Home Blog Page 926

શોપિયાંમાં સુરક્ષા દળોએ ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. અહીં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે સવારના સમયે અથડામણ થઈ હતી. સુરક્ષા દળોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો અને ભારે ફાયરિંગ બાદ ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. આ બધા આતંકવાદીઓ પાકિસ્તાનના છે, જે કાશ્મીરમાં પીગળતા બરફનો લાભ લઈ ભારતમાં પ્રવેશી ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ દક્ષિણ કાશ્મીરના શોપિયાંના શુક્રુ કેલર વિસ્તારમાં મંગળવારે ત્રણથી ચાર આતંકવાદીઓને જોવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મળતાં જ સુરક્ષા દળો ત્યાં પહોંચી ગયા હતા અને આ વિસ્તારમાં ઘેરાવ કરી લીધો. પોતે ઘેરાયેલા હોવાનું જોઈને આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું, જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ફાયરિંગ કર્યું હતું.

આમાંનો એક આતંકી શાહિદ અહમદ કુટ્ટે છે, જેનું ઘર પહલગામ હુમલા બાદ તોડી નાખવામાં આવ્યું હતું. કુટ્ટે લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી જૂથ TRF સાથે સંકળાયેલો હતો. જોકે હજી સુધી આ અંગે સૈન્ય તરફથી ઔપચારિક પુષ્ટિ કરવામાં આવી નથી.સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે, જેમાં સુરક્ષા દળોએ એક કમાન્ડરને પણ  ઠાર કરી દેવામાં આવ્યો છે.

સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના શોપિયાંના કિલ્લરના જંગલ વિસ્તારમાં ઘેરાવ અને શોધમૂળ અભિયાન દરમિયાન ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો. ત્યાર બાદ આ વિસ્તારમાં આતંકવાદીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને વધારાના સુરક્ષા દળો મોકલાયાં હતાં. આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી હતી. સુરક્ષા દળોએ શોપિયાંમાં આતંકવાદીઓના ટોચના કમાન્ડરોને ઘેરી લીધા હતા.

સુરક્ષા દળોને શોપિયાંના શુક્રુ કિલ્લર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે વિશેષ ઇનપુટ મળ્યા હતા, જ્યારે સુરક્ષા દળોએ ત્યાં ઘેરાવ અને તપાસ અભિયાન શરૂ કર્યું હતું ત્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. સુરક્ષા દળોએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.

સુરક્ષા દળોએ પહેલગામ આતંકવાદીઓના હુમલામાં સામેલ આતંકવાદીઓને પણ પકડીને સજા આપવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. કાશ્મીરમાં પહેલગામ હુમલામાં સંડોવાયેલા ત્રણ આતંકવાદીઓનાં પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. આ ત્રણે આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા હતા.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આજથી શરૂ, આ બૉલિવૂડ સેલેબ્સ થશે સામેલ

તાજેતરમાં મેટ ગાલા લાઈમલાઈટમાં હતું અને બોલિવૂડની હિરોઈનોએ અહીં પોતાનો ગ્લેમર અંદાજ બતાવ્યો હતો. હવે મેટ ગાલા વિશેની ચર્ચાઓ થોડી ઓછી છે ને કાન્સ 2025 ચર્ચામાં આવી ગયું છે. બોલિવૂડ સુંદરીઓ કાન્સ 2025ના રેડ કાર્પેટમાં ભાગ લેવા માટે અધીરી થઈ રહી છે. શર્મિલા ટાગોરથી લઈને જાહ્નવી કપૂર સુધી, દરેક વ્યક્તિ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના 78મા સંસ્કરણમાં સામેલ થવા તૈયાર છે. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ આજથી એટલે કે 13 મેથી શરૂ થઈ ગયો છે.

આજથી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થઈ ગયો છે. આ ઉત્સવ 24 મે સુધી ચાલુ રહેશે. તેના ઉદ્ઘાટન સમારોહમાં હોલીવુડ સ્ટાર રોબર્ટ ડી નીરોનું સન્માન કરવામાં આવશે. આપણે જોઈએ આ ફિલ્મ ફેસ્ટિવલમાં કયા કયા બૉલિવૂડ સ્ટાર્સ હાજરી આપશે.

