નવી દિલ્હીઃ ભારત અને આફ્રિકા વચ્ચેની ભાગીદારી એક નિર્ણાયક નવા તબક્કામાં પ્રવેશી રહી છે. ભારત 28થી 31 મે, દરમિયાન નવી દિલ્હીમાં ચોથી ભારત–આફ્રિકા ફોરમ સમિટ (IAFS-IV) યોજવાની તૈયારી કરી રહ્યું છે. આ સમિટ સાથે બંને પક્ષોની ભાગીદારી વધુ સુવ્યવસ્થિત અને પરિણામ કેન્દ્રિત દિશામાં આગળ વધવાની આશા છે.
આ સંવાદમાં અનિલ કુમાર રાયે સમિટના લક્ષ્યો, વિકસતી વ્યૂહાત્મક ભાગીદારી અને ભારત તથા આફ્રિકા વચ્ચે વધુ ગાઢ સહયોગ આજના સમયમાં શા માટે અત્યંત મહત્વપૂર્ણ છે તે અંગે વિચારો વ્યક્ત કર્યા છે.
ભારત-આફ્રિકા ફોરમ સમિટ ભારત અને આફ્રિકા દેશોની વચ્ચે કૂટનીતિ અને આર્થિક સહયોગનો એક મહત્ત્વપૂર્ણ મંચ છે. આ પહેલાં એનું આયોજન વર્ષ 2015માં થયું હતું. આશરે એક દાયકા પછી IAFS-IV બંને પક્ષોના સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં મહત્ત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે. ભારત લાંબા સમયથી વેપાર, શિક્ષણ, આરોગ્ય અને ટેક્નિકલ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકતું રહ્યું છે. IAFS-IVની થીમ IA સ્પિરિટઃ ઇન્ડિયા-આફ્રિકા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોર ઇનોવેશન, રિસાયલન્સ એન્ડ ઇન્કલુઝિવ ટ્રાન્સફોર્મેશન રાખવામાં આવી છે. આ થીમનો ઉદ્દેશ સંશોધન, સમાવેશી વિકાસ અને મજબૂતી ભાગીદારીના માધ્યમથી બન્ને ક્ષેત્રોની પ્રગતિ સુનિશ્ચિત કરવાનો છે, જ્યારે 29 મેએ ભારત-આફ્રિકા વિદેશ મંત્રીઓની બેઠક થશે. આ સિવાય વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
આ શિખર સંમેલનના એજન્ડામાં વેપાર, મૂડીરોકાણ, ડિજિટલ પરિવર્તન, વિકાસ, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, જળવાયુ પરિવર્તન, સુરક્ષા, અંતરિક્ષ ટેક્નિક, ઊર્જા અને મહત્ત્વપૂર્ણ ખનિજ જેવા વિ,ય સામેલ છે. ભારત અને આફ્રિકી દેશોની વચ્ચે ભવિષ્યની ભાગીદારીને મજબૂત કરવા માટે એક સંયુક્ત ઘોષણાપત્ર અને રોડમેપ જારી કરવાની સંભાવના છે.
ભારત અને આફ્રિકી દેશોની વચ્ચે આર્થિક સંબંધ સતત મજબૂત થઈ રહ્યા છે. વર્ષ 2024-25માં બંને પક્ષોની વચ્ચે દ્વિપક્ષી વેપાર આશરે 82 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચી ગયો છે. ભારતે 40થી વધુ આફ્રિકી દેશોને 10 અબજ અમેરિકી ડોલરથી વધુના ઋણની મદદ કરી છે. આ સિવાય ભારતે આફ્રિકી દેશોને આશરે 700 મિલિયન અમેરિકી ડોલરનું અનુદાન પણ આપ્યું છે.










આગામી 7 દિવસ સુધી સમગ્ર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. નોર્થ ઈસ્ટ રાજસ્થાન વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય બનતા આગામી 3 દિવસમાં મહત્તમ તાપમાનમાં 2-3°Cનો વધારો થઈ શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41°Cથી 44°Cની વચ્ચે રહેવાની સંભાવના છે.
