આધ્યાત્મિકતા : અંદરના બીજને ઉગાડવાની પ્રક્રિયા

સદગુરુ: અધ્યાત્મિક પ્રક્રિયા, એવી કોઈ વસ્તુ, જે તમે જોઈ શકતા નથી તે માટેની ઘેલી ઝંખના, આ સ્થાયી ભૂમિ છોડીને આકાશને સ્પર્શ કરવાનું ગાંડપણ નવું નથી. તેણે માનવ હૃદયમાં હંમેશા તબાહી મચાવી છે. ઘણા લોકોએ તેને દબાવીને જીવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેઓ ક્યારેય જીવી શક્યા નહીં. જે લોકો મનુષ્યની આંતરિક ઝંખનાને દબાવીને ગમે તે રીતે જીવન પસાર કરવાનો પ્રયત્ન કરે છે, તેઓ માત્ર અધૂરું જીવન જીવે છે, ક્યારેય સંપૂર્ણ રીતે નહીં કારણકે ભૌતિકતા એ જીવનનો અડધો ભાગ પણ નથી, પરંતુ તેનાથી ઘણું ઓછું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો આટલો વિકાસ થવા છતા, આપણે આ સૃષ્ટિનું કદ માંપી શક્યા નથી. તેની તુલનામાં તમારું શરીર, આ ગ્રહ, સૌર મંડળ, તારા મંડળ, બધા દિવ્ય આત્માઓ, માત્ર સૃષ્ટિના એક નાના કણ જેટલી જગ્યા જ રોકે છે.

તેથી જે ભૌતિકતાથી પરે છે તેનું આ સૃષ્ટિ પર વધુ વર્ચસ્વ છે. પરંતુ માનવીય દ્રષ્ટિકોણ ઇન્દ્રિયોથી ઉત્પન્ન થાય છે – જે તમને અસ્તિત્વ જાળવી રાખવા માટે અપાયો છે, પરંતુ લોકો તેને જીવનનાં સર્વોચ્ચ સાધન તરીકે ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે, જેનાથી ભૌતિકતાની એક વિચિત્ર સમજણ ઉભી થાય છે. હકીકતમાં તો મોટા ભાગના લોકો અહીં એવી રીતે જીવે છે જાણે ભૌતિકતા જ બધું છે. બહુ ઓછા લોકો સમજે છે કે તે મહત્વપૂર્ણ છે પરંતુ સર્વસ્વ નથી.

પરંતુ જયારે કોઈ પરિમાણ જે ભૌતિકતાથી પરે છે, તે તમને અતિ-પ્રભાવિત કરે છે અને જ્યારે દરેક દિશાઓમાંથી તેનો પ્રભાવ છલકાય છે, જેનો વેગ વધવાથી તમે જોશો કે ભૌતિકતા કેટલી નજીવી છે.

તમારા અસ્તિત્વના લક્ષણનો યોગ્ય દ્રષ્ટિકોણ મેળવવો ઘણો મુશ્કેલ છે કારણકે તમારામાં જીવનના અસ્તિત્વની ભાવના પ્રમાણે જીવનની સામાજિક સૂઝ ઘણી વધારે છે. જેને આજે વિશ્વમાં આધ્યાત્મિકતા કહેવામાં આવે છે, તે મોટે ભાગે એક સામાજિક દ્રષ્ટિકોણ જ છે. અસ્તિત્વનું પ્રમાણ ઘણું ઓછું છે. મોટા ભાગના લોકો માટે, આધ્યાત્મિકતા એટલે પોતાના ભગવાનમાં વિશ્વાસ રાખવો, તેમની પૂજા કરવી અને દરરોજ ભગવાને શું કરવું, ના કરવું, તેની સલાહ આપવી જેમકે- “હે ભગવાન, મને આ આપો, પેલું આપો, મારું રક્ષણ કરો.”

આધ્યાત્મિકતા કોઈ તત્વજ્ઞાન અથવા તો ફિલોસોફી કે માન્યતા જેવી વસ્તુ નથી જે તમે કરી શકો. તે એવું કંઈક છે જે તમે બની શકો. તમે જે છો તેનો તે એક ખુબ અનિવાર્ય લક્ષણ છે. શા માટે હંમેશા તે વસ્તુ પર ભાર મુકવામાં આવે છે કે માનવ જીવન સૌથી અગત્યનું છે, તે માત્ર એટલા માટે કે, તાજેતરમાં માનવ જીવન અહી એકમાત્ર જીવન છે જે પોતાની સમજદારી થકી પોતાના જીવનના બેકાબુપણાથી પરે જઈ શકે છે. જયારે લોકોએ ગૌતમ બુદ્ધને પૂછ્યું, “કેમ તમે આ હજારો લોકો સાથે તમારો સમય વેડફો છો, શું તેઓ તેને લાયક છે? તમે એક અધ્યાત્મિક શિક્ષક છો, તમારે તમારો સમય નાના જૂથ જે વધારે કેન્દ્રિત હોય તેમની સાથે ગાળવો જોઈએ.” ગૌતમે કહ્યું, “ તેઓ બધા બોધીસત્વ છે, “બોધીસત્વ” એટલે બુદ્ધ બનવાની સંભાવના ધરાવનારા. અત્યારે તેઓ મુર્ખામી ભર્યું જીવન જીવી રહ્યા હશે પરંતુ તેમનામાં સંભાવના રહેલી છે. જ્યાં સુધી તે સંભાવનાનું બીજ અખંડ છે, ત્યાં સુધી માત્ર ફળદ્રુપ જમીન શોધવાનો પ્રશ્ન છે, બસ. તેનો નાશ કરી શકાતો નથી. તે બીજ જે નિર્જીવ પત્થર જેવું દેખાય છે, તે એક મહાન ફૂલ બની શકે છે જો તમે માત્ર તેને શક્યતા આપી શકો તો. આ શક્યતાને મુળિયા આપીને તેને ઉગવાની મંજુરી આપવી તેજ આધ્યાત્મિકતાની સંપૂર્ણ પ્રક્રિયા છે.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કારપદ્મ વિભૂષણઆપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટમાટી બચાવોના સ્થાપક છે જે અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.