જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં આગામી ફિલ્મ ‘અબીર ગુલાલ’ સામે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હતા. અત્યાર સુધી ચર્ચા હતી કે આ ફિલ્મની રિલીઝ તારીખ મુલતવી રાખવામાં આવી છે. હવે જો માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોનું માનીએ તો, આ ફિલ્મને ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
‘અબીર ગુલાલ’ ભારતમાં રિલીઝ નહીં થાય
આના એક દિવસ પહેલા અમર ઉજાલા ડૉટ કોમએ અહેવાલ આપ્યો હતો કે પહેલગામ હુમલા પછી, પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની ફિલ્મ ‘અબીર ગુલાલ’ ની રિલીઝ મુલતવી રાખવામાં આવશે પરંતુ હવે સમાચાર આવ્યા છે કે આ ફિલ્મ ભારતમાં બિલકુલ રિલીઝ થશે નહીં.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અને વાણી કપૂર પહેલીવાર સાથે જોવા મળશે. આ ફિલ્મ સાથે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન નવ વર્ષ પછી બોલિવૂડમાં વાપસી કરવા જઈ રહ્યો છે. તેમની છેલ્લી ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ હતી, જે 2016 માં રિલીઝ થઈ હતી.
ફિલ્મ સામે પહેલાથી જ વિરોધ ચાલી રહ્યો હતો
ફિલ્મ ‘અબીર ગુલાલ’ જ્યારથી તેની જાહેરાત થઈ છે ત્યારથી જ તે સમાચારમાં છે. આ ફિલ્મ સમાચારમાં હતી કારણ કે તેમાં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાને અભિનય કર્યો હતો. ભારતના ઘણા સંગઠનો આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા હતા. તે ફવાદ ખાનને ભારતમાં મોટા પડદા પર જોવા માંગતો ન હતો. હવે પહેલગામ હુમલા પછી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.
પહેલગામ હુમલા બાદ ફિલ્મ પર પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે ‘અબીર ગુલાલ’ ની રિલીઝ પર પ્રતિબંધ એવા સમયે લગાવવામાં આવ્યો છે જ્યારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.દેશના લોકો પાકિસ્તાનીઓ સામે ગુસ્સે છે. આ ફિલ્મમાં પાકિસ્તાની અભિનેતા મુખ્ય ભૂમિકામાં છે.
પહેલગામ હુમલા પર ફવાદ ખાન
પહેલગામ હુમલા પર ઘણા કલાકારોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. આ સંદર્ભમાં પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, ‘પહલગામમાં થયેલા જઘન્ય હુમલા વિશે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે.’ અમારા વિચારો અને પ્રાર્થનાઓ આ ભયાનક ઘટનાના પીડિતો સાથે છે, અને અમે આ મુશ્કેલ સમયમાં તેમના પરિવારો માટે પ્રાર્થના કરીએ છીએ.
સમાજસેવામાં ધર્મની ભૂમિકા કોઈ નવી વાત નથી. એ તો સનાતનનો અવિરત પ્રવાહ છે. અનાદિકાળથી ચાલી આવતી આ એક એવી પરંપરા છે, જેની સામે આખું વિશ્વ સ્વીકારની ભાવનાથી ભરેલું છે. સમાજ પ્રત્યેનાં કોઈ પણ કાર્યની બે ભાવના હોય છે: પહેલી, તમારે એ કરવું છે માટે તમે એને કરીને ફક્ત તમારા કર્તવ્યનું પાલન કરો છો. બીજી ભાવના એ કે તમે તમારી સેવાભાવનાને કારણે કે એને આધીન થઈને નિ:સ્વાર્થ રૂપે એ સેવા કરો છો.
‘બધા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેવાની પરંપરા સનાતનની જ છે, જે ક્યારેક મહર્ષિ દધીચિ બનીને જગતના રક્ષણ માટે પોતાનાં હાડકાંનું પણ દાન કરી દે છે, તો ક્યારેક રાજા શિબીના રૂપમાં એક નિર્દોષ પક્ષીના જીવનના રક્ષણ માટે એના વજન બરાબર પોતાના શરીરનું માંસ બાજને આપે છે.’
મહાભારતના રણક્ષેત્રમાં દાનવીર કર્ણ અંતિમ શ્ર્વાસ લઈ રહ્યા હતા, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ એમની કસોટી કરવાનું નક્કી કર્યું. ભગવાન એક બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને કર્ણ પાસે પહોંચ્યા અને કહ્યું: ‘મેં તમારી દાનશીલતાની ખૂબ ચર્ચા સાંભળી છે, મને હમણાં જ તમારી પાસેથી કંઈક જોઈએ છે.’
