બરેલીમાં બોલિવૂડ અભિનેત્રી દિશા પટણીના ઘરે ગોળીબારની ઘટના બની હતી. અભિનેત્રીના પિતા જગદીશ પટણીએ શનિવારે બનેલી આ ભયાનક ઘટના વિશે વિગતવાર જણાવ્યું છે.

દિશા પટાણીના પિતા બરેલીમાં રહે છે, તેઓ નિવૃત્ત પોલીસ અધિકારી છે. ગઈકાલે, એટલે કે શુક્રવારે, તેમના ઘરે ગોળીબાર થયો હતો. દિશા પટાણીના પિતા જગદીશ પટાણીએ આ હુમલા વિશે ઘણી વાતો શેર કરી છે. ANI સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે જે ગોળીઓ ચલાવવામાં આવી હતી તે વિદેશમાં બનેલી હતી.
ANI સાથે વાત કરતા જગદીશ પટણીએ કહ્યું, ‘બે અજાણ્યા બદમાશોએ મારા ઘર પર ગોળીબાર કર્યો. પોલીસ શક્ય તેટલા બધા પ્રયાસો કરી રહી છે. પોલીસ અને ADG બધા તેના પર કામ કરી રહ્યા છે. ગોળીઓ સ્વદેશી નથી, વિદેશી છે. મને લાગે છે કે 8-10 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. મને સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી કે ગોલ્ડી બ્રારે આની જવાબદારી લીધી છે, પરંતુ હજુ સુધી પરિસ્થિતિ સ્પષ્ટ નથી.’
પોલીસના જણાવ્યા અનુસાર, શુક્રવારે બપોરે લગભગ 3:30 વાગ્યે બે મોટરસાઇકલ સવાર હુમલાખોરોએ જગદીશ પટણીના ઘરે ગોળીબાર કર્યો હતો. બરેલીના એસએસપી અનુરાગ આર્યએ જણાવ્યું હતું કે, ‘અમને જગદીશ પટણીના ઘરે બે અજાણ્યા મોટરસાઇકલ સવાર હુમલાખોરો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી. પોલીસ ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. કોતવાલી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. પરિવારના સભ્યોની સુરક્ષા માટે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.’ અનુરાગ આર્યએ એમ પણ માહિતી આપી હતી કે વધુ તપાસ માટે એસપી સિટી અને એસપી ક્રાઇમના નેતૃત્વમાં પાંચ ટીમો બનાવવામાં આવી છે. તેઓ કહે છે કે, ‘અમે આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરીશું. મેં પરિવારને મળીને તેમને સુરક્ષાની ખાતરી આપી છે.’
ANI સાથે વાત કરતી વખતે, જગદીશ પટણીએ દિશાની બહેન અને તેમની પુત્રી ખુશ્બુ પટણીના જૂના નિવેદન વિશે પણ વાત કરી છે. તેઓ કહે છે, ‘ખુશ્બુના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું. પ્રેમાનંદ જી મહારાજના કેસમાં તેનું નામ ખસેડવામાં આવ્યું હતું. અમે સનાતની છીએ અને સંતોનું સન્માન કરીએ છીએ. જો કોઈ ખુશ્બુના નિવેદનને ખોટી રીતે રજૂ કરી રહ્યું છે, તો તે અમને અપમાનિત કરવાનું કાવતરું છે.’
