Home Blog Page 85

વાસ્તુ: ઈશાન દિશાની ભૂલ ઘરમાં નકારાત્મકતા લાવી શકે

શું તમને જીવન પ્રત્યેની ચિંતાઓ વધી રહી છે? શું તમારો વાસ્તુશાસ્ત્ર પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે? શું તમને આંખોમાં બળતરા થાય છે? શું તમારો આત્મવિશ્વાસ ઘટી રહ્યો છે? શું તમને સતત કંઈક થઈ જવાનો ડર લાગે છે? શું તમે રીલ્સમાં વિશ્વાસ કરીને એની સલાહ મુજબ જીવન જીવો છો? તો સમજો કે તમે હાથે કરીને દુઃખી થવાનું શરૂ કર્યું છે.

સર્વપ્રથમ તો રીલ્સ જોવાનું ઓછું કરો અને તમારા મગજ તેમજ આંખોને આરામ આપો. જે પ્લેટફોર્મ પર લોકો પોપ્યુલર થવા માટે કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે, તેના પર સંપૂર્ણ ભરોસો કેવી રીતે કરી શકાય? સત્ય બહુ ઓછા લોકોને ગમે છે. તેથી તે સહેલાઈથી પોપ્યુલર બનતું નથી.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈમેલ પર પૂછી શકો છો.

સવાલ: હું એક સોશિયલ મીડિયા સ્ટાર છું. અમને જેટલી ઝડપથી પ્રસિદ્ધિ મળે છે, એટલો જ વધુ તણાવ પણ ઉભો થાય છે. સતત કંઈક નવું આપવા માટે અને સતત પોપ્યુલર રહેવા માટે ઘણી વખત મન મારીને કામ કરવું પડે, ખોટું બોલવું પડે અને ખોટા વખાણ પણ કરવા પડે. મારી મમ્મી હંમેશાં કહેતા કે, “આ બધી ઉપાધિ છોડીને નોકરી શોધી લે.” પરંતુ સફળતાનો નશો એ કરવા ક્યાં દે?

એક દિવસ મને ડિપ્રેશનનો એટેક આવ્યો. આત્મહત્યાના વિચારો આવવા લાગ્યા. મારા મમ્મી ગભરાઈ ગયા અને રીલ્સ જોઈને ઈશાનમાં પીપળો વાવી દીધો, રસોડાના પ્લેટફોર્મ પર તુલસીનું કુંડું મૂકી દીધું અને ગેસ સ્ટવ પર બે વાટકા ટીંગાડી દીધા. ત્યારબાદ અચાનક મારું કામ ખોરવાઈ ગયું. મારી ટ્રીટમેન્ટ પાછળ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છતાં તકલીફ યથાવત છે. હવે તો વાસ્તુશાસ્ત્ર પરથી વિશ્વાસ જ ઉઠી ગયો છે. તેથી મને સાચું માર્ગદર્શન આપીને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા વિનંતી.

જવાબ: સફળતાનો આનંદ માણવાનો હોય, તેનો નશો કરવાનો નથી. તમે મફતમાં વાસ્તુની સલાહ લીધી અને લાખો રૂપિયા ગુમાવ્યા. જો તમારે હીરો ખરીદવો હોય તો તમે ઝવેરી પાસે જશો કે કુંભાર પાસે?

ભારતીય વાસ્તુશાસ્ત્રના નિયમો યોગ્ય રીતે સમજવામાં આવે તો અનેક સમસ્યાઓના ઉકેલ માટે મદદરૂપ બની શકે છે. પરંતુ મફતમાં માટી મળે, સોનું નહીં. તમે જે રીલ્સ જોઈ, તે માત્ર મનોરંજન માટે હોય છે. તમે પોતે જ સ્વીકારો છો કે પોપ્યુલર થવા માટે તમે ઘણી નૈતિક રીતે ખોટી બાબતો કરી. તેવી જ રીતે વાસ્તુના વિષયમાં પણ ઘણા લોકો લોકપ્રિયતા મેળવવા માટે ગેરમાર્ગદર્શન આપે છે.

