Home Blog Page 770

વેરી આવે તો વખીયોય મૂકે, અગ્નિ શું મૂકે?

 

વેરી આવે તો વખીયોય મૂકે, અગ્નિ શું મૂકે?

 

વેરી એટલે દુશ્મન. દુશ્મન હમલો કરે તો એનું નિશાન તમે છો. તમને એ ખતમ કરી નાખે પછી પાછળ એ ધારે તો પણ બધું જ તબાહ કરી શકતો નથી.

ક્યાંક ને ક્યાંક કશુંક તો અવશેષરૂપ બચી જ જાય છે. પણ આગ લાગે તો?

અગ્નિદેવતા તો સર્વભક્ષી છે. એના કોપમાંથી કશું જ બચી શકતું નથી. બધું જ સળગીને રાખ થઈ જાય છે. એ વાસ્તવિકતાનું વર્ણન આ કહેવત થકી થયું છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

રાજ્યમાં 14 દિવસમાં 50 હત્યા, અપરાધીઓ બેકાબૂ

પટનાઃ બિહારમાં હાલ અપરાધ સંપૂર્ણપણે બેકાબૂ છે. રાજ્યમાં રોજબરોજ હત્યા, ગોળીબારી અને લૂંટફાટ જેવી ઘટનાઓ બની રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં પટના સહિત રાજ્યના અનેક જિલ્લામાંથી હત્યાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. બિહારમાં કાયદો અને વ્યવસ્થા હવે મોટોં રાજકીય મુદ્દો બની ગયો છે. વિપક્ષ સતત નીતીશ કુમારની સરકાર પર આક્રમક છે. અપરાધીઓના ઊંચા હોસલાઓથી JDU અને ભાજપ માટે ચૂંટણીમાં મોટી મુશ્કેલીઓ સર્જી રહ્યા છે.

14 દિવસમાં 50થી વધુ હત્યા

સરકાર અને પોલીસ દ્વારા કાર્યવાહીના દાવાઓ વચ્ચે બિહારની સ્થિતિ ચિંતાજનક છે. રાજ્યમાં માત્ર આ મહિનાની 14 દિવસની અંદર જ આશરે 50થી વધુ હત્યાની ઘટનાઓ થઈ ચૂકી છે. કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ આ આંકડો એકદમ નકારાત્મક છે. આ અત્યંત ચિંતાનો વિષય છે. બિહારની હાલત એવી થઈ ગઈ છે કે અપરાધીઓના મનમાં હવે પોલીસનો ડર રહ્યો નથી. અપરાધીઓ જે કોઈને, જ્યારે ઇચ્છે ત્યારે મારી નાખે છે અને પોલીસ ફરીથી માત્ર આ જ દાવો કરે છે કે દોષિતોને ઝડપથી પકડાશે.

બિહારમાં અચાનક અપરાધનું પ્રમાણ વધી ગયું છે અને તે કારણે વિપક્ષ સરકાર પર કટાક્ષ કરી રહ્યો છે. તેજસ્વી યાદવે કહ્યું હતું કે નીતીશકુમાર તો હવે બેભાનાવસ્થામાં છે. બિહાર હવે તેમનામાં પાસે કાબૂ રહ્યો નથી. બીજી તરફ, રાહુલ ગાંધીએ બિહારની કાયદો વ્યવસ્થાને લઈને સરકારને ઘેરતાં કહ્યું હતું કે CM ખુરસી બચાવવામાં લાગ્યા છે અને ભાજપના મંત્રી કમિશન ખાતા બેઠા છે.

વિપક્ષના આકરો પ્રત્યાઘાત આપી બિહારના ડેપ્યુટી CM વિજય સિંહાએ કહ્યું કે આજની સ્થિતિ પાછળ RJD જવાબદાર છે. તેમણે જ અપરાધીઓને બેકાબૂ બનાવી દીધા છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

રાજકુમારની ‘શાહિદ’ ફરીથી તૈયાર કરવામાં આવી હતી!