આટલું સાંભળતાં જ કર્ણએ નજીકમાં પડેલો એક પથ્થર ઉપાડીને એનાથી પોતાનો દાંત તોડી નાખ્યો અને આકાશ તરફ બાણ છોડીને વરસાદ વરસાવી પોતાનો રક્તરંજિત સોનેરી દાંત બરાબર સાફ કરીને એ બ્રાહ્મણ રૂપી શ્રીકૃષ્ણને ભેટ કરી દીધો.
‘પ્રયાગરાજ મહાકુંભ’માં અનેક સંત-મહાત્માના આશ્રમોએ શ્રદ્ધાળુઓ માટે રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા કરી
ભારતની જે સામાજિક સેવા પરંપરાનાં દર્શન આજે આપણે કરીએ છીએ, એ અનાદિકાળથી આ પવિત્ર ધરતી પર પ્રવાહિત થઈ રહી છે. એમાં ફક્ત પુણ્ય કમાવાની લાલસા નથી, પરંતુ સેવા એ સહજ રૂપે સનાતનીઓનો આનુવંશિક ગુણ છે. ભારતની લગભગ અડધી વસતિ ગરીબીમાં જીવે છે, પરંતુ એ પ્રજા માટે દેશના સમૃદ્ધ લોકોએ અનેક મઠ-મંદિરો, આશ્રમો કે અન્ય સેવાકેન્દ્રોનું સંચાલન કર્યું છે.
ભારત વસતિની દૃષ્ટિએ વિશ્વનો સૌથી મોટો દેશ છે. આટલા મોટા દેશમાં જનકલ્યાણનાં કાર્યો ચલાવવા માટેનાં સંસાધનોની પર્યાપ્ત વ્યવસ્થા કરવાનું કોઈ પણ પ્રશાસનિક તંત્રના હાથની વાત નથી, જો એમાં સામાજિક કે ધાર્મિક સંસ્થાઓની ભૂમિકા ન હોય. તમે જુઓ કે આપણાં દરેક તીર્થમાં આવતા તીર્થયાત્રીઓ માટે ધર્મશાળા અને અન્નક્ષેત્રની વ્યવસ્થા કેટલી પ્રાચીન છે. આજથી લગભગ 260 વર્ષ પહેલાં માલવા પ્રાંત (આજનું ઈન્દોર અને મહેશ્વર)નાં મહારાણી દેવી અહિલ્યાબાઈ હોળકરે દેશનાં અનેક તીર્થોમાં ધર્મશાળા, ઘાટ અને માર્ગનું નિર્માણ કરાવ્યું હતું. એક સમ્રાજ્ઞી હોવા છતાં પરમાર્થનાં જેટલાં કાર્યો એમણે કરાવ્યાં એ ભાગ્યે જ કોઈ રાજાએ કરાવ્યાં હશે.
સતયુગથી લઈને આ કળિયુગ સુધી આપણો સનાતની ઈતિહાસ આવાં અસંખ્ય ઉદાહરણોથી ભરેલો છે, જે સમાજસેવાની પરંપરામાં ધર્મ-સંપ્રદાયોની ભૂમિકાના સુવર્ણ અધ્યાય છે. તમે કોઈ પણ તીર્થમાં જાઓ, ત્યાં આજે પણ મોંઘી હોટેલોની વચ્ચે તમને એવી ધર્મશાળા કે આશ્રમ મળી જશે, જે હોટેલો જેવી જ રહેઠાણની સુવિધા પૂરી પાડતાં પણ તમારી પાસેથી નામમાત્રનું શુલ્ક લે છે. આ બધાની વચ્ચે તમને એવાં અન્નક્ષેત્રો પણ મળશે, જે નિ:શુલ્ક આખો દિવસ તમને ભોજન-પ્રસાદી પૂરી પાડે છે. હાલમાં જ પૂર્ણ થયેલા પ્રયાગરાજ મહાકુંભનાં દર્શન જગતઆખાએ કર્યાં. કેટલાય પૂજ્યપાદ સંત-મહાત્માઓના સાંનિધ્યમાં એમના આશ્રમોએ શ્રદ્ધાળુઓ માટે રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા કરી. તમે કલ્પના કરો કે શું આ વ્યવસ્થા ફક્ત કોઈ પ્રશાસનિક સ્તરે શક્ય હતી? આ વિશાળ આયોજનમાં આ ધાર્મિક સંસ્થાઓએ કેટલું મોટું યોગદાન આપ્યું.