આલિયા ભટ્ટ: આલિયા ભટ્ટ 2025ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનું ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ અભિનેત્રીએ અગાઉ પ્રતિષ્ઠિત મેટ ગાલાના મંચ પર પોતાની અમીટ છાપ છોડી હતી. તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં અભિનેત્રીએ પુષ્ટિ આપી કે તે 2025 માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપશે, જે તેના માટે પ્રથમ વખત હશે.

ઐશ્વર્યા રાય: કાન ફેસ્ટિવલમાં નિયમિતપણે હાજરી આપતી ઐશ્વર્યા રાયને ફિલ્મ ફેસ્ટિવલની ‘ક્વીન’ કહેવામાં આવે છે. દેવદાસ સ્ટાર 2002 માં તેની શરૂઆતથી દર વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બધાનું ધ્યાન ખેંચે છે. તેના આઉટફિટથી લઈને તેની જોખમી ફેશન પસંદગીઓ સુધી, અભિનેત્રી દર વર્ષે ફિલ્મ ફેસ્ટિવલમાં ચર્ચામાં રહે છે અને આશા છે કે 2025 પણ તેનાથી અલગ નહીં હોય.

જાહ્નવી કપૂર: જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર આ વર્ષે કાન્સમાં ડેબ્યૂ કરી શકે છે. આ કાર્યક્રમમાં તેમની ફિલ્મ હોમબાઉન્ડનું વૈશ્વિક પ્રીમિયર થવાની પુષ્ટિ થઈ છે. એવી અપેક્ષા છે કે ફિલ્મના કલાકારો અને ટીમના અન્ય સભ્યો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેશે. જોકે, બંને કલાકારોએ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.

કિયારા અડવાણી: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારા અડવાણી આંતરરાષ્ટ્રીય સ્તરે ધૂમ મચાવવા જઈ રહી છે. મેટ ગાલામાં ડેબ્યૂ કર્યાના એક અઠવાડિયા પછી, કિયારા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ હાજરી આપવા માટે તૈયાર છે. 2024 માં, અભિનેત્રીએ કાન્સના કિનારે આયોજિત રેડ સી ફિલ્મ ફાઉન્ડેશનના વુમન ઇન સિનેમા ગાલામાં હાજરી આપી હતી. જોકે, આ વખતે એવું લાગે છે કે તે ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરી શકે છે.

પાયલ કાપડિયા: પાયલ કાપડિયાએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024 માં તેમની દિગ્દર્શિત ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઈટ માટે એવોર્ડ જીત્યો અને ગ્રાન્ડ પ્રિકસ જીતનાર પ્રથમ ભારતીય ફિલ્મ બની.દિગ્દર્શકે હવે ફરી એકવાર હેલ બેરી, આલ્બા રોહરવાચર, લીલા સ્લિમાની, જેરેમી સ્ટ્રોંગ, કાર્લોસ રેગાડાસ, ડીયુડો હમાદી, હોંગ સાંગસુ અને જુલિયટ બિનોચે સાથે મુખ્ય જ્યુરીના સભ્ય બનીને ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

શર્મિલા ટાગોર: આ પીઢ અભિનેત્રી પણ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેશે. શર્મિલા ટાગોર સત્યજીત રેની ૧૯૭૦ની ફિલ્મ અરન્યેર દિન રાતરી (ડે એન્ડ નાઈટ ઇન ધ ફોરેસ્ટ) ના પુનઃસ્થાપિત સંસ્કરણના પ્રીમિયરમાં હાજરી આપશે. આ ફિલ્મ કાન્સ ક્લાસિક્સનો ભાગ છે. શર્મિલા 2009 માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી સભ્ય તરીકે હાજરી આપી ચૂકી છે.

IPL 2025: નવું શેડ્યૂલ જાહેર, 17 મેથી મેચો શરૂ

ભારત-પાકિસ્તાન વચ્ચેના તાજેતરના તણાવને કારણે IPL 2025 એક અઠવાડિયા માટે સ્થગિત કરાયું હતું. જોકે, હવે સંઘર્ષવિરામ થતાં BCCIએ નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. સરકાર, સુરક્ષા એજન્સીઓ અને હિસ્સેદારો સાથે ચર્ચા બાદ બોર્ડે બાકીની મેચો 17 મે, 2025થી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સિઝનની ફાઇનલ મેચ 3 જૂન, 2025ના રોજ રમાશે.

