“કોઈ અલગ નથી. બધા મારા છે, મારા પોતાના છે.” આ લાગણી, આ દ્રષ્ટિકોણ જ સત્સંગ છે. સત્સંગનો અર્થ ફક્ત ભજન ગાવાનો નથી. તેનો શાબ્દિક અર્થ પણ આ છે – સત્યનો સંગ. સત્ય શું છે? “કોઈ પણ અલગ નથી. શીખ હોય, ખ્રિસ્તી હોય, હિન્દુ હોય કે મુસ્લિમ – બધા જીવો, બધા માનવીઓ તે એકજ દિવ્ય શક્તિના અંશ છે.
વેદોએ તેને આ રીતે વ્યક્ત કર્યું છે – ‘સકલ વેદ પ્રતિપદ્ય આત્મરૂપમ્’ – મારી અંદર જે છુપાયેલ છે. તે ઉર્જાને ઓળખો. પછી ચહેરા પર છીનવી ન શકાય એવું એક સ્મિત હશે. શું આપણે જીવનમાં એ જ નથી ઇચ્છતા – એક સ્મિત જે ક્યારેય ઝાંખું ન થાય, એક પ્રેમ જે ક્યારેય ઓછો ના પડે, એક જીવન જે ક્યારેય તૂટતું નથી? તે ક્યારેય તૂટતું નથી, પરંતુ એવું લાગે છે કે તે તૂટી ગયું છે.
જીવન એક શાશ્વત ધારા છે. આપણે સદીઓથી અહીં આવી રહ્યા છીએ. તમે અહીં ઘણી વખત આવ્યા છો, અને અમે પણ. આપણે બધા આ ગ્રહ પર ઘણી વખત આવ્યા છીએ. તમે ફક્ત ભૂલી ગયા છો. તેથી જ તમે તણાવમાં કે દુઃખી છો. જો કે, સાધના, ધ્યાન, પ્રાણાયામ અને સુદર્શન ક્રિયા કરવાનું શરૂ કરતાની સાથે જ એક નવી રોશની દેખાય છે. કોઈ કહે છે, ‘વાહ! હું કોઈ કારણ કે તર્ક વગર દુઃખી હતો.’ તમારી પાસે ગમે તેવી પરિસ્થિતિ હોય, તમે તે પરિસ્થિતિને એક પગથિયું બનાવી શકો છો.
તમારા વિકાસ માટે તમે ચોક્કસપણે સુખદ પરિસ્થિતિઓનો ઉપયોગ કરી શકો છો, તમે અપ્રિય પરિસ્થિતિઓને તમારા આગામી વિકાસ માટે એક પગથિયું પણ બનાવી શકો છો. આ જ્ઞાન જાગૃત થવું જોઈએ. જ્યારે આપણે બદલાઈએ છીએ, ત્યારબાદ આપણે બીજાને પ્રેરણા આપી શકીએ છીએ.
(ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
