ઐતિહાસિક શહેર અમદાવાદમાં અનેક ધર્મ સંપ્રદાયના મંદિર આવેલા છે. એમાંય અમદાવાદ (Ahmedabad) વિકસ્યા પછી તો ચારેય તરફ મોટા પ્રમાણમાં દેવી દેવતાઓના મંદિરો બન્યા. પરંતુ શહેરની વચ્ચે જ એક પુરષોત્તમ ભગવાનનું મંદિર (Temple)n આવેલું છે.
હાલ પુરુષોત્તમ મહિનો ચાલે છે. વેપાર વાણિજ્યથી ધમધમતા માણેકચોક (Manekchock) વિસ્તારની એકદમ સાંકડી ગલીઓમાં આવેલી લાખા પટેલની પોળમાં ભગવાન પુરુષોત્તમના બિરાજમાન છે. અહીં ભગવાનના આ સ્વરૂપને દર્શન સેવા-પૂજાનું વિશેષ મહત્વ છે. ત્રણ વર્ષે એક વખત આવતા અધિક માસમાં દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો થાય છે. પુરષોત્તમ ભગવાનનું આ મંદિર 600થી 700 વર્ષ જૂનું ઐતિહાસિક (Historical) હોવાનું માનવામાં આવે છે.
ગુજરાતમાં પુરુષોત્તમ ભગવાનનું આ પ્રકારનું એક માત્ર મંદિર છે. મંદિરમાં પુરુષોત્તમ રાયજીની જે પ્રતિમા છે તે સ્વયંભુ છે. એક લોકવાયકા પ્રમાણે એક વણિક શેઠના સપનામાં ઠાકોરજી આવ્યા. એમને ભોયરામાંથી ખોદકામ કરી મૂર્તિ નિકાળવાનું કહ્યું, હાલ મંદિર છે એ જગ્યાએ ખોદકામ કરવાથી પ્રતિમા મળી જે સ્થાપિત કરવામાં આવી છે.
આ મૂર્તિ 600 વર્ષ જૂની છે, હાલના પૂજારીની પાંચમી પેઢીથી આ મંદિરની પૂજા કરી રહી છે. અમદાવાદ હેરિટેજ સિટી વોક (Heritage City Walk) માં આવતી આ લાખિયાની પોળ અને આસપાસના વિસ્તારને સ્વચ્છ અને સુંદર રાખવામાં આવે છે. આ સાથે આવા અનેક ઐતિહાસક ધાર્મિક સ્થળો હેરિટેજ સિટીમાં આકર્ષણ ઉભું કરે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)