‘પ્રયાગરાજ મહાકુંભ’માં અનેક સંત-મહાત્માના આશ્રમોએ શ્રદ્ધાળુઓ માટે રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા કરી
સામાન્ય જનમાનસમાં સહજ રીતે આ પ્રશ્ન ઊઠતો હશે કે આખરે હજારો લોકો માટે નિ:શુલ્ક ઉપલબ્ધ આ વ્યવસ્થા માટે ધન ક્યાંથી આવતું હશે? જવાબ સીધો છે કે જો એના સંચાલકોની નીતિ અને નિયત સ્વચ્છ હોય તો સમાજના ભામાશાહ આ સુવિધાઓની ઉપલબ્ધતા માટે ધનની વર્ષા કરે જ છે. આજના આ વ્યાપારી યુગે પોતાના પ્રભાવથી ચિકિત્સા જેવા સેવા ક્ષેત્રને પણ ઝપટમાં લઈ લીધું છે. ચિકિત્સા, જે ક્યારેક સેવાધર્મ હતી એ આજે ગળાકાપ વ્યવસાયનું ક્ષેત્ર બની ગઈ છે, પરંતુ આજે આ જ દેશમાં અનેક ધાર્મિક સંસ્થાઓ કે સમાજસેવી સંસ્થાઓ છે, જે અભાવગ્રસ્ત દરદીઓની નિ:શુલ્ક ચિકિત્સા-શુશ્રૂષા કરે છે.
પોતાનાં સેવાકાર્યોની પ્રશંસા કરવી સંકોચજનક છે, પરંતુ એ સમાજની પ્રેરણા બની શકે માટે જણાવવા ઈચ્છું છું કે અમારી સંસ્થા પરમશક્તિ પીઠ પણ આ ક્ષેત્રમાં કેટલાંક પ્રયાસ કરતી રહે છે. એના દ્વારા સેંકડો નિરાશ્રિત નવજાત બાળકોનાં પાલન-પોષણ, એમની શિક્ષા અને પછી લગ્ન દ્વારા એમના પ્રતિષ્ઠાપૂર્ણ સામાજિક પુનર્વાસની સાથે અમે રોગમુક્ત સમાજની દિશામાં પણ કાર્યરત છીએ. અમારી સંસ્થાના વાત્સલ્ય ગ્રામ, વૃંદાવનમાં સંચાલિત પ્રેમવતી ગુપ્તા નેત્ર ચિકિત્સાલયમાં આંખોની નિ:શુલ્ક ચિકિત્સાવ્યવસ્થા ઉપલબ્ધ છે. અહીં દર બે મહિને મોતિયાના ઑપરેશનની વિનામૂલ્ય શિબિર યોજાય છે, જેના દ્વારા અત્યાર સુધી હજારો દરદીઓને નવી નેત્રજ્યોતિ પ્રાપ્ત થઈ ચૂકી છે. અમારી સંસ્થાના વરિષ્ઠ સહયોગી અને દેશના જાણીતા નેત્રસર્જ્યન ડૉ. શ્યામ અગ્રવાલ પોતાની સાથે મુંબઈના પ્રખ્યાત આઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો અને પૅરામેડિકલ ટીમ સાથે આ શિબિરમાં ઑપરેશન કરે છે.
ગરીબો માટે અન્નદાન કે આરોગ્ય શિબિરો માટે દેશમાં દાનની સરવાણી વહેતી રહે તે આપણી પરંપરા છે.
સમાજસેવાની એમની ભાવના જુઓ, કે આ શિબિર માટે ખર્ચ થતાં ધનની વ્યવસ્થાના સહયોગી પણ એ પોતાની સાથે જ લાવે છે. શ્યામજી આ શિબિરોમાં દૂર દૂરથી આવેલા અભાવગ્રસ્ત નેત્રરોગીઓની સારવાર જ નથી કરતા, પરંતુ એમને ઘડપણમાં કેવી રીતે પ્રસન્ન રહેવું, કેવી રીતે આધ્યાત્મિકતા તરફ આગળ વધવું એનું માર્ગદર્શન આપીને એમનો ઉત્સાહ પણ વધારે છે.
પોતાના અતિવ્યસ્ત સમયની વચ્ચે ડૉ. શ્યામ અગ્રવાલ આખરે આ બધું કેમ કરે છે? ત્રણ-ચાર દિવસનો સમય એ અને એમની આખી ટીમ વાત્સલ્ય ગ્રામમાં કેમ આપે છે? આટલા દિવસોમાં એ મુંબઈમાં રહીને કેટલું ધન કમાઈ શકતા હોત, પરંતુ આ આપણી સનાતની સેવા પરંપરાના સંસ્કાર જ છે, જે એમને આ ત્રણ-ચાર દિવસ માટે પોતાના અંગત સ્વાર્થથી પર રાખીને ફક્ત પરમાર્થ માટે સમર્પિત કરે છે.