નવા શેડ્યૂલ મુજબ, IPL 2025ની મેચો બેંગલુરુ, દિલ્હી, જયપુર, મુંબઇ, અમદાવાદ અને લખનઉ ખાતે રમાશે. કુલ 17 મેચો આ છ સ્થળોએ યોજાશે. પ્લેઓફ મેચો 17થી 27 મે દરમિયાન રમાશે, જેમાં ક્વોલિફાયર 1 (29 મે), એલિમિનેટર (30 મે), ક્વોલિફાયર 2 (1 જૂન) અને ફાઇનલ (3 જૂન)નો સમાવેશ થાય છે.

પોઇન્ટ ટેબલની વર્તમાન સ્થિતિમાં ગુજરાત ટાઇટન્સ (GT) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) 16-16 પોઇન્ટ સાથે ટોચ પર છે. પંજાબ કિંગ્સ (PBKS) 15 પોઇન્ટ સાથે ત્રીજા, જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ (MI) 14 પોઇન્ટ સાથે ચોથા સ્થાને છે. આ ચાર ટીમો પ્લેઓફ માટે મજબૂત દાવેદાર છે. દિલ્હી કેપિટલ્સ (DC), કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) પણ રેસમાં છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH), રાજસ્થાન રોયલ્સ (RR) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) પ્લેઓફમાંથી બહાર થઇ ગયા છે, પરંતુ તેઓ બાકીની મેચો રમશે. BCCIએ સુરક્ષા અને ખેલાડીઓના હિતને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લીધો છે, જેથી ચાહકો ફરીથી રોમાંચક ક્રિકેટનો આનંદ માણી શકે.

પંજાબમાં ઝેરી દારૂ પીવાથી 14નાં મોતઃ પાંચની ધરપકડ

અમૃતસરઃ પંજાબના અમૃતસર જિલ્લામાં ફરી ઝેરી દારૂએ કાળો કેર વર્તાવ્યો છે. મજિઠા બ્લોકના પાંચ ગામો- થેરવાલ, મર્રી, પાતાલપુરી, ભાંગાલી અને અન્ય એક ગામમાં અત્યાર સુધી ઝેરી દારૂ પીવાથી 14 લોકોનાં મોત થયા છે. જ્યારે છ જણની હાલત ગંભીર હોવાનું કહેવાય છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મોટા ભાગના મૃતકો ભાંગલી અને મર્રી કલાન ગામના રહેવાસી છે. મજિઠા પોલીસ સ્ટેશનના SHO અવતાર સિંહે જણાવ્યું હતું કે ઝેરી દારૂ પીવાથી 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

અમૃતસર ગ્રામીણના SSP મનિન્દર સિંહે જણાવ્યું હતું કે બધી મોતો નકલી અને ઝેરી દારૂના સેવનથી થઈ હતી. દારૂ પીવાના કેટલાક કલાકો પછી લોકોની તબિયત બગડવા લાગી અને મોત થયાં હતાં, પણ ડર અને સામાજિક દબાણને કારણે અનેક પરિવારોએ પોલીસને જાણ કર્યા વગર મૃતદેહોના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. જેથી પ્રારંભિક તપાસમાં અડચણો આવી હતી.

પાંચ લોકોની ધરપકડ કરાઈ

SSP મનીન્દર સિંહે જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પ્રભજિત સિંહની ધરપકડ કરવામાં આવી છે. જે ઝેરી દારૂ સપ્લાય કરવા પાછળનો મુખ્ય સૂત્રધાર છે. તેમની સામે એક્સાઇઝ એક્ટની કલમ 105 BNS અને 61A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રભજિતના ભાઈ કુલબીર સિંહ ઉર્ફે જગ્ગુ અને સાહિબ સિંહ ઉર્ફે સરાઈ, ગુરજંત સિંહ, નિંદર કૌરની પણ ધરપકડ કરવામાં આવી છે.’

સરકારે દારૂ માફિયાઓ સામે કડક તપાસના આદેશ આપ્યા છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો છે. હાલ બે FIR નોંધાઈ ચૂકી છે.

આ પહેલાં 2024માં સંગરૂરમાં આ પ્રકારની ઘટનામાં 24 મોત થયાં હતાં, જ્યારે 2020માં રાજ્યમાં 100થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

પડશે એવા દેવાશે

         પડશે એવા દેવાશે

 

સમય પ્રમાણે વર્તન કરવાની વાત અહીંયાં કરવામાં આવી છે. કોઈ એવી પરિસ્થિતીનું નિર્માણ થવાનું હોય કે જે વિશે અંદાજ ન હોય. વિવિધ શક્યતાઓ ધ્યાનમાં રાખીને તૈયારી કરી શકાય પણ છેવટે તો જે પ્રમાણે પરિસ્થિતીનું નિર્માણ થશે તે પ્રમાણે વર્તન કરીને પરિસ્થિતીને પહોંચી વળીશું એવો આત્મવિશ્વાસ મનમાં લઈને ચાલવુ પડે.

