નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોની હત્યા બાદ ભારતે 1960થી લાગુ સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. ત્યાર બાદ ચાર દિવસ ચાલેલા સેના અભિયાન ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન તથા POKમાં આવેલા આતંકી ઠેકાણાઓ પર હુમલા કરાયા હતા.
સિંધુ જળ સંધિમાં હસ્તક્ષેપ કરી શકે છે ચીન
હવે ચીને પણ આ મુદ્દામાં રસ બતાવ્યો છે. “કન્વર્સેશન”ના એક રિપોર્ટ અનુસાર ચીન સિંધુ જળ સંધિમાં હસ્તક્ષેપ કરી શકે છે, જેને કારણે પ્રદેશમાં તણાવ વધુ વધી શકે છે. ભારતને ચિંતિત કરે છે કે ચીન પોતાની સીમાથી ભારતમાં વહેતી નદીઓના પ્રવાહને અવરોધી શકે છે.
ચીની મિડિયાએ ભારતને ‘આક્રમક’ ગણાવી પાણીને હથિયાર તરીકે ઉપયોગ કરવાની આશંકા વ્યક્ત કરી છે. એ સાથે જ ચીને આ પણ જાહેર કર્યું છે કે તે સિંધુની સહાયક નદી પર મોહમ્મદ ડેમ પ્રોજેક્ટના કામમાં ઝડપ લાવશે, જેને કારણે પાકિસ્તાનને ફાયદો થશે અને ભારત પર વ્યૂહાત્મક દબાણ વધશે.
પાકિસ્તાનની મદદ માટે આગળ આવ્યું ચીન
હવે ચીન પોતાને સિંધુ જળ સંધિનો મહત્વપૂર્ણ ભાગીદાર માનવા લાગ્યું છે. ચીની મિડિયા દ્વારા ભારતને ‘આક્રમક’ ગણાવતાં ચેતવણી આપવામાં આવી છે કે જો ભારત ‘પાણીને હથિયાર’ તરીકે ઉપયોગ કરે છે, તો તેનું ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે. રિપોર્ટ્સમાં આ પણ ઉલ્લેખ છે કે સિંધુ નદીનો સ્ત્રોત ચીનના પશ્ચિમી તિબ્બત ક્ષેત્રમાં છે, જે આ વિવાદને વધુ સંવેદનશીલ બનાવે છે.





ગત સપ્તાહ ગૌતમ અદાણીના ભત્રીજા પ્રણવ અદાણી જામનગર આવ્યા હતા અને જામસાહેબ સાથે મુલાકાત કરી હતી, જેની તસવીરો વાયરલ થઇ હતી. ત્યારથી જુદી-જુદી વાતો ઉઠતી હતી કે, જામસાહેબ સાથે અદાણી ગ્રુપ કોઇ મોટી યોજનાને આકાર આપશે. દરમ્યાન, એક પત્ર મારફત જામસાહેબ તરફથી આ અંગેની વિગતો જાહેર કરવામાં આવ્યા પછી એ વાતને સતાવાર સમર્થન મળ્યું છે.



