એક બાજુ દેશમાં ગણેશ ઉત્સવની ધામધમૂ ચાલી રહી છે તો બીજી બાજુ પંજાબમાં ભારે વરસાદે કપરી સ્થિતિ ઉભી કરી છે. એવામાં એક નામ ચર્ચામાં આવ્યું, અરુણ ગવળી. અપરાધની દુનિયામાંથી રાજકારણ તરફ વળેલો અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળી મુંબઈ પાછો ફર્યો છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ બુધવારે ગવળીને નાગપુર સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.

લગભગ 17 વર્ષ પછી, અંડરવર્લ્ડ ડોન અરુણ ગવળી ઉર્ફે ડેડી નાગપુર સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા બાદ મુંબઈ પરત ફર્યો છે. ગવળીના આગમન બાદ મુંબઈની દગડી ચાલમાં મીઠાઈ વહેંચવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે હત્યા કેસમાં ગવળીને જામીન આપ્યા બાદ, ગવળીને મુક્ત કરવામાં આવ્યો અને તે મુંબઈ આવ્યો. સૂત્રો કહે છે કે ગવળીના ભાઈ અને સંબંધીઓ તેની મુક્તિ દરમિયાન નાગપુરમાં હાજર હતા. આ દરમિયાન જેલ પરિસરની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેલ પરિસરમાં ATS ટીમ પણ હાજર હતી. 2007માં શિવસેના કાઉન્સિલર કમલાકર જામસાંડેકરની હત્યાના કેસમાં 2012માં મુંબઈ સેશન્સ કોર્ટે ગવલીને આજીવન કેદની સજા ફટકારી હતી, ત્યારબાદ તે નાગપુર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો.
ગુનાથી રાજકારણ સુધીની સફર
સૂત્રોના જણાવ્યા અનુસાર, નાગપુર સેન્ટ્રલ જેલમાં હતા ત્યારે ગવલીએ ધાર્મિક પ્રવૃત્તિઓ અને શિસ્તબદ્ધ જીવન અપનાવ્યું હતું. જેલમાં હતા ત્યારે ગવલીએ એકનાથ ભાગવત અને અન્ય શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તેમણે સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું કડક પાલન કર્યું હતું. ત્યાં, ગવલીએ ઘણા અન્ય કેદીઓનું જીવન સુધારવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસ રેકોર્ડ મુજબ, ભાયખલાના સાત રસ્તા ખાતે દગડી ચાલમાં રહેતા ગવળી મરાઠી સમુદાયમાં ખૂબ લોકપ્રિય હતા.
1980ના દાયકામાં, અરુણ ગવળી દાઉદ ઇબ્રાહિમ સાથે કામ કરતો હતો, પરંતુ 1988માં રામા નાઈકની હત્યા પછી, બંને દુશ્મન બની ગયા. 1990ના દાયકામાં, મુંબઈ પોલીસના વધતા દબાણ અને ગેંગ વોરથી બચવા માટે, ગવળીએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને અખિલ ભારતીય સેના (ABS) નામની પાર્ટી બનાવી. 2004માં, તેઓ ચિંચપોકલીથી વિધાનસભાની ચૂંટણી જીતીને ધારાસભ્ય પણ બન્યા. જોકે, એવી ચર્ચા ચાલી રહી છે કે શું અરુણ ગવળી તેમની મુક્તિ પછી રાજકીય રીતે વાપસી કરશે કે તેમની જૂની ગેંગ અથવા તેમના નેટવર્કને ફરીથી સક્રિય કરશે. જોકે, મહારાષ્ટ્ર પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ ગવળીની ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કરી દીધું છે.
અરુણ ગવલી એક સરળ પરિવારમાંથી આવે છે
ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગવળી, જે ‘ડેડી’ તરીકે જાણીતા છે, તે મુંબઈના કુખ્યાત અંડરવર્લ્ડ ડોન રહ્યા છે, જે પાછળથી રાજકારણમાં સક્રિય થયા. ભલે તે મહારાષ્ટ્રના એક સરળ મિલ કામદાર પરિવારમાંથી આવે છે, પરંતુ 1970-80 ના દાયકામાં મુંબઈના ગેંગ વોરમાં તેમની ભૂમિકાએ તેમને કુખ્યાત બનાવ્યા. તેઓ દાઉદ ઇબ્રાહિમ જેવા મોટા ડોનનો હરીફ હતો અને દગડી ચાલને પોતાનો ગઢ બનાવ્યો હતો.
અરુણ ગવળીનો જન્મ 17 જુલાઈ 1955ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપરગાંવમાં થયો હતો. ગવલીના પિતા ગુલાબરાવ ગવળી એક મજૂર હતા, પરંતુ બાદમાં તેઓ મુંબઈ આવ્યા અને અહીં સિમ્પ્લેક્સ મિલમાં કામ કરવાનું શરૂ કર્યું. ગવલીની માતા લક્ષ્મીબાઈ ગૃહિણી હતી. આર્થિક તંગીને કારણે ગવળીએ SSC પછીનો અભ્યાસ છોડી દીધો અને નાની ઉંમરે કામ કરવાનું શરૂ કર્યું.