વાત ફક્ત પરમશક્તિ પીઠ કે ડૉ. શ્યામ અગ્રવાલ અને એમની ટીમની નથી, આ તો એક ઉદાહરણ જ છે, જેને અમે નિકટથી જોયું છે અને અનુભવ્યું છે. આ દેશમાં એવી હજારો ધાર્મિક-સામાજિક સંસ્થાઓ અને લાખો સમર્પિત સમાજસેવકો છે, જે આ મહાન રાષ્ટ્રના સંચાલનમાં, એનાં સુખ-દુ:ખમાં એના નાગરિકોની સહાયતા માટે હંમેશાં તત્પર રહે છે. મને ફક્ત માનવસેવા જ નહીં, પરંતુ પ્રકૃતિ અને પ્રાણીમાત્રની સેવા માટે કટિબદ્ધ આપણી સનાતની પરંપરા પર ગર્વ છે. પ્રભુને પ્રાર્થના કરું છું કે આપણી ભાવિ પેઢીઓમાં પણ સેવાના આ સનાતની સંસ્કાર ગંગાધારની જેમ અવિરત પ્રવાહિત રહે.
(દીદી મા સાધ્વી ઋતંભરા)
(પ્રખર રાષ્ટ્રવાદી, ‘વિશ્વ હિંદુ પરિષદ’ની મહિલા પાંખ ‘દુર્ગા વાહિની’નાં સ્થાપક, અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટેના આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર)
ન્યૂજર્સીના ઓશન કાઉન્ટીમાં ગ્રીનવુડ ફોરેસ્ટ વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટ એરિયામાં ફાટી નીકળેલી જંગલની આગે મોટા પાયે વિનાશ સર્જ્યો છે. આગે 34 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારને ભરખી લીધો છે, જેના કારણે લગભગ 5,000 નિવાસીઓને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ન્યૂજર્સી ફોરેસ્ટ ફાયર સર્વિસના જણાવ્યા મુજબ, આગ, જેને ‘જોન્સ રોડ વાઈલ્ડફાયર’ નામ આપવામાં આવ્યું છે, તે મંગળવારે સવારે 9:45 વાગ્યે શરૂ થઈ હતી અને બુધવારે સાંજ સુધીમાં 50% નિયંત્રણમાં આવી હતી. આગે 1,320 થી વધુ માળખાંને જોખમમાં મૂક્યાં હતાં, જેમાં એક વ્યાપારી ઇમારત, કેટલીક આઉટબિલ્ડિંગ્સ અને વાહનો નાશ પામ્યાં છે. આગનું કારણ હજુ તપાસ હેઠળ છે, પરંતુ રાજ્યમાં ચાલી રહેલી દુષ્કાળની સ્થિતિ અને શુષ્ક હવામાને તેને વધુ ઉગ્ર બનાવ્યું છે.
આગની ગંભીરતાને કારણે ન્યૂજર્સીના એક્ટિંગ ગવર્નર તાહેશા વે દ્વારા ઓશન કાઉન્ટીમાં ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. ગાર્ડન સ્ટેટ પાર્કવે, રાજ્યનો એક મુખ્ય હાઈવે, મંગળવારે સાંજે બાર્નગટ અને લેસી ટાઉનશિપ વચ્ચે બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રાફિકમાં ભારે અવરોધ ઊભો થયો હતો. બુધવારે સવારે હાઈવે અને રૂટ 9 ફરીથી ખોલવામાં આવ્યા, પરંતુ રૂટ 532 અને અન્ય કેટલાક રસ્તાઓ હજુ બંધ છે. ગાઢ ધુમ્મસ અને ધુમાડાએ હવાની ગુણવત્તા પર અસર ક swagger હતી, જેના કારણે દક્ષિણ જર્સીમાં એર ક્વોલિટી એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. બે હાઈસ્કૂલો, સધર્ન રિજનલ હાઈસ્કૂલ અને માન્ચેસ્ટર ટાઉનશિપ હાઈસ્કૂલ, ખાલી કરાયેલા નાગરિકો માટે આશ્રયસ્થાનો તરીકે ખોલવામાં આવ્યા હતા.
જર્સી સેન્ટ્રલ પાવર એન્ડ લાઈટે ફોરેસ્ટ ફાયર સર્વિસની વિનંતી પર આગની આસપાસના વિસ્તારોમાં 25,000 ગ્રાહકોની વીજળી કાપી નાખી હતી, જેથી ફાયર ફાઈટર્સની સુરક્ષા સુનિશ્ચિત થાય. બુધવારે સાંજ સુધીમાં, તમામ અસરગ્રસ્ત ઘરો અને વ્યવસાયોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. ફાયર ફાઈટર્સે જમીન અને હવામાંથી આગ પર કાબૂ મેળવવા માટે સઘન પ્રયાસો કર્યા, જેમાં હેલિકોપ્ટર્સ અને એર ટેન્કર્સનો ઉપયોગ કરવામાં આવ્યો. ન્યૂજર્સી ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શનના કમિશનર શોન લાટોરેટે જણાવ્યું કે આ આગ છેલ્લા 20 વર્ષમાં રાજ્યની સૌથી મોટી આગ બની શકે છે. હવામાનની આગાહી અનુસાર, શુક્રવારે રાત્રે વરસાદની સંભાવના છે, જે આગને નિયંત્રણમાં લાવવામાં મદદ કરી શકે છે.
