નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં પરત આવ્યા બાદથી અમેરિકા 1700થી વધુ ભારતીય નાગરિકોને પરત મોકલી ચૂક્યું છે. કેન્દ્રએ જણાવ્યું છે કે પરત મોકલાયેલા લોકો સાથે કરવામાં આવતા વર્તન અને વિદ્યાર્થીઓને વિદ્યાર્થી વિઝા મળવામાં થતા વિલંબ અંગે સરકારે વોશિંગ્ટન સમક્ષ ચિંતા વ્યક્ત કરી છે. વર્ષ, 2009થી 2024 સુધી એટલે કે 15 વર્ષમાં કુલ 15,564 ભારતીય નાગરિકોને ચાર્ટર્ડ અને વ્યાપારી ઉડાનો મારફતે અમેરિકાએ ડિપોર્ટ કર્યા છે.
વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિ વર્ધન સિંહે સંસદના ચોમાસુ સત્રમાં DMK સાંસદ કનિમોઝી કરુણાનિધિ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે 20 જાન્યુઆરીથી 22 જુલાઈ વચ્ચે કુલ 1703 ભારતીય નાગરિકોને અમેરિકી સરકારે ડિપોર્ટ કર્યા હતા. આ ભારતીયોમાં 1562 પુરુષો અને 141 મહિલાઓ હતી.
ડિપોર્ટ કરવામાં આવેલાની સૌથી વધુ સંખ્યા પંજાબ (620)માંથી હતી, ત્યાર બાદ હરિયાણા (604) અને ગુજરાત (245)નો ક્રમ હતો. સરકારે જણાવ્યું કે 5, 15 અને 16 ફેબ્રુઆરીએ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (સૈન્ય) ઉડાનો મારફતે 333 ભારતીય નાગરિકોને ડિપોર્ટ કરવામાં આવ્યા. અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા સંચાલિત ત્રણ ચાર્ટર ફ્લાઇટ્સ મારફતે માર્ચ અને જૂનમાં 231 ભારતીયોને લાવવામાં આવ્યા, જ્યારે જુલાઈમાં હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ (DHS)ની ચાર્ટર ફ્લાઇટ્સ મારફતે 300 લોકોને પરત મોકલવામાં આવ્યા હતા.
વિદેશ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે ભારત સરકારે અમેરિકામાં વિદ્યાર્થી વિઝા મુદ્દે અમેરિકી અધિકારીઓ સાથે ચર્ચા કરી છે અને અધિકારીઓએ સ્વીકાર્યું છે કે વિદ્યાર્થી વિઝા માટેની વધારાની સુરક્ષા જરૂરિયાતોને કારણે ભારતમાં અમેરિકન દૂતાવાસ અને કાઉન્સ્યુલેટ્સની વિઝા પ્રક્રિયા કરવાની ક્ષમતા ઘટી ગઈ છે. જોકે અધિકારીઓએ કહ્યું હતું કે વિદ્યાર્થી વિઝાની નિમણૂક હજી પણ ખુલ્લી છે. J-1 ફિઝિશિયન કેટેગરી માટે, અમેરિકાએ નિમણૂકોને પ્રાથમિકતા આપવા માટે સોફ્ટવેર આધારિત ઉકેલ શરૂ કર્યો છે અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને નિમણૂક મળી ગઈ છે.
શિવસેના ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. શિવસેના સાંસદે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિશે જાણવા માટે આ પત્ર લખ્યો છે. તેમણે દાવો કર્યો છે કે તેમનો સંપર્ક કરવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે. હકીકતમાં, ધનખડે સંસદના ચોમાસુ સત્રના પહેલા દિવસે 21 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
10 ઓગસ્ટના રોજ અમિત શાહને લખેલા પત્રમાં સંજય રાઉતે કહ્યું હતું કે, “આપણા ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વિશે કોઈ માહિતી નથી. તેઓ હાલમાં ક્યાં છે? તેમનું સ્વાસ્થ્ય કેવું છે? આ બાબતો પર કોઈ સ્પષ્ટતા નથી. રાજ્યસભાના કેટલાક સભ્યોએ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા હતા.” શિવસેના-યુબીટી નેતાએ સોમવારે એક્સ પર આ પત્ર શેર કર્યો હતો.
