નવી દિલ્હીઃ પાકિસ્તાનના જળ સંશાધન મંત્રાલયે ભારતના જળ શક્તિ મંત્રાલયને પત્ર લખી અપીલ કરી છે કે ભારતનું આ પગલું પાકિસ્તાનમાં ગંભીર જળસંકટ ઊભું કરી શકે છે. આ પત્રમાં ભારતને આ નિર્ણય પર ફરી વિચાર કરવા વિનંતી કરવામાં આવી છે. આ પત્ર ભારતના વિદેશ મંત્રાલયને પણ મોકલવામાં આવ્યો છે, પરંતુ ભારતે પાકિસ્તાનની આ અપીલને સ્પષ્ટપણે નકારી દીધી છે.
શું છે સિંઘુ જળ સંધિ?
સિંધુ જળ સંધિ સપ્ટેમ્બર, 1960માં તે સમયેના PM પંડિત જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાની મિલિટરી જનરલ અયૂબ ખાન વચ્ચે કરાચીમાં કરવામાં આવી હતી. આ સંધિ અંતર્ગત ભારતને સિંધુ અને તેની સહાયક નદીઓમાંથી 19.5 ટકા પાણી મળે છે, જ્યારે પાકિસ્તાનને અંદાજે 80 ટકા પાણી મળે છે. ભારત પોતાના હિસ્સામાંથી પણ માત્ર આશરે 90 ટકા જ પાણીનો ઉપયોગ કરે છે.

આ સંધિ મુજબ સિંધુ ખીણને છ નદીઓમાં વિભાજિત કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે એ સહમતી થઈ હતી. આ સંધિ હેઠળ દર વર્ષે સિંઘુ જળ પંચની બેઠક ફરજિયાત છે. આ સંધિ મુજબ, પૂર્વી નદીઓ પર ભારતનો અધિકાર છે, જ્યારે પશ્ચિમી નદીઓ પાકિસ્તાનના અધિકાર હેઠળ રાખવામાં આવી છે. આ સંધિની મધ્યસ્થતા વિશ્વ બેન્કે કરી હતી. ભારતને ત્રણ પૂર્વી નદીઓ — સતલજ, બ્યાસ અને રાવી મળી છે, જ્યારે પશ્ચિમી નદીઓ — સિંધુ, જેલમ અને ચિનાબ — પાકિસ્તાનના હિસ્સામાં ગઈ છે.
પીએમ મોદીનો પાકિસ્તાનને કડક સંદેશ
PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે “ખૂન અને પાણી એકસાથે વહી શકતા નથી. તેમણે કહ્યું હતું કે અમે પાકિસ્તાનના આતંકવાદી અને સૈન્ય ઠેકાણાંઓ પર જવાબી કાર્યવાહી હજી સ્થગિત કરી છે. આગામી દિવસોમાં પાકિસ્તાનના દરેક પગલાનું મૂલ્યાંકન કરીશું કે તેનું વલણ શું છે. પાકિસ્તાની સેના અને સરકાર જેમ રીતે આતંકવાદને પોષે છે, તે એક દિવસ પાકિસ્તાને જ ખતમ કરી નાખશે. પાકિસ્તાને જો બચવું છે તો તેના આતંકવાદી માળખાનું સમૂળ નાશ કરવો પડશે, એમ તેમણે કહ્યું હતું.















મંત્રાલયના જણાવ્યા અનુસાર ‘મેક ઇન ઇન્ડિયા’ની પહેલ પર સરકારે જે રીતે ભાર મૂક્યો છે, તેની અસર હેઠળ સંરક્ષણ ઉત્પાદન રેકોર્ડ સપાટીએ પહોંચી ગયું છે. સંરક્ષણ ઉત્પાદન વધતા મોટી સંરક્ષણ ઉત્પાદન કંપનીઓમાં વિદેશી રોકાણ આવ્યું છે. માત્ર એટલું જ નહીં, સરકારે સંરક્ષણ અને એરોસ્ટેસ મેન્યુફેક્ચરિંગમાં પણ ઘણું મૂડીરોકાણ કર્યું છે. જેને પરિણામે વિશ્વની જાણીતી કંપનીઓ પણ જટિલ સંરક્ષણ અને એરોસ્પેસ ટેક્નોલોજી શેર કરવાની ઇચ્છા વ્યક્ત કરી રહી છે. નાણાં મંત્રાલયના ડેટા અનુસાર આ નાણાકીય વર્ષમાં ગોળા-બારુદ, હથિયારો, સબ સિસ્ટમ્સ/સિસ્ટમ્સ સહિત અનેક સંરક્ષણ સાધનો આશરે ૮૦ દેશોમાં નિકાસ કરવામાં આવ્યાં છે. સરકારનું લક્ષ્ય છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં સંરક્ષણ નિકાસને પ્રતિ વર્ષ રૂ. ૫૦,૦૦૦ કરોડ સુધી લઈ જવામાં આવે.