Home Blog Page 793

પૂર્ણ જ્ઞાન જ સાચી શક્તિ છે

21મી સદીમાં જ્ઞાન ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર છે. કહેવાય છે કે ‘knowledge is power, earliest access to the knowledge makes you most powerful.’ અર્થાત જ્ઞાન એ જ શક્તિ છે અને સાચું જ્ઞાન જ તમને વધારે શક્તિશાળી બનાવે છે. કોઈપણ ક્ષેત્રનું પૂરતું જ્ઞાન તમને અવકાશમાં પણ પહોંચાડી શકે છે અને અપૂરતું અપૂર્ણ જ્ઞાન તમને ધરતી પર પણ પછાડી શકે છે. Half knowledge is more dangerous than no knowledge.

કેટલીક વાર આપણે અધૂરી માહિતી કે જ્ઞાનના આધારે કોઈ કામમાં કૂદી પડતા હોઈએ છીએ પરંતુ આગળના પરિણામો વિશે વિચારતા નથી. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિને વીજળીને લાગતું જ્ઞાન ના હોય અને થોડા વિડીયો જોયા પછી ઈલેક્ટ્રિકલ વાયરીંગ કરવાનો પ્રયાસ કરે તો આ અધૂરું જ્ઞાન મોટા જોખમો ઊભા કરી શકે છે, તેને અને અન્ય કોઈને ઘાતક વીજળીનો શોક પણ લાગી શકે છે.

એવી જ રીતે કોઈપણ કંપની કે સંસ્થાનો વડો ચોક્કસ નોલેજ કે માર્કેટ એસેસમેન્ટ અથવા નિષ્ણાતની સલાહ વગર અધુરી માહિતીના આધારે કોઈ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરે અથવા કોઈ પ્રપોઝલ સ્વીકાર કરે તો કંપની કે ઓર્ગેનાઇઝેશનને ભારે નુકસાન ભોગવવું પડી શકે છે. અહીં કંપનીની સ્થિતિ ચક્રવ્યુહમાં ફસાયેલા અભિમન્યુ જેવી થાય છે. જેને ચક્રવ્યુહમાંમાં પ્રવેશ કરતાં જ આવડતું હતું પણ બહાર નીકળતા નહોતું આવડતું. અભિમન્યુનું આ અધૂરું જ્ઞાન તેના મૃત્યુનું કારણ બને છે.

સાચું જ્ઞાન અને યોગ્ય સમય પણ કોઈપણ સાહસની સફળતા માટે જરૂરી છે.

(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ઝરણીઅને ચિંતનકણિકાના સંગ્રહ નિજાનંદઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)

૦૬ જુલાઈ ૨૦૨૫

પંચાંગ 06/07/2025

IND vs ENG: ગિલે એક જ ટેસ્ટમાં બેવડી સદી બાદ સદી ફટકારી

ભારતીય કેપ્ટન શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામેની બીજી ઇનિંગમાં સદી ફટકારી. પ્રથમ ઇનિંગમાં બેવડી સદી ફટકારનાર ગિલે બીજી ઇનિંગમાં 129 બોલમાં પોતાની સદી પૂરી કરી. ગિલ આ શ્રેણીમાં શાનદાર ફોર્મમાં છે અને બીજી ઇનિંગમાં પણ તેણે પોતાની તાકાત બતાવી છે. ગિલની શાનદાર ઇનિંગના આધારે ભારતની લીડ 480 રનને પાર કરી ગઈ છે.

ભારતીય કેપ્ટન શુભમન ગિલની શાનદાર સદીની મદદથી, ભારતે ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ચાના સમય સુધી બીજી ઇનિંગમાં ચાર વિકેટે 304 રન બનાવ્યા હતા. આ રીતે, ભારતની લીડ 484 રન થઈ ગઈ છે. ગિલ અને જાડેજાએ અત્યાર સુધીમાં પાંચમી વિકેટ માટે 60 થી વધુ રનની ભાગીદારી કરી છે.

