Home Blog Page 639

એશિયા કપ 2025: ટીમ ઈન્ડિયાનો સતત બીજો વિજય

એશિયા કપ 2025માં ભારતીય હોકી ટીમનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. બિહારના રાજગીરમાં ચાલી રહેલી આ ટુર્નામેન્ટમાં, કેપ્ટન હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ પૂલ-એની પોતાની બીજી મેચ પણ જીતી હતી. ચીન પર જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરનારી ભારતીય ટીમે આ વખતે જાપાનને હરાવ્યું. જોકે, ફરી એકવાર ટીમ ઈન્ડિયાને આ મેચમાં જીત માટે સંઘર્ષ કરવો પડ્યો અને જાપાન સામે કઠિન મુકાબલો થયો. ભારતે આ મેચ 3-2થી જીતી અને આ સાથે પોતાના પૂલમાં પ્રથમ સ્થાન મેળવ્યું.

રવિવાર 31 ઓગસ્ટના રોજ રાજગીરમાં પૂલ Aની મેચ રમાઈ હતી. આમાં ભારતનો સામનો જાપાન સામે થયો, જે પૂલ સ્ટેજમાં તેના માટે વાસ્તવિક પડકાર હતો. આ મેચમાં પણ આ જોવા મળ્યું અને જાપાને ભારતને સરળતાથી જીતવા ન દીધું. જોકે, ભારતીય ટીમે આ મેચમાં ખૂબ જ આક્રમક શરૂઆત કરી અને માત્ર 5 મિનિટમાં જાપાન પર 2-0ની લીડ મેળવી લીધી. મનદીપ સિંહે ચોથી મિનિટમાં પહેલો ગોલ કર્યો, જ્યારે કેપ્ટન હરમનપ્રીત સિંહે પાંચમી મિનિટમાં ગોલ કરીને લીડ બમણી કરી.

અહીંથી મેચ મુશ્કેલ બની ગઈ અને તેનું કારણ માત્ર જાપાનની લડાયક ભાવના જ નહીં પરંતુ ભારતીય ટીમની તકો ગુમાવવાની ભૂલો પણ હતી. પહેલા હાફ સુધી સ્કોરલાઇન 2-0 રહી અને ભારતીય ટીમની પકડ મજબૂત લાગી. પરંતુ પછી જાપાને બીજા ક્વાર્ટરમાં વાપસી કરી અને 38મી મિનિટે કોશી કાવાબીએ ગોલ કરીને સ્કોર 2-1 કર્યો. ભારતીય ટીમે ત્રીજા ગોલની શોધમાં પોતાની બધી તાકાત લગાવી દીધી અને અંતે 46મી મિનિટે કેપ્ટન હરમનપ્રીતે પેનલ્ટી કોર્નર પર તે સફળતા મેળવી.

સતત બીજી જીત, સુપર-4માં પ્રવેશ

અહીંથી ટીમ ઈન્ડિયાનો વિજય નિશ્ચિત દેખાવા લાગ્યો. જોકે, 59મી મિનિટે કાવાબીએ ફરીથી ગોલ કરીને જાપાન માટે થોડી આશાઓ જગાવી પરંતુ ટીમ ઈન્ડિયાએ છેલ્લી મિનિટે જાપાનને બરાબરી કરતા અટકાવ્યું અને આ રીતે સતત બીજી જીત સાથે પૂલમાં પ્રથમ સ્થાન મેળવ્યું. આ સાથે, ટીમ ઈન્ડિયાએ સુપર-4 માં પણ જગ્યા બનાવી લીધી છે. આ પહેલા ભારતીય ટીમે ચીનને 4-3 થી હરાવ્યું હતું. તે મેચમાં પણ હરમનપ્રીત સિંહ જીતનો હીરો સાબિત થયો, જેણે 3 ગોલ કર્યા. હવે ટીમ ઈન્ડિયાનો છેલ્લો મુકાબલો કઝાકિસ્તાન સામે હશે.

‘ડ્રેગન અને હાથીને એક થવું પડશે…’ : શી જિનપિંગ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 વર્ષ પછી ચીનના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરી. પીએમ મોદીને મળ્યા બાદ, ચીની રાષ્ટ્રપતિએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ડ્રેગન અને હાથીને એક થવું પડશે.