દેશ આ પ્રશ્નોનું સત્ય જાણવાને લાયક છે
રાઉતે કહ્યું કે દિલ્હીમાં અફવાઓ ફેલાઈ રહી છે કે ધનખડને તેમના નિવાસસ્થાને કેદ કરવામાં આવ્યા છે અને તેઓ કથિત રીતે સુરક્ષિત નથી. તેમણે કહ્યું,‘તેમની સાથે કે તેમના સ્ટાફ સાથે કોઈ સંપર્ક થયો નથી, જે ગંભીર ચિંતાનો વિષય છે.’ તેમણે કહ્યું, ‘આપણા ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિનું શું થયું? તેઓ ક્યાં છે? તેમનું સ્વાસ્થ્ય કેવું છે? શું તેઓ સુરક્ષિત છે? દેશને આ પ્રશ્નોનું સત્ય જાણવાનો હક છે.’
ઉદ્ધવ ઠાકરેએ ધનખડ વિશે પણ પૂછ્યું
ગત અઠવાડિયે, શિવસેના-યુબીટીના વડા ઉદ્ધવ ઠાકરેએ ધનખડ વિશે પૂછ્યું હતું. તેમણે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું,‘ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હવે ક્યાં છે? આ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ.’ રાજ્યસભાના સભ્ય રાઉતે કહ્યું કે ઉપલા ગૃહમાં તેમના કેટલાક સાથીદારો સુપ્રીમ કોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરવાનું વિચારી રહ્યા છે, કારણ કે તેઓ ખરેખર ધનખડ વિશે ચિંતિત છે.
રાઉતે વધુમાં કહ્યું,’સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરતા પહેલા મેં તમારી પાસે આ માહિતી માંગવાનું યોગ્ય માન્યું. મને આશા છે કે તમે મારી લાગણીઓને સમજશો અને ધનખડના હાલના ઠેકાણા, તેમની સલામતી અને સ્વાસ્થ્ય વિશે વાસ્તવિક માહિતી પ્રદાન કરશો.’
નવી દિલ્હીઃ નોઈડાની હાઈટેક સિટીમાં આવેલા એક ડે-કેર સેન્ટરમાં 15 મહિનાની બાળકીને એક એટેન્ડન્ટે માર માર્યાનો વિડિયો વાઇરલ થયો છે. આ બર્બરતા એ બાળકીની સંભાળ માટે રાખવામાં આવેલી મહિલાએ જ કરી હતી. CCTVમાં ડે-કેરની મેઇડ બાળકીને મારતી અને તેને જમીન પર ફેંકતી દેખાય છે. એટલું જ નહીં, તેણે બાળકીને અનેક જગ્યાએ દાંતથી બચકાં ભર્યાં હતાં. પોલીસે બાળકીની માતાની ફરિયાદ પર કેસ નોંધ્યો છે અને આરોપી મહિલાની ધરપકડ છે. CCTV ફુટેજમાં મેઇડની હરકતો જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે.
આ મામલે ડે-કેરના માલિક વિરુદ્ધ પણ FIR નોંધવામાં આવી છે, જે કહેવાય છે કે આ બધું જોઈ રહ્યો હતો, પણ તેણે કોઈ હસ્તક્ષેપ કર્યો નહોતો. પારસ તિયરિયા- બાળકીની માતાએ ગુરુવારે સેક્ટર 142 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપીની ઓળખ ડે-કેર “બ્લિપ્પી”ની માલિક ચારુ અને શાહદરા ગામની એટેન્ડન્ટ સોનાલી તરીકે કરી. આ બાળકી મે મહિનાથી દરરોજ બે કલાક માટે ડે-કેરમાં આવતી હતી. સોમવારે જ્યારે માતા પોતાની દીકરીને લેવા આવી ત્યારે તેણે જોયું કે તે અસામાન્ય રીતે વ્યાકુળ હતી. ઘરે પહોંચ્યા પછી તેણે દીકરીની જાંઘ પર બચકાં ભર્યાંનાં નિશાન જોયાં હતા.