ગિલે 54 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ગિલ આ સદી સાથે પોતાના નામે મોટી સિદ્ધિ મેળવવામાં સફળ રહ્યો છે. ગિલ સુનીલ ગાવસ્કર પછી બીજા ભારતીય બેટ્સમેન છે અને એક જ ટેસ્ટ મેચમાં બેવડી સદી ફટકાર્યા પછી સદી ફટકારનાર કુલ નવમા બેટ્સમેન છે. ગાવસ્કરે ૧૯૭૧માં વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ઇનિંગમાં સદી ફટકારી હતી, જ્યારે તેઓ બીજી ઇનિંગમાં બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યા હતા. આમ, ગિલ 54 વર્ષ પછી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવનાર બીજા ભારતીય બેટ્સમેન બન્યા છે.

બંને ઇનિંગમાં સદી ફટકારનાર ત્રીજા ભારતીય કેપ્ટન

ગિલ ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારનાર ત્રીજા ભારતીય કેપ્ટન છે. તેમના પહેલા, ગાવસ્કર અને વિરાટ કોહલીએ આવું કર્યું છે. ગાવસ્કરે 1978 માં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં સદી ફટકારી હતી અને ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચની બંને ઇનિંગમાં કોહલીએ સદી ફટકારી હતી. ગાવસ્કરે 107 અને 182* રન બનાવ્યા હતા, જ્યારે કોહલીએ 115 અને 141 રન બનાવ્યા હતા. ગિલે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 269 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં સદી ફટકારવામાં સફળ રહ્યા હતા. ગિલ કેપ્ટન તરીકે પોતાની પહેલી બે ટેસ્ટ મેચમાં ત્રણ સદી ફટકારનાર બીજો ભારતીય ખેલાડી છે. કોહલીએ આ પહેલા પણ આ સિદ્ધિ મેળવી છે.

એટલું જ નહીં, ગિલ ટેસ્ટ શ્રેણીમાં ત્રણ કે તેથી વધુ સદી ફટકારનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે. ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય કેપ્ટનનો રેકોર્ડ સુનીલ ગાવસ્કરના નામે છે. ગાવસ્કરે 1978/79 માં વેસ્ટ ઈન્ડિઝ સામે ચાર સદી ફટકારી હતી. કોહલીએ 2014-15 ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ સદી અને 2017માં શ્રીલંકા સામેની શ્રેણીમાં ત્રણ સદી ફટકારી હતી. હવે ગિલ પણ ઈંગ્લેન્ડના વર્તમાન પ્રવાસ પર ત્રણ સદી ફટકારીને આ યાદીમાં જોડાઈ ગયો છે.

ઇઝરાયલનો ફરી ગાઝા પર હવાઈ હુમલો, 47ના મોત

લગભગ બે વર્ષથી ચાલી રહેલા ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં ગાઝામાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. આ ક્રમમાં, શનિવારે ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 47 પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ હુમલા ત્યારે થયા જ્યારે લોકો ખોરાક મેળવવા માટે લાઇનમાં ઉભા હતા. હોસ્પિટલો ઘાયલોથી ભરેલી છે અને સારવારના સંસાધનોની અછત પડી રહી છે.

તમને જણાવી દઈએ કે ઇઝરાયલ દ્વારા આ હુમલો ત્યારે થયો જ્યારે હમાસે 60 દિવસના યુદ્ધવિરામ પ્રસ્તાવ પર વાતચીત શરૂ કરવા સંમતિ આપી છે. તેનો હેતુ ગાઝામાં રાહત સામગ્રી પહોંચાડવાનો અને ભવિષ્યમાં કાયમી યુદ્ધવિરામ તરફ આગળ વધવાનો છે. હમાસના સાથી ઇસ્લામિક જેહાદે પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો છે. આ સાથે, કાયમી શાંતિ માટે ગેરંટી માંગવામાં આવી છે.

યુદ્ધવિરામ વાટાઘાટોમાં સતત પ્રગતિ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હમાસે 60 દિવસના યુદ્ધવિરામ યોજનાનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. હમાસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ તાત્કાલિક વાતચીત માટે તૈયાર છે. જોકે, આ દરમિયાન, ઇઝરાયલે અમેરિકા દ્વારા પ્રસ્તાવિત આ યોજનાને સૈદ્ધાંતિક રીતે સ્વીકારી લીધી છે.

