Home Blog Page 624

સદગુરુ: શું વાસ્તુ જરૂરી છે?

સદગુરુ: વાસ્તુ ખરેખર એક ખુબ જ મૂળભૂત બાંધકામની શૈલી વિષેનું માર્ગદર્શન છે. જો તમારે 1000 વર્ષ પૂર્વે ઘર બાંધવું હોત, ત્યારે ગામમાં કોઈ આર્કિટેક ન હોત. તો તમે ઘર બાંધવા માટે કઈ માર્ગદર્શિકાનો ઉપયોગ કરશો? કોઇપણ રચનાના નિર્માણમાં મુખ્ય પડકાર હંમેશા છતની પહોળાઈ હોય છે. તમે છત કેવી રીતે બનાવી હોત? તમે કદાચ તમારા ખેતરમાં જઈને, કોઈ વૃક્ષ શોધી તેને કાપી લેતા. માનો કે તમારી પાસે એક ટૂંકા કદનું ઝાડ હોત જે માત્ર 8 ફૂટ ઊંચું હોત. હવે તમારી છતની પહોળાઈ માત્ર 8 ફૂટ હોત. પણ માનો કે તમને 10 બાળકો છે, તેથી તમારે એક 120 ફૂટનો લાંબો રૂમ બનાવવો પડશે બધાનો સમાવેશ કરવા માટે. જો તમે એક ઘર બાંધશો જે 8 ફૂટ પહોળું અને 120 ફૂટ લાંબુ હોય તો તમે એક ટનલમાં રેહશો.

તમારા શારીરિક તથા માનસિક આરોગ્યને ચોક્કસપણે અસર થશે. તેથી તેઓએ તમને કહ્યું જો તમારે મકાન બનાવવું હોય તો, એક પરિમાણ અમુક માપનું હોય તો બીજું પરિમાણ યોગ્ય માપનું હોવું જોઈએ. તેથી તમે વાસ્તુનો અભ્યાસ કરો તો પર્વત પરનું વાસ્તુ અને મેદાનમાં રહેલાં વાસ્તુમાં ઘણો ફરક હોય છે. કર્નાટકના વાસ્તુમાં અને તમિલનાડુનાં વાસ્તુમાં ફરક હોય છે. હવામાન અને તાપમાન અનુસાર તેઓએ સામાન્ય માર્ગદર્શિકાઓ આપી હતી કે જેથી તમે તમારું ઘર બુદ્ધિપૂર્વક અને સજાગ રીતે બાંધી શકો કારણકે એ સમયે તમારી મદદ માટે કોઈ આર્કિટેક નહતો.

આજે લોકો તેને એટલી હદ સુધી લઇ ગયા છે કે તમામ પ્રકારની બકવાસ થઇ રહી છે કારણકે જયારે તમારી ઉપર ભયનું શાસન હોય ત્યારે તમે દરેક વસ્તુમાં વિજ્ઞાન શોધી લો છો. આ આખી બાબતે છેલ્લા 10થી 20 વર્ષોમાં લોકોનાં મગજ પર કબજો જમાવી લીધો છે. તે પહેલાં, કોઈને આ વાસ્તુ વિષે જાણ ન હતી છતા બધાં સારી રીતે જીવતાં હતાં.