ઈશાનમાં મોટું વૃક્ષ ક્યારેય ન વાવવું જોઈએ. રસોડાના પ્લેટફોર્મ પર કુંડું મૂકવું યોગ્ય નથી. વાટકા ટીંગાડવા માટે નથી હોતા. આટલી સમજ તો સામાન્ય માણસને પણ હોય.

ડિપ્રેશન બ્રહ્મના દોષથી આવે છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. ચોક્કસ ફરક અનુભવશો. રીલ્સ જોઈને જે કંઈ કર્યું હોય તે બધું દૂર કરી નાખો. મફતમાં સલાહ લેવાના બદલે જો કોઈ નિષ્ણાતને યોગ્ય ફી આપી હોત તો તમને વધુ સસ્તું પડ્યું હોત. મોટા ભાગના લોકોને મફતમાં જ્ઞાન લઈને પછી હેરાન થવાનું ગમે છે.

સવાલ: મારો દીકરો જરાય ફોકસ નથી રાખતો. કાઉન્સેલિંગમાં લાખો રૂપિયા ખર્ચ્યા છતાં એ ભણવા જ નથી બેસતો. કોઈ ઉપાય આપો. મારા ઘરમાં મોટા ફેરફાર શક્ય નથી. એટલે સરળ ઉપાય જણાવશો.

જવાબ: આ માટે તમારા ઘરનો નકશો જરૂરી રહેશે. મારા અભ્યાસ દરમિયાન મેં કેટલીક સુગંધ પર કામ કર્યું છે, જેના કારણે બાળકની પ્રકૃતિ વધુ સકારાત્મક બની શકે છે. નકશો જોયા બાદ હું તમને યોગ્ય માર્ગદર્શન આપી શકીશ. ચોક્કસ ફરક પડશે.

સૂચન: ઈશાન દિશામાં ઊંચા વૃક્ષો વાવવાથી નકારાત્મક ઊર્જા વધે છે. તેથી ઈશાનમાં મોટા વૃક્ષો ન વાવવા જોઈએ.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૮ મે ૨૦૨૬

મકાન ‘માલિક’નું ને દિલ ‘ભાડવાત’નું… પેઈંગ ગેસ્ટની ફિલ્મી સફર

સાઉથ મુંબઈમાં રહેતા 76 વર્ષી મહેશ મહેતાની સ્થિતિ જોતાં હૃષીકેશ મુખર્જી કે બાસુ ચેટર્જીની ફિલ્મનું દ્રશ્ય આંખ સામે તરી આવે. સંતાનો વિદેશમાં સેટલ છે, મહેશભાઈ વિશાળ ફ્લૅટમાં એકલતા સાથે ‘દોસ્તી’ કરી રહ્યા છે. એકલતા દૂર કરવા માટે અને થોડી વધારાની આવક માટે એમણે એરબીએનબી (Airbnb)નો સહારો લીધો, જેથી અવારનવાર મહેમાનો આવતા રહે… પણ એમાં સોસાયટીના નિયમો આડે આવ્યા. મામલો કોર્ટ સુધી પહોંચ્યો. કોર્ટે પણ સાફ કહી દીધું કે 11 મહિનાના પેઈંગ ગેસ્ટ અને એરબીએનબીના હોટેલ-ગેસ્ટમાં ફરક છે. સોસાયટીની મંજૂરી વગર અતિથિ દેવો ભવ:ની આ સ્કીમ નહીં ચાલે…

સામાજિક રીતે જોઈએ તો આજનાં સંતાનોનું વિદેશમાં સેટલ થવું એ મા-બાપ માટે ઈમોશનલ અને ઈકોનોમિકલ ક્લાઈમેક્સ જેવું બની ગયું છે, પણ પેઈંગ ગેસ્ટ કે ભાડવાત રાખવાની પરંપરા કંઈ આજકાલની નથી. 19મી સદીના અંતમાં જ્યારે ગામડાના યુવાનો મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ કે સરકારી નોકરીનાં સપનાં લઈને આવતા, ત્યારે પારસી કે એંગ્લો-ઈન્ડિયન પરિવારો તેમને પોતાનાં ઘરમાં આશરો આપતા. ભાડું જરૂર લેવાતું, પણ વ્યવહાર ઘરના સભ્ય જેવો રહેતો.