શી જિનપિંગના મતે, આ ભારત અને ચીન બંને માટે સારું રહેશે. બે પ્રાચીન સભ્યતાઓ અને વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા બંને દેશો ગ્લોબલ સાઉથનો મહત્વપૂર્ણ ભાગ છે. સારા પડોશી બનીને, આપણે એકબીજાની તાકાત બની શકીએ છીએ, આ માટે ડ્રેગન અને હાથીને સાથે નાચવું પડશે.

ચીની રાષ્ટ્રપતિએ બીજું શું કહ્યું?

પીએમ મોદી તરફ ઈશારો કરતા શી જિનપિંગે કહ્યું, “ગયા વર્ષે તમારી અને મારી કઝાનમાં સફળ મુલાકાત થઈ હતી. ભારત-ચીન સંબંધોમાં એક નવી શરૂઆત થઈ હતી. આજે ફરી એકવાર દુનિયા મોટા ફેરફારો તરફ આગળ વધી રહી છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ ખૂબ ચિંતાજનક છે. ભારત અને ચીન બંને પ્રાચીન સભ્યતાઓ છે અને ગ્લોબલ સાઉથના સભ્યો પણ છે. આ સમગ્ર ક્ષેત્રની જવાબદારી આપણા ખભા પર છે. આપણે એશિયા સહિત સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવા પર ભાર મૂકવો જોઈએ.”

પીએમ મોદીએ શું કહ્યું?

ભારત અને ચીનના સંબંધોના 75 વર્ષ પૂર્ણ થયા છે. શી જિનપિંગ સાથે મુલાકાત પર પીએમ મોદીએ કહ્યું કે સરહદ વિવાદ પછી, બંને દેશોએ શાંતિનો માર્ગ પસંદ કર્યો અને એક કરાર પર પહોંચ્યા. કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થઈ છે. બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ્સ ઉડાન ભરી રહી છે. આ ભાગીદારીથી 2.8 અબજ લોકોને ફાયદો થશે.

અમદાવાદ : IIM માં ‘મદન મોહનકા સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન કેસ મેથડ ઑફ લર્નિંગ’નું ઉદ્ઘાટન

અમદાવાદ: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ અમદાવાદે તેના પ્રસિદ્ધ કેસ-બેઝ્ડ શિક્ષણ પદ્ધતિને વધુ મજબૂત બનાવવાના હેતુથી ‘મદન મોહનકા સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન કેસ મેથડ ઑફ લર્નિંગ’નું ઉદ્ઘાટન કર્યું. આ સેન્ટર આઈઆઈએમએના 1967 બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને ટેગા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મદન મોહનકાના યોગદાનથી સ્થપાયું છે.

ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે વિનિત જોષી (સચિવ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ભારત સરકાર) હાજર રહ્યા. પ્રોફેસર શ્રીકાંત દતરે (ડીન, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ) વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મુખ્ય ભાષણ આપ્યું. મંચ પર મદન મોહનકા, ચેરમેન – ટેગા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, પંકજ પટેલ, ચેરપર્સન, બોર્ડ ઑફ ગવર્નર્સ, આઈઆઈએમએ, પ્રોફેસર ભરત ભાસ્કર(ડિરેક્ટર, આઈઆઈએમએ) અને પ્રોફેસર સરલ મુખર્જી (ચેરપર્સન, નવા કેન્દ્ર) પણ ઉપસ્થિત રહ્યા. આ અવસર પર સંસ્થાના ફેકલ્ટી, વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સ્ટાફ પણ જોડાયો હતો.

કેન્દ્રના હેતુ

આ સેન્ટર દ્વારા કેસ પદ્ધતિ પર સંશોધન, શિક્ષણ અને ટ્રેનિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. સાથે જ ફેકલ્ટી સભ્યોને કેસ મેથડ ઇન્સ્ટ્રક્ટર તરીકે વધુ પારંગત બનાવવા માટે ટ્રેનિંગ, નવા કેસ સ્ટડીઝનું વિકાસ, વર્કશોપ, કોન્ફરન્સ અને ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમોનું આયોજન થશે.

