થશે.

એમી પહેલા પણ ઓવેને કેટલીક સિદ્ધીઓ હાંસિલ કરી છે. ઓવેનને લિમિટેડ સીરિઝમાં ઉત્કૃષ્ટ સહાયક પ્રદર્શન માટે ગોથમ ટીવી એવોર્ડ મળ્યો હતો. તે ફક્ત એમી જીતનાર સૌથી યુવા પુરુષ અભિનેતા જ નથી પણ તેની શ્રેણીમાં સૌથી યુવા નોમિની પણ છે.

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર ઓવેન કૂપરનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેને ‘એડોલેસન્સ’ શોમાં તેના શાનદાર અભિનય માટે એમી એવોર્ડ મળ્યો છે. બોલિવૂડ અભિનેત્રીએ આ પોસ્ટના કેપ્શનમાં કૂપરની ઐતિહાસિક જીત પર ખુશી વ્યક્ત કરતા કેટલાક ઇમોજી પણ ઉમેર્યા છે.

 

બિહારમાં SIR મુદ્દે કોર્ટે ચૂંટણી પંચને આપી ‘સુપ્રીમ’ ચેતવણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે સ્પષ્ટ કર્યું કે ભારતનું ચૂંટણી પંચ એક બંધારણીય સત્તા હેઠળ બિહારમાં ચાલી રહેલી મતદાર યાદીની વિશેષ વ્યાપક પુનર્મૂલ્યાંકન (Special Intensive Revision – SIR) દરમ્યાન કાયદાનું સંપૂર્ણ પાલન કરી રહ્યું છે. કોર્ટે આ પ્રક્રિયાની કાનૂની માન્યતા સ્વીકારીને જણાવ્યું હતું કે જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરતા મળી આવશે, તો તે પ્રક્રિયાને રદ કરવામાં કોર્ટ કોઈ સંકોચ નહીં કરે.

 7 ઓક્ટોબરે અંતિમ દલીલ

ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમલ્યા બાગચીની ખંડપીઠે બિહાર SIRની કાનૂની માન્યતા અંગેની અંતિમ દલીલો સાંભળવા માટે સાત ઓક્ટોબર નક્કી કરી છે. ખંડપીઠે આ મામલે “ટુકડાઓમાં અભિપ્રાય” આપવા પરથી સ્પષ્ટ ઈનકાર કરતાં કહ્યું હતું કે તેમનો નિર્ણય દેશમાં SIR પ્રક્રિયા પર લાગુ પડશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે એ ચૂંટણી પંચને દેશના અન્ય ભાગોમાં મતદાર યાદીની સુધારણા માટે આવી જ પ્રક્રિયા અપનાવાથી રોકી શકતું નથી.

એક અરજી પર નોટિસ

કોર્ટે 8 સપ્ટેમ્બરે ટોચની અદાલતના તે આદેશને પાછો ખેંચવા વિનંતી કરતી અરજી પર નોટિસ જારી કરી, જેમાં ચૂંટણી પંચને બિહાર SIRમાં 12મા નક્કી કરેલા દસ્તાવેજ તરીકે આધાર કાર્ડને સામેલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. કોર્ટ પહેલેથી જ સ્પષ્ટ કરી ચૂકી છે કે આધાર કાર્ડ નાગરિકત્વનો પુરાવો નહીં ગણાય, પરંતુ મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે પંચ દ્વારા રજૂ કરાયેલા આધાર કાર્ડની વાસ્તવિકતાની તપાસ કરી શકાય છે.

અંતિમ સુનાવણીની આટ ઓક્ટોબર નક્કી

બિહાર SIRની કાનૂની માન્યતા પર અંતિમ દલીલો માટે સુપ્રીમ કોર્ટે સાત ઓક્ટોબર 2025ની તારીખ નક્કી કરી છે. ગયા સોમવારે એટલે કે 8 સપ્ટેમ્બર 2025એ આદેશ અપાયો હતો કે SIRની પ્રક્રિયા હેઠળ મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે જરૂરી 11 દસ્તાવેજો ઉપરાંત આધાર કાર્ડને 12મા દસ્તાવેજ તરીકે સામેલ કરવામાં આવે.