પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ સત્તા સંભાળતાની સાથે જ પ્રથમ કેબિનેટ બેઠકમાં વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરીને સૌને ચોંકાવી દીધા છે. મુખ્યમંત્રીએ રાજ્યના વહીવટી માળખામાંથી ‘વધારાનો બોજ’ હળવો કરવા માટે નિવૃત્તિ બાદ પણ ફરજ બજાવતા અધિકારીઓ અને સલાહકારો સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ તેમની પ્રથમ કેબિનેટ બેઠક બાદ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જે સરકારી અધિકારીઓ નિવૃત્તિ બાદ ફરીથી નિમણૂક પામ્યા હતા અથવા જેમની સેવામાં વધારો કરવામાં આવ્યો હતો, તેમની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવે. અગાઉની મમતા બેનર્જી સરકારમાં અનેક અધિકારીઓને રિટાયરમેન્ટ પછી પણ કામ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી હતી, પરંતુ શુભેન્દુ અધિકારીએ આ પ્રથાનો અંત લાવ્યો છે. વિવિધ બોર્ડ, કોર્પોરેશન અને જાહેર સાહસોમાં નિયુક્ત કરાયેલા સભ્યો, ડાયરેક્ટરો અને ચેરપર્સનનો કાર્યકાળ પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યો છે.

900 થી વધુ પદો પર ગાજ પડી
રાજ્યના વિવિધ વિભાગોમાં 900 થી વધુ એડવાઈઝર (સલાહકારો) અને OSD (ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી) કાર્યરત હતા, જેમને અગાઉની સરકાર દ્વારા પુનઃનિયુક્તિ આપવામાં આવી હતી. જે અધિકારીઓની ઉંમર 60 વર્ષથી વધુ છે તેમને પદ પરથી હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ માટે રાજ્યના તમામ વિભાગોના એડિશનલ ચીફ સેક્રેટરી, પ્રિન્સિપાલ સેક્રેટરી અને સેક્રેટરીઓને સત્તાવાર પત્રો મોકલી દેવામાં આવ્યા છે.
બ્યુરોક્રેટ્સને મુખ્યમંત્રીની ટકોર: ‘ડર્યા વગર કામ કરો’
મુખ્યમંત્રીએ સનદી અધિકારીઓ સાથેની મુલાકાતમાં કહ્યું હતું કે, “તમારે કોઈ પણ પ્રકારના ડર વગર અને માથું ઊંચું રાખીને કામ કરવાનું છે. જો કોઈ સમસ્યા હોય તો સીધી મને જાણ કરો.” તેમણે અધિકારીઓને શિસ્ત અને જવાબદારીપૂર્વક કામ કરવા સૂચના આપી હતી. પૂર્વ સરકારના સમયમાં વારંવાર વપરાતા ‘અનુપ્રેરણા’ શબ્દનો ઉલ્લેખ કરીને તેમણે સમજાવ્યું કે સરકારી કામમાં કોઈ વ્યક્તિવિશેષને મહત્વ આપવાની જરૂર નથી, બલ્કે સરકારી મર્યાદા અને સન્માન જળવાવું જોઈએ.
વહીવટી સુધારા માટે પીએમની કડક સૂચનાઓ
નાણાકીય શિસ્ત: બિનજરૂરી ખર્ચાઓ અને સરકારી નાણાંનો બગાડ તાત્કાલિક બંધ કરો. માત્ર અત્યંત જરૂરી કામો માટે જ ભંડોળ વાપરવું.
કેન્દ્રીય પ્રોજેક્ટ્સ: કેન્દ્ર સરકારની અટકેલી યોજનાઓને ઝડપથી લાગુ કરો જેથી જનતાને તેનો લાભ મળી શકે.
ડિજિટલ કનેક્ટિવિટી: તમામ સચિવો અને મુખ્યમંત્રી સાથેનો એક વૉટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે, જેથી વહીવટી પ્રક્રિયા ઝડપી બને.
જવાબદારી: જો કોઈ અધિકારી બેદરકારી દાખવશે કે ભૂલ કરશે, તો તેની સામે કડક વહીવટી પગલાં લેવામાં આવશે.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે તેઓ અધિકારીઓને જાહેરમાં કે મીડિયા સમક્ષ અપમાનિત કરવાના પક્ષમાં નથી. વહીવટી તંત્ર ગરિમા અને સન્માન સાથે ચાલશે, પરંતુ દરેક અધિકારીની જવાબદારી (Accountability) નક્કી કરવામાં આવશે.









આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3°Cનો વધારો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41°Cથી 44°Cની વચ્ચે રહેવાની સંભાવના છે.
આગામી 3 દિવસ માટે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ છે. આ ઉપરાંત, બાકીના વિસ્તારો જેવા કે દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી તેમજ બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, બરડા, સુરત અને અમદાવાદ માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફ પવન ફૂંકાવાની સ્થિતિ રહેશે. પવનની ઝડપ 15થી 20 નોટ રહેશે અને તે વધીને 25 નોટ સુધી પણ પહોંચી શકે છે. 







વડાપ્રધાન મોદીએ જનમેદનીને સંબોધિત કરતાં કહ્યું: ‘આજે, હું ફક્ત 75 વર્ષનો ઝાંખી નથી જોઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું. હું અહીં હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જોઉં છું – એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જોયું છે. હું ભારતનો અવિનાશી સાર જોઉં છું – એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી.’
વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના 90 મીટર ઊંચા શિખર પર 11 પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું.
પીએમ મોદીએ સરદાર પટેલને યાદ કરતાં જણાવ્યું કે, આઝાદી બાદ સોમનાથનો જીર્ણોદ્ધાર કરવો એ ભારતનું સ્વાભિમાન હતું. તેમણે તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. “હર હર મહાદેવ”ના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું.
સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ PM મોદી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યા બપોરનું ભોજન લઈ તેઓ વડોદરા જવા રવાના થશે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ તેઓ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં ‘બંગાળ થીમ’ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, જ્યાં તેઓ ‘સરદારધામ-3’ નું લોકાર્પણ કરશે.
બનાસકાંઠા જિલ્લા કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડના પ્રતિનિધિ સંગ્રામ ચૌધરીને SPCDFના વાઇસ-ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ નવી બહુ-રાજ્ય સહકારી સંસ્થાના ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત ભારત સરકારના સહકાર મંત્રાલય, નવી દિલ્હી દ્વારા નિયુક્ત સહકારી ચૂંટણી સત્તામંડળના રિટર્નિંગ ઓફિસર તેમ જ ગાંધીનગરના કલેક્ટર, રવિન્દ્ર ડી. ખટાલે, IAS દ્વારા કરવામાં આવી હતી. SPCDFના બાયલોઝની કલમ ૩૯ મુજબ બંને હોદ્દેદારો 5 મેથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કાર્યકાળ સુધી પોતાના હોદ્દા પર કાર્યરત રહેશે.SPCDFના બોર્ડમાં GCMMF તથા તેના 10 સભ્ય દૂધ સંઘોના એક-એક પ્રતિનિધિ ઉપરાંત આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની સહકારી દૂધમંડળીઓના ત્રણ પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