પછી સમય બદલાયો અને આ સિસ્ટમ પ્રોફેશનલ બની ગઈ. મકાનમાલિક સાથે રહેવાની મજબૂરી નથી રહી, રેન્ટ કે લીવ એન્ડ લાઈસન્સના દસ્તાવેજ હવે મલ્ટી-બિલિયન ડોલર ઈન્ડસ્ટ્રી બની ગયા છે. નવાઈની વાત એ છે કે આપણા ફિલ્મસર્જકો આટલી મોટી વરવી સામાજિક વાસ્તવિકતાને કેમેરામાં કેદ કરવાનું ભાગ્યે જ વિચારે છે.

જો કે, જ્યારે જ્યારે ઘરની સમસ્યાની વાત નીકળે ત્યારે 1977માં આવેલી ડિરેક્ટર ભીમસેનની ‘ઘરોંદા’ અને તેના ગીત “દો દીવાને શહર મેં, રાત મેં યા દોપહર મેં, આબુદાના ઢૂંઢતેં હૈં, આશિયાના ઢૂંઢતે હૈ” અચૂક યાદ આવે. ‘ઘરોંદા’માં મોટા સ્ટાર્સ નહોતા, પણ અમોલ પાલેકર-ઝરીના વહાબ-ડો. શ્રીરામ લાગુ હતાં. આમ છતાં પહોળા કોલરવાળાં શર્ટ-બેલબોટમ-હાઈ હિલવાળા શૂઝમાં સજ્જ યુવાન-યુવતી ‘ઘરોદાં’ જોવા જતાં એવું મને આછું આછું યાદ છે, કેમ કે ફિલ્મનો વિષય એમને કનેક્ટ થતો. છાયા-સુદીપ (ઝરીના વહાબ-અમોલ પાલેકર) પ્રેમમાં છે, એમને લગ્ન કરીને સેટલ થવું છે, પણ મુંબઈમાં ઘર મળે કેવી રીતે? આમ તો બન્ને કમાય છે, પણ લોન અથવા મોરગેજની બાત ત્યારે બને જ્યારે ડાઉન પેમેન્ટની વ્યવસ્થા થાય. સુદીપ જેમતેમ વ્યવસ્થા કરે છે, અન્ડર કન્સ્ટ્રક્શનમાં ફ્લૅટ નોંધાવે છે, પણ બિલ્ડર લેભાગુ નીકળે છે, ડાઉન પેમેન્ટ ડૂબી જાય છે… પછી પછી શું થાય છે? અને ડિરેક્ટર ભીમસેને કેવી કેવી કમાલ કરેલી એ વિશે એક અલગ લેખનું આયોજન કરેલું છે.

અત્યારે તો જોઈએ ભાડાનાં મકાન, મકાનમાલિક કે પેઈંગ ગેસ્ટના ખાટા-મીઠા અનુભવની આસપાસ ફરતી અમુક ફિલ્મો. બ્લૅક ઍન્ડ વ્હાઈટના જમાનામાં, 1957માં આવેલી દેવ આનંદ-નૂતનની ફિલ્મનું નામ જ ‘પેઈંગ ગેસ્ટ’ છે. દેવ આનંદ-નૂતનની લાક્ષણિક અદાકારી અને એસ. ડી. બર્મન સંગીતવાળી આ રોમાન્ટિક ફિલ્મમાં સસ્પેન્સનું પણ ગાર્નિશિંગ હતું.

