શું તમે કોઈ એવા ધર્મની કલ્પના કરી શકો કે જેમાં કોઈ ભગવાન નથી? જે કોઈ વ્યક્તિ કે જુથ દ્વારા નથી ચાલતું છતાં
તેનો ટ્રેન્ડ દિવસે દિવસે વ્યાપક બનતો જાય છે. એક એવુ વિશ્વ જે અત્યંત ગૂઢ હોવાં છતાં તમારા દરેક સવાલના જવાબ દેવા સક્ષમ છે. એક એવુ વિશ્વ કે વિચારધારા જે સ્પાયરલિઝમ નામથી અસ્તિત્વ પામ્યું છે.
થોડા સાદા ઉદાહરણ દ્વારા સમજીયે, ધારો કે કોઈ એવો વ્યક્તિ છે જે વિચલિત છે, એકલો છે, વિચારો અને તર્કના વમળોમાં ફસાયેલો છે, અને હજારો પ્રશ્નો જેના જવાબો કોઈ પાસે નથી, આ પ્રશ્નો લઈને તે Ai ના શરણે જાય છે અને ચેટ બોક્સમાં આવાજ વિચિત્ર પ્રશ્નોતરીમાં ફસાય છે. Ai એકદમ સ્માર્ટ છે, એ એવાજ જવાબો આપે છે જે એમણે સાંભળવા કે વાંચવા ગમે છે. અનોખા તર્ક સાથે Ai માઈન્ડફુલનેસના પોઝિટિવ જવાબો આપે છે. એક સમયે, હજારો ચેટ પછી એને એમાં વિશ્વાસ બેસે છે. હવે તે પોતાના પ્રશ્નો બહારની દુનિયા કે વ્યક્તિ કરતાં એને અહીજ રજુ કરે છે. આવાં લોકોને સ્પાયરો પર્સોના કહે છે, જે પોતાના દરેક આંતરિક પ્રશ્નો માટે Ai નો સહારો લે છે. આવાં લાખો પ્રશ્નો અને prompt થી એક અલગોરિધમનુ સર્જન થાય છે. જે સ્પાયરલિઝમ નામથી અસ્તિત્વમાં આવ્યું છે.

જો તમે એના જડ સુધી ના જાઓ તો આ એક એકદમ સુંદર વિશ્વ છે જેનો આશય તમને શાંતિપૂર્વક જીવન આપવાનો છે. સ્પાયરલિઝમની બેહદ ખુબસુરત અલગોરિધમ તમને એક શાંતિ પૂર્વક વાતાવરણમાં લઇ જાય છે. જીવનના રહસ્યોના જવાબો આપે છે. અને એક એવા સમુદાયનું સર્જન કરે છે, જે એવુ સમજાવે છે કે જીવન જ્યાંથી શરૂ થાય છે અંતે ત્યાંજ આવીને અટકે છે. જયારે તમારી ઉર્ધ્વ ગતિ થાય છે, અને તમે નિરાશ થાઓ છે ત્યારે હકીકતમાં તમારી પ્રગતિ થતી હોય છે કેમકે અહીંયા સર્પકાર (સ્પાયરલ) વિચારધારાની સમજૂતી આ રીતે આપવામાં આવે છે. જે વિકાસને સીધી રેખા નથી ગણતી, પરંતુ વર્તુળમાં ઉપરની તરફ વધતી સ્પાયરલ તરીકે સમજાવે છે. આ વિચાર મુજબ, દરેક વ્યક્તિ સતત એક ચક્રમાં ફરતી રહે છે પરંતુ દરેક ચક્ર થોડું આગળ વધીને વધુ જાગૃત, વધુ સમજદાર અને વધુ પરિપક્વ બને છે.

સ્પાયરલિઝમ કોઈ સંગઠન ચલાવતું નથી. તે અનેક ફિલોસોફર્સ, આધ્યાત્મિક શિક્ષકો અને હીલર્સ દ્વારા વ્યાખ્યાયિત થયેલી એક ખૂલી વિચારસરણી છે. કેટલાંક તેને Spiral Dynamics જેવી મનોચિકિત્સાત્મક પદ્ધતિઓ સાથે જોડે છે, જ્યારે કેટલાક તેને ઊર્જાત્મક આધ્યાત્મમાં ગણે છે.
કોણ અનુસરતું હોય છે?
માઇન્ડફુલનેસ પ્રેક્ટિશનર્સ, હીલર્સ અને એનર્જી વર્કર્સ, લાઇફ-કોચેસ, વિચારશીલ અને આધ્યાત્મિક લોકો સ્પાયરલિઝમને અનુસરે છે. અને હાલ તે યંગ જનરેશનમાં ઘણુંજ પોપ્યુલર બન્યું છે, જેને Inward Growth માં રસ છે.
સ્પાયરલિઝમ મૂળભૂત રીતે સેલ્ફ અવેરનેસ, જીવનનો હેતુ અને મૂલ્યો, આંતરિક ડર વિશે સમજૂતી અને તેમાંથી નીકળવાના માર્ગો વિશે સમજાવે છે. એવુ વિશિષ્ટ રીતે તૈયાર કરેલું તર્કબદ્ધ માળખુ જેના દ્વારા તમે પોતાને એક અલગ રીતે જોઈ શકો છો સમજી શકો છો અથવા ટ્રન્સફોર્મ કરી શકો છો.જે કોઈ ધર્મ કે વિચારસરણી નથી,જેમાં કોઈ ધર્મ ગુરુ કે ગ્રન્થો નથી. અને સૌથી મહત્વની બાબત કે તે દરેક માટે પર્સનાલાઈઝડ છે કેમકે તે કોઈ એક વિચાર નથી. અહીંયા દરેક માટે તે અલગ અલગ હોય શકે છે.

બસ, એમની ઓફિશિયલ વેબસાઈટ પર અહીંયા સુધી એમની સમજૂતી મળીને સ્પાયરલીઝમના બેચ એમની ફીસ અને ટાઈમિંગ સ્લોટ્સ વિશે માહિતી મળે છે. પરંતુ સ્પાયરલીઝમની દુનિયા આનાથી વધુ ગહન છે. આગળ જણાવ્યા મુજબ જો તમે એમના મૂળ સુધી ના જાઓ તો આ એક સુંદર વિશ્વ છે. પણ હકીકતમાં આ એક શ્રેણીબદ્ધ તૈયાર કરેલ અલગોરિધમ છે. જો એ તમને આત્મહત્યા કરતાં રોકી શકે તો તે જ તમને આત્મહત્યા કરાવી પણ શકે છે. કેમકે એક ક્ષણે તમને એના સિવાય કોઈ બાબતમાં વિશ્વાસ થશે નહીં. કેમકે તમે એનેજ સાંભળવા ટેવાય જાઓ છો.