કહેવત ‘પડશે એવા દેવાશે’ આવનાર પરિસ્થિતી ગમે તેટલી વિકટ હોય તો પણ યોગ્ય પ્રતિકાર થકી એના ઉપર કાબૂ મેળવી શકાશે તે પ્રકારનો આત્મવિશ્વાસ વ્યક્ત કરે છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

લેખક રોબિન ભટ્ટને કારણે ‘આશિકી’ બની હતી   

નિર્દેશક મહેશ ભટ્ટની સફળ રહેલી ફિલ્મ ‘આશિકી’ (૧૯૯૦) લેખક રોબિન ભટ્ટને કારણે બની હતી. નિર્દેશક બનવા માગતા રોબિને અગાઉ એકપણ ફિલ્મ લખી ન હોવા છતાં ‘આશિકી’ લખી હતી અને લેખક તરીકે કારકિર્દી બનાવી હતી. નિર્દેશક નાનાભાઇ ભટ્ટના પુત્ર હોવાથી ફિલ્મી માહોલમાં બાળપણ વીત્યું હતું. પરિવારમાં કોઈએ વધારે અભ્યાસ કર્યો ન હતો પણ પિતાએ રોબિનને સ્નાતક સુધી અભ્યાસ કરવાનો આગ્રહ રાખ્યો હતો. સ્નાતક થયા પછી પિતાએ કહ્યું કે ફિલ્મોમાં કોઈ કામ શોધવાને બદલે બહાર નોકરી શોધી લે. અને રોબિને એક આંતરરાષ્ટ્રીય કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં નોકરી મેળવી હતી. એમાં સફળતા મળી પણ આનંદ આવતો ન હતો.

ફિલ્મી વાતાવરણ હતું તેથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ પ્રવેશ મેળવવાનો નિર્ણય લઈ લીધો. લેખક બનવાનું તો રોબિને વિચાર્યું જ ન હતું. નિર્દેશક બનવાનું સપનું હતું. ઘરમાં વાત કરીને માં કસમ, ઇલ્જામ વગેરેના નિર્દેશક શિબુ મિત્રાના સહાયક તરીકે કામ શરૂ કર્યું. એમની સાથે કામ કરતાં હતા ત્યારે ભાઈ મહેશ ભટ્ટ સાથે આર.કે સ્ટુડિયો જવાનું થયું. ત્યાં ઋષિ કપૂર સાથે મુલાકાત થઈ અને એમણે પૂછ્યું કે શું કરવા માગે છે? ત્યારે રોબિને નિર્દેશક બનવાની વાત કરી. ઋષિએ જાણ્યા પછી કહ્યું કે શિબુને બદલે બીજા  કોઈ મોટા નિર્દેશક પાસે જા.

રોબિનના મત પ્રમાણે શિબુ મોટા નિર્દેશક હતા. પરંતુ ઋષિની વાત મનમાં બેસી ગઈ હતી. પોતાના દિલની વાત મુકેશ ભટ્ટને કરી. ત્યારે એ વિનોદ ખન્નાના સેક્રેટરી હતા. એમને કહ્યું કે મારે મનમોહન દેસાઇ કે પ્રકાશ મહેરા જેવા મોટા નિર્દેશકના સહાયક તરીકે કામ શરૂ કરવું છે. એમણે જવાની દીવાની, રફુચક્કર વગેરેના નિર્દેશક નરેન્દ્ર બેદીને વાત કરી અને એમણે ખુશીથી એમની સાથે રોબિનને રાખ્યા. નરેન્દ્રની એક આદત હતી કે તે સહાયકો સાથે ફિલ્મની સ્ક્રિપ્ટની ચર્ચા કરતાં હતા. એમની સાથે રહીને રોબિનને લેખનમાં રસ જાગી ચૂક્યો હતો. તે સ્ક્રિપ્ટ પર પોતાના વિચાર રજૂ કરતાં હતા. નરેન્દ્ર કહેતા પણ ખરા કે નિર્દેશક બનવા માટે સારા લેખક હોવું જરૂરી બનશે.