રાજકુમાર રાવે ફિલ્મોમાં નાની ભૂમિકા કરીને મોટી અને મુખ્ય ભૂમિકા મેળવી હતી. રાજકુમારને શાળા-કોલેજના સમયમાં નાટકોનો શોખ હતો એટલે સ્નાતક થયા પછી FTI માં કોર્સ માટે જોડાયો હતો. પરિવારનો સાથ હોવાથી મમ્મીએ ફી માટે રૂ.1 લાખ આપ્યા હતા. કોર્સ કરીને બહાર આવ્યા પછી બે મિત્રો સાથે એક મકાનમાં રહીને સંઘર્ષ કરતો હતો. LSD (લવ સેક્સ ધોખા) (2010) જેવી બે-ત્રણ ફિલ્મોમાં નાની ભૂમિકા કરવાની તક મળી ગઈ હતી. LSD માં ભલે ભૂમિકા નાની હતી પણ રાજકુમારને વિશ્વાસ હતો કે દિબાકાર બેનર્જીની ફિલ્મ હોવાથી બીજા નિર્દેશકો એ જરૂર જોશે અને કામ આપશે. એવું જ થયું.

રાજકુમારનું કામ જોઈને નિર્દેશક અનુરાગ કશ્યપે એને બોલાવ્યો હતો અને ફિલ્મ ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ (2012) કરવા કહ્યું હતું. ત્યારે અનુરાગે વાર્તા સંભળાવી હતી એમાં ફૈઝલ ખાન (નવાઝુદ્દીન) અને શમશાદ (રાજકુમાર) વચ્ચેની લડાઈ મુખ્ય હતી. એ માટે રાજકુમાર અને નવાઝુદ્દીન વાસેપુર ગયા હતા અને જાણકારી મેળવી હતી. એ જાણકારી પછી અનુરાગે કહ્યું કે તે સ્ક્રિપ્ટ તૈયાર કરીને જણાવશે. ચારેક મહિના પછી વાર્તા લખી અને રાજકુમારને બોલાવીને કહ્યું કે ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર થઈ ગઈ છે. તે ખુશ થઈ ગયો ત્યારે અનુરાગે કહ્યું કે તારી ભૂમિકા બહુ નાની થઈ ગઈ છે. પણ તું ફિલ્મ કરશે તો મને ગમશે.

રાજકુમારને આંચકો લાગ્યો હતો પણ અનુરાગ સાથે કામ કરવા માગતો હોવાથી હા પાડી દીધી હતી. તે મુંબઇ આવ્યો ત્યારથી નક્કી કરી લીધું હતું કે બીજું કશું કરવું નથી. જે મળે એ અભિનયમાં જ કરવું છે. તે ફિલ્મો માટે જ નહીં નાની જાહેરાતોના ઓડિશનમાં પણ પહોંચી જતો હતો. રાજકુમાર દૂર દૂર સુધી મિત્રની બાઇક ઉપર જતો હતો. એ કારણે ચહેરા પર ધૂળ લાગી જતી હતી એટલે સાથે ગુલાબ જળની સ્પ્રે બોટલ રાખતો હતો અને ચહેરા પર છાંટી દેતો હતો. અનુરાગની ‘ગેંગ્સ ઓફ વાસેપુર’ ની નાની ભૂમિકામાં કામ શરૂ કર્યું એનાથી લાભ જ થયો હતો. એ સમયમાં નિર્દેશક હંસલ મહેતા ‘શાહિદ’ (2012) બનાવવા જઈ રહ્યા હતા. એ માટે કોઈ કલાકારને શોધી રહ્યા હતા. ત્યારે અનુરાગ અને કાસ્ટીંગ નિર્દેશક મુકેશ છાબડાએ રાજકુમારનું નામ સૂચવ્યું. અનુરાગે તો ભલામણ કરી કે હું એની સાથે કામ કરી રહ્યો છું અને એ સોલીડ છોકરો છે. સંદેશ મળ્યો અને રાજકુમાર એમને મળવા ઓફિસે પહોંચી ગયો.