થોડા વર્ષો અગાઉ, હું કોઈના ઘરે રોકાયો હતો. રાત્રે મારી માટે બધાં ફોન ચાલુ થઇ જાય છે કારણકે અમેરિકાના લોકો માટે 10 વાગ્યા પછી કામ ચાલુ થાય છે, એટલે હું ફોન પર તેમની સાથે વાત કરતો હોઉં છું. પરંતુ મારો મોબાઇલ ફોન કાર્યરત નહોતો અને હું ફોન કનેક્ટ નહોતો કરી શકતો. હું સ્થાનિક લેન્ડલાઇન ફોનનો ઉપયોગ કરવાં માંગતો હતો. હું ઘરના માણસની શોધમાં નીકળ્યો. ત્યારે લગભગ રાતના 12.30 કે 1 વાગ્યા હતાં એટલે મારે તેમને જગાડવા નહોતાં, પરંતુ મેં તેને લગભગ 45 મિનીટ પહેલાં જોયો હતો, તેથી થોડી ખચકાટ સાથે મેં તેનાં બેડરૂમનો દરવાજો ખખડાવ્યો- કોઈ જવાબ ન મળ્યો. પછી મેં દરવાજાનું હેન્ડલ અજમાવ્યું અને દરવાજો ખુલી ગયો, મેં અંદર જોયું તો બેડરૂમમાં કોઈ નહોતું.

મેં વિચાર્યું કે તે બહાર બગીચામાં ચાલવા નીકળ્યો હશે અથવા રસોઈઘરમાં અથવા બીજે ક્યાંક હોવો જોઈએ. હું નીચે ગયો અને આખા ઘરની શોધ કરી- કોઈ મળ્યું નહીં. પછી મેં આશ્રમમાં ફોન કરીને કહ્યું, “મારા યજમાન ગાયબ છે. તે ક્યાં છે, બન્ને પતિ- પત્ની ક્યાં ગાયબ છે?” તેઓએ તેના મોબાઇલ પર ફોન કર્યો, જેનો નંબર મારી પાસે નહોતો અને તે માણસ હાજર થયો. મેં તેને પૂછ્યું, “ તું ક્યાં હતો? સ્ટોર રૂમ સહીત મેં બધું શોધી લીધું” તેણે કહ્યું, “ હું સુતો હતો” મેં પૂછ્યું, “ક્યાં?” તેણે જવાબ આપ્યો, “તમે જાણો છો, મેં ધંધામાં થોડી ખોટ ખાધી છે અને…” મેં કહ્યું, “ તે બધું બરાબર છે, પરંતુ તું ક્યાં હતો?” તે બાથરૂમમાં સુતો હતો! તે એક એવી વસ્તુ હતી જેનાં વિષે મેં વિચાર્યું નહોતું. કોઈ વાસ્તુનો માણસ આવ્યો હતો અને તેણે આ વ્યક્તિને કહ્યું, “તમારા બેડરૂમની દિશા ખરાબ છે જેનાથી તમારું નસીબ ખરાબ ચાલી રહ્યું છે, એટલે તમારે બાથરૂમમાં સુવુ જોઈએ, તો તમારો વ્યવસાય સારો રહેશે” મેં તે માણસને કહ્યું, “બાથરૂમમાં સુઈને લાંબુ જીવન જીવવાને બદલે, ઓછામાં ઓછું તમારા બેડરૂમમાં થોડા ગૌરવથી સુવો, ભલે પછી તમે મૃત્યુ પામો”

(સદગુરુ-જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે. તેમણે મિરેકલ ઓફ માઈન્ડ એપ પણ આપી છે, જેનો હેતુ 3 અબજ લોકોને માનસિક સુખાકારીના સાધનો આપીને સશક્ત કરવાનો છે.

સુરક્ષા દળોની કુલગામમાં આતંકવાદીઓ સાથે અથડામણઃ એકનું મોત

કુલગામઃ જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદીઓ છુપાયેલા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ શોધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન જ્યારે આતંકવાદીઓએ જોયું કે તેમની ઘેરાબંધી થઈ ગઈ છે, ત્યારે તેમણે ગોળીબારી શરૂ કરી દીધી છે. બંને તરફથી ગોળીબારી થઈ રહી છે. જોકે અહીં કેટલા લોકો હાજર છે તેની માહિતી હજુ સામે આવી નથી.