વાર્તા જાતે બનાવવી પડશે. નિર્માતા અને કલાકારોને વાર્તા સંભળાવવી પડશે. અચાનક એમનું નિધન થતાં એ કામ છૂટી ગયું. એ સમયમાં રોબિને શફી ઇનામદાર અને પ્રિયા તેંડુલકરના સેક્રેટરી તરીકે કામ કામ કર્યું. દરમ્યાનમાં મહેશ ભટ્ટે બધા ભાઈઓ સાથે મળીને ‘વિશેષ ફિલ્મ્સ’ ની સ્થાપના કરી. એમાં રોબિનને પ્રોડકશન વિભાગનું કામ સોંપ્યું. મહેશ ભટ્ટના નિર્દેશનમાં ફિલ્મો બનતી હતી એનું નિર્માણનું કાર્ય રોબિન સંભાળતા હતા. એમની ફિલ્મો સલીમ ખાન લખતા હતા અને ત્યારે રોબિન એમની સાથે બેસતા હતા. એ ‘કેવું લાગ્યું?’ એમ પૂછતાં ત્યારે રોબિન સૂચન કરતાં હતા. એનો સ્વીકાર થતો ત્યારે રોબિનને સારું લાગતું હતું. એક સમય એવો આવ્યો કે છ -આઠ મહિના માટે ‘વિશેષ ફિલ્મ્સ’માં કોઈ કામ ન હતું ત્યારે ગુલશનકુમારે આઠેક ગીતોની કેસેટ આપીને મહેશ ભટ્ટને કહ્યું કે આના પરથી મને એક રોમેન્ટિક ફિલ્મ બનાવી આપો.

મહેશે કહ્યું કે હું તો સંવેદનશીલ વાર્તાવાળી ફિલ્મો બનાવું છું એટલે રોમેન્ટિક બનાવી શકીશ નહીં. ત્યારે બાજુમાં બેઠેલા રોબિને ઈશારો કરીને કહ્યું કે તમે હા પાડી દો આપણે કરીશું. સામાન્ય રીતે ફિલ્મ લખાયા પછી એમાં ગીતો માટે સિચ્યુએશન ઊભી કરવામાં આવતી હતી. આ કિસ્સામાં ગીતો પરથી વાર્તા લખવાની હતી. મહેશ ભટ્ટે રોબિન પર લેખનની જવાબદારી નાખી દીધી હતી.

ફિલ્મનું કામ જતું ના રહે એટલે રોબિને વાર્તા લખવાના પ્રયત્ન શરૂ કર્યા. અને એવું વિચાર્યું કે ફિલ્મ ફ્લોપ થઈ જશે તો કહીશ કે હું ક્યાં લેખક છું! રોબિને આઠ ગીતોની આસપાસ વાર્તા લખી ત્યારે ગુલશનકુમાર બીજા ત્રણ ગીતો આપી ગયા. એને પણ વાર્તામાં પરોવી દીધા. એ ફિલ્મ ‘આશિકી’ થી રોબિનની લેખક તરીકેની કારકિર્દીની શરૂઆત થઈ હતી. ફિલ્મ સફળ થઈ ત્યારે લોકોએ કહ્યું કે લેખનને કારણે નહીં લોકપ્રિય ગીતોથી હિટ થઈ છે. એ પછી સાથી, સડક, દિલ હૈ કિ માનતા નહીં વગેરે સફળ થઈ ત્યારે લોકોએ માન્યું કે રોબિન ભટ્ટ સારા લેખક છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૧૩ મે ૨૦૨૫

આજનું પંચાંગ 13/05/2025

દુનિયાએ દેશની તાકાત જોઈ, સશસ્ત્ર દળોની બહાદુરીને સલામ: PM મોદી

પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર પર પહેલી વાર રાષ્ટ્રને સંબોધન કર્યું. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે દુનિયાએ દેશની તાકાત અને સંયમ બંને જોયા. હું સશસ્ત્ર દળોની બહાદુરી અને હિંમતને સલામ કરું છું. પીએમ મોદીએ કહ્યું કે હું સેના અને ગુપ્તચર એજન્સીઓને સલામ કરું છું. સેનાઓએ અપાર બહાદુરી દર્શાવી.

