મુંબઈઃ કોમેડી ફિલ્મ ‘હેરાફેરી’ નો ત્રીજો ભાગ બનાવાના સમાચાર આવ્યા છે, ત્યાંથી જ ફેન્સ ખુશીથી ઝૂમી ઊઠ્યા છે, પરંતુ આ ખુશીમાં દર્શકોને પરેસ રાવલે મોટો આંચકો આપ્યો છે. પરેશ રાવલે આ ફિલ્મ અચાનક છોડી દીધી છે. આ સ્થિતિમાં ફિલ્મની ટીમ તેમ જ ચાહકોમાં નિરાશા વ્યાપી છે. એક્ટર અક્ષય કુમારે ફિલ્મ છોડવા બદલ પરેશ રાવલ પર રૂ. 25 કરોડનો કેસ કર્યો છે. હવે આ મામલે ડિરેક્ટર પ્રિયદર્શને વાત કરી છે.
એક અહેવાલ મુજબ ‘હેરાફેરી-3’ના પ્રોડ્યુસર અક્ષયકુમારે પરેશ રાવલને લીગલ નોટિસ મોકલી છે. અક્ષયે ફિલ્મને અચાનક છોડવા અને પ્રોજેક્ટને નુકસાન પહોંચાડવા બદલ પરેશ પર રૂ. 25 કરોડનો કેસ કર્યો છે. આ મુદ્દે પોર્ટલ સાથેની વાતચીત દરમિયાન ડિરેક્ટર પ્રિયદર્શને અક્ષયના પગલાને યોગ્ય ગણાવ્યું છે. પ્રિયદર્શનના કહેવા પ્રમાણે અક્ષય કુમારને આ નોટિસ મોકલવાનો હક છે કારણ કે તેમણે આ પ્રોજેક્ટમાં પોતાના પૈસો અને મહેનત લગાડી છે. એટલું જ નહીં, અક્ષયે પ્રોડ્યુસર ફિરોઝ નડિયાદવાલાથી પિક્ચરના રાઇટ્સ પણ ખરીદી લીધા છે.
પ્રિયદર્શન કહે છે કે મને ખબર નથી કે આવું કેમ બન્યું, કારણ કે પરેશ રાવલે અમને જાણ કરી નહોતી. ફિલ્મ શરૂ કરતાં પહેલાં અક્ષયે મને કહ્યું હતું કે સુનીલ અને પરેશ બંને સાથે વાત કરો. મેં બંને સાથે વાત પણ કરી હતી અને બંને તૈયાર હતા. મારું તો આમાં કશું નુકસાન નથી, પણ અક્ષયે પૈસા લગાવ્યા છે અને એ કારણ હોઈ શકે છે કે તેમણે આ પગલું લીધું છે. હજુ સુધી પરેશ રાવલે મારો સંપર્ક કર્યો નથી.
Akshay Kumar sends legal notice to Paresh Rawal, seeks ₹25 crore
Akshay Kumar has sent a legal notice to Paresh Rawal, demanding ₹25 crore in damages.
Akshay claims that Paresh behaved unprofessionally by quitting Hera Pheri 3 after signing a contract and starting the shoot pic.twitter.com/dVJ7Wiwlob
— khabresh (@khab_resh) May 20, 2025
પરેશ રાવલનું ‘હેરાફેરી-3’માંથી હટી જવું એ બધા માટે આશ્ચર્યજનક રહ્યું છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે આ નિર્ણય ડિરેક્ટર સાથેના ક્રિએટિવ તફાવતને કારણે લેવામાં આવ્યો છે. જોકે પરેશે આ અફવામાં પોતે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી. તેમણે લખ્યું હતું કે હું સ્પષ્ટ રીતે કહેવા માગું છું કે હેરાફેરી-3માંથી હું કોઈ પણ પ્રકારના ક્રિએટિવ મતભેદને કારણે બહાર નહોતો આવ્યો. હું ફરી કહું છું કે ફિલ્મમેકર સાથે મારા કોઈ પણ પ્રકારના રચનાત્મક વિવાદ નથી. મને પ્રિયદર્શનજી (ડિરેક્ટર) માટે ખૂબ પ્રેમ, માન અને વિશ્વાસ છે.’ હવે જોવાનું એ છે કે આગળ શો વળાંક આવે છે.




અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ સહિત રાજ્યના 11 જિલ્લામાં 10 થી 13મી મે, 2025 દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસતિગણતરી કરાઈ હતી. ધારી ગીર પૂર્વ વન વિભાગ અંતર્ગત સિંહ વસતિ અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં રીજનલ અધિકારી, ઝોનલ અધિકારી, ગણતરીકારો, ઓબ્ઝર્વર સહિત 511 સ્વયંસેવકો સહિતનાઓએ સિંહ વસતિ અંદાજની કામગીરીમાં જોડાઇને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો.