ઇસ્લામાબાદઃ પહેલગામમાં થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા લેવામાં આવેલા કડક પગલાઓના જવાબમાં પાકિસ્તાનની ટોચની સુરક્ષા સંસ્થા નેશનલ સિક્યોરિટી કમિટી (NSC)ની બેઠક હાલમાં ઇસ્લામાબાદમાં વડા પ્રધાન શહબાઝ શરીફના અધ્યક્ષસ્થાને ચાલી રહી છે.
આ બેઠકમાં નાગરિક અને સેના સાથે સંબંધિત મુખ્ય હસ્તીઓ હાજર છે. સરકારી રેડિયો પાકિસ્તાન અનુસાર આ બેઠક કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારત તરફથી આવેલા નિવેદનના અનુસંધાનમાં બોલાવવામાં આવી છે.
ભારતની કાર્યવાહી
પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કેટલાંક મહત્વપૂર્ણ પગલાં લીધાં છે, જેમાં સૌથી અગત્યનું 1960ની સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાનો નિર્ણય, રાજનૈતિક સંબંધો ઘટાડવા અને અટારી બોર્ડર ચેકપોસ્ટને બંધ કરવાનો નિર્ણય છે.
તે ઉપરાંત, ભારતે પાકિસ્તાન સરકારના અધિકૃત X (હવે ટવીટર) અકાઉન્ટને બ્લોક કરી દીધું છે અને પાકિસ્તાનના ચાર્જ ધ અફેર્સને દિલ્હી બોલાવ્યા છે.
ભારતનું કહેવું છે કે આ હુમલો પાકિસ્તાન તરફથી થતી સીમા પારની આતંકવાદી પ્રવૃત્તિઓને ટેકાનું પરિણામ છે, જ્યારે પાકિસ્તાને આરોપોને નકારી કાઢતાં મૃતકો માટે સંવેદના વ્યક્ત કરી હતી.
ભારતમાં મૃતકોની સંખ્યા 27 છે, જેમાં મોટા ભાગે ભારતીય નાગરિકો અને એક નેપાળી પણ સામેલ છે.
પાકિસ્તાની ઊર્જા પ્રધાન સરદાર અવૈસ લઘારીએ સિંધુ જળ સંધિને ‘જળ યુદ્ધ’ની ઉપમા આપીને ભારતનાં પગલાંને “ભયાનક અને ગેરકાયદે” ગણાવ્યાં છે.
વિદેશ મંત્રી ઇશાક ડારના જણાવ્યા પ્રમાણે ભારતની પ્રતિસાદ “અપરિપક્વ અને ઉતાવળમાં લીધેલો નિર્ણય છે.
ભૂતપૂર્વ રાજદૂત મલિહા લોધીએ કહ્યું હતું કે ભારત હંમેશાં પુરાવા વગર પાકિસ્તાનને દોષી ઠેરવે છે.
ભૂતપૂર્વ રેલમંત્રી ખ્વાજા સાદ રફીકે પણ ભારતના પગલાંને દુર્ભાગ્યપૂર્ણ અને પુરાવા વગર લીધેલો ગણાવ્યો છે અને ઉમેર્યું કે આ સંધીને એકતરફી રીતે સસ્પેન્ડ નહીં કરી શકાય, કારણ કે તે વર્લ્ડ બેન્કની મધ્યસ્થીતામાં બનેલી છે અને આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવે છે.
અભિનેત્રી રાની મુખર્જીએ 2014ની ફિલ્મ ‘મર્દાની’માં એક શક્તિશાળી પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ ખૂબ જ સફળ રહી. ફિલ્મની સફળતા બાદ રાની મુખર્જી ‘મર્દાની 2’માં જોવા મળી હતી. આ ફિલ્મ 2019 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ ખૂબ જ સફળ રહી હતી. હવે ચાહકો તેના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા છે.
મર્દાની 3નું શૂટિંગ શરૂ
વર્ષ 2024માં સમાચાર આવ્યા કે ફિલ્મ નિર્માતાઓ ‘મર્દાની 3’ પર કામ કરી રહ્યા છે. પિંકવિલાના એક સમાચાર અનુસાર ફિલ્મ ‘મર્દાની 3’નું શૂટિંગ આ વર્ષની શરૂઆતમાં શરૂ થઈ ગયું છે. આ ફિલ્મ આવતા વર્ષે 2026માં હોળીના તહેવાર પર રિલીઝ થશે.