કુલગામ એનકાઉન્ટરમાં એક આતંકીનું મોત થયું છે. એ દરમિયાન સેનાનો એક JCO પણ ઘાયલ થયો છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ હજુ ચાલુ છે. અંદાજ છે કે બેથી ત્રણ આતંકી ઘેરાયેલા છે. એનકાઉન્ટર સવારે આઠ વાગ્યે શરૂ થયું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ ગુડાર જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ શોધ અભિયાન શરૂ કર્યું હતું. તેમણે જણાવ્યું કે આતંકવાદીઓ દ્વારા સુરક્ષા દળો પર ગોળીબારી શરૂ કર્યા બાદ આ શોધ અભિયાન એનકાઉન્ટરમાં ફેરવાયું હતું.

ભારતીય સેનાની ચિનાર કોરે X પર લખ્યું કે સતર્ક સૈનિકોએ શંકાસ્પદ હલચલ જોવી અને તેમને પડકાર્યા બાદ આતંકવાદીઓએ ગોળીબારી શરૂ કરી દીધી, જેના બાદ ભીષણ ગોળીબારી થઈ. આ દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો અને એક જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) ઘાયલ થયો હતો.

જમ્મુ-કાશ્મીરમાં 22 સ્થળોએ દરોડા

NIA એ સોમવારે પાંચ રાજ્યો અને જમ્મુ-કાશ્મીરમાં 22 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી એક આતંકી કાવતરાથી જોડાયેલા કેસની તપાસના ભાગરૂપે કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા, કુલગામ, અનંતનાગ અને પુલવામા જિલ્લાઓમાં તપાસ ચાલુ છે.

 

સુવિચાર – ૦૮ સપ્ટેમ્બર ૨૦૨૫

ચંદ્ર ગ્રહણ 2025: વર્ષનું છેલ્લું પૂર્ણ ચંદ્રગ્રહણ પૂર્ણ થયું

આજે વિશ્વભરના લોકોની નજર આકાશ પર ટકેલી હતી અને તેનું કારણ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ હતું. આખરે લોકોની રાહનો અંત આવ્યો અને રવિવાર રાત્રે 9:58 વાગ્યે ચંદ્રગ્રહણ શરૂ થયું, જે 3 કલાક 28 મિનિટ સુધી ચાલ્યું. આ ગ્રહણ દેશભરમાં જોવા મળ્યું. ભારત સહિત વિશ્વના ઘણા ભાગોમાં આ ગ્રહણ જોવા મળ્યું. ખાસ વાત એ છે કે આ વખતે ગ્રહણ દરમિયાન, ચંદ્રનો રંગ કાળો કે વાદળી નહીં, પરંતુ લાલ હતો. આ કારણોસર તેને બ્લડ મૂન કહેવામાં આવ્યું છે. ભારતમાં, તમે આ ગ્રહણને નરી આંખે સરળતાથી જોઈ શકો છો. જ્યારે પૃથ્વી ચંદ્રને સંપૂર્ણપણે ઢાંકી દે છે, ત્યારે બ્લડ મૂનનો નજારો દેખાય છે. દેશના વિવિધ ભાગોમાં બ્લડ મૂનનો નજારો જોવા મળ્યો હતો.

 

ચંદ્ર ગ્રહણ 2025 કયા સમયે થયું?

ભારતીય સમય મુજબ, 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9:58 વાગ્યે શરૂ થયેલું આ ગ્રહણ 8 સપ્ટેમ્બરના રોજ સવારે 1:26 વાગ્યે સમાપ્ત થયું. આ ચંદ્રગ્રહણનો કુલ સમયગાળો 3 કલાક 28 મિનિટનો હતો, જેને 2022 પછીનું સૌથી લાંબુ ગ્રહણ કહેવામાં આવી રહ્યું છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ નવી દિલ્હી, મુંબઈ, અમદાવાદ, જયપુર, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, લખનૌ જેવા શહેરોમાં જોવા મળ્યું હતું.

