વોશિંગ્ટનઃ ટ્રમ્પ વહીવટી તંત્રએ હાર્વર્ડ યુનિવર્સિટીમાં હવે વિદેશી વિદ્યાર્થીઓના એડમિશન પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટ્રમ્પ વહીવટી તંત્રના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગ દ્વારા ગુરુવારે આ સંબંધિત આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ આદેશનો સીધો અર્થ એ થાય છે કે હવે હાર્વર્ડ યુનિવર્સિટી નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં અને હાલ જે વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે તેમના માટે ટ્રાન્સફર લેવાનો કે કાયદેસર ઈમિગ્રેશન સ્ટેટસ ગુમાવવાનો ખતરો ઊભો થવાની શક્યતા છે.
આ પગલાથી સ્પષ્ટ છે કે ટ્રમ્પ વહીવટી તંત્ર અને હાર્વવર્ડ યુનિવર્સિટી વચ્ચે ચાલતો વિવાદ વધુ ઉગ્ર બની શકે છે.
હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકાની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે અને તેમાં દુનિયાભરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. હાર્વર્ડ યુનિવર્સિટી અને ટ્રમ્પ વહીવટી તંત્ર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. હાર્વર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ વહીવટી તંત્ર સામે ફેડરલ કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો હતો અને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તે ટ્રમ્પ સરકારની માગણીઓને સ્વીકારીશ નહીં.
હાર્વર્ડે જણાવ્યું છે કે ટ્રમ્પ વહીવટી તંત્રનું આ પગલું સંપૂર્ણપણે ગેરકાયદે છે. આ નિર્ણયનો હાર્વર્ડ યુનિવર્સિટી પર મોટો પ્રભાવ પડશે, કારણ કે અહીં 27 ટકા વિદ્યાર્થીઓ અમેરિકા બહારના છે.
શું છે સમગ્ર મામલો?
ટ્રમ્પ વહીવટી તંત્રએ યુનિવર્સિટી પર આરોપ મૂક્યો હતો કે તેણે એવા વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો છે જેમનો કેમ્પસમાં વ્યવહાર અમેરિકા વિરુદ્ધ અને આતંકવાદીઓને ટેકો આપનાર પ્રકારનો છે.

હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્ટી એલ. નોએમે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે હાર્વર્ડ યુનિવર્સિટીએ કેન્દ્ર સરકારની તે વિનંતીને અવગણી હતી, જેમાં કહ્યું હતું કે છેલ્લાં પાંચ વર્ષમાં હિંસક પ્રદર્શન અથવા ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ વિદ્યાર્થીઓનો રેકોર્ડ આપવામાં આવે. તેમણે આ પણ કહ્યું હતું કે હાર્વર્ડે ચીનની પેરામિલિટરી ફોર્સના સભ્યોને આમંત્રિત કર્યા હતા અને તેમને તાલીમ આપી હતી.


પણ શોખ હોય છે. પછી એક દિવસ ખબર પડે કે એ પાળેલો અજગર જ માલિકને ગળી ગયો. આજના ભૌતિકતાના યુગમાં તો પાળેલો માણસ પણ માલિકના ધંધાને ગળી જાય છે. સહુથી અવિશ્વાસુ પ્રાણી માણસ છે. એ ક્યારે શું કરશે એને કળવું અઘરું છે. કદાચ એટલે જ માણસથી બચવા લોકો જાનવરો પાળતા હશે. પણ ધીમે ધીમે માણસના સહવાસમાં જાનવરો પણ એમના જેવા થઇ જશે તો? કોઈની અદેખાઈ કરવી, સ્વાર્થ માટે કોઈને રંજાડવા, ભ્રષ્ટાચાર ખુલ્લો ના પડી જાય એ ભયથી માણસનું ખૂન કરી નાખવું જેવી ઘણી બધી બાબતો જો પ્રાણીઓ શીખી જશે તો માણસ પોતાના જ પાળેલા પ્રાણીઓનો ભોગ બની જશે. કદાચ એને જ કર્મનો સિદ્ધાંત કહેતા હશે.
એસેસરીઝ આપણી લાઈફસ્ટાઇલ પર ખૂબ મોટો પ્રભાવ પાડે છે. પરંતુ હકીકત માત્ર થોડા લોકો માટે જ સિમિત રહેતી હોય છે. આપણે ફેશન માટે હંમેશા સેલીબ્રિટીસને ફોલો કરતાં હોય છે જે માત્ર એમનો પીઆર સ્ટન્ટના ભાગ રૂપે હોય છે જે એમના કામનો હિસ્સો બને છે જયારે હકીકત સાવ વિપરીત છે. તેમની પાસે અપાર પૈસા હોય છે, તેઓ કદી ચમકતા કપડાં પહેરતાં નથી. તમે જો બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ કે રતન ટાટા જેવા ધનિકોને જુઓ તો એક વસ્તુ તમારું ધ્યાન ખેંચશે. તેમના કપડાં સામાન્ય, સાદા અને એક સરખા હોય છે.