તમને જણાવી દઈએ કે ગયા મહિને દિશા પટણીની બહેન ખુશ્બુએ ગુરુ અનિરુદ્ધાચાર્યના નિવેદન અંગે ટિપ્પણી કરી હતી. વાસ્તવમાં, અનિરુદ્ધાચાર્યે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાઓની ટીકા કરી હતી. બાદમાં પ્રેમાનંદજીનો એક વીડિયો પણ આવા જ એક મુદ્દા પર બોલતો સામે આવ્યો હતો. ત્યારબાદ કેટલાક સોશિયલ મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવાનું શરૂ થયું કે ખુશ્બુએ પ્રેમાનંદ મહારાજ પર ટિપ્પણી કરી હતી, જેના પર ખુશ્બુએ પાછળથી સ્પષ્ટતા કરી. આ સાથે, તેમણે તેમના વિરુદ્ધ જુઠ્ઠાણા ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાની પણ વાત કરી. શનિવારે જ ગોલ્ડી બ્રારના ખાસ સાથી રોહિત ગોદારાએ પણ એક કથિત પોસ્ટમાં કહ્યું હતું કે, બરેલીમાં ખુશ્બુ પટણીના ઘરમાં જે ગોળીબાર થયો તે અમારા દ્વારા કરવામાં આવ્યો હતો. અમારા પૂજ્ય સંતો (પ્રેમાનંદ જી મહારાજ અને અનિરુદ્ધાચાર્ય જી મહારાજ)નું અપમાન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મને નીચું બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેવી-દેવતાઓનું અપમાન સહન કરવામાં આવશે નહીં.’







આપણામાં કઈ રીતે કામ કરે છે એનો પરિચય થાય છે. આપણે પાંચ ઇન્દ્રિયો દ્વારા માહિતીનો સંગ્રહ કરીએ છીએ. ગ્રહણ કરેલી એ બાબતો મગજમાં સ્થાન પામે છે અને મગજ એનું પૃથક્કરણ કરે છે. દા. ત. જ્યારે આપણી થાળીમાં કોઈ વર્તુળાકાર વાનગી પીરસવામાં આવે ત્યારે આપણી આંખો તેના રંગનું નિરીક્ષણ કરે છે. જ્યારે આપણે એ વસ્તુ મોંમાં મૂકીએ ત્યારે તેનો અમુક સ્વાદ આવે છે. આ રીતે મળેલી માહિતી મગજમાં સંગ્રહિત થાય છે અને તેને આધારે પૃથક્કરણ કરીને મગજ તરત જ કહી દે છે કે આ તો બટેટા વડાં છે. જેણે જિંદગીમાં ક્યારેય બટેટાં વડાં જોયાં કે ખાધાં નથી એ વ્યક્તિ ખાદ્યપદાર્થનું નામ તો નહીં કહી શકે, પરંતુ એના આકાર, રંગ અને સ્વાદની નોંધ એના મગજમાં ચોક્કસપણે થાય છે.

‘મકબૂલ’ ની આખી સ્ટારકાસ્ટ કેવી રીતે બદલાઈ હતી એના રસપ્રદ કિસ્સા એમના સહાયક રહેલા નિર્દેશક અભિષેક ચૌબેએ એક મુલાકાતમાં કહ્યા હતા. વિશાલ સંગીતકાર તરીકે જાણીતા થઈ ચૂક્યા હતા ત્યારે એમને અચાનક નિર્દેશક તરીકે હોરર ફિલ્મ ‘મકડી’ બનાવવાનું ભૂત ભરાયું હતું. એક વખત વિશાલ ક્યાંક ક્રિકેટ મેચ રમવા ગયા હતા અને હારીને પાછા ફરી રહ્યા હતા ત્યારે એમનો મૂડ બહુ ખરાબ હતો. કોઈએ એમને હસાવવા માટે એક લોકકથાનો ઉલ્લેખ કરી પ્રસંગ સંભળાવ્યો. એ વાર્તામાં એક છોકરી પાંદડામાંથી મરઘીનો આકાર બનાવીને એને ખાય છે પછી તે મરઘી બની જાય છે. જેને કસાઈ કાપીને ખાઈ જાય છે. એ પરથી વિશાલને ફિલ્મ ‘મકડી’ બનાવવાનો વિચાર આવ્યો હતો. એમાં બાળકોની વાર્તા અને ડાકણોની અંધશ્રદ્ધા પર વ્યંગ કરવામાં આવ્યો હતો.