લોકોને તેને જોવા માટે કોઈ ઊંચા સ્થાને જવાની જરૂર નહોતી, કારણ કે તે સરળતાથી દેખાઈ શકતું હતું. 7 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:00 વાગ્યાથી 12:22 વાગ્યા સુધી, આ ચંદ્રગ્રહણ ભારતમાં સૌથી લાલ અને તેજસ્વી દેખાયું.

મૃત્યુ પંચક અને ચંદ્રગ્રહણ 2025

જ્યોતિષીઓના મતે, લગભગ 122 વર્ષ પછી, આવો સંયોગ બન્યો છે જ્યારે પિતૃ પક્ષ ચંદ્રગ્રહણથી શરૂ થયો હતો. આ ઉપરાંત, 7 સપ્ટેમ્બરના રોજ આ ગ્રહણ પંચક દરમિયાન થયું છે. મૃત્યુ પંચક 6 સપ્ટેમ્બરથી શરૂ થયો હતો, જે 10 સપ્ટેમ્બર સુધી ચાલશે. હિન્દુ ધર્મમાં, મૃત્યુ પંચક અને ચંદ્રગ્રહણ બંનેનો સમયગાળો અશુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન, પૂજા, સગાઈ, લગ્ન, ગૃહસંવર્ધન, મુંડન જેવા કોઈપણ કાર્ય કરવામાં આવતા નથી.

વર્ષ 2025 નું બીજું ચંદ્રગ્રહણ

આજે 7 સપ્ટેમ્બરના રોજ આ ગ્રહણ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ છે. તે જ સમયે, વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 14 માર્ચે થયું હતું, જે ભારતમાં દેખાતું નહોતું. આ ગ્રહણ પછી, હવે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ આ મહિનામાં થવાનું છે. વર્ષનું છેલ્લું અને બીજું સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બર 2025 ના રોજ થશે. જોકે, આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.

ચંદ્રગ્રહણમાં કયા મંત્રનો જાપ કરવો જોઈએ?

ચંદ્રગ્રહણ દરમિયાન, “ઓમ શ્રમ શ્રીં શ્રમ સહ ચંદ્રમાસે નમઃ” અથવા “ઓમ સોમય નમઃ” જેવા ચંદ્ર-દોષ નિવારણ મંત્રોનો જાપ કરવો જોઈએ, જેથી અશુભ પ્રભાવ ટાળી શકાય. ઉપરાંત, ચંદ્રગ્રહણ દરમિયાન તમે “ઓમ નમઃ શિવાય” અને “ઓમ ચંદ્રમાસે નમઃ” જેવા મંત્રોનો જાપ કરી શકો છો.

ચંદ્રગ્રહણ દરમિયાન શું દાન કરવું જોઈએ?

ચંદ્રગ્રહણ દરમિયાન પૂજા કરવી પ્રતિબંધિત માનવામાં આવે છે. જો કે, આ સમય દરમિયાન દાન કરવું પુણ્યશાળી છે. ચંદ્રગ્રહણ દરમિયાન તમે ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને સફેદ કપડાં, દૂધ, દહીં, ઘી વગેરેનું દાન કરી શકો છો. આ ચંદ્રગ્રહણની અશુભ અસરને તમારા પર અટકાવશે.

ચંદ્રગ્રહણ દરમિયાન કઈ સાવચેતી રાખવી જોઈએ?

ચંદ્રગ્રહણ દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓની પૂજા કે સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન ખાવાનું કે સૂવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે આનાથી જીવનમાં નકારાત્મકતા વધી શકે છે. ચંદ્રગ્રહણ દરમિયાન ક્યાંય બહાર ન જાવ અને મંત્રોનો જાપ કરો.

ચંદ્રગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાએ શું ન કરવું જોઈએ?