આ પ્રસંગે વિનિત જોષીએ જણાવ્યું કે, આજની દુનિયામાં એવા નેતાઓની જરૂર છે. જે અનિશ્ચિત પરિસ્થિતિમાં પણ નિર્ણયો લઈ શકે. કેસ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં આ કુશળતા વિકસે છે. આ સેન્ટરથી માત્ર વિદ્યાર્થીઓ નહીં, પરંતુ ફેકલ્ટી પણ સશક્ત બનશે. પ્રોફેસર શ્રીકાંત દતરે પોતાના અનુભવ શેર કરતાં કહ્યું કે, કેસ પદ્ધતિ એ શિક્ષણનો એવો માર્ગ છે, જે AI અને ટેક્નોલોજીના યુગમાં પણ અપ્રસંગિક નહીં બને. તે ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ બંને માટે અત્યંત ઉપયોગી છે. મદન મોહનકાએ કહ્યું કે, આ સેન્ટર કોઈ પ્રોજેક્ટનું અંતિમ લક્ષ્ય નથી, પરંતુ એક પ્રતિબદ્ધતાની શરૂઆત છે. એવી પ્રતિબદ્ધતા કે જેમાં શિક્ષણ વધુ અનુભવ આધારિત બને. ‘વિકસિત ભારત 2047’ માટે આપણને વધુ રોજગાર સર્જકોની જરૂર છે.

તો બીજી તરફ પંકજ પટેલે ઉલ્લેખ કર્યો કે, આઈઆઈએમએ હંમેશા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના જ્ઞાન અને આર્થિક સહયોગથી સમૃદ્ધ બન્યું છે. આ સેન્ટર તેની જ એક સુંદર કડી છે. પ્રોફેસર ભરત ભાસ્કરે કહ્યું કે, આઈઆઈએમે ભારતમાં કેસ પદ્ધતિની શરૂઆત કરી હતી. હવે આ નવું કેન્દ્ર સંશોધન, નવીનતા અને સહકાર દ્વારા તેને વધુ મજબૂત બનાવશે.

ઉદ્ઘાટન પહેલા ‘Case Method in 2025: Taking Stock and Moving Forward’ નામની કોન્ફરન્સનું પણ આયોજન થયું, જેમાં વિવિધ મેનેજમેન્ટ સંસ્થાઓના પ્રતિનિધિઓએ કેસ પદ્ધતિ સંબંધિત તેમના અનુભવ અને પહેલો રજૂ કર્યા. આ પહેલ આઈઆઈએમએ એન્ડોમેન્ટ ફંડના સહયોગથી શક્ય બની છે, જેમાં મદન મોહનકાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

ગાંધીનગર ચા રાજા : ગણેશ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી

દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરના સેક્ટર 22માં પણ ઉત્સાહ સાથે ગણેશ ઉત્સવ મનાવાઈ રહ્યો છે. સાર્વજનિક ગણેશોત્સવ રંગ મંચ, સેક્ટર -22 ખાતે ઉજવાઈ રહ્યો છે. ગાંધીનગર ચા રાજાના આ લોકોત્સવમાં આજની ગણેશજીની આરતી તથા પૂજામાં ગાંધીનગરના સુપ્રસિદ્ધ પંચદેવ મંદિરના મહંત પરમ પૂજ્ય ફૂલશંકર શાસ્ત્રીજી સાથે સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતના અધ્યક્ષ અશ્વિનભાઈ ત્રિવેદી તથા અન્ય મહાનુભાવો તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીનગરના અધ્યક્ષ નરેશભાઈ દવે, મનોજ ભાઈ જોષી, ઉદય ભાઈ ભટ્ટ, મૌલિક ભાઈ દવે, ભારતી બેન, દક્ષાબેન શુકલ, દીનાબેન ભટ્ટ, દર્શના બેન ઠાકર, વર્ષાબેન શુક્લાની સાથે સાથે યુવા ટીમ વતી હાર્દિક ભાઈ જાની તથા સ્મિત વ્યાસ તેમજ અન્ય બ્રહ્મબંધુઓ પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર જિલ્લા તથા શહેર બાર એસોસિયેશનના પદાધિકારીઓ શંકરસિંહ રાણા, વિરેન્દ્ર સિંહ ચૌહાણ, વિજય સિંહ વાઘેલા, રાજુભાઈ જાની તેમજ સંજય સિંહ વાઘેલા તથા અન્ય વકીલ મિત્રો સાથે શહેરના અગ્રણી વેપારી રાધે સ્વીટ અને નમકીનના માલિક વિપુલ ભાઈ સુખડિયા તેમજ અગ્રણી બિલ્ડર ડો.દિલીપ ભાઇ પટેલ પરિવાર સાથે ગણપતિ દાદાની આરતી તથા પૂજામાં જોડાયા હતાં.