1980 અને 1990ના દાયકામાં તે ગુનાની દુનિયામાં જોડાયો અને મુંબઈના અંડરવર્લ્ડનો એક પ્રખ્યાત ચહેરો બન્યો. મધ્ય મુંબઈના દગડી ચાલ વિસ્તારમાં તેની ગેંગને કારણે અરુણ ગવળી ઉર્ફે ડેડીનું નામ ખૂબ પ્રખ્યાત હતું. રામ ગોપાલ વર્માએ ગવળીજીવન પર ‘ડેડી’ નામની ફિલ્મ પણ બનાવી હતી, જેમાં વર્માએ પોતે ગવળીની ભૂમિકા ભજવી હતી.
પરિવારમાં કોણ કોણ છે?
અરુણ ગવળીનો પરિવાર મુંબઈના દગડી ચાલમાં રહે છે. તેમનો પરિવાર પણ દાઉદ ઇબ્રાહિમ જેવા દુશ્મનોના હુમલાનો ભોગ બન્યો છે. પિતા ગુલાબરાવ ગવળી સિમ્પ્લેક્સ મિલમાં કામ કરતા હતા. માતા લક્ષ્મીબાઈ ગવલી એક મિલ કામદાર હતી, જેનું 2018 માં અવસાન થયું. ભાઈઓ કિશોર ગવળી અને બાપ્પા ગવળી અંડરવર્લ્ડમાં ભાગીદાર હતા, જેમની દાઉદની ગેંગ દ્વારા હત્યા કરવામાં આવી હતી. પ્રદીપ ગવળી ખટાઉ મિલમાં કામ કરતા હતા.
અરુણ ગવળીની પત્નીનું નામ આશા ગવળી છે. તે મુસ્લિમ પરિવારમાંથી આવે છે. લગ્ન પછી તેણીએ હિન્દુ ધર્મ અપનાવ્યો. તે મહારાષ્ટ્ર વિધાનસભાની ભૂતપૂર્વ ધારાસભ્ય રહી ચૂકી છે. તેણી પરિવારની ‘મમી’ તરીકે ઓળખાય છે. અરુણ ગવળીને પાંચ બાળકો છે મહેશ ગવળી, ગીતા ગવળી, યોગિતા ગવળી, યાતિકા ગવળી અને અસ્મિતા ગવળી.
સુપ્રીમ કોર્ટનો આદેશ
28 ઓગસ્ટના રોજ, સુપ્રીમ કોર્ટની બેન્ચ – જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને એન. કોટેશ્વર સિંહ – એ ગવળીને જામીન આપ્યા. કોર્ટે કહ્યું કે તે 17 વર્ષથી વધુ સમયથી જેલમાં છે અને તેની અપીલ હજુ પણ પેન્ડિંગ છે.
ગવળી પર મુંબઈ શિવસેનાના કાઉન્સિલર કમલાકર જામસાંડેકરની હત્યાનો આરોપ હતો. 2012માં સેશન્સ કોર્ટે તેમને આજીવન કેદ અને 17 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી હતી, જેને 2019માં હાઈકોર્ટે માન્ય રાખી હતી. ગવળી વિરુદ્ધ મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.


મોરબી અને આસપાસ આશરે 1000 જેટલા સિરામિક્ અને ટાઈલ્સના કારખાના છે અને પાંચ લાખથી વધુ લોકોને આ સ્થાનિક ઉદ્યોગ રોજગારી આપે છે. સિરામિક અને ટાઈલ્સના ઉદ્યોગનો વાર્ષિક કારોબાર આશરે રૂ. 60,000 કરોડ છે તેમાં ડોમેસ્ટિક રૂ. 40,000 કરોડ અને નિકાસ 20,000 કરોડની છે. મોરબી પંથકમાંથી દેશભરમાં માલ લઇ જવા ઉદ્યોગકારોને મોટી મુશ્કેલી પડતી હતી.
રાજકોટ ડિવિઝનની બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) એ મકનસર સ્થિત નવા ફ્રેટ ટર્મિનલથી કન્ટેનર ટ્રેનમાં મોરબીની સિરામિક ટાઇલ્સ લોડ કરીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. આજે આ ટર્મિનલ પર લોડિંગનો પ્રારંભ થયો છે, જેના કારણે માલવહનની કિંમત ઘટશે અને મોરબી તથા આસપાસના ઉદ્યોગોને સમગ્ર દેશમાં માલ મોકલવા માટે નવી સુવિધા ઉપલબ્ધ થઈ છે. ગુજરાતના મોરબી નજીક મકનસર ખાતે નવું ફ્રેટ ટર્મિનલ (ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ) જી-રાઈડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ ગુજરાત સરકાર અને રેલ મંત્રાલયનો સંયુક્ત ઉપક્રમ છે. દેશભરમાં આ પ્રકારના ટર્મિનલ વિકસાવવા માટેની પી.એમ. ગતિ શક્તિ નીતિનો ભાગ છે. 