ચંદ્રગ્રહણ દરમિયાન કોઈપણ ગર્ભવતી મહિલાએ ગ્રહણ જોવાનું ટાળવું જોઈએ અને ગ્રહણ દરમિયાન ઘરની બહાર ન નીકળવું જોઈએ. ચંદ્રગ્રહણ દરમિયાન, વ્યક્તિએ સોય, તીક્ષ્ણ કાતર અથવા છરી વગેરે જેવી કોઈપણ પ્રકારની તીક્ષ્ણ વસ્તુનો ઉપયોગ કરવાનું પણ ટાળવું જોઈએ.

ચંદ્રગ્રહણ પછી કયા પગલાં લેવા જોઈએ?

ચંદ્રગ્રહણની અશુભ અસર ઘટાડવા માટે, તમે મંત્રો જાપ કરી શકો છો, દાન કરી શકો છો અને ધાર્મિક વિધિઓ કરી શકો છો. ચંદ્રગ્રહણ દરમિયાન, વ્યક્તિએ ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્ર અથવા ચંદ્રના મંત્રનો જાપ કરવો જોઈએ. ચંદ્રગ્રહણ પછી, સ્નાન કરો અને ગરીબોને ખોરાક, કપડાં અથવા અન્ય સફેદ વસ્તુઓનું દાન કરો. ઘરમાં ગંગાજળ છાંટો અને ભગવાન વિષ્ણુ સાથે ભગવાન શિવની પૂજા કરો.

 

ફ્રાન્સમાં રાજકીય સંકટ, PM અવિશ્વાસ પ્રસ્તાવ હારી ગયા, રાજીનામું આપશે

સોમવારે ફ્રાન્સમાં રાજકીય ઉથલપાથલ વધી ગઈ જ્યારે વડા પ્રધાન ફ્રાન્કોઇસ બેરોની સરકાર સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવનો બચાવ કરવામાં નિષ્ફળ ગઈ. આ પગલાથી રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને છેલ્લા બે વર્ષમાં તેમના પાંચમા વડા પ્રધાનની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરવાની જરૂર પડશે.

માત્ર 9 મહિનાથી વડા પ્રધાન રહેલા ફ્રાન્કોઇસ બેરો (74), આજે રાજીનામું સુપરત કરશે. ફ્રાન્સની ખાધ ઘટાડવા માટે તેમની સરકારની 44 બિલિયન યુરો ($51.5 બિલિયન) બચત યોજના માટે સમર્થન મેળવવા માટે બેરોએ અવિશ્વાસ પ્રસ્તાવનો આશરો લીધો હતો, જેણે EU ની 3% મર્યાદા બમણી કરી દીધી છે.

ફ્રાન્સનું દેવું હાલમાં GDP ના 114% છે. સમાચાર એજન્સી રોઇટર્સ અનુસાર, બેરોએ નાણાકીય વર્ષ 25-2026 ના બજેટમાં આ બચતને નાણાકીય વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી ગણાવી હતી. પરંતુ 2027 ની રાષ્ટ્રપતિની ચૂંટણી પર નજર રાખનારા વિરોધ પક્ષોએ તેમને ટેકો આપવાનો ઇનકાર કર્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ સામે મતદાન કરતા પહેલા, ફ્રાન્કોઇસ બાયરોએ સંસદને ચેતવણી આપી: “તમે મારી સરકારને તોડી શકો છો, પરંતુ તમે વાસ્તવિકતાને ભૂંસી શકતા નથી. ખર્ચ વધતો રહેશે, અને પહેલાથી જ અસહ્ય દેવાનો બોજ વધુ ભારે અને વધુ ખર્ચાળ બનશે.” આ હોવા છતાં, સાંસદોએ તેમની યોજનાને ભારે બહુમતીથી નકારી કાઢી.