ક્રિકેટ પછી સુરેશ રૈના હવે અભિનય ક્ષેત્રે પ્રવેશ કરશે

ચેન્નઈ સુપર કિંગ્સના ચાહકોના પ્રિય ‘ચિન્ના થાલા’ એટલે કે સુરેશ રૈના હવે મેદાનને બદલે મોટા પડદા પર પોતાનો કૌવત બતાવવા માટે તૈયાર છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના ટૂંક સમયમાં તમિલ ફિલ્મ ઉદ્યોગમાં અભિનયની શરૂઆત કરશે. આ માહિતી ફિલ્મના પ્રોડક્શન હાઉસ ડ્રીમ નાઇટ સ્ટોરીઝ દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી આપવામાં આવી છે.

ડીકેએસ પ્રોડક્શને જાહેરાત કરી

ડીકેએસે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને સુરેશ રૈનાની આ નવી સફરની જાહેરાત કરી. વીડિયોમાં, રૈના એક ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રવેશતા જોવા મળે છે, જ્યાં પ્રેક્ષકોની તાળીઓ અને ઉત્સાહ વચ્ચે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે ફિલ્મની વાર્તા ક્રિકેટની આસપાસ ફરે છે. આ ફિલ્મનું નિર્દેશન લોગન દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેનું નિર્માણ ડી. સરવણ કુમાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મમાં રૈના મુખ્ય અભિનેતા તરીકે જોવા મળશે.

શિવમ દુબેએ લોગો લોન્ચ કર્યો

ચેન્નઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર શિવમ દુબેએ પ્રોડક્શન હાઉસનું નામ અને તેનો લોગો પણ સત્તાવાર રીતે લોન્ચ કર્યો. આનાથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ સંપૂર્ણપણે ક્રિકેટ-થીમ પર આધારિત હશે અને સુરેશ રૈનાની ક્રિકેટ છબીનો લાભ લેવાનો પ્રયાસ કરવામાં આવશે.

સ્માર્ટ પોલીસિંગ માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી-નાગાલેન્ડ પોલીસ વચ્ચે કરાર

ગાંધીનગર: ગુજરાત—રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) અને નાગાલેન્ડ પોલીસ વચ્ચે એક કરાર કરવામાં આવ્યો છે. જેમાં અદ્યતન તાલીમ, સંશોધન અને નવીનતા દ્વારા સ્માર્ટ પોલીસિંગને પ્રોત્સાહન આપવા પર ભાર આપવામાં આવ્યો છે. આ અઠવાડિયે સમજૂતી કરાર (MOU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે સુરક્ષિત અને સ્માર્ટ ઉત્તરપૂર્વીય ક્ષેત્રના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.ઓનલાઈન હસ્તાક્ષર સમારોહમાં બંને સંસ્થાઓના મુખ્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. RRUનું પ્રતિનિધિત્વ પ્રો. (ડૉ.) બિમલ એન. પટેલ, વી.સી., પ્રો. (ડૉ.) કલ્પેશ એચ. વાન્દ્રા, પ્રો-વીસી; ડૉ. ધર્મેશકુમાર ડી. પ્રજાપતિ, રજિસ્ટ્રાર; ડૉ. જસબીરકૌર થધાણી અને યુનિવર્સિટીના ડીન ભવાની સિંહ રાઠોડએ કર્યું હતું. નાગાલેન્ડ પોલીસનું પ્રતિનિધિત્વ રુપિન શર્મા, IPS, DGP દ્વારા કરવામાં આવ્યું હતું.