કલરની વાત કરીએ તો સઈ પરાંજપેની ‘ચશ્મેબદ્દુર’ અને લવ રંજનની ‘પ્યાર કા પંચનામા’ બેચલર્સના ફ્લેટ શેરિંગ પર આધારિત હતી. દિગ્દર્શક બાપુની ‘વો સાત દિન’માં શહેરમાં મ્યુઝિક ડિરેક્ટર બનવા આવેલો અનિલ કપૂર હીરોઈન પદ્મિની કોલ્હાપુરેના ઘરમાં રહે છે. મકાનમાલિક સાથે તેની ખિટપિટ અને ગામડાના માહોલમાં શહેરના ભાડવાતની હાલત ખૂબ જ રમૂજી રીતે વણી લેવાઈ છે. 2009માં આવેલી ‘વેક અપ સિડ’ને આજના સમયની ફિલ્મ કહી શકાય. રણબીર કપૂર એના લક્ઝુરિયસ ઘરેથી નીકળીને આયેશા (કોંકણા સેન શર્મા)ના ઘરે પેઈંગ ગેસ્ટ અથવા કો-લિવિંગ પાર્ટનર તરીકે રહેવા જાય છે. અહીં સંબંધોમાં પૈસા કરતાં એકબીજાને સમજવાની વાત વધુ છે. 2009માં જ આવેલી ‘પેઈંગ ગેસ્ટ’ (દિગ્દર્શક પરિતોષ પેઈન્ટર)માં શ્રેયસ તળપદે-આશિષ ચૌધરી-જાવેદ જાફરી થાઈલેન્ડના ખૂબસૂરત શહેર પટ્ટાયામાં અસરાનીની માલિકીના ઘરમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા હોય એવી વાત છે.

એક્ટર-રાઈટર-ડિરેક્ટર આનંદ તિવારીની પહેલી ફિલ્મ હતીઃ ‘લવ પર સ્ક્વેર ફીટ’. વિકી કૌશલ-અંગિરા ધરને ચમકાવતી આ ફિલ્મ 2018માં નેટફ્લિક્સ પર આવેલી. ટાઈટલ પરથી જ ખ્યાલ આવી જાય કે ફિલ્મ મુંબઈ હાઉઝિંગની દિમાગમાં ન ઘૂસે એવી જટિલતા વિશે છે.

 -પણ આ બધામાં સૌથી ચડી જાય એવી ફિલ્મ એટલે રાજ કપૂરની ‘અનાડી’ (1959). પ્રામાણિક, સીધોસાદો, ગામડાનો ગરીબ ગ્રેજ્યુએટ રાજકુમાર (રાજ કપૂર) મુંબઈમાં નસીબ અજમાવવા આવે છે, આધેડ વયનાં ક્રિશ્ચન વિધવા મિસિસ ડીસા (લલિતા પવાર)નાં ઘરે પેઈંગ ગેસ્ટ તરીકે રહે છે.

‘અનાડી’માં મકાનમાલિક-પેઈંગ ગેસ્ટના સંબંધની એક અલગ ઊંચાઈ જોવા મળે છે. મિસિસ ડીસા એકલાં રહે છે, ઉપરથી કડક, શિસ્તબદ્ધ લાગે, પણ અંદરથી રાજને સગા દીકરાની જેમ ચાહે છે. રાજનાં ચિત્રો એને ખબર ન પડે એ રીતે ખરીદે છે. રાજ બીમાર પડે છે ત્યારે એની માવજત કરે છે એ સીન ઈમોશનલ છે. એવો જ એમનો ડેથ સીન. મિસિસ ડીસા માંદાં પડે છે, રાજ ડૉક્ટરે પ્રિસ્ક્રાઈબ કરેલી દવા એમને આપે છે, પણ એ નકલી અથવા ભેળસેળવાળી દવા નીકળે છે, જેના લીધે એમનું મૃત્યુ થાય છે.

કિશોરવયે બ્લૅક ઍન્ડ વ્હાઈટ ટીવી પર મિસિસ ડીસાનો ડેથ સીન જોઈને હું ધ્રૂસકે ધ્રૂસકે રડેલો. અમુક કિસ્સામાં પેઈંગ ગેસ્ટ પરિવારનો હિસ્સો બની જતો હોય છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આ ફિલ્મ છે.

તે વખતે લલિતા પવાર જુલમી સાસુના રોલ માટે જાણીતાં હતાં, પરંતુ ‘અનાડી’માં મિસિસ ડીસાના કેરેક્ટરે તેમને પ્રેમાળ મા તરીકે સ્થાપિત કરી દીધાં. આ રોલ માટે એમને ફિલ્મફેર એવૉર્ડ મળ્યો હતો.