#NOIDA DAY CARE में मासूम बच्ची के साथ मेड ने करी दरिंदगी
15 महीने की मासूम को को मेड ने दांतो से काटा
बच्ची को मेड ने पटक दिया
જ્યારે ડોક્ટરે ખાતરી કરી કે આ ખરેખર માનવીના દાંતના નિશાન છે, ત્યારે તે ડે-કેર પહોંચી અને CCTV ફુટેજ બતાવવાની માગ કરી. આ ફુટેજમાં ચોંકાવનારી ઘટનાઓનો ક્રમ સામે આવ્યો. સોનાલી બાળકીને થપ્પડ મારી રહી હતી, તેને જમીન પર ફેંકી રહી હતી, પ્લાસ્ટિકના બેટથી મારી રહી હતી અને તેને બચકાં ભરી રહી હતી. જ્યારે માતાએ આ બાબતે ડે-કેરની માલિક ચારુ સાથે વાત કરી, ત્યારે સોનાલી અને ચારુએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને ધમકી પણ આપી. વિડિયો ફુટેજનો ઉલ્લેખ કરતાં માતાએ કહ્યું હતું કે તેની દીકરીના જોરજોરથી રડવા છતાં ચારુએ તેની કોઈ સંભાળ લીધી નહોતી કે તેને શાંત કરવાની કોશિશ કરી નહોતી.
પહેલગામ હુમલા પછી વાણી કપૂર અને પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ ‘અબીર ગુલાલ’ ની રિલીઝ રદ કરવામાં આવી હતી. રિલીઝ પહેલા પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી, ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મ રિલીઝ કરવાનું ટાળ્યુ હતું. સોશિયલ મીડિયા પરથી તેના સંબંધિત બધી પોસ્ટ્સ, ગીતો, ટ્રેલર અને ટીઝર પણ દૂર કરી દીધા હતા. પરંતુ હવે એવી ચર્ચા છે કે આ ફિલ્મ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મ ભારતમાં 9 મેના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ પહેલગામ હુમલા અને પછી ઓપરેશન સિંદૂરને કારણે તેની રિલીઝ રદ કરવામાં આવી હતી. પરંતુ હવે એવું લાગે છે કે ફિલ્મ સિનેમાઘરોમાં પહોંચી શકે છે.
બિઝ એશિયા લાઈવના અહેવાલ મુજબ ફવાદ ખાન અને વાણી કપૂર અભિનીત ફિલ્મને રિલીઝ કરવા માટે નિર્માતાઓએ દિલજીત દોસાંજની રણનીતિ અપનાવી છે. અબીર-ગુલાલ પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ચોથી બોલિવૂડ ફિલ્મ હશે, જે આ મહિને વિશ્વભરમાં રિલીઝ થઈ શકે છે. તાજેતરમાં, દિલજીત દોસાંજની ફિલ્મ ‘સરદાર જી 3’ ભારત સિવાય વિશ્વભરમાં રિલીઝ થઈ હતી. તેનું કારણ પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર હતી, જે ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.
સરદાર જી 3 ભારતમાં રિલીઝ થઈ ન હતી
પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પછી ભારતીયોની ભાવનાઓને માન આપીને ‘સરદાર જી 3’ ના નિર્માતાઓએ ભારતમાં રિલીઝ કરી ન હતી, છતાં આખી ફિલ્મ ટીમને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો. સરદાર જી 3 રિલીઝ કરવાના નિર્ણયને કારણે દિલજીતની સૌથી વધુ ટીકા થઈ હતી. તેમ છતાં, આ ફિલ્મ ખૂબ જ સફળ રહી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ₹70.10 કરોડની કમાણી કરી, જેનાથી તે વિદેશમાં સૌથી વધુ કમાણી કરનારી ભારતીય પંજાબી ફિલ્મ બની.
ફિલ્મ ક્યારે રિલીઝ થશે?
હવે ‘અબીર ગુલાલ’ના નિર્માતાઓ પણ આ જ રણનીતિ અપનાવવાનું વિચારી રહ્યા છે. અહેવાલ મુજબ, ‘અબીર ગુલાલ’ 29 ઓગસ્ટના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. એવા પણ સમાચાર છે કે ફિલ્મનું નામ બદલવામાં આવશે. પહેલગામ હુમલા પછી વાણી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આ ફિલ્મ સંબંધિત બધી પોસ્ટ્સ દૂર કરી દીધી.