રાજકુમારે કહ્યું કે તમે જે કહેશો એ કરીશ. પહેલી જ મુલાકાતમાં રાજકુમારથી પ્રભાવિત થઈને હંસલ મહેતાએ કહી દીધું કે તું જ ‘શાહિદ’ કરશે. ફિલ્મની પહેલી નકલ બહાર આવી ત્યારે બધા એને જોવા માટે બેઠા હતા. રાજકુમારની પહેલી મોટી અને મુખ્ય ભૂમિકા હોવાથી બહુ ઉત્સાહમાં હતો. ફિલ્મ જોઈને બધાને એમ થયું કે જેવી વિચારી હતી એવી બની નથી. હંસલ મહેતાએ બધાને આશ્વાસન આપ્યું કે ફરીથી એડિટિંગ કરીને જોઈશું. ફિલ્મનું શુટિંગ ઘણું થયું હતું. એમની પાસે વધારાના ઘણા દ્રશ્યો હતા. એક મહિના પછી હંસલે ફરીથી સંપાદન કરાવીને બધાને જોવા બોલાવ્યા. ફિલ્મમાં જાદૂ થયો હોય એવું લાગ્યું. બધાને ફિલ્મ પસંદ આવી હતી. ‘શાહિદ’ રજૂ થયા પછી રાજકુમાર રાવની ખરી કારકિર્દી શરૂ થઈ હતી.

૧૫ જુલાઈ ૨૦૨૫

પંચાંગ 15/07/2025

અમારી ઈન્ડસ્ટ્રીમાં લોકો બીજાઓની નિષ્ફળતા પર ખુશ થાય છે: ફરાહ ખાન

ફરાહ ખાન એક કોરિયોગ્રાફર, દિગ્દર્શક અને કન્ટેન્ટ ક્રિએટર પણ છે. તે યુટ્યુબ પર કુકિંગ વ્લોગ ચેનલ ચલાવે છે, સેલિબ્રિટીના ઘરોની મુલાકાત લે છે અને તેમની સાથે વાતચીત કરે છે. તાજેતરમાં જ ફરાહ જેકી ભગનાની અને રકુલ પ્રીતને મળી હતી. આ દરમિયાન ફરાહે તેની એક ફ્લોપ ફિલ્મનો ઉલ્લેખ કર્યો, જેની નિષ્ફળતાથી બોલિવૂડના ઘણા લોકો ખુશ થયા એવું ફરાહ ખાને કહ્યું હતું.

ફરાહ ખાન જેકી ભગનાની અને રકુલ પ્રીતના ઘરે તેના રસોઈ યુટ્યુબ ચેનલ માટે પહોંચી હતી. રસોઈ ઉપરાંત તેઓએ કારકિર્દી અને ફિલ્મો વિશે પણ વાત કરી. આ વાતચીતમાં જેકીએ કહ્યું કે જ્યારે તેના દ્વારા નિર્મિત ફિલ્મ ‘બેલબોટમ’ ફ્લોપ થઈ ત્યારે લોકોએ ખૂબ જ ખરાબ ટિપ્પણીઓ કરી હતી. આ પર ફરાહ ખાનને એ પણ યાદ આવ્યું કે તેની સાથે પણ આવું જ બન્યું હતું.

આ ફિલ્મ ફ્લોપ થઈ ત્યારે બોલિવૂડના લોકો ખુશ હતા

ફરાહ ખાન કહે છે કે 2010 માં ‘તીસ માર ખાન’ ફિલ્મ નિષ્ફળ ગઈ ત્યારે બોલિવૂડમાં ઘણા લોકો ખુશ હતા. તેણીએ કહ્યુ કે,’આપણી ઇન્ડસ્ટ્રીમાં લોકો પોતાની સફળતા કરતાં બીજાની નિષ્ફળતા પર વધુ ખુશ થાય છે. મને યાદ છે, જ્યારે ‘તીસ માર ખાન’ ફિલ્મ રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી શકી ન હતી, ત્યારે બોલિવૂડમાં ઉજવણીનો માહોલ હતો. મેં જે લોકો સાથે કામ કર્યું છે, તેમનું વલણ હતું કે ‘અભી આઈ ના લાઈન પર’. પણ મારી આ ફિલ્મ જનરેશન ઝેડને પસંદ છે.’