જાનકી બોડીવાલા ફિલ્મનો ભાગ બનશે
વેબસાઇટ અનુસાર અભિનેત્રી જાનકી બોડીવાલા પણ ફિલ્મ ‘મર્દાની 3’માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ‘શૈતાન’ ફિલ્મમાં જાનકી બોડીવાલાએ સારી ભૂમિકા ભજવી હતી. રાની મુખર્જી અને આદિત્ય ચોપરા આનાથી પ્રભાવિત થયા, તેથી તેમણે જાનકી બોડીવાલાને ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકા આપી. આ ફિલ્મમાં તે પોલીસ અધિકારીની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં થઈ રહ્યું છે.
આ ફિલ્મ એક મહત્વપૂર્ણ મુદ્દા પર હશે
એવા સમાચાર છે કે ‘મર્દાની 3’ બંને ફિલ્મો કરતાં વધુ સારી હશે. પહેલાની ફિલ્મો સામાજિક મુદ્દાઓ પર આધારિત હતી. તેવી જ રીતે, આ ફિલ્મ પણ મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓ પર હશે.
બોલિવૂડમાં જાનકી બોડીવાલાનું શક્તિશાળી પાત્ર
જાનકી બોડીવાલાએ ફિલ્મ ‘શૈતાન’ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા તે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનો ભાગ હતી. હવે તે બોલિવૂડમાં ‘મર્દાની 3′ માં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા જઈ રહી છે.’મર્દાની 3’ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ રિલીઝ થવા જઈ રહી છે. આ બેનર હેઠળ ચાર ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. ‘સૈયારા’ 18 જુલાઈ, ‘વોર 2’ 2 ઓગસ્ટે, ‘આલ્ફા’ 25 ડિસેમ્બરે અને ‘મર્દાની 3’ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ રિલીઝ થવાની છે.
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલી આતંકવાદી ઘટના પર કેન્દ્ર સરકારે સંસદ ભવનમાં સાંજે છ વાગ્યે તમામ પક્ષોની બેઠક બોલાવી છે. જેની અધ્યક્ષતા સંરક્ષણપ્રધાન રાજનાથ કરશે. આ બેઠકમાં ગૃહપ્રધાન શાહ બેઠકમાં હાજરી આપશે.
PM મોદીએ બુધવારે આશરે બે કલાક સુધી સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિ (CCS)ની બેઠક કરી છે. આ બેઠકમાં અમિત શાહ, રાજનાથ સિંહ, એસ. જયશંકર અને અજિત ડોભાલ સહિત તમામ મોટા નેતાઓ અને અધિકારીઓ સામેલ થયા હતા. આ બેઠકમાં પાકિસ્તાનની વિરુદ્ધ અનેક પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે સિંધુ નદી જળ સમજૂતી રદ કરી દીધી છે અને અટારી બોર્ડરને પણ બંધ કરી દીધી હતી. એ સાથે પાકિસ્તાની નાગરિકોને 48 કલાકની અંદર ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
બીજી તરફ ભારતના બદલાના ડરથી પાકિસ્તાની વાયુસેનાએ આખી રાત ભયમાં વિતાવી. કરાચી એરબેઝથી 18 ફાઇટર જેટ ભારતની સરહદ તરફના એરફોર્સ સ્ટેશનો પર મોકલવામાં આવ્યાં છે.પાકિસ્તાન 24-25 એપ્રિલે કરાચીમાં તેના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં તેના દરિયાકાંઠા પર જમીનથી જમીન પર પ્રહાર કરતી મિસાઇલનું પરીક્ષણ કરવાની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારે ભારતમાં પાકિસ્તાન સરકારના X હેન્ડલ પર પ્રતિબંધ મૂક્યો છે. તે જ સમયે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરી છે. તેમને જમ્મુ અને કાશ્મીર અને પાકિસ્તાન ન જવાની સલાહ આપવામાં આવી છે.
ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ અને ભૂતપૂર્વ ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ઘટના બાદ ગંભીરે બુધવારે દિલ્હી પોલીસને જાણ કરી અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી. સૂત્રો અનુસાર, ગંભીરે રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનમાં ઔપચારિક ફરિયાદ નોંધવાની વિનંતી કરી છે. દિલ્હી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને ગંભીરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લઈ રહી છે. આ પહેલી વાર નથી કે ગંભીરને આવી ધમકીઓનો સામનો કરવો પડ્યો હોય; 2021માં પણ તેમને સમાન પ્રકારનો ઈમેલ મળ્યો હતો, જેની તપાસ હજુ ચાલુ છે.