9 વર્ષ પછી ફવાદ ખાનનું બોલિવૂડમાં કમબેક
ફવાદની છેલ્લી બોલિવૂડ ફિલ્મ 2016 માં રિલીઝ થઈ હતી, તે રણબીર કપૂર અભિનીત ‘એ દિલ હૈ મુશ્કિલ’ માં દેખાયો હતો. અગાઉ, તે 2016 માં રિલીઝ થયેલી ‘કપૂર એન્ડ સન્સ’ માં દેખાયો હતો અને 2014 માં રિલીઝ થયેલી ‘ખૂબસૂરત’ માં કામ કર્યું હતું. અબીર ગુલાલ સાથે, તે 9 વર્ષ પછી બોલિવૂડમાં કમબેક કરવાનો હતો, પરંતુ પહેલગામ હુમલા પછી આવું થઈ શક્યું નહીં. ‘અબીર ગુલાલ’નું દિગ્દર્શન આરતી એસ બાગડી દ્વારા કરવામાં આવ્યું છે અને આ રોમેન્ટિક કોમેડીના નિર્માતા વિવેક અગ્રવાલ છે.
સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.
આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને, જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.
મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.
સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.
સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.
ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.
કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે, જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.
કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.
રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે, લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.
તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.
પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.
નવી દિલ્હીઃ ઇઝરાયેલ સતત ગાઝા પટ્ટી પર હુમલો કરી રહ્યું છે. ઇઝરાયેલી હુમલામાં અલ જઝીરા ન્યૂઝ ચેનલના પાંચ પત્રકારો માર્યા ગયા હોવાની પુષ્ટિ ખુદ અલ જઝીરાએ કરી છે. ગાઝા શહેરના અલ-શિફા હોસ્પિટલની નજીક ઇઝરાયેલી હુમલામાં આ પાંચ પત્રકારો માર્યા ગયા હતા.
મૃત પત્રકારોમાં અલ જઝીરાના સંવાદદાતા અનસ અલ-શરીફ અને મહમ્મદ કારીકેહ તેમ જ કેમેરામેન ઇબ્રાહિમ જહીર, મોઆમેન અલીવા અને મહમ્મદ નૌફલનો સમાવેશ થાય છે. અલ જઝીરાએ જણાવ્યું કે તેઓ અલ-શિફા હોસ્પિટલના મુખ્ય દરવાજાની બહાર પ્રેસ માટે લગાવેલા એક તંબુમાં રહેતા હતા. ઇઝરાયેલી સેનાએ એ જ તંબુને નિશાન બનાવી હુમલો કર્યો હતો અને પાંચ પત્રકારોને મારી નાખ્યા હતા.
પત્રકાર હોવાનું નાટક કરત હતાઃ ઇઝરાયેલ
આ હુમલા બાદ તરત જ ઇઝરાયેલી સેનાએ એક નિવેદનમાં અનસ અલ-શરીફને નિશાન બનાવ્યાની વાત સ્વીકારી હતી. એ સાથે જ ઇઝરાયેલી સેનાએ દાવો કર્યો કે અલ-શરીફ પત્રકાર હોવાનું નાટક કરતો હતો અને તે હમાસ સાથે હતો. ઇઝરાયેલે અલ જઝીરાના પત્રકારને આતંકવાદી જાહેર કરતાં કહ્યું હતું કે તે હમાસની એક આતંકવાદી સેલનો વડો હતો.
🎯STRUCK: Hamas terrorist Anas Al-Sharif, who posed as an Al Jazeera journalist
Al-Sharif was the head of a Hamas terrorist cell and advanced rocket attacks on Israeli civilians and IDF troops.
Intelligence and documents from Gaza, including rosters, terrorist training lists and… pic.twitter.com/ypFaEYDHse
સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) એ જણાવ્યું હતું કે હમાસ આતંકવાદી અનસ અલ-શરીફ, જે પોતાને અલ જઝીરાનો પત્રકાર કહેતો હતો, હમાસના એક આતંકવાદી જૂથનો વડો હતો અને તેણે ઇઝરાયેલી નાગરિકો અને IDF સૈનિકો પર રોકેટ હુમલા કર્યા હતા.