પંચાંગ 08/09/2025

Asia Cup: ભારત ફાઇનલમાં દક્ષિણ કોરિયાને હરાવી ચેમ્પિયન બન્યું

8 વર્ષના લાંબા ઈંતઝાર બાદ ભારતીય હોકી ટીમે ફરીથી એશિયાનો તાજ જીતી લીધો છે. હરમનપ્રીત સિંહની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ રવિવાર (7 સપ્ટેમ્બર)ના રોજ રમાયેલી ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ કોરિયાને 4-1થી હરાવીને પુરુષ એશિયા કપ 2025 પોતાના નામે કર્યો. આ સાથે જ ભારતે ચોથી વાર આ ખિતાબ જીત્યો અને સાથે જ FIH હોકી વર્લ્ડ કપ 2026 (નેધરલેન્ડ અને બેલ્જિયમ) માટે સીધી એન્ટ્રી મેળવી.

શરૂઆતથી જ ભારતનો દબદબો

રાજગીરમાં પહેલી વાર યોજાયેલા આ ટૂર્નામેન્ટમાં ભારતે પોતાનો દમદાર પરફોર્મન્સ દેખાડ્યો. ફાઇનલના પહેલી જ મિનિટમાં સુખજીતે ગોલ કરી ભારતને લીડ અપાવી દીધી. ત્યારબાદ હાફ ટાઇમ પહેલા દિલપ્રીત સિંહે સ્કોર 2-0 કર્યો. ત્રીજો ગોલ પણ દિલપ્રીતના સ્ટિકમાંથી 45મી મિનિટે આવ્યો, જ્યારે 50મી મિનિટે અમિત રોહિદાસે ચોથી વાર બોલને જાળમાં ધકેલી દીધો. કોરિયાએ 57મી મિનિટે એક ગોલ કર્યો, પણ ત્યાં સુધી મેચનો નતિજાનો અંદાજ સ્પષ્ટ થઈ ગયો હતો.

આ ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હારી નથી

ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં એકપણ મેચ હારી નથી. પૂલ સ્ટેજમાં ત્રણેય જીત્યા, સુપર-4માં બે જીત્યા અને એક મેચ (કોરિયા સામે) ડ્રો રહ્યો. અંતે ફાઇનલમાં પણ ભારતીય ખેલાડીઓએ પ્રભાવશાળી જીત નોંધાવી.

ઇતિહાસમાં નવી સિદ્ધિ

આ જીત સાથે ભારતે ચોથી વાર એશિયા કપ જીત્યો. આ પહેલાં ભારતે 2017માં છેલ્લી વખત ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. દક્ષિણ કોરિયાએ સૌથી વધુ 5 વખત આ ખિતાબ જીત્યો છે. ભારતે ફાઇનલ મુકાબલાઓમાં પણ કોરિયા સામે 2-2નો રેકોર્ડ સમાન કરી દીધો છે.

રશિયાનો યુક્રેન પર એકસાથે 800 ડ્રોનથી હુમલો

રશિયાએ શનિવારે યુક્રેનની રાજધાની કિવ પર મોટી સંખ્યામાં ડ્રોન અને મિસાઇલો છોડ્યા, જેમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા અને 15 અન્ય ઘાયલ થયા. યુક્રેનિયન અધિકારીઓએ રવિવારે આ માહિતી આપી. ફેબ્રુઆરી 2022 માં બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી યુક્રેન પર રશિયાનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવે છે.

રવિવારે થયેલા હુમલા પછી એક મુખ્ય સરકારી ઇમારતની છત પરથી ધુમાડો નીકળતો જોવા મળ્યો. અધિકારીઓએ જણાવ્યું કે રશિયાએ 805 ડ્રોનથી યુક્રેન પર હુમલો કર્યો. યુક્રેનિયન વાયુસેનાના પ્રવક્તા યુરી ઇહનાતે પુષ્ટિ કરી કે રવિવારનો હુમલો યુક્રેન પર સંપૂર્ણ આક્રમણ શરૂ થયા પછીનો સૌથી મોટો રશિયન ડ્રોન હુમલો હતો. રશિયાએ વિવિધ પ્રકારની 13 મિસાઇલો પણ ચલાવી.