ગણેશ મહોત્સવના પ્રાંગણમાં બાળકોના શોર્ય ગીતથી દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો. એક પછી એક દરેક શાળાઓએ દેશભક્તિની થીમ પર અનોખી કૃતિઓ રજૂ કરી હતી. આ સ્પર્ધામાં ગ્રૂપ A માં સવિતા ગોવિંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સમર્પણ મૂક બધિર સ્કૂલ, આર એન પટેલ પ્રાઇમરી સ્કૂલ, જે બી પ્રાઇમરી સ્કૂલ, એમ બી પટેલ કન્યા સ્કૂલ એ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી તેમજ ગ્રૂપ B મા આર જી પટેલ કન્યા સ્કૂલ, એમ બી પટેલ ઇંગ્લિશ સ્કૂલ, શેઠ સી એમ સ્કૂલ, આર સી પટેલ સ્કૂલ, એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ, સરસ્વતી સ્કૂલ, સોરઠ કારડીયા રાજપૂત સ્કૂલ તેમજ સફલ સ્કૂલે ભાગ લીધો હતો. સમારંભના અંતે સમિતિ દ્વારા દેશ ભક્તિ ડાન્સ સ્પર્ધાના વિજેતાઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા.

સ્પર્ધાના વિજેતાઓના નામ

ગ્રૂપ A
1. આર એન પટેલ પ્રાઇમરી સ્કૂલ
2. એમ બી પટેલ કન્યા સ્કૂલ
3. સમર્પણ મૂક બધિર સ્કૂલ

ગ્રૂપ B
1. એમ બી પટેલ ઇંગ્લિશ સ્કૂલ
2. આર જી પટેલ કન્યા સ્કૂલ
3. સરસ્વતી સ્કૂલ, આર સી પટેલ સ્કૂલ

આ સમગ્ર સ્પર્ધા નિર્ણાયક તરીકે કલા જગત ના નામાંકિત એવા હિરેનભાઇ ભટ્ટ (પરમ ક્રિએશન) અને ભાવિન ભાઈ પટેલ (પનઘટ કલા કેન્દ્ર)એ સેવા આપી હતી. નવાઈની વાત એ છે કે વરસતા વરસાદમાં પણ શ્રી ગણેશજીની અસીમ કૃપાને કારણ ક્રાયક્રમ પૂર્ણતઃ યોજાઇ શક્યો હતો.

તો બીજી તરફ તારીખ 30/08/2025 ના રોજ બપોરે 1:30 કલાકે જ્યોતિ મહિલા મંડળ દ્વારા બહનો માટે વિવિધ હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રાત્રે 8 કલાકે વોઇસ ઓફ કિશોર કુમાર તરીકે જણાતા ભૂષણ આવસત્થીની બૉલીવુડ ફીએસ્ટા નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું.

૩૧ ઓગસ્ટ ૨૦૨૫

સમયનું મહત્વ જાણો – સમયની સાથે નહીં ચાલનાર ફેંકાઇ જાય છે

મહાભારતના કર્ણપર્વમાં કર્ણ અને શ્રીકૃષ્ણ વચ્ચે થયેલો સંવાદ સમય સંચાલનનું ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે શ્રીકૃષ્ણ કર્ણને તેના જન્મની વાસ્તવિકતા સાથે અવગત કરે છે ત્યારે કર્ણ કહે છે કે જો તેને આ માહિતી પહેલા મળી હોત તો તેના જીવનની વ્યૂહરચના બદલાઈ ગઈ હોત. અર્થાત તે કૌરવોની જગ્યાએ પાંડવો તરફથી લડ્યો હોત. અહીં સ્પષ્ટ થાય છે કે યોગ્ય માહિતી યોગ્ય સમયે મળવી એ માત્ર માનસિક શાંતિ માટે નહીં પણ વ્યૂહાત્મક નિર્ણય માટે અત્યંત આવશ્યક છે. આજના વ્યવસાયિક અને સામાજિક સંદર્ભમાં જોઈએ તો સમય અને માહિતીના સંચાલન વિના સફળતા પ્રાપ્ત થવી મુશ્કેલ છે.