આગામી 3 દિવસ માટે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ ઍલર્ટ છે. આ ઉપરાંત, બાકીના વિસ્તારો જેવા કે દ્વારકા, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી તેમજ બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, આણંદ, બરડા, સુરત અને અમદાવાદ માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફ પવન ફૂંકાવાની સ્થિતિ રહેશે. પવનની ઝડપ 15થી 20 નોટ રહેશે અને તે વધીને 25 નોટ સુધી પણ પહોંચી શકે છે. 







વડાપ્રધાન મોદીએ જનમેદનીને સંબોધિત કરતાં કહ્યું: ‘આજે, હું ફક્ત 75 વર્ષનો ઝાંખી નથી જોઈ રહ્યો. હું વિનાશ વચ્ચે સર્જન કરવાનો સંકલ્પ જોઈ રહ્યો છું. અહીં, હું અસત્ય પર સત્યનો વિજય જોઈ રહ્યો છું. હું અહીં હજારો વર્ષો સુધી ફેલાયેલી આધ્યાત્મિક ચેતના જોઉં છું – એક એવી આધ્યાત્મિક ચેતના જેણે સમગ્ર વિશ્વને માનવતાના કલ્યાણના દ્રષ્ટિકોણથી જોયું છે. હું ભારતનો અવિનાશી સાર જોઉં છું – એક એવો સાર જેને સદીઓના દુષ્ટ પ્રયાસો પણ ભૂંસી શક્યા નથી.’
વડાપ્રધાન મોદીએ આજે એક ઐતિહાસિક વિધિના સાક્ષી બની મંદિરના 90 મીટર ઊંચા શિખર પર 11 પવિત્ર તીર્થના જળથી કુંભાભિષેક કર્યો હતો. આ માટે ખાસ ક્રેનની મદદ લેવામાં આવી હતી. ત્યાર બાદ તેમણે સોમનાથ મહાદેવના ગર્ભગૃહમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ જળાભિષેક અને વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ સમયે મંદિર પરિસરમાં ભારતીય વાયુસેનાના ચેતક હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા વાતાવરણ દિવ્ય બની ગયું હતું.
પીએમ મોદીએ સરદાર પટેલને યાદ કરતાં જણાવ્યું કે, આઝાદી બાદ સોમનાથનો જીર્ણોદ્ધાર કરવો એ ભારતનું સ્વાભિમાન હતું. તેમણે તત્કાલીન રાજનીતિ પર પ્રહાર કરતા કહ્યું કે, સરદાર સાહેબે નહેરુના વિરોધ છતાં મક્કમતાથી આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે અયોધ્યામાં રામ મંદિર, કાશી વિશ્વનાથ ધામ અને ઉજ્જૈન મહાકાલ લોક દ્વારા ભારત પોતાની વિરાસતને ફરી બેઠી કરી રહ્યું છે. “હર હર મહાદેવ”ના નાદ સાથે વડાપ્રધાને પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું, જેનાથી સમગ્ર પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું હતું.
સોમનાથનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ PM મોદી સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. જ્યા બપોરનું ભોજન લઈ તેઓ વડોદરા જવા રવાના થશે. પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ તેઓ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા હોવાથી વડોદરામાં ‘બંગાળ થીમ’ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે, જ્યાં તેઓ ‘સરદારધામ-3’ નું લોકાર્પણ કરશે.
બનાસકાંઠા જિલ્લા કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિમિટેડના પ્રતિનિધિ સંગ્રામ ચૌધરીને SPCDFના વાઇસ-ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ નવી બહુ-રાજ્ય સહકારી સંસ્થાના ચૂંટણી પરિણામોની સત્તાવાર જાહેરાત ભારત સરકારના સહકાર મંત્રાલય, નવી દિલ્હી દ્વારા નિયુક્ત સહકારી ચૂંટણી સત્તામંડળના રિટર્નિંગ ઓફિસર તેમ જ ગાંધીનગરના કલેક્ટર, રવિન્દ્ર ડી. ખટાલે, IAS દ્વારા કરવામાં આવી હતી. SPCDFના બાયલોઝની કલમ ૩૯ મુજબ બંને હોદ્દેદારો 5 મેથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સના કાર્યકાળ સુધી પોતાના હોદ્દા પર કાર્યરત રહેશે.SPCDFના બોર્ડમાં GCMMF તથા તેના 10 સભ્ય દૂધ સંઘોના એક-એક પ્રતિનિધિ ઉપરાંત આસામ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની સહકારી દૂધમંડળીઓના ત્રણ પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.