ઇઝરાયલે ઇરાન પર ચોક્કસ અને ઘાતક હુમલો કરીને પોતાની તાકાતનું પરીક્ષણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ અહેવાલ આપ્યો છે કે ભયંકર હુમલા પછી પણ, ઇઝરાયલી રણનીતિકારો અવાચક રહી ગયા છે. ઇરાનના કોમ શહેરની ટેકરીઓમાં સ્થિત ફોર્ડો પરમાણુ પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી. ઇઝરાયલ અને અમેરિકા બંને પરમાણુ મુક્ત ઇરાન ઇચ્છે છે. જ્યારે ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ વાઘેઇએ પરમાણુ અપ્રસાર સંધિથી પોતાને દૂર રાખવાનો સંકેત આપ્યો છે. બધા સંકેતો બંને દેશો વચ્ચે યુદ્ધ તરફ ઇશારો કરી રહ્યા છે.

નવીનતમ વિકાસમાં વધુ એક ફેરફાર થયો છે. ઇરાન ઇઝરાયલી હુમલાનો જવાબ આપવા માટે તૈયારી કરી રહ્યું છે અને અમેરિકાએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં સુરક્ષા અને શાંતિ માટે તૈનાત તેના સ્ટ્રાઇકિંગ યુદ્ધ જહાજ યુએસએસ નિમિત્ઝને મધ્ય-પૂર્વ એશિયા તરફ મોકલ્યું છે. એવું માનવામાં આવે છે કે વધતા તણાવને ધ્યાનમાં રાખીને આ વ્યૂહાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. યુએસએસ નિમિત્ઝ દક્ષિણ ચીન સમુદ્રમાં પોતાની હાજરી અનુભવે છે અને 20 જૂને વિયેતનામમાં એક સમારોહમાં ભાગ લેવાનું હતું. હવે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ ક્ષેત્રમાં યુએસએસ નિમિત્ઝની હાજરી વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

અસ્તિત્વ માટેની લડાઈ વધી
ઇઝરાયલે ઈરાનના ઘણા શહેરો, વ્યૂહાત્મક થાણાઓ, ગેસ ક્ષેત્રો, પરમાણુ ક્ષેત્રો પર ઘાતક હુમલા કર્યા. જવાબમાં, ઈરાને તેલ અવીવ અને અન્ય સ્થળોએ પણ વિનાશ કર્યો. વ્યૂહાત્મક અને વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાતો માને છે કે પ્રાદેશિક સ્તરે બંને દેશો વચ્ચે મોટા યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા વધી રહી છે. એસકે શર્મા કહે છે કે ઈરાનના પ્રવક્તા ઇસ્માઇલ વાઘેઈએ તેમના દેશને એનપીટીથી દૂર રાખવાનો સંકેત આપ્યો છે. વાઘેઈ કહી રહ્યા છે કે તેમનો દેશ સામૂહિક વિનાશના શસ્ત્રોના ઉત્પાદનની વિરુદ્ધ છે, પરંતુ તે હવે એનપીટીનો બોજ સહન કરી શકશે નહીં. શર્મા કહે છે કે ઈરાન માટે આ કરવું સરળ નથી, પરંતુ તે સીધો એક મોટો પડકાર પણ છે.










ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન પછી એમના અંગત અને જાહેર જીવન વિશે ઘણું બધું લખાઇ ચૂક્યું છે. 4 ઓગસ્ટ, 1956ના રોજ બર્માના રંગૂનમાં જન્મ, રાજકોટમાં ઉછેર અને શિક્ષણ, યુવાવસ્થાથી જ સંઘના સંસ્કાર અને ભાજપમાં પ્રવેશ, કટોકટીમાં જેલવાસ, સંઘ પરિવારના જ અંજલિબહેન સાથે પ્રેમલગ્ન. લગભગ પાંચ દાયકાના રાજકીય જાહેરજીવનમાં રાજકોટના મેયર, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન, રાજ્યસભાના સભ્ય, પ્રદેશ ભાજપના પ્રમુખ અને છેલ્લે ગુજરાતના મુખ્યમંત્રી એમ સંગઠન-સરકારમાં અનેક જવાબદારીઓ નિભાવી. પંજાબના ભાજપના પ્રભારી પણ રહ્યા. (ચિત્રલેખાઃ 7 માર્ચ, 2016)
પરંતુ એક રાજકીય આગેવાન તરીકે વિજયભાઇ બીજા કરતાં એ બાબતમાં અલગ પડયા કે, કોઇ જ્ઞાતિ-જાતિના પીઠબળ વિના ફક્ત એક સમર્પિત કાર્યકર્તા તરીકે એ મુખ્યમંત્રી જેવા ટોચના હોદ્દા સુધી પહોંચ્યા. નહીં તો આજકાલ કોઇ હોદ્દા માટે પસંદગી કરવાની હોય ત્યારે જ્ઞાતિનું પીઠબળ પહેલાં જોવાય છે, પણ વિજયભાઇ જેની કોઇ વોટબેંક જ નથી એવા સમાજમાંથી આવતા હોવા છતાં મુખ્યમંત્રી બન્યા. ચૂંટણીના રાજકારણમાં એ મત ઊઘરાવી શકે એવો લોકપ્રિય ચહેરો ન બની શક્યા, પણ સંગઠનમાં વર્ષો સુધી કામ કર્યું એટલે પક્ષના કાર્યકરો-નેતાઓનો વિશ્વાસ જીતી શક્યા. એ અર્થમાં વિજય રૂપાણી અપવાદ છે કે, જ્ઞાતિવાદના જોરે કે વ્યક્તિગત લોકપ્રિયતાના બળ વિના પણ એ ફક્ત પક્ષ માટે કામ કરતા કરતા પોતાની રાજકીય કારકિર્દી બનાવી શક્યાય. રાજકીય ચડાવ ઉતાર વચ્ચે ય એ કરતા જાળ કરોળીયોની માફક પક્ષ માટે મહેનત કરતા રહ્યા.
મિલનસાર અને સહજ સ્વભાવે આ બાબતમાં એમની મદદ કરી. મુખ્યમંત્રી નહોતો ત્યારે અને હતા ત્યારે પણ પક્ષના નાના કાર્યકર્તાઓને પણ મળતા રહ્યા. એમને મળવાનું કોઇ માટે અઘરું નહોતું. એપોઇન્ટમેન્ટ લેવાની બહુ મોટી ઝંઝટ નહોતી એટલે રાજકીય આગેવાનોમાં દુર્લભ એવી આ ‘ઇઝી એક્સેસ’ ના કારણે એમની આ સરળતાનો પરિચય એમના સંપર્કમાં આવનાર તમામ લોકોને થયો.
અફકોર્સ, છેવટે તો વિજયભાઇ એક રાજકારણી હતા. રાજકીય તેલ જોઇને, એ તેલની ધાર જોઇને ડગલું માંડનાર રાજકારણી. મળે ત્યારે સામેવાળી વ્યક્તિને, ખાસ કરીને મોટાભાગના પત્રકારોને લાગે કે વિજયભાઇએ એમની સાથે પેટછૂટી રાજકીય વાતો કરી છે, પણ હકીકતમાં વિજયભાઇ જેટલું બોલવાનું હોય એટલું જ બોલ્યા હોય! જે સંજોગોમાં મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવું પડ્યું એ પછી ય જાહેરમાં ક્યારેય બળાપો કાઢ્યો નહીં, કુશળ રાજકારણીની જેમ રાજકીય રહસ્યો પચાવી રાખવાની કળા એમને સાધ્ય હતી. એ શાણા રાજકારણી જરૂર હતા, પણ લુચ્ચા નહોતા. એ અર્થમાં વિજયભાઇ શાતિર પણ નહોતા કે કિન્નાખોર પણ નહોતા.
પક્ષ પ્રત્યેની વફાદારી એમના રાજકીય જીવનનો સૌથી મોટો ગુણ હતો. સત્તા છોડવી પડે ત્યારે ભલભલા રાજકારણીઓથી પક્ષ વિરુધ્ધ બળાપો નીકળી જતો હોય છે. એમની નારાજગી સીધી કે આડકરતી રીતે છતી થઇ જતી હોય છે, પણ વિજયભાઇ એમાંથી બચી શક્યા. હજુ થોડાક સમય પહેલાં જ ગાંધીનગરસ્થિત એમના નિવાસસ્થાને અનૌપચારિક વાતચીતમાં અમે એમને પૂછ્યું કે, ક્યારેય તમને પક્ષ છોડી દેવાનો કે બળવો કરવાનો વિચાર ન આવ્યો?
વિજયભાઇએ બહુ સરસ જવાબ આપેલો. એમણે કહેલુઃ ‘સંગઠનમાં જિલ્લા-તાલુકા કક્ષાએ કોઇ કાર્યકર્તા પોતાને અન્યાય થયો હોવાની ફરિયાદ કરે કે પક્ષના કોઇ નિર્ણય સામે વિરોધના સૂર બતાવે ત્યારે અમે હંમેશા એમને વ્યક્તિ કરતાં પક્ષ મહાન છે અને પક્ષની શિસ્ત જ સર્વોપરી છે એમ કહીને સમજાવતા આવ્યા છીએ. હવે આજે હું જ એ શિસ્ત તોડું તો ક્યો કાર્યકર્તા મારા બોલવા પર ભરોસો મૂકે?’
કાર્યકર્તાઓનો આ ભરોસો, કાર્યકર્તાઓની આ લાગણી જ તમારા ગયા પછી એમની આંખો છલકાવી ગઇ છે, વિજયભાઇ!