રાજ કપૂરની જ ‘શ્રી 420’માં લલિતા પવાર રસ્તા પર કેળાં વેચતાં મહારાષ્ટ્રિયન ગંગા મૌસી છે. જો કે આ ફિલ્મમાં રાજ કપૂર પેઈંગ ગેસ્ટ કમ, આશ્રિત વધારે હતા, કેમ કે ગંગા મૌસી પોતે ઝૂંપડપટ્ટીમાં રહેતાં. અલાહાબાદથી મુંબઈ નોકરી શોધવા આવેલા રાજુ (રાજ કપૂર)ના રહેવાની સગવડ એ ઝૂંપડાની બહાર, ફૂટપાથ પર કરી આપે છે, બદલામાં રાજુ “દિલ કા હાલ સૂને દિલવાલા” ગાઈને ઝૂંપડાંવાસીઓનું રંજન કરે છે! ‘અનાડી’ અને ‘શ્રી 420’ ઈન્ટરનેટ પર અવેલેબલ છે. મન થાય તો જોઈ નાખજો.

આ તો છાપામાં પેઈંગ ગેસ્ટના એક કેસના ચુકાદા વિશે સમાચાર વાંચ્યા ને આ અફસાનો માંડ્યો. આવા વિષય પર બનેલી બીજી કોઈ ફિલ્મ યાદ આવે તો જણાવજો.

Chitralekha Gujarati – 18 May, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

પંચાંગ 08/05/2026

બંગાળમાં મમતા શાસનનો અંત, રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી

પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક ઐતિહાસિક અને અત્યંત મોટો ઉલટફેર જોવા મળ્યો છે. રાજ્યપાલ આર.એન. રવિએ ગુરુવારે સત્તાવાર રીતે પશ્ચિમ બંગાળ વિધાનસભાને ભંગ કરવાનો આદેશ જારી કર્યો છે. કોલકાતા ગેઝેટમાં પ્રકાશિત આ નોટિફિકેશન બાદ મમતા બેનર્જીની સરકાર બંધારણીય રીતે બરખાસ્ત થઈ ગઈ છે અને હવે તેઓ રાજ્યના મુખ્યમંત્રી રહ્યા નથી. આ સાથે જ બંગાળમાં છેલ્લા ૧૫ વર્ષથી ચાલી રહેલા તૃણમૂલ કોંગ્રેસના એકહથ્થુ શાસનનો ઓચિંતો અંત આવ્યો છે, જેનાથી સમગ્ર દેશના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે.

રાજ્યપાલ દ્વારા જારી કરાયેલા ગેઝેટ નોટિફિકેશન મુજબ, વિધાનસભાની મુદત પૂર્ણ થતાની સાથે જ સમગ્ર કેબિનેટને ભંગ કરી દેવામાં આવી છે. ખાસ વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી મમતા બેનર્જીના રાજીનામાને લઈને જે રાજકીય ખેંચતાણ ચાલી રહી હતી, તેનો અંત કોઈ સ્વૈચ્છિક રાજીનામાથી નહીં પરંતુ સીધી બંધારણીય પ્રક્રિયા દ્વારા આવ્યો છે. ૭ મે ૨૦૨૬ થી આ નિર્ણય અમલી બની ગયો છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે રાજ્યમાં કોઈ મંત્રીમંડળ અસ્તિત્વમાં નથી અને મમતા બેનર્જી હવે મુખ્યમંત્રી પદની સત્તાઓ ધરાવતા નથી.

બંધારણીય જોગવાઈઓની વાત કરીએ તો, રાજ્યપાલ આર.એન. રવિએ ભારતીય સંવિધાનના અનુચ્છેદ ૧૭૪ (૨)(બી) હેઠળ મળેલી પોતાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરીને આ મહત્વનું ડગલું ભર્યું છે. આ ગેઝેટ નોટિફિકેશન પર બંગાળના મુખ્ય સચિવ દુષ્યંત નારિયાલાના હસ્તાક્ષર પણ છે, જે આ પ્રક્રિયાની સત્તાવાર પુષ્ટિ કરે છે. આ નિર્ણય સાથે જ બંગાળના રાજકીય ઈતિહાસમાં ૨૦૧૧ થી શરૂ થયેલો મમતા બેનર્જીનો યુગ હવે ભૂતકાળ બની ગયો છે.