જેકીએ નિર્માતા ન બનવાની સલાહ આપી

આ વ્લોગમાં, ફરાહ ખાન જેકી ભગનાનીને કહે છે, ‘જેકી,અમે પણ નિર્માતા બનવા માંગીએ છીએ. આનો જવાબ જેકી આપે છે, ‘નિર્માતા ન બનો.’ ફરાહ હસવા લાગે છે અને કહે છે, ‘હા, નિર્માતા ન બનો, કારણ કે પહેલા તેની (જેકી) દસ ફ્લોર હતા અને નિર્માતા બન્યા પછી ફક્ત પાંચ જ ફ્લોર છે.’

IFFM 2025: બેસ્ટ એક્ટર્સ માટે મનોજ બાજપેયી, કરીના કપૂર અને શર્મિલા ટાગોરનું નોમિનેશન

મનોજ બાજપેયી, મોહનલાલ, કરીના કપૂર ખાન અને શર્મિલા ટાગોર જેવા કલાકારોને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન (IFFM) 2025 માં ‘શ્રેષ્ઠ અભિનેતા’ માટે નોમિનેશન મળ્યા છે. આ ઉપરાંત ‘હોમબાઉન્ડ’, ‘કલ્કી 2898 AD’, ‘L2: એમ્પુરાં’, ‘મહારાજ’, ‘મૈયાઝગન’, ‘સ્ત્રી 2’ અને ‘સુપરબોય્સ ઓફ માલેગાંવ’ ને ‘શ્રેષ્ઠ ફિલ્મ’ કેટેગરીમાં નોમિનેશન મળ્યા છે.

શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી માટે નામાંકનો
અભિષેક બચ્ચન, આદર્શ ગૌરવ, ઈશાન ખટ્ટર, જુનેદ ખાન, મનોજ બાજપેયી અને મોહનલાલ IFFMમાં શ્રેષ્ઠ અભિનેતાની રેસમાં છે. એ જ રીતે અંજલિ શિવરામન, કરીના કપૂર ખાન, શામલા હમઝા, શર્મિલા ટાગોર અને શ્રદ્ધા કપૂર શ્રેષ્ઠ અભિનેત્રીની રેસમાં છે.

અરણ્ય સહાય, લક્ષ્મીપ્રિયા દેવી, નીરજ ઘેવાન, ઓનિર, રીમા કાગતી, રીમા દાસ, વર્ષા ભરત અને વિપિન રાધાકૃષ્ણનને શ્રેષ્ઠ નિર્દેશકના એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ લોકોએ પોતાના ક્ષેત્રમાં ઉત્તમ કામ કર્યું છે. એ જ રીતે બ્લેક વોરંટ, ઇલેવન ઇલેવન, ખૌફ, કોટા ફેક્ટરી સીઝન 3, મનોરથંગલ, પાતાલ લોક સીઝન 2, થલાઇવટ્ટમ અને ત્રિભુવન મિશ્રા સીએ ટોપરને શ્રેષ્ઠ વેબ સિરીઝ માટે નામાંકિત કરવામાં આવી છે.

વેબ સિરીઝમાં શ્રેષ્ઠ અભિનેતા અને અભિનેત્રી
અનન્યા પાંડે, મોનિકા પંવાર, શબાના આઝમી, તિલોત્તમા શોમ, નિમિષા સજયન,પાર્વતી તિરુવોથુ અને રસિકા દુગ્ગલને વેબ સિરીઝમાં શ્રેષ્ઠ અભિનેત્રી માટે નોમિનેશન મળ્યા છે. અભિષેક કુમાર, અલી ફઝલ, મામૂટી, માનવ કૌલ, જયદીપ અહલાવત, જીતેન્દ્ર કુમાર અને જહાન કપૂરને વેબ સિરીઝમાં શ્રેષ્ઠ અભિનેતા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.