આ MoU અંતર્ગત પૂર્વોત્તર ક્ષેત્રની જરૂરિયાતોને અનુરૂપ ટેકનોલોજી-સંચાલિત ઉકેલો, શૈક્ષણિક ભાગીદારી અને પ્રોજેક્ટ્સનો વિકાસ કરવામાં આવશે. RRU નાગાલેન્ડ પોલીસ અધિકારીઓને કાયદા અમલીકરણમાં સમકાલીન પડકારોનો સામનો કરવા માટે જરૂરી કુશળતા અને જ્ઞાનથી સજ્જ કરવા માટે રચાયેલ વિશિષ્ટ, રાજ્ય-વિશિષ્ટ તાલીમ કાર્યક્રમો પ્રદાન કરશે. આ સહયોગ નીચેના મુખ્ય ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે,

  • ઉન્નત તાલીમ: આરઆરયુ નાગાલેન્ડ પોલીસની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ વિશિષ્ટ તાલીમ કાર્યક્રમો પ્રદાન કરશે, જેમાં ગુના તપાસ, સાયબર સુરક્ષા અને સમુદાય પોલીસિંગ જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવશે.
  • સંશોધન અને નવીનતા: કાયદા અમલીકરણમાં ઉભરતા પડકારોનો સામનો કરવા માટે નવીન ઉકેલો ઓળખવા અને અમલમાં મૂકવા માટે સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે.
  • ટેકનોલોજી એકીકરણ: ભાગીદારી કાર્યકારી કાર્યક્ષમતા અને અસરકારકતા વધારવા માટે ટેકનોલોજી-આધારિત ઉકેલોને અપનાવવાને પ્રોત્સાહન આપશે.
  • ઉત્તરપૂર્વકેન્દ્રિત પ્રોજેક્ટ્સ: ઉત્તરપૂર્વ ક્ષેત્રના અનન્ય સુરક્ષા પડકારો અને પ્રાથમિકતાઓને સંબોધવા માટે ચોક્કસ પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવશે.

ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ પોલિસી અંગે રાઉન્ડટેબલ ચર્ચા

ગાંધીનગર: ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ(DST) અને HSBCએ સાથે મળીને ૪ જુલાઈના રોજ રાઉન્ડટેબલ ચર્ચાનું આયોજન કર્યું હતું. ગિફ્ટ સિટી-ગાંધીનગર ખાતે “ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) પૉલિસી ૨૦૨૫-૩૦” વિષય પર આ ચર્ચા કરવામાં આવી હતી. આ રાઉન્ડ ટેબલ ચર્ચામાં વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે ખાસ ઉદબોધન કર્યું હતું. જેમાં તેમણે ગુજરાતની નીતિઓ ભારતના સર્વિસ સેક્ટરના રાષ્ટ્રીય વિઝન સાથે સુસંગત છે, તેમ જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે, ફક્ત છેલ્લા એક વર્ષમાં જ રાજ્ય સરકારે નવીનતા, રોકાણ અને સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપતી નવી પાંચ નીતિઓ અમલમાં મૂકી છે.આ ઉપરાંત મોના ખંધારે જણાવ્યું કે, રોકાણકારોએ ગુજરાતની નીતિગત ફ્રેમવર્ક અને કુશળ માનવબળની ઉપલબ્ધતાની પ્રશંસા કરી છે. ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય છે અને રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દેશની શ્રેષ્ઠ વ્યવસ્થાઓમાં એક છે, જે ગુજરાતને રોકાણ માટે એક સુરક્ષિત અને વિશ્વસનીય સ્થળ બનાવે છે.HSBCના CEO અને ગિફ્ટ સિટી બ્રાન્ચના વડા આશિષ ત્રિપાઠીએ આ ચર્ચાની શરૂઆતમાં ગુજરાતમાં નવીનતા અને રોકાણ માટે HSBCની પ્રતિબદ્ધતા અંગે વાત કરી હતી. ત્યાર બાદ HSBC ઇન્ડિયાના MD અને હેડ ઓફ માર્કેટ્સ એન્ડ સિક્યોરિટીઝ સર્વિસીસ અનિતા મિશ્રાએ ગુજરાતની ઝડપી વિકાસગતિ અને GCCની મહત્ત્વની ભૂમિકાની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે, નીતિ, ઢાંચાકીય સપોર્ટ, R&D પ્રોત્સાહન અને સ્થાનિક પ્રતિભાની સ્કિલ અપગ્રેડિંગ માટે એક સંતુલિત અને દૃઢ ફ્રેમવર્ક છે.