વિધાનસભા ભંગ થવાની આ ઘટના બંગાળના ભવિષ્ય માટે અનેક સવાલો ઉભા કરી રહી છે. હવે રાજ્યમાં નવી ચૂંટણીઓ ક્યારે યોજાશે અને વચગાળાની વ્યવસ્થા કેવી રહેશે તે અંગે ઉત્સુકતા વધી છે. મમતા બેનર્જીએ ૨૦૧૧ માં ડાબેરીઓના ૩૪ વર્ષના શાસનને ઉખેડી ફેંક્યું હતું, પરંતુ હવે ૧૫ વર્ષ બાદ તેમની સત્તાનો અંત આવતા બંગાળમાં ફરી એકવાર મોટા રાજકીય પરિવર્તનના એંધાણ વર્તાઈ રહ્યા છે. વિપક્ષો આને લોકશાહીની જીત ગણાવી રહ્યા છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

TVKપ્રમુખે રાજ્યપાલ પાસે બહુમત માટે બે મહિનાનો માગ્યો સમય

ચેન્નઈઃ તામિલનાડુમાં TVK નવી સરકાર બનાવવાના પ્રયાસોમાં લાગી છે. જોસેફ વિજય ગુરુવારે લોકભવન પહોંચ્યા હતા અને તેમણે રાજ્યપાલ આર. એન. રવિ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે બહુમત સાબિત કરવા માટે બે મહિનાનો સમય માગ્યો હોવાનું કહેવાય છે. બુધવારે પણ વિજય લોકભવન ગયા હતા અને રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો, પરંતુ રાજ્યપાલે તેમને 118 ધારાસભ્યોના સમર્થન સાથેનું પત્ર રજૂ કરવા કહ્યું હતું. વિજયે રાજ્યપાલને 112 ધારાસભ્યોના હસ્તાક્ષરવાળા સમર્થન પત્રો સોંપ્યો હતો.

 વિજયે રાજ્યપાલ પાસે સમય માગ્યો

TVKપ્રમુખ જોસેફ વિજયે બહુમત સાબિત કરવા માટે બે મહિનાનો સમય માગ્યો છે. તામિલનાડુમાં નવી સરકારના ગઠન અંગે રાજકીય અનિશ્ચિતતા વધી રહી છે. જોકે કોંગ્રેસે વિજયને સમર્થન આપ્યું છે, જેને કારણે 108 બેઠકો જીતનાર TVKને કુલ 112 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે, પરંતુ અહીં એક મુશ્કેલી પણ છે. વિજય બે બેઠકો પરથી ચૂંટણી લડ્યા હતા, તેથી તેમને ટૂંક સમયમાં એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે. ત્યાર બાદ TVKને બહુમત માટે વધુ સાત ધારાસભ્યોના સમર્થનની જરૂર પડશે.

 લોકભવન બહાર વિરોધ પ્રદર્શન

રાજ્યપાલ સાથે બે વખત મુલાકાત કર્યા બાદ પણ સરકાર બનાવવા આમંત્રણ ન મળતાં TVKના કાર્યકર્તાઓએ લોકભવન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

કોંગ્રેસે રાજ્યપાલની ટીકા કરી

કોંગ્રેસની તામિલનાડુ એકમે ગુરુવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરની ટીકા કરતાં કહ્યું હતું કે સરકારો લોકભવનના લોનમાં નહીં, પરંતુ વિધાનસભાના પાટલા પર નક્કી થાય છે. પાર્ટીના ધારાસભ્ય સે. રાજેશકુમારે એક પત્રમાં લખ્યું હતું કે તામિલનાડુના લોકોના કલ્યાણ અને રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે સાંપ્રદાયિક શક્તિઓને અલગ પાડવી ખૂબ જરૂરી છે. TVKને સમર્થન આપવાનો નિર્ણય આ રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

 શપથવિધિનો પ્લાન અટક્યો

અહેવાલો મુજબ TVK ગુરુવાર અથવા શુક્રવારે શપથવિધિ યોજવાનું આયોજન કરી રહી હતી, પરંતુ રાજ્યપાલની શરતોને કારણે આ યોજના હાલ અટકી ગઈ છે.