ઉદાહરણરૂપે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીએ યુદ્ધ અને ખાદ્ય સંકટની બધી જ પરિસ્થિતિઓ વચ્ચે યોગ્ય સમયે ‘જય જવાન જય કિસાન’ નારો આપ્યો હતો. તે વખતે તેની જરૂર હતી અને તેણે સમગ્ર દેશમાં આત્મવિશ્વાસ પણ જગાવ્યો હતો.

આજના ડિજિટલ યુગમાં પણ ગૂગલ, એપલ જેવી કંપનીઓએ માર્કેટ ટ્રેન્ડ્સને સમયસર ઓળખીને વ્યૂહરચનાઓ બદલી છે. આજે નોકરીના ઇન્ટરવ્યૂથી લઈને રોકાણની નીતિઓ સુધી બધું જ સમય આધારિત છે. જો નિર્ણય મોડો લેવાય તો ઉત્તમ તકો પણ હાથમાંથી નીકળી જાય.

કર્ણના જીવનમાં પણ આ જ થયું. તેણે ઘણું બધું પ્રાપ્ત કર્યું હોવા છતાં સમયસર ન મળેલી માહિતીના લીધે તે નૈતિક રીતે જીવનભર અસ્વસ્થ રહ્યો. અહીં વ્યવસ્થાપનનો ખૂબ જ અગત્યનો પાઠ શીખવા મળે છે. સમયસર લેવામાં આવેલ નિર્ણય, યોગ્ય સમયે મળેલી જાણકારી અને તેના આધારે બનેલી વ્યૂહરચના આ ત્રણેયનો સમન્વય એ સફળ સંચાલન માટે જરૂરી છે.

આજે પણ જે વ્યવસાયો અને નેતાઓ સમયનું મહત્વ સમજે છે તેઓ આગળ છે. આમ, કર્ણપર્વનો સંવાદ શીખવે છે કે જો માહિતી અને નિર્ણય સમયસર હોય તો કોઈ પણ દિશા, ધ્યેય અને પરિણામ બદલી શકાય છે અને દરેક નિષ્ફળ થતી યોજનાને સફળતાની દિશામાં દોરી શકાય છે. યાદ રાખીએ સમય પોતાની સાચી પરખ કરીને સાથે ચાલનારને જ સફળ થવા દે છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

પુતિન સાથેની મુલાકાત પહેલા PM મોદીએ ઝેલેન્સ્કી સાથે કરી વાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ રશિયા-યુક્રેન સંઘર્ષ અંગે ફોન પર વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન, ઝેલેન્સકીએ યુક્રેન સંબંધિત તાજેતરના વિકાસ પર પોતાના વિચારો પ્રધાનમંત્રી સાથે શેર કર્યા. તે જ સમયે, પ્રધાનમંત્રીએ યુક્રેનના રાષ્ટ્રપતિને શાંતિ પુનઃસ્થાપિત કરવાના દરેક પ્રયાસમાં ભારતના સમર્થન વિશે જણાવ્યું છે.

પ્રધાનમંત્રી મોદી હાલમાં ચીનના બે દિવસીય પ્રવાસ પર છે. પ્રધાનમંત્રી SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. પ્રધાનમંત્રી સાત વર્ષ પછી ચીનની મુલાકાતે આવ્યા છે. ચીનની આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ટ્રમ્પના ટેરિફને કારણે અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું છે કે ઝેલેન્સકી અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે શું ચર્ચા થઈ. પ્રધાનમંત્રી મોદીએ વર્તમાન વિકાસ વિશે માહિતી આપવા બદલ ઝેલેન્સકીનો આભાર માન્યો અને શાંતિ અને સમાધાન પુનઃસ્થાપિત કરવાના પ્રયાસોને પણ સમર્થન આપ્યું.

પ્રધાનમંત્રીએ ઝેલેન્સ્કીને ખાતરી આપી હતી કે ભારત શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

મોદી અને પુતિન SCO સમિટમાં મળશે

પ્રધાનમંત્રી મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે સંઘર્ષ અંગે ફોન પર થયેલી વાતચીત ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે પ્રધાનમંત્રી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન SCO સમિટમાં મળવાના છે. ઝેલેન્સ્કી વતી પ્રધાનમંત્રીને ફોન પર વાત કરવામાં આવી હતી.