આ બેઠક દરમિયાન ગિફ્ટ સિટી અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન આપવામાં આવ્યા હતા. જેમાં ઉદ્યોગો માટે રાજ્ય સરકારના મુખ્ય પ્રોત્સાહનો અને નીતિગત માળખાને પ્રકાશિત કરવામાં આવ્યો હતો.આ રાઉન્ડ ટેબલ ચર્ચામાં PMC રિટેલ, અસ્તા ઈન્ડિયા, લિટેરા ઈન્ડિયા, કયુ.એક્સ. ગ્લોબલ, ઇન્ડેક્સ ઈન્ડિયા, FSP ઈન્ડિયા, E&Y સહિત કુલ ૨૭ અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના CEO, CFO તથા વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. સાથે જ, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર અને ડિરેક્ટોરેટ ઓફ ICT અને ઈ-ગવર્નન્સના નિયામક કવિતા શાહ ઉપરાંત અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

CA બનવા ઈચ્છુક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ICAI આપશે સહાય

અમદાવાદ: ICAIએ TDSના રેટની વિવિધ સેકશનો સરળ બનાવવા સરકાર સમક્ષ રજૂઆત કરી છે. ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (ICAI) સમગ્ર દેશના કોઈ પણ જાતિ કે ધર્મના બાળકને કે જે ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરવા માંગતો હોય અને પારિવારિક આર્થિક સંકળામણ કે કોઈ પણ અન્ય કારણોસર CAનો અભ્યાસ કરવા સક્ષમ ન હોય તેવા વિદ્યાર્થીઓને મદદ કરશે. આવું બાળક ICAIની કોઈ પણ બ્રાન્ચને જાણ કરશે તો ICAIની ટીમ જરૂરી તપાસ કરી તેવા બાળકોને ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરવામાં શક્ય તમામ મદદ પૂરી પાડશે. ICAIનાં WIRCના ચેરમેન CA કેતન સૈયાએ આજે તેમની અમદાવાદ બ્રાન્ચની મુલાકાતમાં આ વિશે માહિતી આપી હતી.CA કેતન સૈયાએ જણાવ્યું હતું કે, ICAI દ્વારા વિદ્યાર્થીઓ માટે CAનો અભ્યાસ વધારે સરળ બની રહે તે માટે ઘણા સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી આ વર્ષે જરૂરિયાતમંદ બાળકોને CAનો અભ્યાસ કરવા મદદરૂપ થવા માટે રૂ. 400 કરોડનું ફંડ ઉભું કરવાની જોગવાઇ કરવામાં આવી છે. જે અગાઉ રૂ. 100 કરોડ હતું. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસનાં વ્યવસાયમાં કારર્કિદી બનાવવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ઘર આંગણે તક મળી શકે તે માટે દેશનાં વિવિધ જિલ્લાઓમાં કેરિયર કાઉન્સિલિંગ કાર્યક્રમો દ્વારા ICAI જાગૃતતા ફેલાવશે.

CA કેતન સૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, ઈન્કમટેક્ષની વિવિધ કેટેગરીમા કપાતા TDSના રેટની વિવિધ સેકશનોને સરળ બનાવી અને તેમાં ઘટાડો કરી સામાન્ય લોકોને ઓછી તકલીફોનો સામનો કરવો પડે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. હાલનાં સંજોગોમાં ઇન્કમટેક્ષના જુદા-જુદા સ્લેબમાં 25 સેકશનો દ્વારા TDS કાપવામાં આવે છે, જેમાં અસરકારક ઘટાડો કરવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.ICAI દ્વારા ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વૈશ્વિક આર્થિક વેપારના સંદર્ભમાં પોતાની ઓફિસ ખોલવાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10-11 જુલાઈના રોજ સમગ્ર દેશના 100થી વધુ ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભવિષ્યના સુંદર આયોજન માટે ગાંધીનગર ગિફ્ટ સિટીની મુલાકાત કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મુલાકાતથી ચાર્ટડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ગુજરાતના અકલ્પનીય ઔદ્યોગિક વિકાસને જોઈ શકશે તેમ સીએ કેતન સૈયાએ જણાવ્યું હતું.