Conversation with Tai Chi Master Sandeep Desai – Trainer to Ranbir Kapoor for Ramayana

PM મોદીની હાજરીમાં સમ્રાટ કેબિનેટના 32 મંત્રીઓએ લીધા શપથ

બિહારના રાજકારણમાં આજે એક નવો અધ્યાય શરૂ થયો છે. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત એક ભવ્ય સમારોહમાં સમ્રાટ ચૌધરી કેબિનેટના કુલ 32 મંત્રીઓએ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી હતી. પીએમ મોદી પટના એરપોર્ટથી રોડ માર્ગે ગાંધી મેદાન પહોંચ્યા હતા, જ્યાં ભાજપના કાર્યકરોએ ફૂલ વર્ષા કરી તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મંચ પર બિહારના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારની હાજરીએ પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

સમ્રાટ ચૌધરીના નેતૃત્વવાળી આ નવી સરકારમાં ગઠબંધન પક્ષો વચ્ચે સત્તાની સચોટ વહેંચણી જોવા મળી છે. કુલ 32 મંત્રીઓમાંથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના 15, જનતા દળ યુનાઈટેડ (JDU) ના 13, લોક જનશક્તિ પાર્ટી (R) ના બે, હમ (HAM) ના એક અને રાષ્ટ્રીય લોક મોરચા (RLM) ના એક નેતાએ મંત્રી પદના શપથ લીધા છે. આ કેબિનેટમાં અનુભવ અને યુવા જોશનો સમન્વય કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં અગાઉના મંત્રીમંડળના 19 ચહેરાઓને યથાવત રાખવામાં આવ્યા છે, જ્યારે 13 નવા ચહેરાઓને પ્રથમવાર મંત્રી બનવાની તક મળી છે.

આ શપથ ગ્રહણ સમારોહમાં અનેક નવા ચહેરાઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ખાસ કરીને નિશાંત કુમાર, મિથિલેશ તિવારી, શ્વેતા કુમારી, બુલો મંડલ, નંદકિશોર રામ, કુમાર શૈલેન્દ્ર અને રામચંદ્ર પ્રસાદે પ્રથમ વખત મંત્રી તરીકે શપથ લીધા છે. આ નવા મંત્રીઓની એન્ટ્રીથી બિહારના શાસનમાં નવી ઉર્જા આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. શપથ ગ્રહણ સમયે ગાંધી મેદાનમાં ભારે ભીડ ઉમટી પડી હતી અને જય શ્રી રામ તેમજ ગઠબંધન સરકારના સમર્થનમાં નારા લાગ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત આ સમારોહમાં દેશના ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ નીતિન નવીન સહિત અનેક VVIP મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીમંડળની યાદીમાં સમ્રાટ ચૌધરી મુખ્યમંત્રી તરીકે જ્યારે વિજય કુમાર ચૌધરી અને બિજેન્દ્ર પ્રસાદ યાદવ નાયબ મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે. અન્ય મહત્વના મંત્રીઓમાં શ્રવણ કુમાર, વિજય કુમાર સિંહા, દિલીપ કુમાર જાયસ્વાલ, લેશી સિંહ, રામકૃપાલ યાદવ અને નીતિશ મિશ્રાનો સમાવેશ થાય છે. મહિલા પ્રતિનિધિત્વ તરીકે શ્રેયસી સિંહ અને શીલા કુમારી પણ મંત્રીમંડળનો હિસ્સો બન્યા છે.

હવે સૌની નજર વિભાગોની વહેંચણી પર ટકેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે સાંજ સુધીમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે જેમાં નવા મંત્રીઓને તેમના વિભાગો સોંપવામાં આવશે. આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન આજે મોડી રાત્રે અથવા આવતીકાલે સવાર સુધીમાં જારી કરવામાં આવી શકે છે. બિહારના વિકાસ અને આગામી રાજકીય વ્યૂહરચના માટે આ મંત્રીમંડળ અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહ્યું છે.