મૌન શું છે?

નશાનો બંધાણી એમ વિચારે છે કે મેં નશો લેવાનું એટલા માટે શરૂ કર્યું કે ક્યાંક ને ક્યાંક અપમાનિત થવાની ઉર્જા મને દુઃખી ન કરે. હવે નશો છોડવા માટે સૌથી પહેલા મારે મારી અંદર રહેલ ખાલી પનને ભરવું પડશે. આપણે ઈચ્છીએ છીએ કે તે ખરાબ આદતોથી બચી જાય. પરંતુ એ જાણવાનો પ્રયત્ન નથી કરતા કે તે ખરાબ આદતોને વશ શા માટે થયો છે? આપણે એટલું જ વિચારીએ છીએ કે બાળક આ બધું લઈ રહ્યો છે જે તેની તંદુરસ્તી માટે નુકસાનકારક છે. આપણે દરરોજ તેને કહીએ છીએ કે આ આદતો ખરાબ છે તેને છોડી દે. પરંતુ જે કારણથી તે ખરાબ આદતોને વશ બનેલ છે તે કારણ જાણવું જરૂરી છે. જો મારી અંદર કોઈ દર્દ છે તો તે સ્મોકિંગ અથવા આલ્કોહોલથી પણ વધુ નુકસાનકારક છે. આવી વ્યક્તિની અંદર ખાલી પન છે. આપણે તેને ભરવા માટે પ્યાર અને સન્માનની ઉર્જા આપીએ જેથી એ આત્મા ભરપૂર બની જાય. આ ઉર્જા તેને વ્યસનમાંથી મુક્ત થવા માટ પ્રેરણા આપશે. તેને દિલથી સ્નેહ અને સન્માન આપીએ જેના તરંગો તે ગ્રહણ કરશે.

આપણી આસપાસના વ્યક્તિઓ મારો પુત્ર, મારી પુત્રી, મારો પતિ કંઈ પણ કરી રહેલ છે તો આપણે નિર્ણાયક બનવાની જરૂર નથી. તેઓ શા માટે આવું કરે છે? તેનાથી તેમને જ નુકસાન થાય છે, આવું વિચારવાની જરૂર નથી. આના પરિણામે સામેની વ્યક્તિને આપણા તરફથી બહુ જ શક્તિશાળી ઊર્જા મળે છે. જેવું આપણે નિર્ણાયક બનવાનું ઈચ્છીએ કે તરત જ આપણા અંદરની ઉર્જા તેમના સુધી પહોંચી જાય છે પછી ભલે આપણે મુખ દ્વારા કંઈપણના બોલીએ.
એક દિવસ માટે તમે પ્રયત્ન કરીને જુઓ કે આજે મારે બીજા અંગે વધુ નથી વિચારવું. પછી તમે તમારા વિચારોને જુઓ અને તે વિચારો દ્વારા પ્રાપ્ત થતી અનુભૂતિને ચેક કરો. તમને સમજમાં આવશે કે વિચારો તેની જાતે ઉત્પન્ન નથી થતા પરંતુ આપણે તેને ઉત્પન્ન કરી શકીએ છીએ. સાચા અર્થમાં મૌનની સ્થિતિમાં આપણે આપણા મનના વિચારોને સ્થિર રાખી શકીએ છીએ.

હવે સમજીએ કે મૌન શું છે?

મૌન બે પ્રકારના હોય છે. એક છે મનનું મૌન અને બીજું છે વાણીનું મૌન. મનના મૌનનો અર્થ એ નથી કે આપણે વિચારવાનું બંધ કરી કરીએ. ઘણીવાર મેડીટેશન કરતા સમયે અમુક ભાઈ-બહેનો એવો પ્રયત્ન કરે છે કે મનમાં વિચાર જ ઉત્પન્ન ન થાય. પરંતુ આ શક્ય નથી. આપણે ફક્ત સાક્ષી બનીને જોઈએ કે હું કેવા વિચારો ઉત્પન્ન કરી રહ્યો છું? જેવું આપણે આપણા વિચારોને જોવાનું શરૂ કરીશું કે તરતજ વિચારોની સ્પીડ ઓછી થતી જશે અને સારા વિચારોનું પ્રમાણ વધતુ જશે. એ અનુભવ કરી શકીએ છીએ તે આપણી આંતરિક સ્થિરતા જ મૌન છે. સામાન્ય રીતે કાર્ય વ્યવહારમાં આપણે એક મિનિટમાં 25-30 વિચાર ઉત્પન્ન કરીએ છીએ. આ બાબત તબીબી વિજ્ઞાન દ્વારા પણ પ્રમાણિત થયેલ છે.

 

 

 

 

 

 

 

 

 

 

ઇલેક્ટ્રોએન્જોપોલોગ્રાફ મશીન જે આપણા વિચારોને તરંગોના રૂપમાં સ્ક્રીન ઉપર બતાવે છે. તેમાં પણ મનની સામાન્ય સ્થિતિમાં દર મિનિટે લગભગ 25-30 સંકલ્પોના જ તરંગો આવે છે. મનની આ સ્થિતિને “બીટા” સ્થિતિ કહેવાય છે. જો મનની આખા દિવસની વિવિધ સ્થિતિને જોઈએ તો આપણને જાણવા મળશે કે આખા દિવસ દરમિયાન આપણે લગભગ 40-50 હજાર સંકલ્પ ઉત્પન્ન કરીએ છીએ. જે આપણા મન દ્વારા ઉત્પન્ન થાય છે. આ રીતે આપણું મન એક કંપની છે અને તેનું ઉત્પાદન છે દરરોજના 40,000 વિચારો. તેની ગુણવત્તા કેવી છે?

આ વિચારોમાંથી ઘણા વિચારો તો ખૂબ જ શક્તિશાળી અને સકારાત્મક હોય છે અને ઘણા વિચારો ગુસ્સો, ઈર્ષા, અહંકાર, નફરત વગેરેના રૂપમાં નકારાત્મક હોય છે. દિવસ દરમિયાન ઉત્પન્ન થતાં વિચારોમાં ઘણા વિચારો જરૂરી હોય છે, જેમકે આ કરવું છે, આજે આ કરવું છે. આ ઉપરાંત ઘણા બધા વિચારો વ્યર્થ હોય છે. વ્યર્થનો અર્થ છે જે વસ્તુ બની ગઈ છે તેના ઉપર વધુ પડતા વિચાર કરવા અથવા જે વસ્તુ બની નથી તે અંગે નકારાત્મક વિચારો કરવા. આવા વિચારોમાં કોઈ શક્તિ નથી હોતી, કારણકે ભૂતકાળ કે ભવિષ્ય કાળ આપણા હાથમાં નથી.

જ્યારે આપણે મેડીટેશન (ધ્યાન) કરવા બેસીએ છીએ ત્યારે વિચારોની ગતિ ધીમે- ધીમે ઓછી થતી જાય છે. જરૂરી નથી કે ફક્ત મેડિટેશન દ્વારા જ વિચારો ઓછા કરી શકાય છે પરંતુ એ સિવાયના સમયમાં પણ જો આપણે જાગૃતિ રાખીએ તો આપણા વિચારોની ગતિ ધીરે-ધીરે ઓછી કરી શકીએ છીએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)