આ ફેસ્ટિવલ 14 થી 24 ઓગસ્ટ સુધી ચાલશે
આ ફેસ્ટિવલમાં ગુરુ દત્તના વારસાની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે તેમની ફિલ્મો ‘પ્યાસા’ અને ‘કાગઝ કે ફૂલ’ બતાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે IFFM 2025 ફેસ્ટિવલ 14 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ ફેસ્ટિવલમાં એક ખાસ જ્યુરી બધા એવોર્ડ નક્કી કરશે.

રાશિ ભવિષ્ય 13/07/2025 થી 20/07/2025

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

લાભના સમાચાર મળે,  કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.


અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.


આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.


વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે  ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.


કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.


તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.


યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.


તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના  પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.

સુપ્રીમ કોર્ટે 1158 પ્રોફેસર, લાઈબ્રેરિયનની નિમણૂકો રદ કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પંજાબમાં થયેલી 1158 અસિસ્ટન્ટ પ્રોફેસર અને લાઈબ્રેરિયનની નિમણૂક રદ કરી છે. સુપ્રીમ કોર્ટે પંજાબ-હરિયાણા હાઈકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા સપ્ટેમ્બર 2024માં આપવામાં આવેલા આ નિમણૂકને યોગ્ય ઠેરવતા નિર્ણયને રદ કર્યો છે. કોર્ટે જણાવ્યું કે આ નિમણૂક પ્રક્રિયા મનમાની હતી અને તેમાં નિયમો અને કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ પ્રક્રિયાને યોગ્ય ઠેરવવા માટે કોઈ સંતોષકારક કારણ પણ રજૂ કર્યું નથી.

શું છે મામલો?

સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને UGCના નિયમો અનુસાર નવી નિમણૂક પ્રક્રિયા શરૂ કરવાનો નિર્દેશ કર્યો છે. હકીકતમાં, સપ્ટેમ્બર 2024માં પંજાબ-હરિયાણા હાઈકોર્ટની ડિવિઝન બેંચે રાજ્ય સરકારને રાહત આપતાં સિંગલ બેંચના 2021ના આદેશને રદ કર્યો હતો. એ સમયે સિંગલ બેંચે 1158 પોસ્ટ માટેની ભરતી રદ કરી હતી. રાજ્ય સરકારે હાલના સમયે 609 ઉમેદવારોને નિમણૂક પત્ર આપી દીધા હતા, પણ માત્ર 135 ઉમેદવારોને જ પોસ્ટિંગ અને પગાર મળતો હતો.

પંજાબ સરકારને આંચકો

સિંગલ બેંચના આદેશ વિરુદ્ધમાં ડિવિઝન બેંચે યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો હતો. જેને કારણે માત્ર 135 ઉમેદવાર જ કામ પર હતા અને 484 ઉમેદવારો સ્ટેશનના એલોટમેન્ટની રાહ જોઈ રહ્યા હતા. પંજાબ સરકારે પણ કોર્ટને વિનંતી કરી હતી કે સરકારી કોલેજોમાં શિક્ષકોની ગંભીર અછત છે, તેથી બાકીના ઉમેદવારોને સ્ટેશનને ફાળવવાની મંજૂરી આપવામાં આવે. હાઈકોર્ટે સરકાર અને આ ઉમેદવારોની અપીલ મંજુર કરી હતી અને સિંગલ બેંચના આદેશને રદ કરતાં જોડાણ માટે મંજૂરી આપી હતી. પરંતુ આ મુદ્દો અંતે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને હવે અંતિમ નિર્ણયમાં તમામ નિમણૂકો રદ કરવામાં આવી છે.