પંચાંગ 31/08/2025

અમદાવાદમાં પિકલબોલ વર્લ્ડ કપ 2025 માટેની ભારતીય ટીમનું સિલેક્શન ટ્રાયલ

અમદાવાદ: કેન્દ્રીય રમત-ગમત મંત્રાલય અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત ભારતીય પિકલબોલ એસોસિએશન (IPA) એ અમદાવાદમાં પ્રથમવાર ભારતની સત્તાવાર પિકલબોલ ટીમની પસંદગી માટે ઐતિહાસિક સિલેક્શન ટ્રાયલ્સનું આયોજન કરવામાં આવ્યું છે.2 દિવસીય ટ્રાયલ્સ (30 અને 31 ઓગસ્ટ) ના દરમિયાન પસંદગી પામનાર સ્કવૉડ પિકલબોલ વર્લ્ડ કપની બીજી સિઝનમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરશે. ગ્લોબલ પિકલબોલ ફેડરેશન દ્વારા મંજૂરી ધરાવતા આ પિકલબોલ વર્લ્ડ કપ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર 2025 દરમિયાન ફ્લોરિડા, યુએસએ ખાતે યોજાશે. ભારતનું પ્રતિનિધિત્ત્વ કરવા માટે દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આસામ, રાજસ્થાન, ઓડિશા, હરિયાણા અને ગુજરાતના 140 જેટલા ખેલાડીઓ કોર્ટ પર ઉતરશે.

આ સ્પર્ધા 3 કેટેગરીમાં યોજાશે. જેમાં અંડર-16 કેટેગરીમાંથી 2 છોકરા અને 2 છોકરીઓની પસંદગી કરાશે- જેમાં સિંગલ્સ ઈવેન્ટ યોજાશે નહીં. જ્યારે ઓપન કેટેગરીમાં પુરુષ અને મહિલા સિંગલ્સ વિજેતા આ ઉપરાંત પુરુષ અને મહિલા કેટેગરીના ડબલ્સ વિજેતાઓ સ્કવૉડમાં સ્થાન મેળવશે. આ ઉપરાંત 50+ કેટેગરીમાં પુરુષ ડબલ્સ અને મહિલા ડબલ્સ વિજેતા ખેલાડીઓ વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કરવા માટે પસંદગી પામશે.

આઈપીએલના પ્રમુખ સુર્યવીર સિંઘ ભુલ્લરે કહ્યું કે,”આજનો દિવસ એ ઐતિહાસિક છે. કારણ કે- અમે પિકલબોલ વર્લ્ડ કપ માટેની પ્રથમ સત્તાવાર ટીમની પસંદગી કરી રહ્યાં છીએ. આ ખેલાડીઓ કેન્દ્રીય રમત-ગમત મંત્રાલય અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ ભારતીય ટીમનું પ્રતિનિધિત્ત્વ કરશે. જ્યારે ભારતીય પિકલબોલ એસોસિએશન રમતમાં દેશના માન્યતા પ્રાપ્ત ફેડરેશનની ભૂમિકામાં રહેશે.”

આ સાથે તેમણે ઉમેર્યું કે,”અમે એક ઉભરતી રમતમાં સત્તાવાર નેશનલ ટીમને વૈશ્વિક સ્તરે રજૂ કરતા ગર્વ અનુભવી રહ્યાં છીએ. સમગ્ર દેશમાંથી આવતા ખેલાડીઓનો ઉત્સાહ પિકલબોલના સતત ગ્રોથ અને ભારતમાં શાનદાર ભાવિના સંકેત આપે છે.”આ ટ્રાયલ્સનો સમય પણ ઘણો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે- રાષ્ટ્રીય રમત-ગમત દિવસનો ઉત્સવ (ઓગસ્ટ 29-31) સમગ્ર દેશમાં ઉજવવામાં આવી રહ્યો છે, એવામાં આ સિદ્ધિ ભારતના સ્પોર્ટિંગ સ્પિરિટને ટ્રિબ્યુટ આપવાનું કામ કરી રહી છે.

આ સિદ્ધિ લીમા, પેરુ ખાતે (ઓક્ટોબર 2024) યોજાયેલ પ્રારંભિક વર્લ્ડ કપની સિદ્ધિને આગળ ધપાવશે. જેમાં 30થી વધુ દેશના 500થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. પિકલબોલ જ્યારે વૈશ્વિક સ્તરે સતત આગવી છાપ છોડવાનું કામ કરી રહ્યું છે, ત્યારે પિકલબોલ વર્લ્ડ કપ થકી ભારતમાં પણ રમતમાં વિકાસ જોવા મળશે.

અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીને વિશ્વસ્તરે પ્રતિષ્ઠિત ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ

અમદાવાદ: અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીના પ્રોજેક્ટને વૈશ્વિક સ્તરે સન્માન મળ્યું છે. જન્મજાત રંગઅંધત્વની ખામી ધરાવતા ધોરણ 12ના આહાન પ્રજાપતિને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ (યુકે) મળ્યો છે. સમાવિષ્ટ શિક્ષણમાં દીવાદાંડી સમાન AI-સંચાલિત મશીન-લર્નિંગ મોડેલના પ્રોજેક્ટને વૈશ્વિક કક્ષાએ શાળા અને વિદ્યાર્થીનું નામ રોશન કર્યુ છે.જન્મજાત લાલ-લીલા રંગ પ્રત્યે રંગઅંધત્વ ધરાવતો આહાન વિજ્ઞાનના વિષયમાં રંગો આધારિત કોયડાઓ, નકશા, સામયિક કોષ્ટકો અને આકૃતિઓ ડીકોડ નહતો કરી શકતો. જો કે, તેના મિત્રો તેની મુંઝવણ સમજી શકતા હતા. અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના તેના શિક્ષકો અને માર્ગદર્શકો દ્વારા 17 વર્ષીય આહાનને AIનો ઉપયોગ કરીને પાઠ્યપુસ્તકની છબીઓને અનુકૂલિત કરવાની શોધ શરૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યો હતો.

રંગ-અંધત્વ ધરાવતા વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકની છબીઓને ઉકેલવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરવાના તેમના સંશોધનને કારણે હવે તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર માન્યતા સાથે પ્રતિષ્ઠિત ક્રેસ્ટ ગોલ્ડ એવોર્ડ મળ્યો છે.

આહાને ડિઝાઈન કરેલ AI-સંચાલિત મશીન-લર્નિંગ મોડેલ 99.7% ચોકસાઈ સાથે નકશાઓ, આકૃતિઓ શિક્ષણ સામગ્રીમાં ફેરફાર કર્યા વિના ડીકોડ કરી શકે છે. અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલના આહાનનો આ પ્રોજેક્ટ IIT દિલ્હી ખાતે AI અને આરોગ્યસંભાળ પરની ઇન્ડો-ફ્રેન્ચ કોન્ફરન્સમાં પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને ન્યૂયોર્કમાં ઇન્ટરનેશનલ જર્નલ ઓફ હાઇ સ્કૂલ રિસર્ચ દ્વારા પ્રકાશન માટે સ્વીકારવામાં આવ્યો હતો.

રંગઅંધત્વ ધરાવતા વિદ્યાર્થીઓને ઉડ્ડયન, સંરક્ષણ અને એન્જિનિયરિંગમાં કારકિર્દીના વિકલ્પો બંધ થઈ જાય છે. વિશ્વભરમાં લગભગ 8% છોકરાઓ અને 0.5% છોકરીઓ રંગઅંધત્વથી પીડાય છે. જો કે, ઘણીવાર શાળાઓનું તેમાં ધ્યાન બહાર આવતું નથી. આહાનના કિસ્સામાં શાળાએ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે.

મોડલના સફળ પરિક્ષણ માટે આહાને ચાર જિલ્લાઓમાં સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં 30 શાળાઓમાં 10,000થી વધુ વિદ્યાર્થીઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને 131 વિદ્યાર્થીઓને રંગઅંધત્વ હોવાનું જાણવા મળ્યું હતું.આહાન જણાવે છે કે “રંગોથી મૂંઝવણમાં રહેવું અને અવગણના અનુભવવી તે ખૂબ જ આકરું હોય છે. જો મારા આ કામને કારણે એક પણ બાળક સારી રીતે જોઈ અને શીખી શકે, તો હું તેને સફળતા માનીશ, સફળતાની આ યાત્રામાં અદાણી ઈન્ટરનેશનલ સ્કૂલે મને મહત્વનું પ્લેટફોર્મ પુરું પાડ્યું છે.”