22 એપ્રિલે ગંભીરને બે ધમકીભર્યા ઈમેલ પ્રાપ્ત થયા, એક બપોરે અને બીજો સાંજે, જેમાં ‘આઈ કીલ યુ’ જેવા સંદેશ લખેલા હતા. દિલ્હી પોલીસે નિવેદન જારી કરીને જણાવ્યું કે તેઓ આ ઈમેલની તપાસ કરી રહ્યા છે અને ગંભીરને પહેલેથી જ પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ પોલીસે આ મામલાને ગંભીરતાથી લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ધમકીઓનો સંબંધ તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા સાથે હોઈ શકે છે, જેની ગંભીરે નિંદા કરી હતી. તેમણે X પ્લેટફોર્મ પર લખ્યું હતું કે હુમલા માટે જવાબદાર લોકોએ ભારે કિંમત ચૂકવવી પડશે.
પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 28 નિર્દોષ લોકોના મોત થયા હતા, જેને 2019ના પુલવામા હુમલા બાદનો સૌથી ઘાતક હુમલો ગણવામાં આવે છે. ગંભીરે આ હુમલાને લઈને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ભારતના કડક જવાબની વાત કરી. દિલ્હી પોલીસ હવે ધમકીના ઈમેલના સ્ત્રોતની તપાસ કરી રહી છે અને આ મામલે આગળની કાર્યવાહી માટે ગુપ્તચર એજન્સીઓ સાથે સંકલન કરી રહી છે. આ ઘટનાએ રાજકીય અને ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે, અને લોકો ગંભીરની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
પટનાઃ PM મોદી બિહારની મુલાકાતે છે. તેમણે મધુબનીમાં એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે આ કાર્યક્રમની શરૂઆતમાં પહેલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શ્રદ્ધાંજલિ આપી હતી અને બે મિનિટનું મૌન પાળ્યું હતું. PM મોદીએ તેમના સંબોધનમાં અનેક મુદ્દો પર વાત કરી હતી. પહેલગામ હુમલા બાદ પીએમ મોદીનું આ પહેલું જાહેર ભાષણ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલા પર સ્પષ્ટ કહ્યું હતું કે આતંકવાદીઓને તેમની કલ્પનાથી પણ મોટી સજા મળશે. દરેક આતંકવાદીને શોધીને સજા આપવામાં આવશે. કોઈને પણ છોડવામાં નહીં આવે. આ હુમલો માત્ર એ પર્યટકો પર નહોતો, પણ ભારતના આત્મા પર હતો. અમે આતંકવાદીઓને ઓળખીને ઠાર કરીશું, એમ તેમણે કહ્યું હતું.હું આખા વિશ્વને કહેવા માગું છું કે ભારત પ્રત્યેક આતંકવાદીને શોધી-શોધીને મારશે. અમે આ હુમલાના ન્યાય માટે દરેક પ્રયાસો કરીશું.
VIDEO | Addressing an event marking National Panchayati Raj Day in Bihar’s Madhubani, PM Modi (@narendramodi) says, “I urge everyone to observe silence for couple of minutes to pay homage to the family members whom we lost on April 22 (in Pahalgam terror attack).”
મંગળવારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. આ હુમલો પહલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા. આ કાર્યક્રમમાં PM મોદીએ બિહારવાસીઓને અનેક ભેટ આપી હતી. ગેસ વિદ્યુત અને રેલવે પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ પ્રસંગે CM નીતિશ કુમાર અને તેમના ઘણા મંત્રીમંડળના મંત્રીઓ હાજર રહ્યા હતા.
ગુજરાતમાં ઉનાળાની તીવ્ર ગરમીએ રાજ્યના અનેક જિલ્લાઓને લપેટમાં લીધા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા છે, જેના કારણે લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 43.5 ડિગ્રી અને ભુજમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 42.7 ડિગ્રી, ગાંધીનગરમાં 42.8 ડિગ્રી અને વડોદરામાં 42 ડિગ્રી તાપમાન રહ્યું. રાત્રે પણ ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાતા લોકોને રાહત મળી રહી નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે આજથી આગામી બે દિવસ સુધી આવા જ હવામાનની સ્થિતિ રહેશે.
રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાને ઉચ્ચ સ્તર નોંધાવ્યું છે. અમરેલીમાં 42.9 ડિગ્રી, કંડલામાં 42.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 41.7 ડિગ્રી, સુરત અને ભાવનગરમાં 40.8 ડિગ્રી, જ્યારે પોરબંદરમાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર-પશ્ચિમથી ફૂંકાતા ગરમ પવનો ગરમીનું કારણ બની રહ્યા છે. આ સાથે, કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ધૂળની ડમરીઓ સાથે તીવ્ર પવન ફૂંકાવાની આગાહી છે. આ પવનો ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વધુ અસર કરશે.