વાયુસેનાના નિવેદન મુજબ, યુક્રેને 747 રશિયન ડ્રોન અને ચાર મિસાઇલોને તોડી પાડ્યા અથવા નિષ્ક્રિય કર્યા. યુક્રેનમાં 37 સ્થળોએ નવ મિસાઇલ હુમલા અને 56 ડ્રોન હુમલા થયા. તોડી પાડવામાં આવેલા ડ્રોન અને મિસાઇલોનો કાટમાળ આઠ સ્થળોએ પડ્યો. એસોસિએટેડ પ્રેસના પત્રકારોએ સરકારી ઇમારતની છત પરથી ધુમાડો નીકળતો જોયો હતો, પરંતુ તે સ્પષ્ટ થયું નથી કે ધુમાડો હુમલાને કારણે હતો કે અન્ય કોઈ કારણસર. એવું માનવામાં આવે છે કે જો ધુમાડો હુમલાને કારણે હતો, તો રશિયાએ હવાઈ હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા છે. રશિયાએ અત્યાર સુધી શહેરના કેન્દ્રમાં સરકારી ઇમારતોને નિશાન બનાવવાનું ટાળ્યું છે.

રશિયાની કેન્સર રસી પ્રીક્લિનિકલ ટ્રાયલમાં પાસ

રશિયાની કેન્સર રસી પ્રીક્લિનિકલ ટ્રાયલમાં પાસ થઈ છે અને ઉપયોગ માટે તૈયાર છે. 3 વર્ષ સુધી ચાલેલા ટ્રાયલમાં તેની સલામતી અને અસરકારકતાની પુષ્ટિ કરવામાં આવી હતી. આ માહિતી રશિયાની ફેડરલ મેડિકલ એન્ડ બાયોલોજિકલ એજન્સીના વડા વેરોનિકા સ્કવોર્ટ્સોવા દ્વારા આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે રસી પર ઘણા વર્ષોથી સંશોધન કરવામાં આવ્યું હતું અને તેનું પ્રીક્લિનિકલ ટ્રાયલ 3 વર્ષ સુધી કરવામાં આવ્યું હતું.

વેરોનિકાએ કહ્યું કે રસી ઉપયોગ માટે તૈયાર છે, અમે સત્તાવાર મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ. વારંવાર ઉપયોગ કર્યા પછી પણ રસીની અસર ખૂબ સારી હતી. સંશોધકોએ ગાંઠના કદમાં 60% થી 80% સુધીનો ઘટાડો જોયો. રસીનું પ્રારંભિક લક્ષ્ય કોલોરેક્ટલ કેન્સર હશે. આ ઉપરાંત, ગ્લિઓબ્લાસ્ટોમા અને વિવિધ પ્રકારના મેલાનોમા માટે રસી વિકસાવવામાં પણ સારી પ્રગતિ થઈ છે.

રશિયાની રસી mRNA આધારિત છે

રશિયા દ્વારા બનાવવામાં આવેલી રસી એક mRNA રસી છે. તે દરેક દર્દીના RNA અનુસાર ઉત્તેજિત કરવામાં આવશે. જો રસી મંજૂર થઈ જાય, તો કીમોથેરાપીની જરૂર નહીં પડે. બ્રિટિશ સરકાર જર્મનીના બાયોએનટેક સાથે મળીને કેન્સરની રસી વિકસાવી રહી છે. અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપનીઓ મોડર્ના અને મર્ક પણ ત્વચાના કેન્સર સામે લડવા માટે રસી બનાવી રહી છે.