આ પ્રસંગે ICAIની અમદાવાદ બ્રાન્ચના ચેરમેન CA નીરવ અગ્રવાલે અમદાવાદ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલા વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં ICAIનાં WIRCના ચેરમેન CA કેતન સૈયા, વાઈસ ચેરમેન CA પીયુષ ચાંડક, સેક્રેટરી CA જીનલ સાવલા, ટ્રેઝરર CA(ડો) ફેનિલ શાહ, મેમ્બર CA બીશન શાહ, અમદાવાદ બ્રાન્ચના ચેરમેન CA નીરવ અગ્રવાલ, સેક્રેટરી CA સમીર ચૌધરી, વિકાસા ચેરમેન CA શિખા અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતાં.

પક્ષી પ્રેમીઓએ રિવરફ્રન્ટ પર અવનવા પક્ષીઓને નીહાળ્યા

અમદાવાદ: શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા બાયોડાયવર્સિટી પાર્કમાં 5 જુલાઇને શનિવારની સવારથી અવનવા પક્ષીઓની રંગીન દુનિયાને જાણવાનો-જોવાનો રોમાંચક અવસર શરૂ થયો. પક્ષીઓને સમજનારા નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ પક્ષીઓની દુનિયાને જાણી શકાશે. અંદાજે 191થી વધુ જાતિના પક્ષીઓને આંબેડકર બ્રિજ નીચેના બાયોડાયવર્સિટી પાર્કમાં હવે દર શનિવારે અને રવિવારે સવારે 6 થી 8 તેમજ સાંજે 5 થી 8 સુધી જાણી શકાશે.પક્ષીઓની આ રંગીન દુનિયા સાથે જોડાયેલા નિષ્ણાંત પ્રશાંત શાહ ચિત્રલેખા.કોમને કહે છે, “પહેલાં સાબરમતી નદી મોટાભાગના દિવસોમાં સૂકીભઠ રહેતી. હવે જ્યારથી રિવરફ્રન્ટ બન્યો, સારા ચોમાસા, ઉપરવાસના પાણી, નર્મદાના પાણીથી અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી જીવંત થઇ ગઇ છે. એમાંય એક વર્ષ કરતાં વધુ સમયથી અમારી બર્ડ કન્ઝર્વેશન સોસાયટીની ટીમોએ સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ-પશ્ચિમ કાંઠાનો અભ્યાસ કર્યો. એમાં તારણ નીકળ્યું કે રિવરફ્રન્ટના સંવર્ધન સતત નદીમાં સતત ભરેલા પાણી અને બાયોડાયવર્સિટી પાર્ક જેવા કાંઠાના જુદા-જુદા કુદરતી ઉપક્રમોના કારણે હજારોની સંખ્યામાં પક્ષીઓ વધ્યા.”

વધુમાં પ્રશાંત શાહ જણાવે છે કે, “અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કુદરતી સંપદાની વૃધ્ધિમાં અને પક્ષી સંવર્ધનમાં સહયોગ મળી રહ્યો છે. બાયોડાયવર્સિટી પાર્કની જેમ રિવરફ્રન્ટ પર અસંખ્ય વૃક્ષોમાં પણ વૃધ્ધિ થતાં તેમજ નદીના પાણીના કારણે બર્ડ કન્ઝર્વેશન સોસાયટીએ અંદાજે 191 કરતાં પણ વધારે જાતિના પક્ષીઓને નિહાળ્યા છે અને અભ્યાસ કર્યો છે. શહેરના રિવરફ્રન્ટ પર જ આટલા બધા પક્ષીઓ વધ્યા એટલે પક્ષી પ્રેમીઓમાં ભારે આનંદ છે. એટલે જ બાયોડાયવર્સિટી પાર્કમાં દર શનિવારે અને રવિવારે તમામ ઉંમરના પક્ષી પ્રેમીઓ દુરબીન અને માર્ગદર્શન પૂરુ પાડવામાં આવશે.

(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)