આ વર્ષે, ડી.એલ.પી. એશિયા ૨૦૨૫માં પ્રથમવાર વિશિષ્ટ પૉલ્ટ્રી પેવિલિયનનું આયોજન કરવામાં આવ્યું છે. જે બ્રૉઇલર પૉલ્ટ્રી ફાર્મર્સ એસોસિયેશન (Global Welfare Foundation) અને લેયર પૉલ્ટ્રી એસોસિયેશન (United Peoples Foundation)ના સહયોગથી યોજાશે.
શા માટે જોડાવું?
સમર્થન અને માન્યતા
સાબરકાંઠાના જામળા ગામના ભગવાનદાસ કુબેરદાસ પટેલ મોટા ખેડૂત પરિવારમાંથી આવે છે. સ્નાતક થયા પછી ગુજરાતીના શિક્ષક તરીકે ફરજ બજાવી. ખેડબ્રહ્યામાં આદિવાસી વિસ્તાર નજીક એટલે એમને ભીલી બોલીમાં રસ પડ્યો. ભાષામાં રસ ધરાવતા ભગવાનદાસે આદિવાસી વિસ્તારોમાં જઇ એમના ગીતો, આખ્યાન, વાર્તા, કથા જેવી એમની સંસ્કૃતિની અનેક સારી બાબતોનું ઓડિયો રેકોર્ડિંગ શરૂ કર્યું.
ભગવાનદાસને આદિવાસી સાહિત્ય એકઠું કરવામાં ઘણી કઠીનાઇનો સામનો કરવો પડ્યો. કેટલાય દિવસો અને રાતો આદિવાસી વિસ્તારમાં રહ્યા, ફર્યા અને લોકજીવન, લોકબોલી લોકો સુધી પહોંચે એ માટે દસ્તાવેજીકરણ કર્યું. ભગવાનદાસે ભીલીબોલીના ગીતો, કથાઓ, મહાકાવ્યોના પંચાવનથી વધુ પુસ્તકો લખ્યા. એમણે ઓડિયો કેસેટ્સ અને વિડિયો રેકોર્ડિંગ કરી આદિવાસીઓના સાહિત્યને જીવંત રાખવાના પ્રયાસ કર્યા.
શિક્ષક, ખેડૂતપુત્ર ભગવાનદાસને એમના શ્રેષ્ઠ, અનોખા કામના ખેડાણ માટે અનેક એવોર્ડ પારિતોષિક મળ્યા છે. બુધવારની સાંજે ગુજરાત વિશ્વકોશ ખાતે કુમારપાળ દેસાઇ, પ્રેમજી પટેલ, રતીલાલ બોરિસાગર, અરવિંદ બારોટ, દલપત પઢિયાર, ડો.માણેક પટેલ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાનદાસ પટેલને કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે એમણે જે વિસ્તારના ભીલ આદિવાસી લોકો વચ્ચે કામ કર્યું એમની કલાની રજૂઆત પણ કરવામાં આવી.


કાર્યક્રમની અનોખી રૂપરેખામાં નાટક, સંગીત અને કવિ સંમેલનનુ ખૂબ જ કલાત્મક રીતે મિશ્રણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શહેરના જાણીતા કવિ ડૉ. રઈશ મનીઆરે કર્યું હતું. કાર્યક્રમમાં ‘પ્રથમ મરદ’ નામે નર્મદ નાટક ભજવાયું હતું. જેમાં સ્કોપા કોલેજના નાટયવિભાગના વિદ્યાર્થીઓએ દિગ્દર્શક ગિરીશ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રસ્તુતિ આપી.
કવિ નર્મદના પાત્રમાં ઓમ દેસાઈએ નર્મદને સ્ટેજ પર જાણે જીવંત કર્યા. જો નર્મદ હયાત હોય તો એમનો કેવો ઇન્ટરવ્યુ થઈ શકે? એની ઝલક રૂપે રઇશ મનીઆરે નર્મદ સાથે સંવાદ કર્યો હતો અને રોચક પ્રશ્નો પૂછીને શ્રોતાઓને અનોખી રીતે નર્મદના જીવન અને કવનથી વાકેફ કર્યા હતા.
ઇન્ટરવ્યુ દ્વારા નર્મદની ઘણી જાણી-અજાણી વાતો લોકોને જાણવા મળી. કાર્યક્રમમાં સ્કોપાના આદિત્ય નાયક સહિતના વિદ્યાર્થીઓ દ્વારા નર્મદની રચનાઓનું સુંદર ગાન કરવામાં આવ્યું. જેને સંગીતબદ્ધ કરી હતી, જાણીતા સંગીતકાર મેહુલ સુરતીએ.
કાર્યક્રમના અંતિમ મણકામાં કવિ સંમેલન યોજાયું. નામાંકિત કવિ કૃષ્ણ દવે, કિરણસિંહ ચૌહાણ તથા વડોદરાના ભરત ભટ્ટ ‘પવન’ એ સ્વરચિત કવિતાઓના ધોધમાર વરસાદ અગાઉ નર્મદની કવિતામાંથી એક પંક્તિ લઈને એના પર લખેલી રચનાઓ પ્રસ્તુત કરી હતી. શ્રોતાઓએ દરેક પ્રસ્તુતિને વધાવી લીધી હતી.