ભારતમાં 2024 માં કેન્સરને કારણે 8.74 લાખ મૃત્યુ

ભારતમાં, 2024 માં 4.60 લાખ પુરુષો કેન્સરને કારણે મૃત્યુ પામ્યા. તે જ સમયે, 4.14 લાખ મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા. એટલે કે, પુરુષોમાં કેન્સરને કારણે મૃત્યુ સ્ત્રીઓ કરતા વધુ હતા. ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ) અનુસાર, આગામી 5 વર્ષમાં ભારતમાં કેન્સરના દર્દીઓ 12% ના દરે વધશે. આમાં, નાની ઉંમરના લોકો પણ ઝડપથી કેન્સરનો શિકાર બનશે. નેચર જર્નલમાં પ્રકાશિત એક સંશોધન મુજબ, નાની ઉંમરે કેન્સર થવાનું એક સૌથી મોટું કારણ આપણી જીવનશૈલી છે.

ભાજપની વર્કશોપમાં PM મોદી એક સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપની વર્કશોપમાં હાજરી આપી હતી. પીએમ મોદી એક સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા જોવા મળ્યા હતા. વર્કશોપમાં, પીએમની અધ્યક્ષતામાં, સરકાર દ્વારા GST દરોમાં ઘટાડા અંગેનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભાજપના સાંસદોની બે દિવસીય વર્કશોપ યોજાઈ રહી છે. આ વર્કશોપ રવિવારે સવારે 11 વાગ્યે શરૂ થયો હતો. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા તેમાં હાજર રહ્યા હતા.

આ વર્કશોપમાં, પીએમ મોદીને GST 2.0 પર અભિનંદન અને આભાર માનવામાં આવ્યો હતો. વર્કશોપમાં સાંસદો માટે ચાર સત્રો હશે. પહેલું સત્ર આત્મનિર્ભર ભારત, સ્વદેશી ભારત, વ્યવસાય કરવાની સરળતા અને યુવા શક્તિ અને રોજગાર પર હશે. આ પછી, સોશિયલ મીડિયાના અસરકારક ઉપયોગ પર સાંસદો દ્વારા બીજા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

વર્કશોપમાં શું ચર્ચા કરવામાં આવશે

ત્રીજું સત્ર સાંસદોની સ્થાયી સમિતિના જૂથોનું હશે. આમાં, વિવિધ મંત્રાલયોની સંસદીય સમિતિઓ અનુસાર સાંસદો સાથે ચર્ચા કરવામાં આવશે. સંસદીય સમિતિની કાર્યવાહીનું મહત્વ, સંસદ સત્રની તૈયારી, સંસદીય માર્ગદર્શિકાઓનો ઉપયોગ, મંત્રાલયના અહેવાલોનો અભ્યાસ, ગૌણ કાયદાનું જ્ઞાન, સાંસદ તરીકે વર્તન અને સાવધાની, દિશા બેઠકોમાં ભાગીદારી પર ચર્ચા કરવામાં આવશે. ચોથા સત્રમાં, દરિયાઇ પ્રદેશ, ડાબેરી ક્ષેત્ર, ગ્રામીણ વિસ્તાર, શહેરી વિસ્તાર અને પર્વતીય અને ઉત્તર પૂર્વ ક્ષેત્ર વિશે ચર્ચા થશે. પીએમ સૂર્ય ઘર યોજના, ટીબી મુક્ત ભારત, સાંસદ રમતગમત, ટિફિન બેઠક અને સંસદીય મતવિસ્તારોમાં સક્રિયતાના નવીનતા પર ચર્ચા કરવામાં આવશે.

સોમવારે, સાંસદોને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી વિશે તાલીમ આપવામાં આવશે. સોમવારે, સાંસદોને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીની પ્રક્રિયા, મતદાનની રીત, મતદાનની સાવચેતીઓ વિશે જણાવવામાં આવશે.

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી

દેશમાં ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાવાની છે. એનડીએએ ચૂંટણી માટે સીપી રાધાકૃષ્ણનને મેદાનમાં ઉતાર્યા છે. તે જ સમયે, વિપક્ષે સુદર્શન રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે. 9 સપ્ટેમ્બરે બંને વચ્ચે સ્પર્ધા થશે. મતદાન એ જ દિવસે થશે અને પરિણામો પણ એ જ દિવસે આવશે.