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યમાં હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41થી 45 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની શક્યતા છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી, પરંતુ ત્યારબાદ 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. લોકોને ગરમીથી બચવા અને પૂરતું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે.
પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા પર બોલિવૂડ સ્ટાર્સની પ્રતિક્રિયાઓ સતત સામે આવી રહી છે. આ દુ:ખદ ઘટનાની સતત નિંદા થઈ રહી છે. ઘણા સ્ટાર્સ શોક વ્યક્ત કરી રહ્યા છે. બુધવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર પ્રખ્યાત પ્લેબેક સિંગર અને સંગીતકાર સલીમ મર્ચન્ટે પણ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે અગાઉ એક પોસ્ટ દ્વારા તેની નિંદા કરી હતી. આ પછી તેમણે એક લાંબો વીડિયો પણ પોસ્ટ કર્યો છે.
આ વીડિયોમાં તેમણે આતંકવાદી હુમલાની નિંદા કરી અને ઇસ્લામ અને કુરાનનો ઉપદેશ પણ આપ્યો. તેમણે આમાં ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો પણ ઉઠાવ્યા. આ સાથે સલીમ મર્ચન્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આ હત્યારાઓ મુસ્લિમ નહીં પણ આતંકવાદી છે. મૃતકોના પરિવારો માટે પ્રાર્થના કરતા તેમણે કહ્યું કે ઇસ્લામ હિંસા શીખવતો નથી.
સલીમા મર્ચન્ટે વીડિયોમાં આ વાત કહી
સલીમે બુધવારે રાત્રે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેમણે કહ્યું, ‘પહલગામમાં નિર્દોષ લોકો એટલા માટે માર્યા ગયા કારણ કે તેઓ હિન્દુ હતા, મુસ્લિમ નહીં. શું હત્યારાઓ મુસ્લિમ છે? ના, તેઓ આતંકવાદી છે. કારણ કે ઇસ્લામ આવું શીખવતું નથી. કુરાન, સુરા અલ-બકરાહ, આયત 256 જણાવે છે કે ધર્મના મામલામાં કોઈ બળજબરી નથી. આ કુરાન-એ-શરીફમાં લખેલું છે. એક મુસ્લિમ તરીકે મને શરમ આવે છે કે મને એ દિવસ જોવો પડે છે જ્યારે મારા હિન્દુ ભાઈ-બહેનોને ફક્ત એટલા માટે નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા હતા કારણ કે તેઓ હિન્દુ છે.’
આ બાબતે આગળ બોલતા, તેમણે પોતાની શરમ વ્યક્ત કરી અને કહ્યું, ‘આ બધું ક્યારે સમાપ્ત થશે?’ કાશ્મીરના રહેવાસીઓ જે છેલ્લા બે-ત્રણ વર્ષથી સારી રીતે જીવી રહ્યા હતા, તેઓ ફરીથી તેમના જીવનમાં એ જ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મને સમજાતું નથી કે મારું દુઃખ અને ગુસ્સો કેવી રીતે વ્યક્ત કરું. હું મારું માથું નમાવું છું અને પ્રાર્થના કરું છું કે ભગવાન તે નિર્દોષ લોકોને અને તેમના પ્રિયજનોને શક્તિ અને સમૃદ્ધિ આપે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ઓમ શાંતિ. સલીમ મર્ચન્ટે વીડિયો શેર કરતાની સાથે જ, નેટીઝન્સ તેમની સાથે સંમત થયા અને ઘણા લોકોએ કહ્યું કે તેઓ ખુલ્લેઆમ આગળ આવવા બદલ પ્રશંસનીય છે.
બુધવારે સવારે, સલીમે કહ્યું કે એવી કોઈ કાર્યવાહી કે ન્યાય નથી જે શોકગ્રસ્ત પરિવારોના નુકસાનની ભરપાઈ કરી શકે. પીડાને મટાડવા માટે કોઈ શબ્દો નથી, આ ભયાનકતાને દૂર કરવા માટે પૂરતો ઝડપી ન્યાય નથી, તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું. આપણે જેમને ગુમાવ્યા છે તેમના માટે આપણે રડીએ છીએ. જે લોકો પાછળ રહી ગયા છે તેમના માટે અમને દુ:ખ છે. તમને જણાવી દઈએ કે, 22 એપ્રિલે આતંકવાદીઓએ પહેલગામના પ્રવાસીઓ પર ધોળા દિવસે હુમલો કર્યો હતો અને તેમાં 26 લોકો માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ ઘટનાથી આખો દેશ હચમચી ગયો હતો. હવે ભારત સરકાર આ મામલે સતત કાર્યવાહી કરી રહી છે.