પીએમ મોદીએ કહ્યું કે 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ બતાવેલી બર્બરતાએ દેશ અને દુનિયાને હચમચાવી નાખ્યા. રજાઓ ઉજવી રહેલા નિર્દોષ નાગરિકોને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી તેમના પરિવારો અને બાળકોની સામે ક્રૂરતાથી મારી નાખવા એ આતંકનો ખૂબ જ ભયાનક ચહેરો હતો. આ પણ દેશની સંવાદિતા તોડવાનો પ્રયાસ હતો. મારા માટે વ્યક્તિગત રીતે, આ પીડા અપાર હતી.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ આતંકવાદી હુમલા પછી, સમગ્ર રાષ્ટ્ર, દરેક નાગરિક, દરેક સમાજ, દરેક વર્ગ, દરેક રાજકીય પક્ષ આતંકવાદ સામે કડક કાર્યવાહી માટે એક અવાજમાં ઉભા થયા.

ઓપરેશન સિંદૂર દેશના કરોડો લોકોની લાગણીઓનું પ્રતિબિંબ છે – પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, તે દેશના કરોડો લોકોની ભાવનાઓનું પ્રતિબિંબ છે. ઓપરેશન સિંદૂર એ ન્યાયની અખંડ પ્રતિજ્ઞા છે. 6મેની મોડી રાત્રે અને 7 મેની વહેલી સવારે આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં પરિવર્તિત થતી જોઈ.

પીએમ મોદીએ કહ્યું કે 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ બતાવેલી બર્બરતાએ દેશ અને દુનિયાને હચમચાવી નાખ્યા. રજાઓ ઉજવી રહેલા નિર્દોષ નાગરિકોના ધર્મ વિશે પૂછવું અને તેમના પરિવારો સામે, તેમના બાળકોની સામે તેમને નિર્દયતાથી મારી નાખવા એ આતંકનો ખૂબ જ ભયાનક ચહેરો હતો, તે ક્રૂરતા હતી. આ પણ દેશની સંવાદિતા તોડવાનો પ્રયાસ હતો. મારા માટે વ્યક્તિગત રીતે, આ પીડા અપાર હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ આતંકવાદી હુમલા પછી, સમગ્ર રાષ્ટ્ર, દરેક નાગરિક, દરેક સમાજ, દરેક વર્ગ, દરેક રાજકીય પક્ષ આતંકવાદ સામે કડક કાર્યવાહી માટે એક અવાજમાં ઉભા થયા.

પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું, ‘અમે ભારતીય સશસ્ત્ર દળોને આતંકવાદીઓને ખતમ કરવા માટે સંપૂર્ણ અધિકાર આપ્યો છે.’ આજે દરેક આતંકવાદી અને આતંકવાદી સંગઠન આપણી દીકરીઓ અને બહેનોના ગૌરવ અને ગૌરવને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવાના પરિણામોને સમજે છે. ઓપરેશન સિંદૂર ફક્ત એક નામ નથી. તે દેશની સામૂહિક ભાવના અને સ્થિતિસ્થાપકતાનું એક શક્તિશાળી પ્રતીક છે.

ઓપરેશન સિંદૂર પછી, વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં કહ્યું, ‘આપણે બધાએ છેલ્લા દિવસોમાં દેશની તાકાત અને સંયમ બંને જોયા છે. સૌ પ્રથમ, હું દરેક ભારતીય વતી ભારતની શક્તિશાળી સેનાઓ, સશસ્ત્ર દળો, આપણી ગુપ્તચર એજન્સીઓ, આપણા વૈજ્ઞાનિકોને સલામ કરું છું. આપણા બહાદુર સૈનિકોએ ઓપરેશન સિંદૂરના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે અપાર હિંમત દર્શાવી છે. આજે, હું તેમની બહાદુરી, તેમની હિંમત, તેમની વીરતા આપણા દેશની દરેક માતા, બહેન અને પુત્રીને સમર્પિત કરું છું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરમાં બહાદુર સશસ્ત્ર દળો, ગુપ્તચર એજન્સીઓ અને વૈજ્ઞાનિકોની ભૂમિકાને સલામ કરી, જેમાં ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો હતો. પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર ભારતની દરેક દીકરી, બહેન અને માતાને સમર્પિત કર્યું. તેમણે કહ્યું કે પહેલગામમાં રજાઓ મનાવી રહેલા દેશવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યા પછી મારી નાખવામાં આવ્યા, આ દેશને તોડવાનો ઘૃણાસ્પદ પ્રયાસ હતો.