બનાવી રહ્યા છે અને એમને સહાયક નિર્દેશકની જરૂર છે. અભિષેકને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યો. વિશાલ કે એમના મિત્રો નિર્દેશન વિશે કશું જાણતા ન હતા એટલે શું પૂછવું એની પણ ખબર ન હતી. વિશાલે અભિષેકને એમ પૂછ્યું ન હતું કે તને કામ આવડે છે કે નહીં. પહેલો સવાલ ફિલ્મની વાર્તાના અનુસંધાનમાં પૂછ્યો કે તું ભૂતપ્રેતમાં માને છે?!



ઉત્તર પ્રદેશમાં પયગંબર સાહેબ પર ટિપ્પણીને લઈને વિવાદ
લખનૌઃ ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં શુક્રવારે પયગંબર મોહમ્મદ પર આપત્તિજનક ટિપ્પણીને લઈને વિવાદ થયો છે. જે પછી સેંકડો લોકો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. અલ્લા હુ અકબર” જેવાં ધાર્મિક સૂત્રો પોકારી હંગામો શરૂ કર્યો હતો. ભીડે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, પણ લોકો શાંત થયા નહીં.
પોલીસે આક્રોશિત ભીડને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ લોકો ન માન્યા. માહોલ બગડતાં પોલીસે લાઠી જમીન પર ફટકારીને લોકોને ખદેડ્યા હતા. ત્યાર બાદ સ્થળ પર ભગદડ મચી ગઈ. લોકો અહીં-તહીં દોડી ગયા. પોલીસે મોટી મુશ્કેલીથી પરિસ્થિતિ કાબૂમાં લીધી. આશરે ત્રણ કલાક સુધી હંગામો ચાલ્યો. તણાવને જોતાં સાત પોલીસ સ્ટેશનની ફોર્સ અને ક્યુઆરટી સાથે ડીએમ-એસપીએ ફ્લેગ માર્ચ કર્યું હતું.આ મામલો કોઠવાળી વિસ્તારમાંનો છે. ઈદગાહ કમિટીના સભ્ય કાસિમ રઝાએ જણાવ્યું હતું કે સાંજે સાડાછ વાગ્યે કેકે દીક્ષિત નામની વ્યક્તિએ પયગંબર સાહેબ અને કુરાનને લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી. આરોપી બહાદુરનનો રહેવાસી છે. રઝાએ જણાવ્યું કે સોશિયલ મિડિયા પોસ્ટમાં આરોપીએ ગાળો આપી હતી. એની ફરિયાદ પર પોલીસે આરોપી વિરુદ્ધ FIR પણ નોંધી છે. મારી પ્રશાસન પાસે માગ છે કે આવા લોકોને આકરી સજા આપવામાં આવે. રઝાએ કહ્યું હતું કે આરોપીની હરકત પર લોકોમાં ગુસ્સો હતો, એટલે જ ભીડ કાબૂ બહાર થઈ ગઈ હતી. ભીડમાં કેટલાંક અસામાજિક તત્વો પણ હતાં, જેમણે વાતાવરણ બગાડ્યું હતું પોલીસ પોતાનું કામ કરી રહી હતી. હું લોકોને શાંતિ રાખવાની અપીલ કરું છું. જેટલો ગુસ્સો લોકોમાં છે, એટલો જ મારો છે, પરંતુ અમે કાયદો હાથમાં નથી લઈ શકતા. પોલીસે પરિસ્થિતિ સંભાળી છે.
એસપી રાજેશ દ્વિવેદીએ જણાવ્યું કે સોશિયલ મિડિયા પર અભદ્ર ટિપ્પણીનો મામલો આવ્યો હતો. તરત જ પોલીસે કાર્યવાહી કરીને કેસ નોંધ્યો અને આરોપીની ધરપકડ કરી છે. લોકોથી અપીલ છે કે અફવાઓ પર ધ્યાન ન આપે, શાંતિ જાળવે. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં કરી લીધી છે.