આ વસતિ અંદાજ માટે વન વિભાગ દ્વારા ‘ડાયરેક્ટ બીટ વેરિફિકેશન’ પદ્ધતિ અપનાવવામાં આવી હતી, જે છેલ્લા ઘણા દાયકાથી અત્યંત સફળ અને ચોકસાઈભર્યું પરિણામ આપતી પદ્ધતિ માનવામાં આવે છે. આ પદ્ધતિ હેઠળ ક્ષેત્રને રીજન, ઝોન અને સબઝોનમાં વહેંચી, અંદાજે 3,000 ટ્રેન વોલન્ટિયર અને ફોરેસ્ટના અધિકારીઓ દ્વારા ચુસ્ત રીતે ગણતરી કરવામાં આવી છે. આ વસ્તી ગણતરી માટે 35,000 ચોરસ કિમી વિસ્તાર આવરી લેવાયો હતો. સિંહોના વસવાટના વિસ્તારને ઝોન, સબઝોન અને રીજનમાં વિભાજિત કરીને ગણતરી માટે લોજિસ્ટિકલ આયોજન કરવામાં આવ્યું હતું. આ વિસ્તારને આવરી લેતી ગણતરી ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓ સુધી વિસ્તરી હતી, જ્યાં ગીરના મૂળ વિસ્તાર ઉપરાંત કેટલાક નવા વિસ્તારોમાં પણ સિંહોની અવર-જવર નોંધાઈ હતી.
રાજ્યસભાના સાંસદ અને ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય પરિમલ નથવાણીએ સિંહ ગણતરી અંગે જણાવ્યું હતું કે, આપણાં સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે કે માત્ર ગુજરાતમાં જ જોવા મળતા એશિયાટીક સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃધ્ધિ જોવા મળી રહી છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત અનુસાર તાજેતરમાં હાથ ધરવામાં આવેલી સિંહની વસતિ ગણતરીમાં સિંહોની સંખ્યા 891એ પહોંચી છે. પહેલાં સિંહ માત્ર સાસણ ગીર, જૂનાગઢ અને ધારીની આસપાસના વિસ્તારોમાં જોવા મળતા હતા. પરંતુ હવે તેમનો વિસ્તાર ખૂબ જ વધ્યો છે અને અમરેલી, જાફરાબાદ, દીવ અને પીપાવાવ પોર્ટ સુધી પહોંચ્યા છે. પહેલાં માત્ર જંગલ વિસ્તારમાં વસવાટ કરતા સિંહ હવે દરીયા કિનારાના વિસ્તારોમાં પણ વસવાટ કરવા લાગ્યા છે.
સિંહની વસ્તીના અંદાજો મેળવવામાં મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વ્યક્તિગત ઓળખમાં મદદ થાય તે હેતુથી ફોટોગ્રાફ્સ લેવા માટે ડિજિટલ કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમુક સિંહોને રેડિયો કોલર પણ પહેરાવવામાં આવ્યા હતા જેથી તે સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ મળી હતી.
આ ઉપરાંત, e-gujforest એપ્લીકેશન સિંહ અવલોકનના રિયલ ટાઇમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થઈ હતી. જેમાં GPS લોકેશન અને ફોટાનો સમાવેશ થવાથી ચોકસાઇ અને કાર્યક્ષમતામાં વધારો થયો હતો. GIS સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા અને સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો. જરૂર જણાય ફોટાનો ઉપયોગ કરી સિંહોની વ્યક્તિગત ઓળખ કરી શકતા AI આધારિત સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.





આ પ્રદર્શનકારીઓનો ગુસ્સો એટલેથી નહોતો અટક્યો. તેઓ ગૃહમંત્રી જિયાઉલ હસન લંજરના ઘરમાં ઘૂસી ગયા હતા. આ પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી અને ઘરમાં રહેલા ફર્નિચરને આગ લગાવી દીધી. જ્યારે સુધી મંત્રીના સુરક્ષા કર્મચારીઓ ઘેર પહોંચ્યા, ત્યાં સુધી પ્રદર્શનકારીઓએ ઘરમાં ભારે નુકસાન કર્યું હતું. આ ઘટનાના અનેક વિડિયોઝ વાયરલ થયા છે, જેમાં મંત્રીના ઘરના ગાર્ડોએ ભીડને વિખેરવા હવામાં ગોળીબાર કર્યો હતો.