IDF એ કહ્યું હતું કે ગાઝામાંથી મળેલી ગુપ્તચર માહિતી અને દસ્તાવેજો – જેમાં રોસ્ટર, આતંકવાદી તાલીમ યાદીઓ અને પગારના રેકોર્ડનો સમાવેશ થાય છે – એ બધું સાબિત કરે છે કે તે અલ જઝીરા સાથે જોડાયેલો હમાસ કાર્યકર હતો. પ્રેસનો બેજ આતંકવાદ માટે ઢાલ બની શકતો નથી.
નવી દિલ્હીઃ દેશના 25 વિરોધી પક્ષોના 300થી વધુ સાંસદો સોમવારે સંસદથી રાષ્ટ્રીય રાજધાની સ્થિત ભારતીય ચૂંટણી પંચ (ECI)ના મુખ્યાલય સુધી માર્ચ કાઢશે. આ માર્ચ 2024ની લોકસભા ચૂંટણીમાં કથિત “મતચોરી” અને ચૂંટણી રાજ્ય બિહારની મતદાર યાદીના ચાલી રહેલા ખાસ ગહન પુનરીક્ષણ (SIR)ના વિરોધમાં હશે. કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, દ્રવિડ મુન્નેત્ર કઝગમ (DMK), આમ આદમી પાર્ટી, વામપંથી પક્ષો, રાષ્ટ્રીય જનતા દળ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર), શિવસેના (યુબીટી) અને નેશનલ કોન્ફરન્સ સહિતના અનેક પક્ષો આ રેલીમાં જોડાશે તેવી અપેક્ષા છે. આ રેલી સવારે 11:30 વાગ્યે સંસદના મકર દ્વારથી શરૂ થશે.
પોલીસની કડક સુરક્ષાદિલ્હી પોલીસ દ્વારા બે કિ.મી.થી પણ ઓછી અંતરે આવેલા ચૂંટણી પંચની કચેરી સુધી માર્ચ કરવાની મંજૂરી આપવાની શક્યતા ઓછી છે. પોલીસે જણાવ્યું છે કે માર્ચની મંજૂરી માટે કોઈ ઔપચારિક વિનંતી કરવામાં આવી નથી. આ વચ્ચે પોલીસે ચૂંટણી પંચના મકાન બહાર કડક સુરક્ષા ગોઠવીને બેરિકેડ લગાવ્યા છે.
જયરામ રમેશને પત્ર
બીજી તરફ, ચૂંટણી પંચના સચિવાલયે કોંગ્રેસ સાંસદ જયરામ રમેશને પત્ર લખ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે ચૂંટણી પંચે આજે બપોરે 12:00 વાગ્યે વાતચીત માટે સમય આપ્યો છે. સ્થળની મર્યાદાને કારણે મહત્તમ 30 વ્યક્તિઓનાં નામ આપવાની વિનંતી કરવામાં આવી છે. હજી સુધી કોંગ્રેસ સાંસદ જયરામ રમેશ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.
કોંગ્રેસની એક જાહેરખબરમાં જણાવવામાં આવ્યું છે કે વિરોધી પક્ષોના (લોકસભા અને રાજ્યસભા) સાંસદો 11 ઓગસ્ટ, 2025એ સવારે 11:30 વાગ્યે સંસદભવનના મકર દ્વારથી પરિવહન ભવન થઈને ચૂંટણી સદન, નવી દિલ્હી સુધી માર્ચ કરશે. ‘ઇન્ડિયા બ્લોક’ દ્વારા બોલાવવામાં આવેલા આ વિરોધ પ્રદર્શન આમ આદમી પાર્ટીને સામેલ કરવા માટે ગઠબંધનના બેનર વગર યોજાશે, કારણ કે તે ગયા મહિને ગઠબંધનમાંથી બહાર નીકળી ગઈ હતી, છતાં સંસદમાં તેના 12 સાંસદો છે.થોડા દિવસો પહેલાં ‘ઇન્ડિયા’ ગઠબંધનના ટોચના નેતાઓએ એકતા દર્શાવવા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવાસસ્થાને રાત્રિભોજન સાથે બેઠક કરી હતી અને બિહારમાં મતદાર યાદીના ગહન પુનરીક્ષણ, કથિત મતચોરીના વિરોધમાં અવાજ ઉઠાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.